યૂટીઆઈ શું કરવું શું નહીં

યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શન (યૂટીઆઈ) એક સામાન્ય બીમારી છે. આ બીમારીથી દુનિયાભરના લાખો લોકો ગ્રસ્ત છે. આ બીમારી ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગમાં પ્રવેશ કરે છે. તેનાથી અસહજ લક્ષણ અને સંભવિત મુશ્કેલી થાય છે. યૂટીઆઈનો ઈલાજ શક્ય છે, પરંતુ પ્રતિબંધ આ બીમારીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. યૂટીઆઈને અસરકારક રીતે અટકાવવા અને મેનેજ કરવા માટે શું કરવું અને શું ન કરવું વિશે જાણવું ખૂબ જરૂરી છે.

યૂટીઆઈ અટકાવવા શું કરવું
હાઈડ્રેટ રહો : યૂટીઆઈને અટકાવવાની સૌથી સરળ અને સૌથી અસરકારક રીતમાંથી એક છે હાઈડ્રેટેડ રહેવું. પુષ્કળ પાણી પીવાથી મૂત્રમાર્ગમાંથી બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ મળે છે અને મૂત્ર પાતળું થાય છે, જેથી ઈંફેક્શન થવાનું જેાખમ ઓછું થાય છે. તમે શારીરિક પ્રક્રિયા કરો છો અથવા ગરમ વાતાવરણમાં રહો છો તો રોજ ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ.

સ્વચ્છતા રાખો : યૂટીઆઈને અટકાવવા માટે સ્વચ્છતા રાખવી જેાઈએ. શૌચાલયનો ઉપયોગ કરતી વખતે ગુદા ભાગમાંથી બેક્ટેરિયાને મૂત્રમાર્ગ સુધી પહોંચતા અટકાવવા માટે હંમેશાં આગળથી પાછળ બાજુ લૂછવું જેાઈએ. તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવા માટે નિયમિત નહાઓ.

બ્લેડરને નિયમિત ખાલી કરો : બેક્ટેરિયાને જમા થતા અટકાવવા માટે બ્લેડર (મૂત્રાશય) ને નિયમિત ખાલી કરવું જરૂરી છે. લાંબા સમય સુધી યૂરિન રોકી ન રાખો, કારણ કે તેનાથી બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે. પેશાબ મહેસૂસ થતા પેશાબ કરો અને દર વખતે મૂત્રાશયને ખાલી કરો.

સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ પહેલાં અને પછી પેશાબ કરો : સેક્સ કરતા પહેલાં અને સેક્સ કર્યા પછી પેશાબ કરવાથી બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ મળે છે. આવું કરવાથી સેક્સ દરમિયાન મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા પ્રવેશ નથી કરી શકતા. મહિલાઓએ આવું ખાસ કરવું જેાઈએ. તેમનો મૂત્રમાર્ગ નાનો હોય છે અને તેમાં બેક્ટેરિયા જવાની શક્યતા વધારે હોય છે. તે ઉપરાંત સુરક્ષિત સેક્સ કરવાથી યૂટીઆઈનું જેાખમ ઘટાડી શકો છો.

બ્રીથેબલ અંડરગાર્મેન્ટ પહેરો : બ્રીથેબલ કપડાથી બનેલા અંડરગાર્મેન્ટ પહેરો, જેમ કે કોટનનાં બનેલા કપડાં. તેનાથી પ્રાઈવેટ પાર્ટ (જનનાંગ) માં હવા જાય છે અને જનનાંગ એરિયા શુષ્ક રહે છે. ટાઈટ ફિટિંગ કપડાં અને સિંથેટિક મટીરિયલથી બનેલા કપડાં ન પહેરો, કારણ કે તેમાં ભેજ રહે છે અને બેક્ટેરિયા ઊછરે છે.

યૂટીઆઈ અટકાવવા શું ન કરવું
પેશાબ વધારે સમય સુધી ન રોકો : લાંબા સમય સુધી પેશાબ અટકાવવાથી યૂરિનરી સ્ટેસિસ થઈ શકે છે, જેથી બેક્ટેરિયા ઊછરવામાં મદદ મળે છે. જ્યારે તમને પેશાબ કરવાની ઈચ્છા થાય ત્યારે મૂત્રાશયને ખાલી કરવાની ટેવ પાડો અને ટોઈલેટ જવામાં મોડું ન કરો.

વધારે હાર્શ પર્સનલ હાઈજીન પ્રોડક્ટનો ઉપયોગ ન કરો : પ્રાઈવેટ પાર્ટમાં હાર્શ સાબુ, સુગંધિત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બચો. આ પ્રોડક્ટ બેક્ટેરિયાના પ્રાકૃતિક સંતુલનને બાધિત કરી શકે છે અને મૂત્રમાર્ગમાં સમસ્યા થઈ શકે છે, જેથી યૂટીઆઈ થવાનું જેાખમ વધી જાય છે. આ પ્રોડક્ટના બદલે હળવા, સુગંધમુક્ત ક્લીંઝર પસંદ કરો અને વધારે સ્ક્રબિંગ ન કરો.

ઈરિટેટિંગ ગર્ભનિરોધક ઉપાયનો પ્રયોગ ન કરો : કેટલાક ગર્ભનિરોધક જેમ કે સ્પર્મિસાઈડ (શુક્રાણુનાશક) અથવા ડાયાફામનો ઉપયોગ કરવાથી યૂટીઆઈ થવાનું જેાખમ વધી જાય છે. જેા તમે યૂટીઆઈ વિકલ્પ પર વિચાર કરો અથવા તમારા માટે જે ગર્ભનિરોધક સૌથી યોગ્ય હોય, તેના વિશે ડોક્ટરને કંસલ્ટ કરો :

સેક્સ પછી પેશાબ ન અટકાવો : સેક્સ કર્યા પછી પેશાબ કરવામાં મોડું ન કરો. સેક્સ દરમિયાન મૂત્રમાર્ગમાં પ્રવેશ કરતા બેક્ટેરિયાને તરત બહાર કાઢવા જરૂરી હોય છે. સેક્સ કર્યાને ૩૦ મિનિટની અંદર પેશાબ કરવાથી યૂટીઆઈનું જેાખમ ઓછું થઈ શકે છે.

એન્ટિબાયોટિકનું સેવન વધારે ન કરો : યૂટીઆઈના ઈલાજ માટે એન્ટિબાયોટિક જરૂરી છે, પણ તેનું વધારે અને બિનજરૂરી સેવન એન્ટિબાયોટિક રિજિસ્ટેંસ પેદા કરી શકે છે. જાતે દવા ન કરો અને યોગ્ય ડાયગ્નોસિસ તથા ઈલાજ માટે હંમેશાં ડોક્ટરનો કંસલ્ટ કરો. ડોક્ટર ઈંફેક્શન પેદા કરનાર બેક્ટેરિયાના આધારે સૌથી ઉપયોગી એન્ટિબાયોટિક લખશે.

આ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે પ્રતિબંધ હંમેશાં ઈલાજથી સારો હોય છે. આ દિશાનિર્દેશોનું પાલન કરીને તમે યૂટીઆઈ થતું અટકાવી શકો છો. તમે દર્દ, વારંવાર પેશાબ આવવો જેવા લક્ષણો અનુભવો છો, તો યોગ્ય ડાયગ્નોસિસ અને ઈલાજ માટે તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય દેખરેખ અને ધ્યાનથી તમે મૂત્રમાર્ગને સેફ રાખી શકો છો અને સંપૂર્ણ સ્વાસ્થ્યને જાળવી રાખી શકો છો.
– ડો. રિતુ સેઠી.

સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ

ન્યૂટ્રિશનની આપણી સ્કિનની હેલ્થ પર સીધી અસર થાય છે. એવામાં વિટામિન અને સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે તે સ્કિન માટે બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે અને ક્ષતિગ્રસ્ત સ્કિનને ઝડપથી હીલ કરવામાં મદદ કરે છે.

આવો, જાણીએ સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
‘એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ ના ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર અમિત બાંગયા જણાવે છે કે સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ આજકાલ ચર્ચામાં છે, પણ આ સપ્લિમેન્ટ તમારા ઓવરઓલ ડાયટ મુજબ અસર કરે છે. તે અલગથી એટલા અસરકારક નથી હોતા. તમારું ડાયટ બેલેન્સ્ડ છે, લાઈફસ્ટાઈલ હેલ્ધિ છે તો તે તમારી સ્કિનને સ્મૂથ કરવામાં મદદ કરે છે. પણ જેા ડાયટ યોગ્ય નથી, ઓવરઓલ હેલ્થ સારી નથી તો તેની કોઈ ખાસ ભૂમિકા નથી હોતી. કેટલીક મહિલાઓને તેનાથી સારું રિઝલ્ટ મળે છે, તો કેટલાકને ખાસ રિઝલ્ટ જેાવા નથી મળતું. તેનું રિઝલ્ટ તમારા ડાયટ, હેલ્થ, લાઈફસ્ટાઈલ, જેનેટિક કંપોઝિશન અને કઈ સપ્લિમેન્ટ તમે પસંદ કરી રહ્યા છો તેની પર નિર્ભર કરે છે.

સ્કિન બૂસ્ટિંગની સપ્લિમેન્ટ ક્યારેય જાતે ન લો, કારણ કે તે ક્યારે અને કઈ સપ્લિમેન્ટ લેવી અને કેટલા સમય સુધી લેવી તે ડોક્ટર જ જણાવી શકે છે કે પછી તમારે તેના માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જેાઈએ. સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ ઓઈલી, ડ્રાય, કોમ્બિનેશન સ્કિન માટે અલગઅલગ હોય છે અને એક ડર્મેટોલોજિસ્ટ જ તમારી સ્કિન ચેક કરીને જણાવી શકે છે કે તમારા માટે કઈ સપ્લિમેન્ટ બેસ્ટ છે.

આવો જાણીએ, કેટલીક જરૂરી સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
વિટામિન સી
તેનાથી સ્કિનને ઈલાસ્ટિસિટી મળે છે, સ્કિન યંગ દેખાય છે. કોલોજન અને ઈલાસ્ટિસિટી બંને પ્રોટીન ફાઈબર છે, જે સ્કિન સેલ્સને રીઝનરેટ કરવાની સાથેસાથે સ્કિનને ફર્મ અને ટાઈટ બનાવવાનું કામ કરે છે. કોલોજન એજિંગ પ્રોસેસને ધીમી કરીને સ્કિન પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૮૦ મિલીગ્રામ વિટામિન સીની જરૂર હોય છે.

વિટામિન ઈ
તે સ્કિનને યૂવી ડેમેજથી બચાવવાનું કામ કરે છે. તે સ્કિનના મોઈશ્ચરને લૂઝ થતું બચાવવાની સાથે સ્કિનને નરિશ અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે, પણ તમે તે હંમેશાં નથી લઈ શકતા. તેને થોડા સમય માટે લેવામાં આવે છે અને તે પણ ડર્મેટોલોજિસ્ટની સલાહ પર જ, નહીં તો જરૂરિયાત કરતા વધારે વિટામિન ઈ લેવાથી તમારા શરીરને નુકસાન થાય છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૧૫ મિલીગ્રામ વિટામિન ઈની જરૂર હોય છે.

