આરતીને ફરિયાદ છે કે લગ્નના ૮ વર્ષમાં તેના લગ્નજીવનનો પૂરો ચાર્મ ગાયબ થઈ ગયો છે. તેના પતિ અનુરાગને હવે કદાચ તેનામાં કોઈ રસ રહ્યો નથી. તે મોડી રાત્રે ઓફિસેથી આવે છે, ખાવાનું ખાય છે અને ઊંઘવા ચાલ્યો જાય છે. આરતીએ પોતાના દાંપત્યજીવનમાં રોમાન્સ પેદા કરવાની બધી રીત અજમાવીને જેાઈ લીધી. પતિને ખુશ કરવા માટે તે સાંજથી શણગાર સજવામાં જેાડાઈ જતી હતી. પતિને ગમતું ભોજન બનાવતી, બેડરૂમને પણ સજવતી. પોતે તો ખુશબૂદાર બનાવી દેતી, સાથે હળવી સુગંધ ધરાવતા રૂમ ફ્રેશનરથી પૂરા ઘરને પણ સુગંધીદાર બનાવી દેતી. તેમ છતાં પતિની અંતરંગના પ્રાપ્ત કરવાના તેના બધા પ્રયત્ન વ્યર્થ થઈ જતા હતા.

અનુરાગ થાકેલોપાકેલો ઓફિસેથી ઘરે આવતો ત્યારે એક ઊડતી નજર આરતી પર નાખીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતો હતો. થોડો સમય પોતાના દીકરા રાહુલ સાથે રમતો અને ત્યાર પછી ખાવાનું ખાઈને ઊંઘવા ચાલ્યો જતો. હવે તો આરતીને પણ શંકા થવા લાગી હતી કે પોતાના લગ્નજીવનમાં કોઈ બીજી મહિલા આગ તો નથી લગાવી રહી ને. અનુરાગનો આવો વ્યવહાર તેનાથી સહન થઈ રહ્યો નહોતો. પ્રેમ અને સેક્સના અભાવમાં બંને વચ્ચેનું અંતર વધી ગયું હતું. ઘણા દિવસો સુધી અનુરાગ તેને સ્પર્શ સુધ્ધાં કરતો નહોતો. એક જ રૂમમાં એક પલંગ પર બંને કોઈ અપરિચિતની જેમ પડ્યા રહેતા હતા. આ સમસ્યા માત્ર આરતી અને અનુરાગની નથી, પણ દર ૧૦ માંથી ૩ કપલની રહી છે. પત્ની સમજી નથી શકતી કે તેનો પતિ તેની ઉપેક્ષા કેમ કરી રહ્યો છે? તે પોતાનાથી દૂરદૂર કેમ રહેવા લાગ્યો છે. તેને મનમાં શંકા પણ થવા લાગે છે કે શું પતિનું કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે.

આ માનસિકતા પત્નીઓને તાણથી વધારે ભરી દે છે. કેટલીક પત્નીઓ વિચારતી હોય છે કે કદાચ તેમના રંગરૂપ હવે પહેલાં જેવા મોહક નથી રહ્યા. તેઓ શણગાર સજતી હોય છે, કારણ કે પતિને પોતાના તરફ આકર્ષી શકે. વિવિધ પ્રકારના વ્યંજન બનાવતી હોય છે, જેથી પતિનો પ્રેમ પ્રાપ્ત કરી શકે, પરંતુ તેમ છતાં પતિનું દિલ પીગળતું નથી હોતું. હકીકતમાં, પત્ની પ્રત્યે પતિ દ્વારા ઉપેક્ષાનું કારણ હંમેશાં એ જ નથી હોતું, જેના વિશે પત્નીઓ વિચારી વિચારીને પરેશાન રહેતી હોય છે, પણ પ્રોબ્લેમ બીજેા કોઈ હોય છે. પતિ દ્વારા ઉપેક્ષા થવાનું કારણ તેમનામાં મેલ હોર્મોનની ઊણપ હોઈ શકે છે, જેથી પતિ શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવા લાગે છે. આ વાતથી તેમને ડર રહેતો હોય છે કે પથારીમાં પોતે પત્નીને સંતુષ્ટ કરી શકશે નહીં અને ત્યાર પછી તેમના પર નપુંસકનો આરોપ લાગી જશે. તેઓ પત્નીની નજારમાંથી ઊતરી જશે. જે પત્નીને જાણ થશે કે તે તેને સંતુષ્ટ કરવામાં અક્ષમ છે તો તે કોઈ બીજા પુરુષનો સાથ શોધી લેશે અને છુપાઈને પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા લાગશે. આ બધા ડર પુરુષના મન પર હાવિ થાય છે અને પતિ મૌન ધારણ કરીને પત્નીથી અંતર બનાવી લે છે તેમજ પત્નીને તેની દ્વિધામાં ફસાયેલી રહેવા દે છે. હવે આ સ્થિતિમાં પતિ પણ પોતાની પત્નીને કેવી રીતે કહે કે પોતે તેને પથારીમાં સંતુષ્ટ કરવા લાયક નથી રહ્યો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....