કૂતરો પાળવો માત્ર સ્ટેટસ સિમ્બોલ નથી, પણ તે તમને યુવાન, હસમુખ અને ઊર્જાવાન વ્યક્તિત્વ તો આપે છે સાથે તમારી માનસિકતાને પણ સકારાત્મક બનાવે છે. કૂતરો પાળનાર ૬૫ વર્ષની ઉંમર ધરાવતા લોકો પોતાની વાસ્તવિક ઉંમરથી ૧૦ વર્ષ નાના દેખાતા હોય છે. તેઓ હંમેશાં ઊર્જાથી ભરપૂર દેખાતા હોય છે. કૂતરો પાળનાર તમને હંમેશાં તાણમુક્ત અને હસમુખ સ્વભાવના જેાવા મળશે, જ્યારે આજ ઉંમરના બીજા લોકોના સ્વભાવમાં નીરસતા, તાણ, ગૂંગળામણ, આક્રોશ અને ગુસ્સો દેખાશે. તાજેતરમાં એક શોધમાં વાત સામે આવી છે કે ઘરમાં કૂતરો પાળવાથી એક વડીલના માનસિક સ્વાસ્થ્યની સાથેસાથે શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડતો હોય છે. બર્લિન સ્થિત યુનિવર્સિટી ઓફ સેન્ટ એંડ્રયૂઝના શોધકર્તા ફેંગ ઝિક્યાંગનું માનવું છે કે ૬૫ વર્ષની ઉંમર કરતા વધારે ઉંમર ધરાવતા લોકોમાં કૂતરાના માલિક હોવા અને તેમની વધેલી શારીરિક સક્રિયતા વચ્ચે સીધો સંબંધ રહેલો હોય છે. વૃદ્ધ કૂતરાના માલિક કૂતરા ન રાખનાર પોતાના સમકક્ષોની સરખામણીમાં ૧૨ ટકા વધારે સક્રિય જેાવા મળ્યા હતા. કૂતરાઓના માલિક થવાનો બોધ વ્યક્તિગત સક્રિયતાની પ્રેરણા આપે છે અને વૃદ્ધોને સામાજિક સહયોગનો અભાવ નથી ખૂંચતો. આ શોખ ખરાબ આબોહવા, બીમારી અને અંગત સુરક્ષા જેવી ઘણી સમસ્યામાંથી બહાર આવવામાં સક્ષમ બનાવે છે. આ અભ્યાસ ૫૪૭ વૃદ્ધો પર કરવામાં આવી હતી. શોધમાં સામે આવ્યું હતું કે કૂતરાઓના માલિક ન માત્ર શારીરિક રીતે વધારે સક્રિય જેાવા મળ્યા હતા, પણ તેમની ગતિશીલતાનું સ્તર પણ પોતાનાથી ૧૦ વર્ષ નાના લોકોના જેવું હતું. ૪૦-૪૫ વર્ષની ઉંમર સુધી આપણે બધા પોતાની કરિયર, લગ્ન, પરિવાર અને બાળકોની દેખરેખ વગેરેમાં બિઝી રહેતા હોઈએ છીએ, પરંતુ ૪૫ ની ઉંમર પછી આપણું શરીર ધીરેધીરે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધવા લાગે છે. ત્યાર પછી ૫૦-૫૫ ની ઉંમર સુધી પહોંચતાં પહોંચતાં આપણને રિટાયરમેન્ટ અને પછી એકલતાના વિચારો પણ સતાવવા લાગે છે. આ બધા પ્રકારની તાણ માત્ર આપણા માનસિક સ્વાસ્થ્ય પર નહીં, આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આ સ્થિતિમાં પાલતુ કૂતરા તમને કામ લાગશે, તે વિશે તમ પણ જાણી લો :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....