વિટામિન એ
વિટામિન એ ન માત્ર સ્કિન માટે પણ આપણી આંખ માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. તેના કેટલાય વેરિએંટ્સ હોય છે જેમ કે બીટા કેરોટિન, રેટિનોલ્સ વગેરે જે સ્કિનના બેરિયર ફંક્શનને ઈમ્પ્રૂવ અને સ્કિનને ડેમેજ થતા બચાવે છે. રેટિનોલ્સ સ્કિન સેલ્સ ટર્નઓવરને પ્રમોટ કરવાની સાથેસાથે હાઈપર પિગમેન્ટેશન, સન સ્પોટ્સ, એજ સ્પોટ્સને ઓછા કરી સ્કિન ટોનને ઈમ્પ્રૂવ કરવામાં મદદરૂપ છે. બીટા કેરાટિન વિટામિન એમાં રિચ હોવાથી તે સ્કિનને રીઝનરેટ કરવા અને કોલોજનના નિર્માણમાં મદદ કરે છે, જેથી એજિંગ, એક્નેની સમસ્યા ઓછી થવાની સાથે સ્કિન ટેક્સ્ચર પણ ઈમ્પ્રૂવ થાય છે અને સ્કિન યંગ દેખાય છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને દરરોજ ૮૦૦ માઈક્રોગ્રામ વિટામિન એની જરૂર હોય છે.

ઝિંક
તેને એક જરૂરી સપ્લિમેન્ટ માનવામાં આવે છે, જે સ્કિનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે, સાથે ઈમ્યૂનિટી વધારે છે. તેમાં ઝડપથી જખમ ભરવાની ક્ષમતા હોય છે. સ્કિન સેલ્સને ફરીથી હેલ્ધિ બનાવવામાં સક્ષમ છે. તેની એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી સ્કિનને એક્ને, એક્ઝિમાથી બચાવવાની સાથેસાથે સ્કિનને સુપર હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સપ્લિમેન્ટને પણ ડર્મેટોલોજિસ્ટની સલાહ પર જ લો.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૧૦ મિલીગ્રામ ઝિંકની જરૂર હોય છે.

ઓમેગા ૩ ફેટી એસિડ
આ તમારી સ્કિનને અંદર અને બહારથી નરિશ કરવાની સાથે તમારી સ્કિનમાં જે ઓઈલની કમી હોય છે, તેને પૂરી કરવાનું કામ કરે છે. કેટલીય સ્કિન કંડિશન્સ જેમ કે સોરાયસિસ, એટોપિક ડર્મેટાઈટિસની સ્થિતિમાં સ્કિનમાં ઓઈલની કમી સર્જય છે, તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ ખૂબ મદદ કરે છે. ઈન્ફ્લેમેશનને ઓછી કરવાની સાથે હેલ્ધિ કોમ્પ્લેક્શન આપવાનું કામ કરે છે. તેને તમારા ડાયટની સાથેસાથે સપ્લિમેન્ટ રૂપે લઈ શકો છો.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૨૫૦-૫૦૦ મિલીગ્રામ ઓમેગા ૩ ફેટી એસિડની જરૂર હોય છે.
– પારૂલ ભટનાગર.

સિઝોફ્રેનિયા ધીમા પગલે લે ઝપટમાં

કામ પ્રત્યે ઉત્સાહ હોવો ખૂબ સારી વાત છે, પરંતુ જ્યારે આ ઉત્સાહ તમામ મર્યાદા તોડીને ઉન્માદમાં ફેરવાઈ જાય અને કોઈ વ્યક્તિ પર હાવી થાય ત્યારે પરેશાનીનું કારણ બને છે. રાકેશ આહુજાાને પોતાનું ઘર એટલું સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ટેવ છે કે પોતાની કામવાળી પાસે ૨-૨, ૩-૩ વાર ફરસ પર પોતું કરાવડાવે છે. તેમના આવા સ્વભાવના લીધે તેમના ઘરે કોઈ કામવાળી ૧ મહિનાથી વધારે રહેતી નથી. મહોલ્લાના લોકો તેમને નવી કામવાળી શોધતા જુએ છે. તેની પત્ની સીમા દીકરાને લઈને પોતાના પિયરમાં રહે છે, કારણ કે રાકેશ આહુજાથી સહન થતું નહોતું કે તેમના નાનકડા દીકરાના રમકડાં, કપડાં વગેરે વસ્તુ ઘરમાં આમતેમ વિખેરાયેલા પડ્યા રહે. આખરે તેમની પત્ની સીમા આહુજા પોતાના પતિના સાફસફાઈ પ્રત્યેના આવા ગાંડપણથી ગભરાઈ ગઈ ત્યારે તેણે એક દિવસે ઘર છોડી દીધું. સીમા જણાવે છે કે ઘર એ જગ્યા હોય છે જ્યાં માણસ શાંતિથી રહી શકે, પરંતુ પોતાનું ઘર હોટલ હતું, ચમકતું, જ્યાં પોતાનું બાળક પોતાની મરજીથી રમકડાં ફેલાવીને રમી શકતું નહોતું.

મેનિયા એટલે કે ધૂનનો શિકાર
આદત, ધૂનને ડોક્ટર મેનિયાનું નામ આપે છે. રાકેશ આહુજા અને અંજલિના સાસુ બંને મેેનિયા એટલે કે ખોટી ધૂનનો શિકાર બનેલા છે, જેમને સારવારની જરૂર છે. ક્યારેક-ક્યારેક આવા લોકો શંકાને હકીકત માનીને પોતાની તેમજ બીજાની જિંદગીને બેહાલ બનાવી દેતા હોય છે. જેમ કે કોમલને લાગે છે કે તેના પતિનું બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ માન્યતામાં તે તાણગ્રસ્ત રહેવા લાગી છે. પતિનો ફોન, તેનું મેલ બોક્સ, બેગ, પેન્ટના ખિસ્સા તપાસતી રહે છે. પછી કંઈ જ ન મળતા ચિડાઈ જાય છે અને પતિ સાથે લડવાનું બહાનું શોધવા લાગે છે. પોતાની શંકાના લીધે તેણે પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, તેનો પતિ પણ કંકાસથી બચવા પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં પસાર કરવા લાગ્યો છે. કોમલની જે માનસિક સ્થિતિ છે, સાયન્સની ભાષામાં તેને સિઝોફ્રેનિયા કહેવામાં આવે છે.

આવી વ્યક્તિ ઘણી વાર એટલી ઉન્માદી બની જાય છે કે વાસ્તવિકતા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય છે. પોતાના પોકેટ કે એકાઉન્ટમાં ભલેને ૧૦૦ રૂપિયા પણ ન હોય, પરંતુ તેઓ કોઈને કરોડો રૂપિયાનું દાન કરવાની વાતો કરે અથવા ચેક પણ સાઈન કરીને આપી દે તો આવી વ્યક્તિની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. આ લક્ષણો ધરાવતી બીમારીમાં મેનિયા, બાઈપોલર ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા, પેરાનાઈડ તથા ડિલ્યૂશનલ ડિસઓર્ડર જેવા અનેક માનસિક રોગ થઈ શકે છે, જેની પર યોગ્ય દવાઓ અને કાઉન્સેલિંગથી કાબૂ મેળવી શકાય છે. સામાન્ય રીતે લોકો સમજી નથી શકતા કે તેમની આવી આદતો ક્યારે ધૂન કે સનકમાં ફેરવાઈ ગઈ અથવા તેમના વહેમે ક્યારે સિઝોફ્રેનિયા રોગને જન્મ આપી દીધો.

એકલતા એક કારણ
માનસિક બીમારીના લક્ષણોને જલદી ઓળખી લેવામાં આવે તો તેની સારવાર સરળ બની જાય છે. પશ્ચિમી દેશમાં લોકો આ વાતને લઈને વધારે સાવચેત રહેતા હોય છે. વ્યક્તિના વ્યવહારમાં થોડુંક પણ પરિવર્તન થાય તો તે તરત સાઈકોલોજિસ્ટ પાસે પહોંચી જાય છે, પરંતુ ભારતમાં કોઈ વ્યક્તિને કહેવામાં?આવે કે તમારે સાઈકોલોજિસ્ટની સલાહની જરૂર છે તો તે એમ સમજવા લાગે છે કે કહેનાર વ્યક્તિ તેને પાગલ જાહેર કરવા ઈચ્છે છે. ભારતમાં દર્દીને ત્યારે ડોક્ટરની પાસે લઈ જવામાં આવે છે જ્યારે તેની સાથે રહેવું મુશ્કેલ થઈ જાય છે. મેનિયા અથવા સિઝોફ્રેનિયાના દર્દીની સારવારમાં તેના પરિવારની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની હોય છે, કારણ કે આ બીમારીમાં દર્દી પોતાને બીમાર નથી સમજતો. તેને દવા ખવડાવવાથી લઈને કાઉન્સેલિંગ કરાવવા સુધીની જવાબદારી પરિવારજનોએ જ નિભાવવી પડે છે, પરંતુ દુખની વાત એ છે કે ભારતીય પરિવાર પોતાના ઘરના લોકોની માનસિક સ્થિતિ અને બીમારીને જલદી નથી સમજી શકતા. કેટલા પ્રકારના મેનિયા હોય છે, આવો તે વિશે અહીં જાણીએ :

ઈરિટેબલ મેનિયા : જેમ કે નામ પરથી સ્પષ્ટ થાય છે. આ મેનિયામાં વ્યક્તિ ખૂબ ચીડિયલ થઈ જાય છે અને તેને વાતવાતમાં ગુસ્સો આવી જાય છે.

યૂફોરિક મેનિયા : કોઈ પણ પરિસ્થિતિથી તેને કોઈ ફરક નથી પડતો. તે પોતાનામાં જ મસ્ત રહેતો હોય છે. માની લો કે તેનું ઘર સળગી રહ્યું હોય તો પણ તે ખુશ રહેશે. મેનિયા સાથે સાઈકોટિક અથવા સાઈકોટિક વિના લક્ષણ ધરાવતા તેના શિકાર વ્યક્તિ એવું અનુભવતા હોય છે જાણે કે તેનો દુનિયા સાથેનો સંબંધ તૂટી ગયો છે. તે પોતાના લોકો સાથે વિચિત્ર વર્તન કરતો હોય છે. તે ભ્રમની સ્થિતિમાં રહે છે અને ક્યારેક-ક્યારેક તેની પર ઘરબાર છોડીને સંન્યાસી બની જવાનું ભૂત સવાર થઈ જાય છે અથવા તેઓ બિલકુલ એકલા રહેવાનું પસંદ કરે છે.

ઘણી વાર મેનિયાના સામાન્ય લક્ષણ દેખાતા હોય છે. તેને હાઈપોમેનિયા કહે છે, જેમાં શક્ય છે કે દર્દી સામાન્ય વ્યવહાર કરે, ક્યારેક-ક્યારેક ચિડાવા લાગે. ઘણી વાર કેટલાક લોકોમાં મેનિયા સીઝનલ બની જાય છે એટલે કે થોડા સમય સુધી મેનિયાના લક્ષણ રહેતા હોય છે અને ત્યાર પછી તે સામાન્ય બની જાય છે. હાઈપોમેનિયાના દર્દી કોઈ પણ કામને ખૂબ જલદીથી પૂરું કરવા ઈચ્છે છે, પરંતુ તે સામાન્ય કરતા ખૂબ વધારે ઝડપી હોય છે.

