એક વાત વિચારવા યોગ્ય છે કે કેમ દરેક વ્રતનું પાલન માત્ર મહિલાઓ જ કરે છે પછી તે કરવા ચોથ હોય, અહોઈ અ્ટમી કે પછી વટસાવિત્રીનું? કેમ માત્ર પુરુષોની લાંબી ઉંમરની કામના માટે વ્રત રાખવામાં આવે છે? જેાકે દરેક વ્રત સાથે એક પૌરાણિક કથા જેાડાયેલી હોય છે, જેથી મોટાભાગની મહિલાઓ આ વ્રતને ખૂબ શ્રદ્ધા અને કડક નિયમો સાથે રાખતી હોય છે.
માન્યતા એવી પણ છે કે જેા પ્રથમ કરવા ચોથનું વ્રત નિર્જળા રાખ્યું હોય તો દરેક કરવા ચોથ પણ એવી જ રીતે રાખવી પડે છે, પછી ભલે ને આ વ્રતની મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કેમ ન થાય.
શું હકીકતમાં દર મહિને પૂનમ અથવા નિર્જળા એકાદશી વ્રત કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે? શું આપણે પણ આ બધા વ્રતમાં ખૂબ શ્રદ્ધા ધરાવીએ છીએ? શું તે આપણા ડરને ઉજાગર નથી કરતા? જીવનમાં આવનારી મુશ્કેલીનો સામનો કરવાના બદલે આપણા ધર્મગુરુ આપણને આ વ્રત કરવાની સલાહ આપે છે.

ભણેલાગણેલા પણ છેતરાય છે
કેમ આપણે કોઈ પણ મુશ્કેલ સમયમાં કર્મના બદલે વ્રતને મહત્ત્વ આપીએ છીએ? કેમ આજે પણ ભણેલાગણેલા લોકો આ વ્રતની જાળમાંથી બહાર નથી આવી શકતા?
આ બધા પાછળનું કારણ છે તેમની અંધશ્રદ્ધા અથવા તેમની આળસ. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એક સુનિયોજિત રીતે કામ કરવું પડે છે, જેના માટે જરૂર પડે છે સખત મહેનત અને અથાગ પ્રયાસની, પરંતુ ઘણી વાર આપણને વ્રતનો માર્ગ વધારે સરળ લાગે છે, કારણ કે આપણને પણ હંમેશાંથી એવી વસ્તુ વધારે આકર્ષિત કરે છે, જે આપણને સપનાની દુનિયામાં ખેંચીને લઈ જાય છે.
વૈભવલક્ષ્મીનું વ્રત કરવાથી ધનનો લાભ થશે, આવું માનીને કોણ જાણે કેટલીય મહિલાઓ આ વ્રત કરે છે અને સાચી શ્રદ્ધાથી તેની ઉજવણી કરે છે. આ વ્રતના કડક નિયમોનું પાલન કરવામાં અને તેની ઉજવણીમાં સારો એવો ખર્ચ થાય છે. આ વ્રત આમ પણ આપણા ખિસ્સા પર ભારે પડે છે. સમય પર ખાણીપીણીનો ત્યાગ કરીને અને રાત્રે પચવામાં ભારે ભોજન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે વિશે આપણે બધા જાણી ચૂક્યા હોઈશું.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....