મુંબઈ તરફ આગળ વધી રહેલી રાજધાની ટ્રેનમાં બેઠેલા આશા, રીટા, શૈલ અને સુનીલ વાતચીત કરતાંકરતાં અંધશ્રદ્ધા અને રૂઢિ પર ચર્ચા કરવા લાગ્યા. ‘‘દુખ અને શરમની વાત છે કે શિક્ષિત અને ઉચ્ચ પદારૂઢ લોકો પણ ધર્મ અને રીતરિવાજના નામે ‘લકીરના ફકીર’ બનીને તેને નિભાવે છે. તેનો વિરોધ કરવાની હિંમત નથી કરતા અને જેા ક્યારેક સાહસ કરવાની કોશિશ કરવામાં આવે તો લોકો તેમની વિરુદ્ધ ઊભા થાય છે.’’ આશાએ કહ્યું, ‘‘સાચું કહે છે તું. ઉત્તર પ્રદેશના શહેરમાં તો આજે પણ જૂના રીતરિવાજની બોલબોલા છે. જીવતાજીવ તો આ પરંપરાને નિભાવવામાં આવે છે, પરંતુ મૃત્યુ પછી પણ પંડિતોને પૂછવું પડે છે. પછી જે પંડિત કહે તે પ્રમાણે કરવું પડે છે. મારા સસરા પૂરા દોઢ વર્ષથી પથારીવશ હતા, અમારી આર્થિક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ પણ ખરાબ હતી. અમે તનમનથી તેમની સેવા કરી રહ્યા હતા, પરંતુ બધું કર્યા પછી પણ પરિણામમાં તેમનું મૃત્યુ મળ્યું.

જ્યારે તેમનો ઈલાજ કરવાની વાત હતી અને પૈસાની વાત હતી ત્યારે પંડિત ગાયબ હતા, પરંતુ મૃત્યુ પછી તરત આવી ગયા.’’ રીટાએ વાતને સમર્થન આપ્યું. ‘‘સસરાના અંતિમ સંસ્કાર વગેરે પતાવ્યા પછી, શૈયાદાન પરંપરાના સમયે મોટામેદસ્વી પંડિતને બજારમાંથી કપડાં, ગાદલું, રજાઈ, બેડ, છત્રી, કેશ, ખાદ્યસામગ્રી વગેરે આપતા મન દુખી થઈ ગયું કે આ બધો સામાન કેમ આપવામાં આવી રહ્યો છે. પંડિત તો સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિની માગણી કરવા લાગ્યા. મારા પતિએ જ્યારે આ માગણી પર અસમર્થતા દર્શાવી, ત્યારે પંડિતનો જવાબ હતો કે એટલી કેશ આપી દો, તે સ્વયં ખરીદી લેશે. ‘‘સાંભળીને હું સામે આવી અને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. તો પંડિતે કહ્યું કે મૃતકના આત્માને શાંતિ નહીં મળે આ અધૂરી પૂજાથી.’’ મેં કહ્યું, ‘‘અમારા પિતાજીને તમારા દ્વારા આપવામાં આવતી શાંતિની જરૂર નથી, તમે જાઓ અહીંથી. જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ આ સમયે ઘરના લોકો મારા વિરુદ્ધ ઊભા થઈ ગયા, પરંતુ હું મક્કમ રહી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....