જેા કોઈ એમ કહે કે યોગ કોઈ ધાર્મિક કૃત્ય નથી. તેની નાદાની પર હસવું આવી જાય અથવા કોઈ પણ જાતના ખચકાટ વિના એમ કહી શકાય કે આ નવા યુગના ફેલાઈ રહેલા પાખંડોના ષડ્યંત્રકારીમાંથી એક છે. દર વર્ષે સરકાર અબજેા રૂપિયાનો ખર્ચ કરીને માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરે છે. આ વાતને મોટી સરકારની સફળતાના બદલે એક નવા દષ્ટિકોણથી જેાવી જેાઈએ કે આ ઉજવણી દેશની પ્રજા પર બિનજરૂરી બોજ છે. આખરે યોગના પ્રચારપ્રસાર અને તેને સરકારી સ્તરે ઊજવવા માટે આપણા યોગાચાર્યોને હવે ખૂબ પૈસા મળી રહ્યા છે, થોડા સરકાર પાસેથી થોડા અંધભક્તો પાસેથી.
કારણ માત્ર એ જ છે કે ભારત માતાની જય બોલવાના ટુચકા પછી યોગ એક એવું ધાર્મિક કૃત્ય છે જે બાહ્યરૂપે કર્મકાંડથી મુક્ત છે એટલે કે એક એવું કામ છે જેના અવેજમાં તમારે પંડાઓને સીધી કોઈ ચુકવણી નથી કરવી પડતી. સરકાર એ જ બતાવવા ઈચ્છે છે કે કર્મકાંડ સિવાય હિંદુ ધર્મ છે જેને હવે શુદ્ધ ન હોય તેવો દુકાનદાર પણ વેચીને પોતાની રોજીરોટી કમાઈ શકે છે.

યોગની આડમાં બિઝનેસ
અહીં એક વાત જણવી ખૂબ રસપ્રદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાલમેલ એવા બાબા સાથે નથી બેસતો, જે પૂજાપાઠ, યજ્ઞ, હવન વગેરેનો પોતાનો ફૂલટાઈમ રોજગાર અથવા ઉદ્યોગ બનાવી ચૂક્યા છે, પરંતુ તેમનો તાલમેલ એવા બાબા સાથે બેસી રહ્યો છે, જે ધર્મના કારોબારમાં નવાનવા આઈડિયા લાવે છે અને તે પણ એવા કે ગ્રાહક હિંદુત્વથી પોતાનું મોં ન ફેરવે. આ બાબાઓમાં રામદેવ પણ સામેલ છે, જેમનો પ્રચાર ૨૦૧૪ માં મોદીને ખૂબ કામમાં આવ્યો હતો અને હવે પતંજલિ બ્રાન્ડ હેઠળ ખૂબ ફુલ્યોફાલ્યો છે.
ખુશી વેચનાર આર્ટ ઓફ લિવિંગ ના સ્થાપક શ્રીશ્રી રવિશંકર અને યોગની આડમાં હવે હેર રિમૂવર છોડીને તમામ વસ્તુ વેચી રહ્યા છે. યોગ ગુરુના નામે બિનજરૂરી પુરસ્કૃત કરવામાં આવેલા બાબા રામદેવ આમ તો કારણ વિના મોદીની પસંદ નથી, જે બિનહિંદુ પાસેથી પણ સૂર્યપૂજા કરાવવા અને ઓમ બોલાવડાવવાની તાકાત ધરાવે છે. વિશ્વભરમાં યોગનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ જેા કસરતને યોગના નામે કરવામાં આવે છે તેનો પુરાણોમાં કોઈ ઉલ્લેખ નથી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....