મોટાભાગના કિસ્સામાં હાઈપોમેનિયાની સારવાર ન થવાથી તે વ્યક્તિ મેનિયાનો દર્દી જલદી બની જાય છે. આવા લોકો પોતાના સામાન્ય કામ પણ કરી લેતા હોય છે, પરંતુ સાથે તેમનામાં બીમારીના અન્ય લક્ષણ હોય છે. જેમ કે ચીડિયાપણું. સામાન્ય કરતા વધારે ખુશી, જરૂર કરતા વધારે આત્મવિશ્વાસ, સમજ્યાવિચાર્યા વિના કોઈ પણ કામ શરૂ કરવું, અપૂરતી ઊંઘ છતાં ફ્રેશનેસનો અનુભવ કરવો, એકાગ્રતામાં ઊણપ અનુભવવી, નશા તરફ ઝુકાવ અથવા વાસ્તવિકતાથી અલગ જેવું સાંભળવું.

સિઝોફ્રેનિયા ક્રોનિક એટલે કે એક ગંભીર માનસિક બીમારી છે. સિઝોફ્રેનિયા એક ગ્રીક શબ્દ પરથી બન્યો છે, જેનો સીધો અર્થ છે ‘સિપ્લટ માઈન્ડ’. તેમાં પીડિત વ્યક્તિ પોતાની સ્થિતિને સમજી નથી શકતી અને ઘણી વાર જણાવી પણ નથી શકતી અને સમજ્યાવિચાર્યા વિના ગમે તે બોલવા લાગે છે. આ માનસિક રોગની ગંભીર બીમારી છે. પૂરી દુનિયામાં ૧ ટકા લોકોમાં સિઝોફ્રેનિયાના લક્ષણ આજે પણ જેાવા મળે છે. આ બીમારી ૩૦ થી ૪૦ વર્ષની વચ્ચે અથવા મહદ્અંશે ૬૦ વર્ષ પછી વધારે જેાવા મળે છે.

સિઝોફ્રેનિયાના દર્દીનો વાસ્તવિકતા સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી જાય છે. માત્ર પોતાના વિચારોને સાચા માનવા. તે પોતાના મનથી બનાવેલી દુનિયામાં રચ્યોપચ્યો રહે છે. એવું પણ શક્ય છે કે આવી વ્યક્તિ વાત કરતી વખતે વારંવાર ટોપિક બદલે, શંકા કરે સિઝોફ્રેનિયાના લક્ષણ છે. જે લોકો વધારે નશો કરતા હોય છે. તેમનામાં સિઝોફ્રેનિયાનું જેાખમ વધારે રહે છે, કારણ કે આલ્કોહોલ ન્યૂરોટ્રાંસમીટરને સામાન્ય નથી રહેવા દેતો.

સિઝોફ્રેનિયા ઘણા બધા પ્રકારના હોય છે
પેરાનોઈડ સિઝોફ્રેનિયા : આ રોગના દર્દી વધારે હોય છે. તેમાં વ્યક્તિ ભ્રમની સ્થિતિમાં હોય છે. તેનું સામાન્ય જીવન અવ્યવસ્થિત બની જાય છે. તેને પોતાના કાનમાં એવા અવાજ સંભળાવા લાગે છે, જે વાસ્તવમાં હોતા નથી. શંકા કરવી તેમનો સ્વભાવ બની જાય છે. કોઈ દર્દીને બિહામણા પડછાયા દેખાવા લાગે છે, જે વાસ્તવમાં હોતું નથી. આ બીમારીમાં શંકા કરવું સૌથી મહત્ત્વપૂર્ણ છે, દાખલા તરીકે આ શંકા એક ખાસ પ્રકારના એક વ્યક્તિ વિશે હોઈ શકે છે. આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે પતિએ પત્નીની હત્યા માત્ર એટલા માટે કરી કે તેને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ પ્રકારના કેસમાં પીડિતની સારવારમાં મોડું ન કરવું જેાઈએ.

કેટાટોનિક સિઝોફ્રેનિયા : જ્યારે વ્યક્તિ ભાવનાત્મક રીતે શૂન્ય થઈ જાય. ચહેરા પર કોઈ ભાવ ન આવે, એક પોઝિશનમાં તે કલાકો સુધી પડ્યો રહે તો આ સ્થિતિ વધારે ભયજનક બની જાય છે, જ્યારે દર્દીનું શરીર અકડાઈ જાય છે, આ સ્થિતિમાં ઈલેક્ટ્રિક ચિકિત્સા આપવી પડે છે.

અનડિફ્રેંશિયએટિડ સિઝોફ્રેનિયા : તેમાં એક જ વ્યક્તિમાં કેરાટોનિક સિઝોફ્રેનિયા તથા પેરાનાઈડ સિઝોફ્રેનિયા બંનેના લક્ષણ આવી જાય છે.

સિપ્લર સિઝોફ્રેનિયા : તેમાં દર્દી ધીરેધીરે સમાજથી કપાતો જાય છે. તેનું વર્તન ધીરેધીરે બદલાતું જાય છે. તેથી ઘણી વાર આવી વ્યક્તિની પરેશાની સમજવામાં મોડું થાય છે.

ક્યારે જવું ડોક્ટર પાસે
જેા કોઈ વ્યક્તિમાં આ બીમારીના લક્ષણ દેખાવા લાગે અને તે વ્યક્તિ પોતાનું સામાન્ય કામ ન કરી શકે તો તેને ડોક્ટર પાસે લઈ જવો જેાઈએ. મોડું કરવાથી દર્દીની સ્થિતિ વધારે ગંભીર થાય છે.

દિલ્લીના માઈન્ડ ક્લિનિકના માનસિક રોગ નિષ્ણાત ડોક્ટર સુગંધા ગુપ્તા જણાવે છે, ‘‘જેા જીવનને શિસ્તબદ્ધ રીતે જીવવામાં આવે તો આવી સમસ્યાથી બચી શકાય છે. દરેક વ્યક્તિએ ૬ થી ૮ કલાકની પૂરતી ઊંઘ લેવી જેાઈએ. પૂરતી ઊંઘ માનસિક તેમજ બીજી શારીરિક પરેશાની જેમ કે શુગર, બીપી વગેરેથી બચવામાં લાભદાયી રહે છે. દરરોજ ૧૫ થી ૨૦ મિનિટ એક્સર્સાઈઝ અને ૩૦ મિનિટ માટે ચાલવાથી માનસિક મજબૂતાઈ મળે છે. નિયત સમયે ખાવાનું ખાઓ. મોડી રાત્રે ખાવાથી બચો. જે કોઈની ફેમિલીમાં આવી બીમારીનો ઈતિહાસ રહ્યો હોય તો તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર રહે છે.’’

‘‘માનસિક બીમારીથી બચવા માટે નશાથી હંમેશાં દૂર રહો. જેા નશાની આદત હોય તો મગજમાં કેમિકલ ગરબડી થવાની આશંકા વધારે રહે છે. તેથી જ્યારે આવી વ્યક્તિ મેનિયા અથવા બીમારીની સારવાર કરાવવા જાય છે ત્યારે વધારે પોટેંસીની દવા લેવી પડે છે.’’ ડો. સુગંધા આગળ જણાવે છે, ‘‘નિયમિત સારવારથી દર્દીને લાભ થાય છે. આ બીમારીમાં દર્દીને અહેસાસ નથી થતો કે તે બીમાર છે, તેથી પરિવાર અને ઘણી વાર મિત્રોની પણ જવાબદારી બને છે કે તેમને યોગ્ય સમય પર યોગ્ય સારવાર મળી શકે.’’

જેા સતત ગંભીર ડિપ્રેશનની પરેશાની હોય તો પણ આ પ્રકારની ગંભીર માનસિક બીમારીની આશંકા વધી જાય છે. તેથી જે કોઈને ડિપ્રેશનની સમસ્યા હોય તો તેને ઈગ્નોર ન કરવી જેાઈએ. બીમારીને ટાળવાથી તે વધારે પરેશાન કરે છે.
– નસીમ અંસારી કોચર.

ઓવેરિયન કેન્સર ઈલાજ છે

મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષયક ઘણા બધા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેા તેમને પુરુષોની સરખામણીમાં કેટલીક પરિસ્થિતિ અને બીમારીના વિકસિત થવાના હાઈ રિસ્કમાં મૂકી દે છે. તેથી મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી જરૂરી બની જાય છે. આ બીમારીમાંની એક છે ઓવેેરિયન કેન્સર, જ્યાં શરૂઆતમાં ઓળખ થવાથી રોગના નિદાન અને સફળ ઉપચારની સંભાવના રહે છે.

કેરળના કાર્કિનોસ હેલ્થ કેરના સ્ત્રીરોગ ઓંકોલોજિસ્ટ ડો. અવસ્થી નાથ કહે છે કે સ્ત્રીરોગ સંબંધિત કેન્સરથી પીડિત મહિલાઓમાં ઓવેરિયન કેન્સર મૃત્યુનું સૌથી મુખ્ય કારણ હોય છે અને તે મહિલાઓમાં ઘણું ખરું મૃત્યુનું ૫ મું સૌથી મોટું કારણ છે. ભારતમાં ઓવેરિયન કેન્સરના દર્દી વર્ષ ૨૦૨૦માં ૪૩,૮૮૬ મળ્યા હતા, જે વર્ષ ૨૦૨૫ માં વધીને ૪૯,૬૪૪ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ બની જાય છે કે ઓવેરિયન કેન્સરની જલદી જાણકારી મેળવી લેવામાં આવે.

કારણ કયા છે
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સર મહિલાના અંડાશયમાં પેદા થાય છે. ઓવરીઝ, ઈંડા અન હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર હોય છે. અંડાશયના વિભિન્ન ભાગમાં કેન્સરની કોશિકાઓ વિકસિત થઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય પ્રકાર એપિથેલિયલ ઓવેરિયન કેન્સર છે, જે અંડાશયના બાહ્ય પડમાં બને છે. જેાકે ઓવેરિયન કેન્સરના સચોટ કારણ હજી સુધી સંપૂર્ણપણે સમજમાં નથી આવ્યા. માનવામાં આવે છે કે તે આનુવંશિક અને પર્યાવરણીય કારકોનું મિક્સ પરિણામ છે. કેટલાક જાણી શકાયેલા રિસ્ક ફેક્ટર્સમાં ૫૦ વર્ષ કરતા વધારે ઉંમરની મહિલાઓમાં સામેલ હોય છે. ખાસ કરીને મેનોપોઝ પછી. ઓવરી અથવા સ્તન કેન્સરની ફેમિલી હિસ્ટ્રી, આનુવંશિક પરિવર્તન, મેનોપોઝ પછી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપિનો લાંબા સમય સુધી ઉપયોગ અને એવી મહિલાઓ જે ક્યારેય ગર્ભવતી થઈ ન હોય કે પછી જેમને ગર્ભવતી થવામાં મુશ્કેલી થઈ હોય વગેરે ઘણા બધા કારણો સામેલ છે. જીવનશૈલીમાં પરિવર્તન જેમ કે ધૂમ્રપાન, સ્થૂળતા, આહાર અને પર્યાવરણીય એજન્ટો જેવા કીટનાશકોના સંપર્કમાં આવવાથી પણ ઓવેરિયન કેન્સરનું જેાખમ વધી શકે છે.

લક્ષણ
પેટમાં સોજેા, ભોજન કરતા પેટ જલદી ભરાઈ ગયેલું અનુભવવું, વજન ઘટવું, પેલ્વિક એરિયામાં સારું ન લાગવું, થાક, પીઠમાં દુખાવો, કબજિયાત, વારંવર પેશાબ આવવો વગેરે.

