અમૃતા પ્રીતમ એવા પહેલા સાહિત્યકાર છે, જેમના સાહિત્ય વધારે તેમની સાથે જેાડાયેલા પ્રેમપ્રસંગોને વાંચવામાં આવે છે. આજનો યુવાવર્ગ એ વાત જાણીને આશ્ચર્ય અનુભવી શકે છે કે ઘોષિતરૂપે લિવિંગ ટૂ ગેધરનું ચલણ વાસ્તવમાં અમૃતા પ્રીતમે શરૂ કર્યું હતું, જેઓ પોતાના એક પ્રેમી ઈમરોઝ સાથે ૪૦ વર્ષ સુધી એક છતની નીચે રહ્યા.
પરંતુ તેઓ પોતાના જમાનાના પોતાના જેટલા પ્રખ્યાત ગઝલકાર સાહિર લુધિયાનવીને પણ પ્રેમ કરતા હતા અને તે પહેલા તેઓ પોતાના પરિણીત કારોબારી પતિ પ્રીતમ સિંહને પણ પ્રેમ કરતા હતા, તેથી તેમણે પોતાનું તખલ્લુસ એટલે કે ઉપનામ પ્રીતમ ક્યારેય દૂર કર્યું નહીં, નહીં તો લગ્ન પહેલાં તેમનું નામ અમૃતા કૌર હતું. પ્રીતમ સિંહથી તેમને ૨ બાળકો થયા હતા, પરંતુ ડિવોર્સ પછી લોકો ઈમરોઝ જેઓ વ્યવસાયે એક ચિત્રકાર હતા તેમને તેમના પતિ સમજવા લાગ્યા હતા. તેમના જીવનમાં પ્રીતમનો રોલ ડિવોર્સની સાથે પૂરો થઈ ગયો હતો.
જેાકે અહીં કહેવાનો અર્થ એ નથી કે અમૃતા પ્રીતમ નામની સાહિત્યકાર જેમને પોતાની રચના માટે અનેક નાનામોટા પુરસ્કાર અને સન્માન દેશવિદેશમાંથી મળ્યા. તેમણે પ્રેમ અને વ્યભિચાર વચ્ચેના ફરકને નાબૂદ કરી દીધો હતો, પરંતુ હકીકત એ છે કે તેમણે પ્રેમના સાચા માપદંડ તે સમયગાળામાં સમજાવ્યા હતા. જ્યારે કોઈ ડિવોર્સી અથવા પરિણીત કે પછી કુંવારી મહિલાના પ્રેમ કરવાને પાપ અને કોઈ કુંવારીનું પ્રેમમાં પડવું ચારિત્ર્યહીનતા, અપરાધ, મૂર્ખતા, બહેકી જવું કે પછી ભૂલ સમજવામાં આવતું હતું.
આજના યુવા લગભગ અમૃતા, ઈમરોઝ અને સાહિર જેવો પ્રેમ કરી રહ્યા છે, જેમાં ઘર અને સમાજના ચંચુપાતને કોઈ સ્પેસ ન હોય અને પ્રેમમાં બંધાયેલા રહેવાના વચનો વિધિ એટલે કે પ્રતિબંધ પણ ન હોય. વર્ષ ૨૦૧૯ માં અમૃતા પ્રીતમની જન્મ શતાબ્દી પર ગૂગલ પર સૌથી વધારે તેમના પ્રસંગોને સર્ચ કરવામાં આવ્યા હતા. તેમાં જેાકે યુવાનોની સંખ્યા સૌથી વધારે હતી, જેને જેાતા કહી શકાય કે તેમનામાંથી મોટાભાગના આ ટ્રાયેંગ્યુલરમાં પોતાની કોઈ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા હતા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....