આમ એક વાર નક્કી કરી દેવામાં આવેલા સંબંધ ઓછા તૂટતા હોય છે, પરંતુ ખાણીપીણીની સ્ટાઈલ અને આદત સાથે તાલમેલ ન બેસાડી શકવાથી કેટલાક સારા સંબંધો જરૂર નથી બની શકતા, જે તૂટી જવા જેવું ભલે ને ન હોય, પરંતુ નુકસાનકારક જરૂર હોય છે. જેાકે આ સ્થિતિ એક રીતે સારી વાત છે કે બધી જરૂરી વાત અને શરત લગ્ન પહેલાં નક્કી થઈ જાય, જેથી બાદમાં કોઈ સમસ્યા ન થાય, પરંતુ અફસોસ ત્યારે થાય છે જ્યારે કોઈ યુવતીને સારા ઘરવર એટલા માટે નથી મળી શકતા, કારણ કે સાસરીના લોકો માંસાહારી હોય કે પછી કોઈ યુવકને સારી પત્ની એટલા માટે નથી મળી શકતી, કારણ કે તે માંસાહારી નથી.

ભોપાલની ૨૮ વર્ષની ઈશિતા (નામ બદલ્યું છે) ના લગ્નની વાત ઈન્દોરના અપૂર્વ સાથે ચાલી ત્યારે શરૂઆતમાં બધું ઠીકઠાક હતું. બંને પુણેની સોફ્ટવેર કંપનીમાં સારા પેકેજ પર જેાબ કરી રહ્યા હતા. બંને બરાબરની હેસિયત ધરાવતા પરિવારના હતા અને આજકાલના દષ્ટિકોણથી જેાઈએ તો સૌથી મહત્ત્વની વાત એ હતી કે બંને એક જાતિના હતા. પછી વાત આગળ વધી ત્યારે બંને પરિવારના ભલે ને દૂરના હોય, પરંતુ કેટલાક કોમન સંબંધીઓ પણ સામે આવી ગયા. ઈશિતા અને અપૂર્વએ એક વારની મીટિંગમાં એકબીજાને પસંદ કરીને પોતાનો નિર્ણય જણાવી દીધો. આજકાલ લગ્નો ‘ચટ મંગની પટ બ્યાહ’ ની જેમ થતા હોય છે, તેથી બંને પરિવારોએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી.
થોડા દિવસ પછી અંગેજમેન્ટની તારીખ અને કેટલીક બીજી વાત પર ચર્ચા કરવા ઈશિતાના મમ્મીપપ્પા મીઠાઈ અને ફળ લઈને અપૂર્વના ઘરે ઈન્દોર પહોંચ્યા ત્યારે વાતવાતમાં તેમને જાણ થઈ કે આ લોકો માંસાહારી છે. બસ અહીંથી નક્કી થઈ ગયેલી વાત બગડી ગઈ. આ વાતને અહીં સમાપ્ત કરતા ઈશિતાના માબાપે કહ્યું કે અમારા ઘરમાં તો ક્યારેય નોનવેજ બન્યું નથી અને અમે જે ધાર્મિક સંપ્રદાયને માનીએ છીએ તેમાં માંસાહાર પર સખત મનાઈ છે. ત્યાં સુધી કે અમે લસણકાંદા નથી ખાતા. સ્વયં ઈશિતા પણ બાળપણમાં દીક્ષા લઈ ચૂકી છે, પરંતુ બહારની નોકરીના લીધે ગુરુએ તેને કાંદા ખાવાની મંજૂરી આપી દીધી છે. જેાકે માંસાહારની વાતને તમારે પહેલાં જણાવી દેવી હતી, ફાલતુમાં લગ્નની વાત આટલી આગળ વધી ગઈ.
ઈશિતાના મમ્મીપપ્પાએ એક રીતે અપૂર્વના પેરન્ટ્સને ઠપકો આપ્યો ત્યારે તેઓ પણ ગુસ્સે થઈ ગયા કે આ કેવી વાત છે. આજકાલ બધું ચાલે છે અને અમારા ઘરમાં આમ પણ રોજ નોનવેજ નથી બનતું, વળી ઈશિતાને પુણેમાં રહેવાનું છે ને. લગ્ન પછી શું ખાવુંપીવું, કેવી રીતે રહેવું આ બધું બાળકોને નક્કી કરવા દો. જેાકે ઈશિતાના પેરન્ટ્સ પર આ વાતની કોઈ અસર ન થઈ અને તેઓ ચાલ્યા ગયા. બીજી તરફ અપૂર્વના માતાપિતા બબડવા લાગ્યા કે જ્યારે બધું ગુરુની મંજૂરીથી તેમના ઘરમાં થાય છે તો પછી લગ્નની બધી વાત કરવા પણ તેમને મોકલવા જેાઈતા હતા ને. તેમના ઘરમાં કાંદાલસણ ખાવા કે ન ખાવા પણ ગુરુ નક્કી કરે છે, આ હદ છે અંધશ્રદ્ધાની. કૂપ મંડૂપ, ભણેલાગણેલા અભણ. લગ્ન પહેલાં દીકરીની જિંદગીના નિર્ણયો પોતે લઈ રહ્યા છે. બાદમાં અપૂર્વને પણ ભાજીપાલો ખવડાવશે તેમની લાડકી. સારું થયું સમયસર બચી ગયા, નહીં તો ન જાણે આગળ શું શું થયું હોત.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....