ડાયગ્નોસિસ
ઓવેરિયન કેન્સરના ડાયગ્નોસિસની પ્રક્રિયામાં શારીરિક પરીક્ષણ એક કોમ્બિનેશન અંતર્ગત થાય છે. ઈમેજિંગ પરીક્ષણ દાખલા તરીકે, અલ્ટ્રાસાઉન્ડ અથવા સીટી સ્કેન અને બ્લડ ટેસ્ટ વગેરે સામેલ હોય છે. તદુપરાંત ટ્યૂમર માર્કર (એક પરીક્ષણ જે કોશિકાઓ, લોહી, યૂરિન અથવા શરીરના બીજા પ્રવાહી પદાર્થમાં ટ્યૂમર માર્કર નામક પદાર્થોની માત્રાને માપે છે) હોય છે, જે સારવારમાં સહાયતા કરવાની સાથેસાથે કેન્સરની પુનરાવૃતિ ન થાય તેને પણ ડાયગ્નોસિસ કરી શકે છે.

જેા આ પરીક્ષણ ઓવેરિયન કેન્સરની સંભાવનાનો સંકેત આપતા હોય, તો સીટી સ્કેનમાં બીમારીની સીવિયરનેસના આધારે એક સર્જરી અથવા બાયોપ્સી કરવામાં આવે છે. એક વાર ડાયગ્નોસિસ થયા પછી કેન્સરનું સ્ટેજિંગ કરવામાં આવે છે. સ્ટેજ ૧ થી લઈને સ્ટેજ ૪ સુધીમાં કેન્સરની દૂરના અંગો સુધી ફેલાવાની સંભાવના રહે છે. કેન્સરની સારવારમાં તેનું સ્ટેજ જ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે, જેને યોગ્ય ડાયગ્નોસિસ દ્વારા સમજી શકાય છે.

સારવાર
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સરની સારવાર કેન્સરના સ્ટેજ અને પ્રકારની સાથેસાથે દર્દીની સંપૂર્ણ સ્વાસ્થ્ય કંડિશન પર આધાર રાખે છે. પ્રાથમિક સારવારમાં સર્જરી, કીમોથેરપિ અને ટાર્ગેટેડ થેરપિ સામેલ છે. સર્જરી ઘણું ખરું પહેલું પગલું હોય છે, જેનું લક્ષ્ય શક્ય તેટલું કેન્સરને દર્દીના શરીરમાંથી દૂર કરવાનું હોય છે. કીમોથેરપિનો ઉપયોગ કેન્સરની બાકી રહેલી કોશિકાઓને મારવા માટે કરવામાં આવે છે. ટાર્ગેટેડ થેરપિ એક નવો ઉપચાર વિકલ્પ છે, જે વિશેષ રૂપે કેન્સર કોશિકાઓને ટાર્ગેટ કરે છે અને કીમોથેરપિની સરખામણીમાં તેની સાઈડ ઈફેક્ટને ઓછી કરી શકે છે.

એ વાત સાચી છે કે આ ઉપચારની શારીરિક અને ભાવનાત્મક સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે, જેમાં વાળ ખરવા, થાક અને પ્રજનન સંબંધિત સમસ્યા સામેલ છે. તદુપરાંત સારવારનો ખર્ચ ઘણા બધા પરિવાર માટે નાણાકીય બોજ બની શકે છે, જેથી તેમને દર્દીની યોગ્ય સારસંભાળ લેવામાં મુશ્કેલી પડી શકે છે. આ સમયગાળામાંથી પસાર થનાર મહિલાઓ માટે તેમને હેલ્થ કેર આપનાર અને તેમની દેખરેખ રાખનાર પ્રિયજનો એમ બંને તરફ સહયોગ મળવો ખૂબ જરૂરી બની જાય છે.

અર્લી ડિટેક્શન જરૂરી છે
ડો. અવસ્થી જણાવે છે કે ઓવેરિયન કેન્સરના અર્લી ડિટેક્શનના મહત્ત્વને ઈગ્નોર કરી શકાય તેમ નથી, કારણ કે જેટલી જલદી આ બીમારીની જાણ થશે, તેટલી જલદી તેને ઠીક કરવી સરળ રહેશે, પરંતુ દુખની વાત એ છે કે ઓવેરિયન કેન્સર મહદ્અંશે લાસ્ટ સ્ટેજમાં ડાયગ્નોસ થતું હોય છે. જેાકે તેના લક્ષણો જેાઈએ તો પેટ ફૂલવું, જલદી ભરાઈ ગયેલું લાગવું, પેટ અને પેલ્વિસમાં દુખાવો અને વારંવાર પેશાબ આવવાની સમસ્યા જેને મહદ્અંશે ઈરિટેબલ બાઉલ સિંડ્રોમ, યૂરિન ઈંફેક્શન વગેરે સમજીને નજરઅંદાજ કરી દેવામાં આવે છે, જેથી સમય રહેતા તેની જાણકારી મેળવવી સંભવ નથી બનતી.
– સોમા ઘોષ.

મોનસૂન પ્રેગ્નન્સી કેર ટિપ્સ

મોનસૂનમાં વાયરલ ઈંફેક્શન અથવા ફ્લૂ જેવી બીમારીનો કહેર વધી જાય છે. આ મોસમમાં હેલ્ધિ રહેવા માટે તમામ લોકોએ સાવચેતી રાખવી જેાઈએ. ખાસ તો ગર્ભવતી મહિલાને મોનસૂનમાં સ્પેશિયલ કેરની જરૂર હોય છે. જેા તમે પ્રેગ્નન્ટ છો, તો પ્રેગ્નન્સી સંબંધિત કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખીને મોનસૂનનો આનંદ માણી શકો છો. આ બાબતે પુણેની મધરહુડ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત ડો. શાલિની વિજય જણાવે છે કે અન્ય મોસમની સરખામણીમાં મોનસૂન દરમિયાન ઈંફેક્શનનું જેાખમ વધારે રહે છે. આ મોસમમાં ડેંગ્યૂ અને મેલેરિયા બંને ઝડપથી ફેલાય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન બીમાર પડવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકની હેલ્થ પર સીધી અસર થાય છે. તેથી મોનસૂન દરમિયાન ગર્ભવતી મહિલા જેણે બાળકને જન્મ આપ્યો છે તેમણે પોતાની અને બાળકની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મધર અને બોન બેબી કેરની કેટલીક ટિપ્સ વાંચીએ :

ઈંફેક્શનનું જેાખમ
મોનસૂનમાં ઈંફેક્શનથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજ વધી જાય છે. આ સ્થિતિમાં થોડીક ગંદકી સ્કિન ઈંફેક્શન વધારી શકે છે.
ભીના કપડાં ન પહેરો.
તે ઉપરાંત જેા મહિલાઓને ઓપરેશનથી બાળક થયું છે અને ટાંકા તાજા હોય તે જગ્યાને બિલકુલ કોરી રાખો, નહીં તો ટાંકા તૂટી શકે છે.
પાણીમાં લીમડો નાખીને નહાવું ઉત્તમ વિકલ્પ છે. તેથી જર્મ્સ થવાનું જેાખમ ઓછું રહે છે.

નવજાતનું ખાસ ધ્યાન રાખવું
ડોક્ટર શાલિની જણાવે છે કે મોનસૂનમાં ડિલિવરી પછી નવજાતની હેલ્થનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે, કારણ કે જન્મ પછી બાળક એક અલગ વાતાવરણમાં રહે છે અને તેને બહારની મોસમ સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગે છે. આ મોસમમાં મહિલાઓ જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે તેણે ધ્યાન રાખવું જેાઈએ કે દૂધ સાથે પરસેવો બાળકના મોંમાં ન જાય, કારણ કે મોનસૂન બફારાવાળી ગરમીનો સમય છે, પરસેવો આવવો સ્વાભાવિક છે.
આ સ્થિતિમાં સ્ટરીલાઈઝ કરેલા કોટન બોલથી નિપલને ચારે બાજુથી સાફ કરો. નવજાત માટે દરેક પ્રકારની સાવચેતી રાખવાથી તે હેલ્ધિ રહે છે, તેથી પેરન્ટ્સે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મોનસૂન દરમિયાન ઈંફેક્શનવાળી બીમારી થવાનું જેાખમ હોવાથી નવજાતના બીમાર થવાની શક્યતા વધારે રહે છે. તેથી માતાપિતાએ બાળકોેને મોનસૂનમાં થતા ઈંફેક્શનથી બચાવવા વધારે સાવચેતી રાખવાની જરૂર છે. કેટલીક સાવચેતી નીચે મુજબ છે :
મોનસૂનમાં નવજાતને બીમારીના ઈંફેક્શનથી બચાવવા બીમાર વ્યક્તિના સંપર્કથી દૂર રાખો.
મોનસૂનમાં છત્રી, રેનકોટ અને રેનબૂટનો અચૂક ઉપયોગ કરો.
મોનસૂનમાં ઉષ્ણતામાન બદલાય છે, તેથી ભેજને દૂર રખવા માટે નવજાતને આરામદાયક સુતરાઉ કપડા પહેરાવો, પણ જ્યારે મોસમ ઠંડી હોય ત્યારે હંમેશાં બનિયાન અથવા જેકેટ સાથે રાખો, જેથી જરૂરિયાત પ્રમાણે તેને પહેરાવી શકાય.
હંમેશાં સુનિશ્ચિત કરો કે નવજાતના કપડાં કોરા હોય. મોનસૂનમાં કપડાં ભેજવાળા રહે છે, જેથી ફંગલ ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે.
તે ઉપરાંત નવજાતને આ મોસમમાં એક મિનિટ માટે પણ ભીનું ડાયપર ન પહેરાવો.
મોનસૂનમાં નવજાત અન્ય મોસમની સરખામણીમાં વધારે પેશાબ કરે છે, જેથી સ્કિન પર ચકામા થઈ શકે છે. ત્યાં સુધી કે ડાયપર પણ સ્કિન પર ચકામા પેદા કરી શકે છે, નવજાતને ઠંડીનો અહેસાસ કરાવે છે, તેથી યાદ રાખો કે નવજાતનો ડાયપર ભીનો કે ગંદો થતા તેને તરત બદલો.
મચ્છર કરડવાથી નવજાતને ગંભીર સમસ્યા થઈ શકે છે. નવજાત માટે મચ્છરદાનીનો અચૂક ઉપયોગ કરો, જેથી તે સારી ઊંઘ લઈ શકે. સાંજ થતાં મચ્છરથી બચાવવા માટે નવજાતને પૂરી બાયના કપડાં પહેરાવો.
નવજાતને દરરોજ નવડાવવાની જરૂર નથી, કારણ કે તે મોટાભાગે ઘરની અંદર રહે છે. મોનસૂનમાં નવજાતને અઠવાડિયામાં ૨-૩ વાર નવડાવો. નવજાતને બહાર ક્યાંક લઈ ગયા છો તો ઘરે પાછા આવીને તેને ગરમ પાણીથી નવડાવો.
– સોમા ઘોષ.

