ધર્મ તથા રાજસત્તાનું ગઠબંધન ફાંસીવાદ તથા અંધભક્તિ પેદા કરે છે. ધર્મને સત્તાથી દૂર કરવા લોકશાહીનો ઉદ્ભવ થયો હતો. રોમને જમીનદોસ્ત કરવામાં સૌથી મોટું યોગદાન સમાનતા, સંપ્રભુતા અને બંધુત્વના નારા લઈને નીકળેલા લોકોનું હતું. આ લોકો ધર્મના દુરુપયોગથી સત્તા પર કબજેા કરીને બેઠેલા લોકોને ઉખાડી ફેંકવા મેદાનમાં ઊતર્યા હતા તેમજ રાજાશાહીને એક મહેલમાં સમેટીને બ્રિટનમાં લોકશાહી તરફ આગળ વધ્યા હતા. અનેક યુરોપિયન દેશ તેનાથી પણ આગળ વધીને રાજાશાહીને દફન કરીને લોકશાહી તરફ વધ્યા અને ધર્મને સત્તાના સ્થાન પરથી દૂર કરીને ચાર દીવાલની અંદર સમેટી દીધો, જેને નામ આપવામાં આવ્યું વૈટિકન સિટી. આજે કોઈ પણ યુરોપિયન દેશમાં ધર્મગુરુ સત્તાના સ્થાને ગળાડૂબ નહીં દેખાય. આ બધા બદલાવ ૧૬ મી શતાબ્દી પછી દેખાવા લાગ્યા હતા, જેને પુન: જાગરણ કાળ કહેવામાં આવ્યો અથવા તો પહેલા લોકો સાચા માર્ગ પર હતા, પછી ધાર્મિક ઉન્માદ ફેલાવીને લોકોનું શોષણ કરવામાં આવ્યું અને હવે લોકો ધર્મના પાખંડને છોડીને ઉચ્ચતા તરફ ફરીથી અગ્રેસર થયા છે.

માનસિકતામાં બદલાવ
આજે યુરોપિયન સમાજ વૈજ્ઞાનિક શિક્ષણ તથા તર્કશીલતાના જેારે દુનિયાનો અગ્રણી સમાજ બની ગયો છે. માનવ સભ્યતાની દોડમાં ક્યાંક સ્થિરતા આવી જાય છે તો ક્યાંક વિરોધાભાસ આવે છે, પરંતુ તેનું સમાધાન તથા નવી ઊર્જ વૈજ્ઞાનિકતાના જેારે પ્રાપ્ત કરેલી ટેક્નિકથી પ્રાપ્ત કરવામાં આવે છે. જેાકે આજે આપણા દેશમાં સત્તા પર કબજેા કરી બેઠેલા લોકોની માનસિકતા ૧૪ મી સદીમાં રહેલા યુરોપિયન સત્તાધારી લોકોથી વધારે અલગ નથી. મહેનતુ લોકો તથા વૈજ્ઞાનિકોના એકમાત્ર જીવન તથા ઉચ્ચ માનસિકતાના લીધે કેટલાક બદલાવ દેખાઈ રહ્યા છે, પરંતુ ધર્મવાદ તથા પાખંડવાદમાં વ્યસ્ત નેતાએ તેમને આ વાતની ક્રેડિટ નથી આપી. જ્યારે કોઈ મંચ પર આધુનિકતાની વાત કરવાની મજબૂરી હોય છે ત્યારે તેઓ આ લોકોની મહેનત તથા માનસિકતાને પોતાની ઉપલબ્ધિ બતાવવાની કોશિશ કરવા લાગે છે. પછી જ્યારે આ જ લોકો કોઈ બીજા મંચ પર જાય છે ત્યારે રૂઢિવાદ અને પાખંડવાદમાં ડૂબેલા ઈતિહાસના ગુણગાન કરવા લાગે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....