જાન્યુઆરી, ૨૦૧૯ માં એક વીડિયો ટ્વિટર પર વાયરલ રહ્યો હતો, જેમાં તામિલ સુપરસ્ટાર અજીતના પ્રશંસક દર્શકો રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ ના પોસ્ટર સલગાવી રહ્યા હતા. રજનીકાંત અને અજીતની ફિલ્મ ‘પેટ્ટા’ અને ‘વિશ્વાસમ’ એક જ દિવસે રિલીઝ થઈ હતી. તેથી બંને ફિલ્મ સ્ટાર્સના પ્રશંસક દર્શકો પરસ્પર લડી રહ્યા હતા. દક્ષિણ ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને નેતાને લઈને તેમના પ્રશંસક દર્શકો કઈ હદે અંધભક્તિના શિકાર છે, તેના નમૂના કલાકારને દેખાય છે. કોઈ ફેન ક્લબવાપો તેમનું મંદિર બનાવે છે તો કોઈ તેમને શિવલિંગની જેમ દૂધથી નવડાવે છે. રજનીકાંત, કમલ હાસનથી લઈને પવન કલ્યાણ, ચિરંજીવી જેવા કેટલાય કલાકાર છે જેમની કાયદેસર ફેનની ક્લબ બનેલી છે અને કેટલાય કલાકાર તરફથી તેમને પૈસા પણ મલે છે. પરિણામે, આ ક્લબવાલા એવા અંધભક્તની ફોજ ઊભી કરે છે જે પોતાને એક્ટર કે નેતાનો ફેન કહીને લડવામરવા પર ઉતારું થઈ જાય છે. કમલ હાસને રજનીકાંતને કંઈક કહી દીધું તો તેમના ફેન પહોંચી જાય છે કમલ હાસનના ઘરે તોડફોડ કરવા. કેટલાક વર્ષ પહેલાં જ્યારે એક દક્ષિણ ભારતીય એક્ટર ચંદ્રશેખરે રાજનીતિમાં ઊતરેલા પોતાના પ્રતિસ્પર્ધક એક્ટર વિરુદ્ધ કંઈક કહ્યું હતું તો તે એક્ટરના પ્રશંસક દર્શકોએ ચંદ્રશેખર પર સભામાં પથ્થરમારો કર્યો હતો. તે બિચારા જખમી થઈ ગયા હતા, પણ પ્રશંસક દર્શકો પર કયો કેસ નોંધાય. સ્વયંને સળગાવી દીધો તાજેતરમાં થયેલ ઘટના આશ્ચર્યચકિત કરનાર છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશને મલવાની જિદ્દમાં એક છોકરાએ પોતાને જ આગ ચાંપી દીધી.થયું એવું કે યશને જન્મદિનના અભિનંદન આપવા માટે જ્યારે તેમનો એક ફેન રવિશંકર તેના મિત્રો સાથે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેને ત્યાં એન્ટ્રિ આપવાનો ઈન્કાર કરી દીધો. નારાજગી દર્શાવતા રવિશંકરે એક્ટરના ઘર સામે સ્વયંને આગ લગાવી દીધી. તેની યશના જન્મદિને મલવાની ઈચ્છા હતી. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ એક્ટરે ‘કેજીએફ’ ફિલ્મ પછીથી શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ને માત આપીને પોતાના ફેન વધારી લીધા છે, પરિમાણે તેના ઘરની બહાર આ પ્રશંસક દર્શકોની સંખ્યા સતત વધી રહી છે. હવે બધા ફેનને મલવું કોઈ પણ એક્ટર માટે શક્ય નથી. પરિણામે રવિશંકરને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ બીજા દિવસે તે મૃત્યુ પામ્યો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....