કાર્નિવોર ડાયટના લાભ

આજકાલ મસલ્સ બનાવવાનો શોખ દરેકને છે, તેથી કાર્નિવોર ડાયટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેાકે હાઈ પ્રોટીન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેથી લોકો હાઈ પ્રોટીન માટે કાર્નિવોર ડાયટ ફોલો કરી રહ્યા છે, જેથી શરીરમાં મસલ્સને બિલ્ડઅપ કરવામાં પ્રોટીન વધારે સક્રિય ભૂમિકા ભજવી શકે. વજન ઓછું કરવા અને મસલ્સ બનાવવામાં હાઈ પ્રોટીન અને લો કાર્બ્સ ડાયટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કાર્નિવોર ડાયટ શું છે
કાર્નિવોર ડાયટ ખૂબ સ્ટ્રિક્ટ અને મુશ્કેલ ડાયટ હોય છે, જેને સ્ટ્રિકલી ફોલો કરવું પડે છે. જે લોકો કીટો ડાયટ નથી અપનાવી શકતા તે પણ આ ડાયટ પસંદ કરી શકે છે. આ ડાયટમાં માત્ર એવા ખાદ્યપદાર્થ સામેલ કરવામાં આવે છે, જે માંસ સંબંધિત હોય છે, જેમ કે ચિકન, માછલી અને ઈંડાં. આ ડાયટ વજન ઓછું કરવા અને ઓટોઈમ્યૂન સ્થિતિ સુધારવા માટે કરવામાં?આવે છે. આ હાઈ પ્રોટીન ડાયટ હોવાથી મસલ્સને ઝડપથી ટોન કરે છે, જેથી વ્યક્તિ સ્લિમ અને ફિટ દેખાય છે.
કાર્નિવોર ડાયટ એક પ્રકારનું ઝીરો કાર્બ્સ ડાયટ છે, જેમાં પ્રોટીન અને ફેટ સામેલ કરવામાં?આવે છે.
કાર્નિવોર ડાયટ સંપૂર્ણ રીતે માંસાહારી ડાયટ છે. તેનાથી કેટલીય હેલ્થ પ્રોબ્લેમથી છુટકારો મળે છે.
આ ડાયટમાં લેક્ટોજવાળા ડેરી પદાર્થના સેવનને નષ્ટ અથવા મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે જેમ કે દૂધ અને ડેરી ઉત્પાદનમાં રહેલું શુગર વગેરે.
આ ડાયટમાં ફળ અને શાકભાજી પરેજ કરવામાં આવે છે.
આ ડાયટ ડાયાબિટિક લોકોના બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, કારણ કે હાઈ પ્રોટીન આપીને શરીરને વારંવાર થતી ક્રેવિંગથી બચાવી શકાય છે.

કાર્નિવોર ડાયટમાં આ વસ્તુથી પરેજ કરવાની સલાહ આપવામાં આવે છે જેમ કે શાકભાજી, ફળ, સીડ્સ, નટ્સ, અનાજ, પાસ્તા, આલ્કોહોલ. આ ડાયટમાં મુખ્યત્વે માંસ સંબંધિત ફૂડ આઈટમ સામેલ કરવામાં આવે છે. ઈંડાં, માંસ, ચિકન, બોન મેરો બોન મેરો સૂપ, ઘી, બટર, માછલી, ક્રેબ, પ્રાન વગેરે.

કાર્નિવોર ડાયટના ફાયદા
કાર્નિવોર ડાયટ વજન ઘટાડવાથી લઈને ટેસ્ટોસ્ટેરોનના હાઈ લેવલને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક હોય છે.
આ એક એન્ટિઈન્ફ્લેમેટરી ડાયટ હોય છે જે એંક્ઝાઈટી, ચિંતા, આર્થ્રાઈટિસ, ડાયાબિટીસ અને સ્થૂળતાથી છુટકારો અપાવી શકે છે.

કાર્નિવોર ડાયટના નુકસાન
તેમાં ફેટ, કોલેસ્ટ્રોલ અને સોડિયમનું પ્રમાણ ઉચ્ચ હોય છે.
કેટલાક સૂક્ષ્મ પોષક તત્ત્વો અને લાભદાયક વસ્તુની ઊણપ થઈ શકે છે.
શરીરને યોગ્ય પ્રમાણમાં ફાઈબર નથી મળતું.
– શોભા કટારે.

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનનો વરસાદ બધાને ગમે છે, પણ સતત વરસાદના લીધે હવામાં હ્યૂમિડિટીનું પ્રમાણ વધવાથી કપડાં, ઘર અને આસપાસમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેનાથી અનેક પ્રકારની સ્કિન સંબંધિત એલર્જી થવાનું જેાખમ રહે છે. તેથી આ મોસમમાં સ્કિનનું વધારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

આ વિશે મુંબઈની ધ એસ્થેટિક ક્લિનિકના કંસલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, કોસ્મેટિક ડર્મેટોલોજિસ્ટ અને ડર્મેટો સર્જન ડો. રિંકી કપૂર જણાવે છે કે હવામાં હ્યૂમિડિટી હોવાથી સ્કિન ઈંફેક્શંસ અને અન્ય પ્રકારની સમસ્યાને સમય રહેતા ઠીક કરવી જરૂરી છે, નહીં તો તે મોટી બીમારીનું રૂપ લઈ શકે છે.

કારણ શું હોય છે
વરસાદનું પાણી હવામાં પ્રદૂષકો જેમ કે ધૂળના કણ, રાસાયણિક ધુમાડો વગેરે સાથે ભળી જાય છે, જેથી સ્કિનની સમસ્યા અને ખંજવાળ આવે છે. વરસાદથી ફંગસ પણ વધે છે અને તે સમયે કીડાનું પ્રજનન થાય છે, જેથી સ્કિનની સમસ્યા વધે છે. હવામાં પરાગ અને પાલતુ પ્રાણીની રુવાંટી પણ સ્કિનની સમસ્યા વધારે છે. મોનસૂનમાં વધારે ભેજના લીધે સ્કિન ઓઈલી થઈ જાય છે, જેથી સ્કિન પર ખંજવાળ આવે છે. ભેજયુક્ત મોસમમાં સ્કિનની એલર્જીનો સમય રહેતા ઈલાજ કરાવવામાં ન આવે તો સમસ્યા વધી શકે છે. જેાકે એલર્જી અનેક પ્રકારની હોય છે, પણ વરસાદની કેટલીક ખાસ એલર્જી નીચે પ્રમાણે છે :

ફંગલ ઈંફેક્શન
મોનસૂનમાં ફંગલ ઈંફેક્શનનું જેાખમ વધારે રહે છે, જેમાં સ્કિન પર ક્રેક્સ, ખંજવાળ, સ્કિન લાલ થવી વગેરે થાય છે, કારણ કે આ મોસમમાં વધારે પરસેવો આવે છે.

ભીના કપડાં અને જૂતાથી એલર્જી
ભીના કપડાં, જૂતા અને મોજા શરીર પર ઘસાય છે અને ખાસ સ્કિનના પડ અને કમર પર ખંજવાળનું કારણ બને છે. જૂતામાં બોંડિંગ એજેંટ, ગુંદર, ચોંટનાર, ઉપચાર એજેંટ વગેરે જેવા રસાયણ રહેલા હોય છે. તેથી પગને એલર્જી થવાનું જેાખમ રહે છે. ત્યાં સુધી કે સિંથેટિક કપડામાં પણ કેમિકલ હોય છે, જે ભીનું થતા સ્કિનની એલર્જીનું કારણ બને છે.


બચાવ જરૂરી
ડો. રિંકી જણાવે છે કે વધારે સમય સુધી કોઈ પણ એલર્જીને ઈગ્નોર ન કરો અને જરૂરિયાત અનુસાર ડોક્ટરની સલાહ લો. કેટલાક ઉપાય નીચે મુજબ છે :
    સ્કિનને નિયમિત રીતે સ્વચ્છ રાખો.
      ટાઈટ કપડાં અને રબરની વસ્તુ પહેરવાથી પરેજ કરો.
      વધારે સમય સુધી વરસાદમાં ન પલળો.
     મોનસૂનમાં સાથે રેનકોટ અને છત્રી રાખો.
      ગંદા પાણી અથવા એલર્જી પેદા કરતા એજન્ટો જેમ કે પ્રાણીના ફર, ધૂળ, ગંદકી અને પરાગરજથી દૂર રહો.
      સ્કિનની સારી કાળજી લેવી જેમ કે સ્કિનને ખંજવાળવી નહીં, તેનાથી એલર્જી થઈ શકે છે.
      સ્કિનના પડને ડ્રાય અને ઈંફેક્શનમુક્ત રાખવા માટે મેડિકેટેડ સાબુ, એન્ટિફંગલ અને જીવાણુરોધક પાઉડરનો ઉપયોગ કરો.
      બહાર નીકળતા પહેલાં રોજ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
      ઘરમાં ચાદર, ટુવાલ, તકિયા વગેરેને સ્વચ્છ અને ડ્રાય રાખો.


ફૂગથી એલર્જી
ફૂગનો સ્કિન સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્કમાં આવતા એલર્જિક રાઈનાઈટિસ અને એલર્જિક અસ્થમાનું કારણ બને છે.

સ્કિન એલર્જીનો ઈલાજ
ફંગલ ઈંફેક્શન જ્યારે અનટ્રીટેડ હોય છે, ત્યારે દાદમાં પ્રગટ થઈ શકે છે. દાદ પરસેવાથી થયેલ ભેજના લીધે થાય છે અને ઈંફેક્શનલ હોય છે. તે ટુવાલ, મેકઅપ, વાસણો, જાહેર શૌચાલય વગેરેના પ્રયોગ કે કોંટેક્ટથી વધે છે. એટલું જ નહીં, નખના માધ્યમથી પણ ફેલાય છે. તેથી આ મોસમમાં ભીના ન રહો. વરસાદમાં ભીંજાયા પછી તરત સ્વચ્છ પાણીથી નહાઈ લો. ટુવાલ, કાંસકો અને સાબુનો ઉપયોગ બીજાને ન કરવા દો. નહાવાના પાણીમાં એન્ટિસેપ્ટિક સોલ્યૂશન કે એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ કરો, એન્ટિસેપ્ટિક સાબુ કે સોલ્યૂશન ન હોય તો લીમડો ઉકાળીને તે પાણીથી નહાઓ. વધારે ટાઈટ, ભીના કપડાં અને ભીના જૂતા ન પહેરો. કપડાને એક વાર પહેર્યા પછી ધોઈ લો. નહાયા પછી એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો.

વધારે સમય પાણીમાં રહેવાથી પગમાં ખંજવાળ આવે છે. કેટલીય વાર તેમાં ફોલ્લાં પડી શકે છે, તેથી વરસાદમાં બહારથી આવીને પગને હળવા ગરમ પાણી અને એન્ટિસેપ્ટિક સાબુથી ધોઈને સારી રીતે ટુવાલથી સૂકવો. તેથી આરામ મળે છે. એક્ઝિમાના લીધે સ્કિન પર ચકામા અને એલર્જી થઈ શકે છે. આ ડર્મેટાઈટિસના સોજાના લીધે પણ થાય છે. તેથી તેના માટે હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્કિન પર ખંજવાળ આવવી સ્કિનની એલર્જી છે, જે પાણીના માધ્યમથી ફેલાય છે. તે સ્કિન પર નાના દાણા તરીકે થાય છે. સમય રહેતા તેનો ઈલાજ ન કરાવતા તેની સમસ્યા વધી શકે છે.
– સોમા ઘોષ.

મોનસૂન બેબી સ્કિન કેર

વરસાદની મોસમ સોહામણી હોય છે, પણ આ મોસમમાં બાળકોથી લઈને વડીલોએ પોતાની હેલ્થની ખાસ કાળજી રાખવી જેાઈએ. હકીકતમાં, વરસાદમાં મચ્છર અને ગંદા પાણીથી પેદા થતી બીમારીથી ઈંફેક્શન થવાનું જેાખમ વધી જાય છે. વરસાદની સુંદર મોસમને બાળકો ખૂબ એન્જેાય કરે છે, કારણ કે આ તેમના માટે રોમાંચક અને મનોરંજક હોય છે, પરંતુ મોનસૂનમાં શિશુની સ્કિનની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેની સ્કિન એકદમ સોફ્ટ હોય છે. આ મોસમમાં કેટલીય વાર બાળકો વરસાદના પાણીમાં પલળે છે, જેથી તેમની સ્કિનમાં ખંજવાળ, રેશિસ અને સ્કિન પર દાણા થવાની સમસ્યા થાય છે. તેથી સ્કિનની સ્પેશિયલ કેર રાખવી પડે છે.

મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ
બાળકોની સ્કિન મુલાયમ અને સેન્સિટિવ હોય છે. જ્યારે મોસમમાં હ્યૂમિડિટી વધે છે ત્યારે બાળકોને વધારે ખંજવાળ અને રેશિસ થાય છે. તેનાથી તેમને રાહત અપાવવા તમે એક મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ કરી શકો છો, જે તેમની સ્કિનને આ મોસમમાં ડ્રાય થતા અને રેશિસ થતા બચાવે છે. કેટલાક સારા મોઈશ્ચરાઈઝિંગ લોશન નીચે પ્રમાણે છે. બેબી હગ ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, સેટાફિલ બેબી ડેલી લોશન વિથ શિયા બટર, હિમાલયા હર્બલ બેબી લોશન, અવીનો બેબી ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, મામાઅર્થ મોઈશ્ચરાઈઝિંગ ડેલી લોશન વાઈટ, ચિકૂ બેબી મોમેન્ટ્સ બોડી લોશન, બેબી ડબ લોશન મોઈશ્ચર, જેાનસન બેબી લોશન ફોર ન્યૂ બોર્ન.

ડાયપર ભીનું ન રાખો
શિશુને સ્વચ્છ રાખવા તેને ડાયપર પહેરાવવામાં આવે છે, પણ કેટલીય વાર તેને ચેક ન કરતા શિશુ કલાકો સુધી ભીના ડાયપરમાં પડ્યું રહે છે. તેથી થોડા થોડા સમયે તેની નેપી ચેક કરતા રહો. વરસાદી વાતાવરણમાં ભેજથી શિશુને પણ ડાયપર રેશિસ થવાનું જેાખમ રહે છે. તેથી તમારા શિશુના ડાયપરને સમયાંતરે બદલો. તેને થોડી વાર સુધી ડાયપર મુક્ત રાખો, સાથે હવાની અવરજવર માટે કોટન ડાયપરનો ઉપયોગ કરો. કેટલાક સારા ડાયપર બ્રાન્ડ છે : હિમાલયા બેબી ડાયપર, મીમી બેબી ડાયપર, મેમીપોકો પેન્ટ, લિટલ એન્જલ ડાયપર, સુપર બોટમ્સ નેપી, પેંપર્સ એક્ટિવ બેબી ડાયપર, પેંપર પ્રીમિયમ કેર ડાયપર પેન્ટ, હગ્ગીસ વંડર પેન્ટ્સ ડાયપર વગેરે.

ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ તપાસો
શિશુ માટે માર્કેટમાં મળતી પ્રોડક્ટ ધ્યાનથી ખરીદો. સામાન્ય રીતે શિશુના કોસ્મેટિક ઉત્પાદનમાં રહેલા ફેનોક્સીથેનોલ શિશુની સ્કિનમાં એલર્જી પેદા કરે છે. તેથી કોઈ પણ પ્રોડક્ટમાં રહેલા ઈન્ગ્રીડિએંટ્સ જરૂર વાંચો અને સુરક્ષિત પ્રોડક્ટ જ લો. હંમેશાં પ્રોડક્ટનું લેવલ જુઓ અને પેરાબેન, આલ્કોહોલ આર્ટિફિશિયલ કલર, સુગંધ અને ડાઈવાળા ઉત્પાદનથી પણ બચો.

મચ્છરોથી બચાવો
મોનસૂનમાં મચ્છરની સંખ્યા પણ વધી જાય છે. તેથી શિશુને મોનસૂનમાં મચ્છરથી બચાવો. તેમની કોમળ સ્કિન પર જ્યારે મચ્છર ડંખે છે ત્યારે પીડા થાય છે. તેમની સ્કિન પર લાલ નિશાન થઈ જાય છે. આ મોસમમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવી બીમારી ફેલાય છે. તેનાથી બચવા માટે તમારે શિશુને મચ્છરોથી દૂર રાખવા પડશે. જ્યારે પણ તમે શિશુને ઊંઘાડો છો ત્યારે ધ્યાન રાખો કે તેના બેડ પર મચ્છરની નેટ હોય. શિશુની સ્કિન પર કોઈ એવું ડેલિકેટ ઝેરી અને ડીઈઈટીમુક્ત મચ્છર પ્રતિરોધક લગાવો, જે તેમને મચ્છરોથી બચાવી શકે અને ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો.

શરીરની માલિશ
મોનસૂનમાં નહાતાં પહેલાં શિશુની માલિશ જરૂર કરો. જેતૂનનું તેલ ખૂબ જ સમૃદ્ધ મોઈશ્ચરાઈઝર છે અને ઓમેગા ૩, ૬ અને ૯ નો એક ઉત્તમ સ્રોત છે જે સ્કિનને હાઈડ્રેટ કરે છે અને સ્કિનના પ્રાકૃતિક ભેજને સીલ કરે છે.

હાથની સ્વચ્છતા પણ જરૂરી
શિશુના નખને હંમેશાં નાના રાખો. હાથની ગંદકીથી શિશુના સ્વાસ્થ્ય પર અસર થાય છે. પેરન્ટ્સ પણ પોતાના હાથને હેન્ડવોશથી વારંવાર ધોતા રહે. જેથી શિશુને ગંદકીથી દૂર રાખી શકાય.

સ્કિન ડ્રાય રાખો
મોનસૂનમાં બાફ વધારે રહે છે. જેથી પરસેવો થાય છે અને કેટલીય વાર વરસાદમાં ભીંજવાથી સ્કિન પલળે છે. ડ્રાય ટુવાલ લઈને શિશુની સ્કિન સાફ કરો. સ્કિનને ડ્રાય રાખવાની કોશિશ કરો.

કોટનના કપડાં પહેરાવો
મોનસૂનમાં શિશુને કોટનના કપડાં પહેરાવો, કારણ કે આ કપડાં સરળતાથી પરસેવો શોષી લે છે અને સ્કિન પણ શ્વાસ લઈ શકે છે.

શિશુનો સામાન શેર ન કરો
મોનસૂનમાં થોડીક બેદરકારીના લીધે શિશુની સ્કિન પર અનેક પ્રકારની સમસ્યા થાય છે. શિશુને સ્વચ્છ રાખવાની સાથેસાથે તેના પર્સનલ સામાનની પણ નિયમિત સફાઈ કરો.

એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો
શિશુની સ્કિનની કાળજી રાખવા માટે એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. આ પાઉડર લગાવવાથી સ્કિન પર બેક્ટેરિયાનો વિકાસ નહીં થાય, સાથે શિશુને નવડાવતી વખતે એન્ટિસેપ્ટિક લિક્વિડનો પણ ઉપયોગ કરો.

ક્લીંઝરનો ઉપયોગ કરો
મોનસૂનમાં બાફના લીધે શિશુની સ્કિન ડ્રાય થઈ જાય છે. એવામાં તેની સ્કિન પર સાબુનો ઉપયોગ ન કરો, કારણ કે તે શિશુની સ્કિનને વધારે ડ્રાય કરે છે. શિશુની સ્કિનનું પીએચ બેલેન્સ જાળવવા માટે ઓઈલ ફ્રી ક્લીંઝરનો ઉપયોગ કરો.

શિશુના કપડાં સૂકા રાખો
શિશુ મોનસૂનમાં ભીંજઈ જાય છે અથવા કપડાં ધોયા પછી તે સારી રીતે સુકાતા નથી તો તમારે ભીના કપડાં તિજેરીમાં ન મૂકતાં શિશુના કપડાંને સારી રીતે સૂકવો અને જે સુકાય નહીં તો પ્રેસ કરીને સૂકવો, કારણ કે તે ભીના કપડાં પહેરશે તો શરીર પર ખંજવાળ અને રેશિસ થશે.

સ્વસ્થ આહાર
મોનસૂનમાં શિશુને સ્વચ્છ અને સંતુલિત આહાર આપવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ મોસમમાં ખાંસી, શરદી અને તાવ જલદી થાય છે. શિશુને વિટામિન સી અને જીવાણુરોધક ખાદ્યપદાર્થ જેમ કે જામફળ, આમળા, નારંગી, પપૈયું વગેરેનું સેવન કરાવવું જેાઈએ. શિશુને ફળ અને ગરમ સૂપ આપો. પાણી ઉકાળીને આપવું એક સારી રીત છે. પાણીને ઉકાળવાથી તેની અંદરના કીટાણુ મરી જાય છે
– ગરિમા પંકજ.

કેમ જરૂરી છે મેંસ્ટ્રુઅલ હાઈજીન

૧૩ વર્ષની નિર્દોષ ઉંમરમાં પીરિયડની શરૂઆત થવી બાળકીના જીવનની અનોખી ઘટના છે. રમતગમત અને ભણવાની વચ્ચે મહિનાના ૫ દિવસ દર્દ, તાણ, શરમ અને કેટલીય વાતથી અનભિજ્ઞતા વચ્ચે વિતાવતી બાળકીઓ ઘણી વાર પીરિયડ દરમિયાન સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન નથી રાખી શકતી, જેથી તે અનેક બીમારીનો શિકાર થાય છે. પીરિયડ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, પણ હજી સુધી ભારતીય સમાજમાં પીરિયડને અપવિત્ર માનવામાં આવે છે. તેને કોઈ ખોટી માન્યતા અને પ્રથા સાથે જેાડી દેવામાં આવ્યું છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.

દુનિયાભરમાં લાખો મહિલાઓ અને છોકરીઓને પીરિયડના લીધે સ્ટિગ્મા સહન કરવું પડે છે. પીરિયડ દરમિયાન મહિલાઓ પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમને ગંદા વાતાવરણ અને સ્વચ્છતાનું પાલન ન કરવા મજબૂર કરવામાં આવે છે. કેટલાક ઘરમાં તેમના કિચનમાં આવવાની મનાઈ કરવામાં આવે છે. આ ભ્રમ ફેલાયેલો છે કે પીરિયડ દરમિયાન જેા મહિલા આચારચટણીને હાથ કરશે તો તે બગડી જશે. પીરિયડ દરમિયાન છોકરીઓને નહાવા દેવામાં નથી આવતી. મહિલા પરિણીત છે તો કેટલાય ઘરમાં તે પતિ સાથે એક પથારી પર ઊંઘી નથી શકતી. નીચે ચટાઈ પાથરીને ઊંઘે છે.

સુરક્ષા સાથે રમત
ગામકસબામાં કેટલીય જગ્યાએ આજે પણ પીરિયડ આવતા મહિલાને ૫ દિવસ ઘરની બહાર નાના રૂમમાં રહેવા મજબૂત કરવામાં આવે છે, જ્યાં તે માસિકસ્રાવ શોષવા માટે જૂના કપડાં અને સૂકા ઘાસના પેડ બનાવીને ઉપયોગ કરે છે. ૫ દિવસ તે કોઈને મળી નથી શકતી. જમીન પર ઊંઘે છે. પોતાનું ખાવાનું જાતે બનાવે છે. તેને સ્નાન કરવા પર પ્રતિબંધ છે. વિચારો જે તે બીમાર હોય, તેને તાવ આવ્યો હોય, તો એકલા તે રૂમમાં ૫ દિવસ રહેવું શું તેના જીવ સાથે રમત નથી થતી? તેને રૂમમાં એકલી જેાઈને કોઈ પણ તેની અસ્મત સાથે રમી શકે છે. જમીન પર ઊંઘવાની સ્થિતિમાં કોઈ ઝેરી કીડો, સાપ વગેરે કરડી શકે છે. આ તેની સુરક્ષા સાથે ખુલ્લેઆમ રમત રમાય છે. પછાત વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પણ ગરીબ વર્ગમાં છોકરીઓ પીરિયડ આવતા જૂનાફાટેલા, ગંદા કપડાં વગેરેનો પેડ તરીકે ઉપયોગ કરે છે. તેનો ધોઈ, સૂકવીને ફરી ઉપયોગ કરે છે. આ ગંભીર બીમારીને આમંત્રણ આપવા સિવાય બીજું કંઈ જ નથી.

સ્વાસ્થ્ય માટે હાનિકારક
શહેરમાં અને મહાનગર સુધી પોતાના ઘરમાં કામ કરતી બાઈને પૂછો કે પીરિયડ આવતા કઈ કંપનીનું સેનિટરી નેપ્કિન ઉપયોગ કરે છે? જવાબ મળશે એટલા પૈસા ક્યાં છે જે દર મહિને પેડ ખરીદીએ. અમે કપડાનો ઉપયોગ કરીએ છીએ. જેા મા સમજદાર નથી, તેને સ્વચ્છતાનું જ્ઞાન નથી તો અમીર પરિવારની દીકરીઓ પણ પીરિયડ દરમિયાન ગંભીર બીમારીનો શિકાર થાય છે. આ બધી વાત મેંસ્ટ્રુઅલ હાઈજીન પ્રમાણે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. ગરમી અને વરસાદની સીઝનમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ જાય છે.

આ ગાળામાં જેા સ્વચ્છતા રાખવામાં નહીં આવે તો જીવાણુ, સંક્રમણ, ખંજવાળ, બળતરા વગેરેનું જેાખમ વધારે હોય છે. યોનિમાં રહેલા સારા બેક્ટેરિયા નિશ્ચિત પીએચ સંતુલન જાળવી રાખે છે, પણ ગરમી, બાફના લીધે થતું ઈંફેક્શન અને હાનિકારક બેક્ટેરિયાના વિકાસથી આ બેલેન્સ બગડે છે અને મહિલાઓ ગંભીર યૂરિનરી ઈંફેક્શનનો શિકાર થાય છે.


પીરિયડ્સના દિવસોમાં કેવી રીતે લેશો કેર
સસ્ટેનેબલ સેનિટેશન એન્ડ વોટર મેનેજમેન્ટ નામક સંસ્થાના એર રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં ૫૨ ટકા મહિલાઓ રિપ્રોડક્ટિવ એજમાં છે અને લગભગ તમામ દર મહિને પીરિયડ્સ એટલે કે માસિક ધર્મની અવસ્થામાંથી પસાર થાય છે. જેાકે તેમાંથી મોટાભાગનાને પીરિયડ્સ દરમિયાન હાઈજિન મેન્ટેન કરવા અને પોતાની સંભળ લેવા વિશે ન તો જાણકારી છે ન તો તેની સાથે જેાડાયેલા સંસાધન ઉપલબ્ધ છે.

પીરિયડ્સ દરમિયાન સફાઈ ન રાખવાના નુકસાન
ગાયનોકોલોજિસ્ટ મોનિકાનું કહેવું છે કે પીરિયડ્સ દરમિયાન હાઈજિન અને સાફસફાઈ રાખવી ખૂબ જરૂરી છે. તેની પર જ મહિલા અને આવનારી જનરેશનની હેલ્થ ડિપેન્ડ રહે છે. જેા પીરિયડ્સ દરમિયાન સારી રીતે સંભાળ ન લેવાય તો ઈન્ફેક્શન સિવાય યૂટર્સ અને જેનિટલ  પાર્ટ્સ સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થવાનું જેાખમ પણ રહે છે.

   વેજાઈનલ પાર્ટ અને આસપાસ બરાબર સફાઈ રાખો. વોશરૂમ ગયા પછી હાથને સાબુથી ધુઓ.

   પીરિયડ્સ દરમિયાન હાઈજીન મેન્ટેન કરવા માટે કપડાંના બદલે યોગ્ય પેડ કે ?અન્ય વિકલ્પનો ઉપયોગ કરવો જેાઈએ.

   હેવી ફ્લોના લીધે પેડ જલદીથી ભીના થઈ શકે છે. રેગ્યુલર પેડ ?અને કપડાં બદલતા રહેવું જેાઈએ.

   વધારે સમય સુધી ભીના પેડ પહેરવાથી રેશિસ, ખંજવાળની સમસ્યા થઈ શકે છે.

   સોપના યુઝથી વેજાઈનલ અને આસપાસના ગુડ બેક્ટેરિયા ખતમ થઈ શકે છે. સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

   ભરપૂર પાણી પીઓ.

    દિવસમાં ૬-૮ ગ્લાસ પાણી પીઓ. પાણીથી બોડી હાઈડ્રેટ રહેશે. ડાઈજેશન સારું રહેશે.


ભાવનાત્મક સપોર્ટની જરૂર
જ્યારે મોસમ ગરમ અને બાફવાળી હોય છે, ત્યારે મોટાભાગની મહિલાઓને પીરિયડમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. પીરિયડ મોસમના ફેરફાર સંબંધિત હોય છે. ગરમીના લીધે પીરિયડ લાંબા સમય સુધી અથવા વધારે દિવસ રહે છે. ટીનેજ ગર્લ અને પેરી મેનોપોઝ વુમનને વધારે સમસ્યા થાય છે, કારણ કે આ દરમિયાન હોર્મોન્સ અસ્થિર હોય છે. મેનોપોઝની નજીક આવતી મહિલાઓને ઘણી વાર ફાઈબ્રોઈડ્સની ફરિયાદ થાય છે, જેથી વધારે રક્તસ્રાવ થાય છે અને પીડા સહનશીલતાની બહાર હોય છે. એવામાં તેમને ઘરના લોકોનો ભાવનાત્મક સપોર્ટ?અને સારવારની જરૂર પડે છે, પરંતુ પીરિયડને અપવિત્ર માનતા ઘરમાં મહિલાએ પીડા એકલા જ સહન કરવી પડે છે.

મેંસ્ટ્રુઅલ હાઈજીન માટે જરૂરી ટિપ્સ :

હાઈડ્રેટેડ રહો : શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા અને શરીરના પીએચ સંતુલનને જાળવી રાખવા માટે રોજ ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. ફ્રેશ જંાબુ ખાઓ અને સ્વાદિષ્ટ હર્બલ પાણી પીઓ. કોટન અંડરગાર્મેન્ટ પહેરો : ગરમીમાં કોટન અંડરગાર્મેન્ટ ખાસ કરીને કોટન પેન્ટી પહેરો. કોટન સુતરાઉ કાપડમાં હવા સરળતાથી પાસ થાય છે. તે સ્કિનને સાફ રાખવામાં મદદ કરે છે. આ દરમિયાન આર્ટિફિશિયલ દોરીથી તૈયાર કપડા અને અંડરગાર્મેન્ટ ન પહેરવા જેાઈએ, જેમાં વધારે પરસેવો આવે, તેથી ગુપ્તાંગમાં બેડ બેક્ટેરિયા વધે છે. સ્કિનમાં ખંજવાળ અને બળતરા થાય છે.

સ્વચ્છ અને કોટન ટુવાલનો ઉપયોગ : કોટન ટુવાલનો ઉપયોગ કરો. ક્યારેય પણ બીજાનો ઉપયોગ કરેલો ટુવાલ ઉપયોગમાં ન લો. પાતળા ટુવાલનો ઉપયોગ કરો. તેને સાફ કરવો અને સૂકવવો સરળ હોય છે. પોતાનો ઉપયોગ કરેલો ટુવાલ કોઈ બીજા સાથે શેર ન કરો. સ્વચ્છતા માટે પોતાના ટુવાલને રોજ ધુઓ.

પ્રાઈવેટ પાર્ટની સફાઈ : નહાતી વખતે પોતાના પ્રાઈવેટ પાર્ટને રોજ સાફ કરો. ગરમ પાણીનો ઉપયોગ ન કરો. કોઈ પણ પ્રકારના સુગંધિત સાબુનો ઉપયોગ ન કરો. યોનિના પીએચ બેલેન્સને જાળવી રાખવા માટે રાસાયણ મુક્ત સાબુ વિના સફાઈ કરો. જિમ, સ્વિમર અથવા કોઈ રમત રમ્યા પછી હંમેશાં ઈન્ટિમેટ એરિયાને ધુઓ.

એન્ટિબેક્ટેરિયલ સેનેટરી નેપ્કિન : પીરિયડ દરમિયાન કંફર્ટેબલ એન્ટિબેક્ટેરિયલ સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરો. પીરિયડ હાઈજીન માટે દર ૩-૪ કલાકે પેડ બદલો. સારી ક્વોલિટીની પીરિયડ પેન્ટીનો ઉપયોગ કરો, જેથી બેક્ટેરિયા ગ્રો ન કરે. ઈન્ટિમેટ એરિયાના હેરને પણ શેવ કરો, નહીં તો બેક્ટેરિયા થઈ શકે છે. તેનાથી યીસ્ટ ઈંફેક્શન અને યૂટીઆઈથી બચી શકો છો.

પીરિયડમાં સ્નાન જરૂર કરો : આ માત્ર એક ભ્રમ છે કે પીરિયડ દરમિયાન નહાવું ન જેાઈએ. હકીકતમાં પીરિયડ દરમિયાન સ્નાન કરવું જ સુરક્ષિત છે. તેનાથી થાક અને દર્દ ઓછો થાય છે. તેનાથી મૂડ પણ સુધરે છે. નવશેકા પાણીથી સ્નાન પીરિયડ ક્રેંપ્સને ઓછું કરે છે. પીરિયડ સાઈકલ દરમિયાન કોઈ પણ દિવસે હેર ધોવા પણ સુરક્ષિત છે.
– નસીમ અંસારી કોચર.

કેમ આવે છે પ્રેગ્નન્સીમાં અડચણ

માનવ શરીર એક એવું જટિલ મશીન છે જેનો પ્રત્યેક ભાગ બીજ સાથે ઘનિષ્ઠ રીતે જેાડાયેલો છે. આ સ્થિતિમાં મહિલાઓમાં વંધ્યત્વનું કારણ તેમના જીવનમાં આવેલી બીમારી, અયોગ્ય જીવનશૈલી અને આનુવંશિક રોગની સાથેસાથે ઉંમરનું ફેક્ટર હોઈ શકે છે. ડાયાબિટીસ, એનીમિયા અને સ્થૂળતા જેવી પરિસ્થિતિ અથવા બેદરકાર જીવનશૈલી વંધ્યત્વનું મોટું કારણ બની શકે છે.
આવો, તેમાંના કેટલાક ફેક્ટર્સ સમજીએ :

ઓવ્યૂલેશન રોગની અસર
ઓવ્યૂલેશન એવી ઘટના છે જ્યારે એક પરિપક્વ ઈંડું અંડાશયમાંથી બહાર નીકળે છે જે શુક્રાણુ દ્વારા ફલિત થવા માટે તૈયાર હોય છે. ઓવ્યૂલેશન સંબંધિત ખામીનો અર્થ છે, પ્રજનન પીરિયડ દરમિયાન ઈંડાની ગેરહાજરી જેનાથી સ્વાભાવિક રૂપે કોઈ ભ્રૂણ (એંબ્રો) નથી બનતું.

એન્ડોમિટ્રિઓસિસની અસર
એન્ડોમિટ્રિઓસિસ એ સ્થિતિ છે જેમાં એન્ડોમિટ્રિયમ જેા ગર્ભાશયને લાઈનિંગ કરનાર ટિશ્યૂ હોય છે, તે તેની બહાર વધે છે. આ સ્થિતિ ૧૦-૧૫ ટકા મહિલાઓમાં પ્રજનનની ઉંમરના સમયગાળામાં જેાવા મળે છે. તેથી તે અનેક ફર્ટિલિટી પેરામીટર્સને પ્રભાવિત કરે છે. એટલે કે વ્યવહાર્ય ઈંડાં ની ઓછી સંખ્યા, ઈંડા અને ભ્રૂણની ખરાબ ક્વોલિટી તેમજ ઈમ્પ્લાન્ટેશનમાં અડચણ ઊભી કરે છે.

ગર્ભાશય ફાઈબ્રોઈડની અસર
ગર્ભાશય ફાઈબ્રોઈડ બિનકેન્સર વાળી ટ્યૂમર છે, જે કંસીવ કરવાની ઉંમરે મહિલાઓના ગર્ભાશયમાં વધે છે. તે વિભિન્ન આકાર અને વિભિન્ન ભાગમાં જેાવા મળે છે. હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ્યારે વધે છે ત્યારે તે તેની વૃદ્ધિનું કારણ બને છે. ગર્ભાશય ફાઈબ્રોઈડ ગર્ભાશયના નુકસાનના જેાખમને વધારે છે અને મહિલાઓમાં વંધ્યત્વની શક્યતા વધારે છે.

ડાયાબિટીસ અને પીસીઓએસની અસર
ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીઓમાં પીરિયડમાં મોડું અને મેનોપોઝ (રજેાનિવૃત્તિ) ની શરૂઆતમાં મોડું થાય છે, સાથે ઓવ્યૂલેશનમાં મોડું અને અનિયમિત માસિકની સમસ્યા થાય છે. તદુપરાંત તેનાથી ગર્ભવતી થવાની સંભાવના ઓછી થઈ જાય છે અથવા ગર્ભપાત કે મૃત બાળકનો જન્મ થવાની સંભાવના વધી જાય છે.

ટાઈપ-૨ ડાયાબિટીસમાં વધારે ઈંસ્યુલિન બનતું હોય છે, જ્યારે બીજી તરફ તેનો પ્રતિરોધ જેાવા મળે છે, જેનો ઉપયોગ કરવામાં નથી આવતો. તદુપરાંત બ્લડશુગરની અધિકતા પણ જેાવા મળે છે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) પ્રજનન વયમર્યાદા ધરાવતી ૫-૧૩ ટકા મહિલાઓને પ્રભાવિત થાય છે અને તે ઈંસ્યુલિન પ્રતિરોધ અને વધી ગયેલા ટેસ્ટોસ્ટેરોનના સ્તર સાથે જેાડાયેલ હોય છે. ડાયાબિટીસ થવા પર મહિલાઓ માટે ગર્ભધારણ કરવું મુશ્કેલ બની શકે છે.

સ્થૂળતાની અસર
આમ પણ સ્થૂળતાને ગર્ભધારણ માટે નુકસાનકારક માનવામાં આવે છે. માસિક સંબંધિત સમસ્યા અને ઈનોવ્યૂલેશન સ્થૂળ મહિલાઓમાં સામાન્ય વાત હોય છે. વધારે વજન ગર્ભધારણ, ગર્ભપાત અને ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાનું જેાખમ વધી જાય છે.

તમાકુના સેવનની અસર
અભ્યાસ પરથી જાણકારી મળી છે કે ધૂમ્રપાન કરનાર ૬૦ ટકાથી વધારે મહિલાઓ બીજની સરખામણીમાં વધારે પ્રમાણમાં વંધ્યત્વનો સામનો કરે છે. બીજું એ પણ જેાવા મળ્યું છે કે ધૂમ્રપાન ઓવેરિયનના કામને અવરોધે છે અને હોર્મોનની એકાગ્રતા ઘટાડે છે. તમાકુ શરીરમાં ઝેરી તત્ત્વો લાવે છે, જેમનામાં ઈંડાને નુકસાન પહોંચાડનાર અને તેની સંખ્યા ઘટાડવાની ક્ષમતા હોય છે. ઉપરાંત તે પીરિયડમાં અડચણરૂપ બને છે અને તેના લીધે અનિયમિત પીરિયડની સમસ્યા થાય છે, પરિણામે જલદી રજેનિવૃત્તિ થઈ શકે છે. તમાકુના સેવનથી અસ્થાનિક ગર્ભાવસ્થાની શક્યતા વધી જાય.

તમાકુનું સેવન ન માત્ર પ્રજનન પ્રણાલીને બગાડે છે, પરંતુ ગર્ભાવસ્થાને જટિલ કરી શકે છે. ગર્ભધારણ કરનાર અને જન્મ લેનાર બાળકના સ્વાસ્થ્યને પણ તમાકુનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. પૂર્ણ સમયના જન્મ છતાં બાળક ખૂબ નાનું જન્મી શકે છે, મસ્તિક અને ફેફસામાં ખામીની સાથેસાથે કપાયેલા હોઠ વગેરે જન્મજાત દોષોનું જેાખમ વધી જાય છે.

બ્લોક ફેલોપિયન ટ્યૂબની અસર
ફેલોપિયન ટ્યૂબ અંડાશયને ગર્ભાશય સાથે જેાડે છે અને આ એ માર્ગ છે જેના માધ્યમથી ઈંડાં ગર્ભમાં પહોંચતા હોય છે. જ્યારે ફેલોપિયન ટ્યૂબ યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે તેના લીધે વંધ્યત્વ થઈ શકતું હોય છે, કારણ કે નિષેચનની પ્રક્રિયા નથી થતી. આ સ્થિતિ બ્લોકેજ અને ઈંફેક્શનના લીધે થઈ શકે છે.

ફેલોપિયન ટ્યૂબ બ્લોકેજ એક એવી સ્થિતિ છે જ્યાં એક અથવા બંને માર્ગ અવરુદ્ધ થઈ જાય છે, જેનાથી વિભિન્ન સ્વાસ્થ્ય અને પ્રજનન સંબંધિત જટિલતા પેદા થાય છે. આ અડચણ શુક્રાણુઓના ઈંડા સુધી પહોંચવાના માર્ગને બાધિત કરવાની સાથેસાથે નિષેચિત ઈંડાંના માર્ગને પણ બાધિત કરે છે. ફેલોપિયન ટ્યૂબ બેક્ટેરિયા સહિત વિભિન્ન રોગજનકથી સંક્રમિત થઈ શકે છે અને તેને પેલ્વિક ઈન્ફ્લેમેટરી ડિસીઝની જેમ વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધી અડચણ જન્મજાત પણ હોઈ શકે છે અને પહેલાં કરાવેલી સર્જરીના લીધે પણ.

ઉંમરની અસર
મહિલાઓ પોતાના અંડાશયમાં સીમિત ઈંડાના રિઝર્વ સાથે પેદા થાય છે, જે ઉંમરની સાથે ઘટતા જાય છે. ૧૦ લાખથી વધારે અપરિપક્વ ઈંડા યુવાની આવતાંઆવતાં લગભગ ૩ લાખ ઈંડા સુધી રહી જાય છે, જે માસિકના પ્રત્યેક ઓવ્યૂલેશનની સાથે વધે ઘટે છે તેમજ કેટલાક નષ્ટ પણ થાય છે. ૩૦ ના દાયકાની મધ્યમાં ઈંડાની માત્રા અને ગુણવત્તા બગડે છે અને મહિલાઓની ૪૦ વર્ષની ઉંમરમાં લગભગ ૫૦ ટકા ઈંડાના પૂલ આનુવંશિક રૂપે અસામાન્ય થઈ જાય છે. રજેાનિવૃત્તિ યૌવનનો અંત અને વ્યવહાર્ય ઈંડાની અનુપલબ્ધતાનું પ્રતીક છે. ઈંડાનું આ રીતે ઓછા થવું પ્રજનનક્ષમતામાં ઘટાડાનો એક સ્પષ્ટ સંકેત છે.

ઈલાજ શું છે
જે રીતે વંધ્યત્વના કારણ અલગઅલગ હોય છે, તે રીતે તેના ઈલાજ પણ વિભિન્ન હોય છે. જે મહિલાઓ ડાયાબિટીસ, પીસીઓએસ અને સ્થૂળતા જેવી પરિસ્થિતિના લીધે સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરવામાં અસમર્થતા હોય છે, તેમના માટે સૌપ્રથમ ઉપાય તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો છે. જેાકે નિયમિત રીતે ડોક્ટર સાથે વિચારવિમર્શ કરીને નિયંત્રણ કરી શકાય છે, જેથી સ્વસ્થ આહાર, શારીરિક ગતિવિધિની સાથેસાથે નિયમિત રીતે દવાઓનું મોનિટરિંગ થતું રહે.

જેાકે કેટલાક કિસ્સામાં બીમારીના લીધે થયેલા નુકસાન અથવા જન્મજાત પરિસ્થિતિના લીધે કુદરતી ગર્ભધારણ કરવું શક્ય નથી બનતું. આ સ્થિતિમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી અથવા એઆરટી આવી મહિલાઓના જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. એઆરટીમાં ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ), ઈંટ્રાસાઈટોપ્લાઝિમક સ્પર્મ ઈંજેક્શન (આઈસીએસઆઈ) અને અંતર્ગર્ભાશયી ગર્ભાધાન (આઈયૂઆઈ) જેવી પ્રક્રિયા સામેલ છે. જેા કોઈ દંપતી વંધ્યત્વથી પરેશાન હોય અને ત્યાં સુધી કે હાલની પોતાની બીમારીની સારવાર પણ કરાવી રહી હોય તો પણ તેમણે પોતાની મેડિકલ હિસ્ટ્રી પર ચર્ચા કરવા માટે પ્રજનનક્ષમતા કે આઈવીએફ વિશેષજ્ઞ સાથે ચર્ચા કરવી જેાઈએ. જેાકે અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. જ્યારે એઆરટી ૧૦૦ ટકા સફળતા નથી આપતી. આ સમયે સંભવિત દુષ્પ્રભાવ સમજી લેવા જેાઈએ. ત્યાર પછી ઘણા બધા ટેસ્ટ અને સ્કેન કરવામાં આવે છે, જેમાં બંને પાર્ટનરની મેડિકલ કંડિશનની તપાસ કરવામાં આવે છે.

મહિલાઓના પ્રજનન અંગોની તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટ, એન્ટિમુલરિયન હોર્મોન્સ (એએમએચ) ના સ્તર અથવા ગર્ભાશયમાં અડચણ પેદા કરનાર કોઈ પણ વૃદ્ધિની તપાસ સામેલ હોઈ શકે છે. ત્યાર પછી ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવે છે. જેમાં પરિપક્વ ઈંડા માટે હોર્મોનલ ઈંજેક્શન, તેમનું કલેક્શન, સ્પર્મની સાથે ફર્ટિલાઈઝેશન અને ભ્રૂણને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવું સામેલ છે. અંતે બીટાહ્યૂમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન (બીટાએચસીજી) પરીક્ષણ ગર્ભાવસ્થાની પુષ્ટિ કરે છે
– ડો. ક્ષિતિજ મુર્ડિયા.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો