શું છે માનસિક બીમારી

બીમારી ભલે ને શારીરિક હોય કે માનસિક તેના કારણો પ્રત્યે જનમાનસની કેટલીક માન્યતા હોય છે અને મોટાભાગની માનસિકતા ખોટી હોય છે, કારણ કે તે મનઘડંત અથવા પરંપરાગત માન્યતા પર આધારિત હોય છે ન કે મેડિકલ દષ્ટિકોણ પર.
અહીં કેટલાક ઉદાહરણો દ્વારા માનસિક બીમારી વિશેની માન્યતા પર પ્રકાશ પાડીને તેની પરના મેડિકલ દષ્ટિકોણને જાણીએ :

માનસિક બીમારી જેનેટિક હોય છે : ‘‘અરે, તમે સુનીતા સાથે તમારા દીકરાના લગ્ન કરાવવા જઈ રહ્યા છો? શું તમે જાણો છો થોડાક વર્ષ પહેલાં તેની માને માનસિક બીમારી થઈ ગઈ હતી. સુનીતાને પણ તેવી જ બીમારી થઈ શકે છે. આ બીમારી જેનેટિક હોઈ શકે છે. તે છોકરી સાથે તમારા દીકરાના લગ્ન ન કરાવશો.’’ શાંતા પોતાની સાહેલીને કહી રહી હતી. આ ખોટી માનસિકતાના લીધે ઉચ્ચ શિક્ષિત, સુંદર તથા સ્વસ્થ એવી સુનીતાના લગ્ન અટકી ગયા. આ એક સામાન્ય માન્યતા છે કે જે માતા અથવા પિતા માનસિક રીતે બીમાર હોય તો તેમનું સંતાન પણ થોડા સમય પછી તે જ બીમારીથી પીડિત થઈ જાય છે. જેાકે આ વાત સાચી નથી. રિસર્ચ અનુસાર માત્ર ૯૦ ટકા દર્દીઓના પારિવારિક ઈતિહાસમાં કોઈ પણ સભ્યના મા અથવા પિતાની બીમારીથી પીડિત ન હોવું આ વાતને સાબિત કરી ચૂક્યું છે. રિસર્ચમાં જેાવા મળ્યું છે કે તેઓ સામાન્ય જીવન પસાર કરી રહ્યા હતા.

માનસિક બીમારી જન્મ પહેલાંના કુકર્મોનું પરિણામ છે : જ્યારે માનસિક રીતે બીમાર કોઈ વ્યક્તિ જેાવા મળે તો કદાચ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવે છે, ‘‘જુઓ, આ બિચારાને, તેણે આગળના જન્મમાં કોઈ પાપ કર્યા હશે, તેની સષ્ટ આ જન્મમાં ભોગવી રહ્યો છે. જે જેવું વાવે છે, તેવું જ લણે છે. તે પોતાના કર્મના ફળથી બચી નથી શકતો.’’ જ્યારે લોકો બીમારીના સાચા કારણને જાણે છે ત્યારે આ રીતે ખરાબ કર્મો વિરુદ્ધ ચેતવણી આપતા હોય છે, પરંતુ આપણે જાણી લેવું જેાઈએ કે માનસિક બીમારી મગજમાં થતા વિશેષ પરિવર્તનના લીધે થાય છે, ન કે ખોટા કર્મોના પરિણામે. ગીતાના ભ્રમ ફેલાવતા પાઠ ખૂબ કામમાં આવે છે. તેનાથી પંડાઓને ગ્રહશાંતિની તક પણ મળે છે, જેમાં તેમને મોટી દક્ષિણા મળે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વજ રંજન ગોગોઈ દૈવી શક્તિની વાત કરી શકતા હોય તો પછી સામાન્ય લોકોનું તો પૂછવું જ શું.

માનસિક બીમારી ઉપદ્રવી ખરાબ આત્માના લીધે થાય છે : ૨૫ વર્ષની નીલા ઠીંગણી અને પાતળી છે. અચાનક છેલ્લા ૩ મહિનાથી તેના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું. કહેવામાં આવતું હતું કે તે ખરાબ આત્માની ઝપટમાં આવી ગઈ છે. તે આત્મા અલગઅલગ સમયે વિભિન્ન લક્ષણોને પ્રગટ કરે છે. તે ક્યારેક આક્રમક તથા હિંસક પણ બની જાય છે. તે પોતાના પતિ તથા સાસુ પર પણ ગુસ્સે થાય છે અને અપશબ્દો પણ બોલે છે. તે ગમે તેના ઘરે ચાલી જાય છે અને ભોજન માંગે છે, પછી જે કંઈ મળે તેને ગળી જાય છે. તે ૩ વ્યક્તિ ખાઈ શકે તેટલું ભોજન ખાઈ જાય છે. તે પૂરો દિવસ ગામમાં ફરતી રહે છે. લોકોને પણ તેને જેાઈને ખૂબ આશ્ચર્ય થાય છે કે શું તે પાગલ થઈ ગઈ છે?

વિક્રમ ૩૦ વર્ષનો છે. તે એક કુશળ કર્મચારી હતો, પરંતુ હવે તે આળસુ બની ગયો હતો, તેથી તે હવે પોતાની સાથે વાતો કરતો રહે છે. ક્યારેક-ક્યારેક બૂમો પાડે છે અને કહે છે, ‘‘દૂર ચાલ્યા જાઓ નહીં તો હું તમારા પર થૂંકીશ. તે જાણે કોઈ હુકમ કરતો હોય તે રીતે બોલે છે. તેની સ્થિતિ દયાજનક બની ગઈ છે. તે રાત્રે ઊંઘી નથી શકતો અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન નથી આપી રહ્યો. તેનું વજન ઘટી ગયું છે. તેના ગામના લોકોનું કહેવું છે કે તે એક અથવા એકથી વધારે મહિલાઓના આત્માનો શિકાર બની ગયો છે, જે તેના જીવનની શક્તિને ચૂસી રહી છે અને તેને માત્ર ચામડી અને હાડકાનું માળખું બનાવી દીધો છે.’’ હકીકત એ છે કે નીલા હિસ્ટીરિકલ ન્યૂરોસિસ નામની બીમારીથી ગ્રસ્ત છે. તે ઘરમાં પતિ તથા બીજા પરિવારજનોથી ખુશ નથી. તેમના ખરાબ વ્યવહાર સામે તેણે વિરોધ પણ કર્યો, પરંતુ કોઈએ તેને સહારો આપ્યો નહીં કે ન કોઈ લાગણી દર્શાવી. તેના આ વ્યવહાર પર તેના અચેતન મને એક રીત શોધી લીધી અને તેણે સામાજિક રીતે માનવ ધારણા આત્મા આવી જવા ને અપનાવી અને આ રીતે તે એક સંમોહિત વ્યક્તિ જેવો વ્યવહાર કરવા લાગી તેમજ પોતાના પતિ તથા સાસરીના લોકો વિશે ખરાબ બોલવા લાગી. તેમને તે અપશબ્દો પણ બોલવા લાગી હતી. બધા એમ વિચારતા કે આ બધું નીલા નહીં તેનામાં રહેલું પ્રેત કરી રહ્યું છે અને ત્યાર પછી તેઓ નીલા પ્રત્યે સહાનુભૂતિ રાખવા લાગ્યા.

વિક્રમ ગંભીર માનસિક વિકાર સિઝોફ્રેનિયાથી પીડિત હતો. આ બીમારીમાં વ્યક્તિની યોગ્ય રીતે સમજવાની ક્ષમતા ઓછી અથવા નાબૂદ થાય છે. તે અજ્ઞાત અવાજ સાંભળવા લાગે છે. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અથવા દશ્યો જેાવા લાગે છે અને ત્યાર પછી તેના પ્રતિ દષ્ટિભ્રમ કે પ્રતિક્રિયા આપવા લાગે છે. આ પ્રક્રિયાને હ્લૂસિનેશન કહે છે. તેના શ્વાસ અને વ્યવહાર કુદરતી રીતે વિચિત્ર થઈ જાય છે અને લોકો એવું માનવા લાગે છે કે આત્મા તેની સાથે વાત કરી રહ્યો છે અને આ સ્થિતિમાં તે સારી રીતે ખાવાનું ખાઈ નથી શકતો અને કમજેર પડી જાય છે. કહેવાય છે કે આત્માઓ તેની જીવનશક્તિને ચૂસી રહ્યા છે.

માનસિક બીમારી મનોવૈજ્ઞાનિક આઘાત દ્વારા થાય છે : હું સમજી શકું છું કે કાર્તિકેય કેમ પાગલ થઈ ગયો છે બિચારો. બીજું થઈ પણ શું શકે છે તેની સાથે? તે પોતાની પત્નીને એટલો પ્રેમ કરતો હતો કે તેના માટે તેણે ઘર લેવા મોટું દેવું પણ કર્યું હતું, પરંતુ તેની ચારિત્ર્યહીન પત્ની એક દિવસ તેના પાડોશી સાથે ભાગી ગઈ. આ વાતને તે સહન ન કરી શક્યો અને પાગલ થઈ ગયો. હવે તે કહેતો ફરે છે કે પોતે કુંવારો છે. શું તમે સાંભળ્યું. શંકર જેની લાકડાની દુકાન છે, તેને લોટરી લાગી છે અને તે કરોડપતિ થઈ ગયો છે, પરંતુ તે પોતાની આ સમૃદ્ધિનું સુખ માણી ન શક્યો. તેણે જેવા આ સમાચાર સાંભળ્યા કે તે પાગલ થઈ ગયો અને તેણે પોતાની દુકાનને આગ લગાવવાની કોશિશ કરી, કર્મચારીઓ સાથે મારપીટ શરૂ કરી દીધી. હવે તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો છે. તે બૂમો પાડતો રહે છે કે તે એક રાજ છે અને હવે તે એ બધું જ કરવા ઈચ્છે છે, જે વર્ષોથી ઈચ્છતો હતો. હવે ઘરના લોકો તેને માનસિક રોગીની હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચારી રહ્યા છે.

આ ઉદાહરણ મનોવૈજ્ઞાનિક આઘાતનું છે જેમાં માનસિક બીમારી કેટલીક ખાસ ઘટનાના ફળસ્વરૂપ થતી હોય છે તેવું માનવામાં આવે છે. મોટાભાગે ફિલ્મો, કહાણી અને નવકથામાં આ પ્રકારની ઘટના થવી જણાવવામાં આવે છે અને તેની અસર લોકો પર એવી થાય છે કે તેઓ કોઈ પણ વ્યક્તિને માનસિક બીમારી થવા પર આ પ્રકારના લક્ષણો શોધતા હોય છે. જેાકે હકીકત એ છે કે સુખ અને દુખ બંને સંબંધિત અનઅપેક્ષિત ઘટના કોઈ પણ વ્યક્તિમાં માનસિક બીમારીનું કારણ હોઈ શકે છે, પરંતુ એ લોકોમાં જેમનામાં જન્મજાત આ રોગના હોવાની શક્યતા એક સામાન્ય સ્વસ્થ માણસની સરખામણીમાં વધારે રહે છે. કોવિડના દિવસોમાં જે લોકોને ઘણા બધા અઠવાડિયા સુધી એકલા રહેવું પડ્યું હતું, તેઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.
– બકુલા પારેખ.

જ્યારે વારંવાર થાય માથામાં દુખાવો

બદલાતી જીવનશૈલી, કામની તાણ, ડિપ્રેશન, ખરાબ લાઈફ સ્ટાઈલ અને એક્ઝાઈટીના લીધે આજકાલ માથાના દુખાવાની સમસ્યા લોકોમાં વધી ગઈ છે. ઘણી વાર માનસિક તાણના લીધે પણ માથામાં દુખાવો રહે છે, પરંતુ જે માથામાં દુખાવો સતત રહે તો બેદરકારી ન રાખવી જેાઈએ. આ પ્રકારનો માથાનો દુખાવો બ્રેઈન ટ્યૂમર જેવી ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તે ઉપરાંત જે લોકો માઈગ્રેન જેવી સમસ્યાથી પીડિત છે, તેમનામાં બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે. ઘણી વાર માઈગ્રેનનો દુખાવો સમજીને લોકો વધારે ધ્યાન નથી આપતા, પરંતુ વારંવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તેને નજરઅંદાજ ન કરો, તેથી સમયસર કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

મુંબઈના ઝાયનોવ્હા શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી રુગ્ણાલયના ન્યૂરોલોજિસ્ટ ડો. આકાશ છેડા જણાવે છે કે દેશભરમાં બ્રેઈન ટ્યૂમરના કેસ સતત વધી રહ્યા છે. જેા આ બીમારીની સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રેઈન ટ્યૂમરના દર્દીઓમાં માથાનો દુખાવો એક સામાન્ય લક્ષણ હોય છે. મોટાભાગે સામાન્ય માથાના દુખાવાવાળા દર્દીઓને બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે, પરંતુ લોકો માટે તેને ઓળખવું મુશ્કેલ હોય છે કે તેમને જેા માથાનો દુખાવો થઈ રહ્યો છે તે સામાન્ય દુખાવો છે, માઈગ્રેનનો દુખાવો છે કે પછી બ્રેઈન ટ્યૂમરના લીધે દુખાવો થઈ રહ્યો છે. આ વિષયે લોકોમાં જાગૃતિ પેદા કરવી ખૂબ જરૂરી બની જાય છે. બ્રેઈન ટ્યૂમર સામાન્ય રીતે એ લોકોને પ્રભાવિત કરે છે, જે ૪૦ થી ૬૦ વર્ષના આયુવર્ગમાં આવે છે.

ઓળખવાના લક્ષણ
માઈગ્રેનમાં માથામાં એક તરફ જ દુખાવો થાય છે અને તે ગમે તે સમયે થઈ શકે છે. માઈગ્રેન મોટાભાગે યુવાવસ્થામાં શરૂ થાય છે અને ૩૫ થી ૪૫ વર્ષની ઉંમરના લોકોને સૌથી વધારે પ્રભાવિત કરે છે, પરંતુ જે કોઈને વહેલી સવારે માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો હોય અને તેની સાથે ઊલટી પણ આવે તો તે બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય બ્રેઈન ટ્યૂમરના લક્ષણોમાં ઊંઘ ન આવવી, સ્વભાવમાં પરિવર્તન, બોલવા-સાંભળવામાં અસમર્થતા અને ગંધમાં બદલાવની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિમાં આવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ અનિવાર્ય બની જાય છે.

કેટલાક લોકોને ઊંઘતી વખતે પણ અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે અને આ માથાનો દુખાવો પણ માઈગ્રેનના દુખાવા જેવો અનુભવાતો હોય છે. માથાના પાછળના ભાગ ગરદનમાં બ્રેઈન ટ્યૂમરના લીધે પણ દુખાવો થઈ શકે છે. બ્રેઈન ટ્યૂમર જે માથાના આગળના ભાગમાં હોય, તો દુખાવો આંખમાં પીડા અથવા સાઈનસની પીડા જેવો અનુભવાતો હોય છે.

ડો. આકાશ જણાવે છે, બ્રેઈન ટ્યૂમર ૨ પ્રકારનું હોય છે :
મેલિગ્નેન્ટ ટ્યૂમર : આ ટ્યૂમરમાં કેન્સરની કોશિકા હોય છે. કેન્સરના લીધે માથામાં અસહ્ય દુખાવો થાય છે. આ કેન્સર કોશિકા માથાના બીજા ભાગમાં પણ ફેલાતી હોય છે. ઘણી વાર કેન્સર જેનેટિક હોય છે. આ સ્થિતિમાં જે પરિવારમાં કોઈને બ્રેઈન ટ્યૂમર અથવા કેન્સર હોય, તો તેમના બાળકોને પણ તે ટ્રાન્સફર થઈ શકે છે.

બિનાઈન ટ્યૂમર : આ ટ્યૂમર કેન્સરની નથી હોતી તેથી તેના ફેલાવાનું જેાખમ પણ નથી રહેતું, પરંતુ સમય રહેતા તેની સારવાર જરૂરી છે નહીં તો બીમારીનું જેાખમ વધી શકે છે.
નજરઅંદાજ ન કરો.
વાસ્તવમાં બ્રેઈન ટ્યૂમરના કોઈ નિશ્ચિત કારણની હજી સુધી જાણ થઈ શકી નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી આ સમસ્યાથી કેટલાક અંશે દૂર રાખી શકે છે, સાથે તેના લક્ષણો પ્રતિ જાગૃતિ હોવી પણ જરૂરી છે. બ્રેઈન ટ્યૂમરની બીમારી મોટી ઉંમરના અથવા વધારે ચિંતા કરનારને થાય છે. તે વાત જરૂરી નથી. આ બીમારી કોઈને પણ થઈ શકે છે, તેથી જેા તમને સતત માથામાં દુખાવો અને ઊલટીની ફરિયાદ રહેતી હોય, તો તેને નજરઅંદાજ ન કરો અને તરત ડોક્ટરની સલાહ લઈને યોગ્ય જીવનશૈલી અપનાવો.
– સોમા ઘોષ.

હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં ફરક

આજકાલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધિ આદતોના લીધે દુનિયાભરમાં લોકો અલગઅલગ પ્રકારની ગંભીર બીમારીથી ઘેરાયેલા છે. તેમાં કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકના કિસ્સા રોજ સામે આવી રહ્યા છે. મોટાભાગના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેકની વચ્ચેના ફરકને સમજી નથી શકતા.

કાર્ડિયાક અરેસ્ટ શું છે
કાર્ડિયાક અરેસ્ટ હંમેશાં અચાનક થાય છે, તે પહેલા કોઈ ખાસ સંકેત નથી મળતા. તેમાં હાર્ટ શરીરમાં બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ સ્થિતિમાં તરત ટ્રીટમેન્ટ ન મળવા પર વ્યક્તિનું થોડી મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટનું સૌથી મુખ્ય લક્ષણ હોય છે બેભાની. ઘણી વાર વ્યક્તિ કાર્ડિયાક એરસ્ટ પહેલા નીચેના લક્ષણોને અનુભવ કરી શકે છે :
અસામાન્ય હાર્ટબીટ, માથું ચકરાવું અથવા ચક્કર આવવા, ચેસ્ટ પેન, શ્વાસ લેવામાં મુશ્કેલી, ગભરામણ અથવા ઊલટી થવી. કાર્ડિયાક અરેસ્ટ પછી વ્યક્તિના શ્વાસ બંધ થઈ જાય છે અથવા તે સામાન્ય રીતે શ્વાસ લે છે, લાંબાલાંબા શ્વાસ લેવા અને હાંફવું, સંપૂર્ણપણે બેભાન થવું. જેા લાઈફસ્ટાઈલ યોગ્ય ન હોય તો કાર્ડિયાક અરેસ્ટ ગમે ત્યારે ગમે તેને આવી શકે છે, પરંતુ કેટલાક લોકોને તેનું વધારે જેાખમ રહે છે, જે લોકોના પરિવારમાં કોઈ વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટના લીધે મૃત્યુ થયું હોય તો તેમને પણ તેનું જેાખમ રહે છે એટલે કે વારસાગત રૂપે જે કોઈના પરિવારમાં ૫૦-૬૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય તો તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર રહે છે, કારણ કે તેમને પણ તેનું જેાખમ રહે છે. ઉપરાંત જે લોકોને કોરોનરી આર્ટરી ડિસીઝ (હૃદયની ધમનીમાં બ્લોકેજ) અથવા હાયપરટેન્શન, ડાયાબિટીસ, દારૂ પીવો અથવા ધૂમ્રપાનની આદત હોય તો તેમને પણ કાર્ડિયાક એરેસ્ટનું જેાખમ રહે છે.

કાર્ડિયાક અરેસ્ટ આવે તો શું કરવું
કોઈ વ્યક્તિને જ્યારે કાર્ડિયાક એરેસ્ટ આવે છે અને ડોક્ટર સુધી પહોંચવામાં મોડું થાય તેમ હોય તો સીપીઆર આપવું જેાઈએ. આમ તો આ સ્થિતિમાં ડોક્ટર પીડિતના હૃદયને ઈલેક્ટ્રિક શોક આપીને સ્થિતિને નિયંત્રિત કરે છે. સીપીઆર એક કટોકટની સ્થિતિમાં પ્રયોગમાં લેવાતી પ્રક્રિયા છે જેા કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા અથવા શ્વાસ અટકી જવા પર પ્રયોગમાં લેવામાં આવે છે. સીપીઆરમાં બેભાન વ્યક્તિને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે, જેનાથી ફેફસાને ઓક્સિજન મળે છે અને શ્વાસ પરત આવતા સુધી અથવા હૃદયના ધબકારા સામાન્ય થવા સુધી છાતીને દબાવવામાં આવે છે, જેનાથી શરીરમાં પહેલાંથી રહેલું ઓક્સિજનવાળું લોહી સંચારિત થતું રહે છે.

હાર્ટએટેક શું છે
આજકાલ દરરોજ હજારો લોકોએ હાર્ટએટેકનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લડ ક્લોટિંગ થવાથી અથવા હાર્ટમાં બ્લડ સપ્લાય ઘટવાથી હાર્ટએટેકની સ્થિતિ પેદા થાય છે. હાર્ટએટેક મહદ્અંશે કોરોનરી આર્ટરીઝમાં રહેલા બ્લોકેજના લીધે થતો હોય છે, જે હાર્ટને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

હાર્ટએટેકના લક્ષણ
બેચેની, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં પરેશાની, ઠંડો પરસેવો થવો, હાર્ટબીટ તેજ થવી, હાથ, પીઠ, ગરદન, જડબા, પેટમાં દુખાવો થવો અને તીવ્ર બળતરા થવી તથા ચક્કર આવવા.

સ્ટ્રોક શું છે
સ્ટ્રોક બ્રેનમાં બ્લડના ફ્લોમાં અવરોધના લીધે થાય છે. તે બ્રેન ટિશ્યૂને પ્રભાવિત કરે છે. સ્ટ્રોક એક મેડિકલ ઈમર્જન્સી છે, જે ત્યારે થાય છે જ્યારે તમારા મસ્તિષ્કમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે.

સ્ટ્રોકના લક્ષણ
અચાનક માનસિક ભ્રમ, બોલવામાં સમસ્યા, ચહેરા, હાથ અથવા પગમાં લકવો, ચાલવામાં અસમર્થતા, વિઝનનું ધૂંધળું થવું, માથામાં દુખાવો ચાવવા અથવા ગળવામાં મુશ્કેલી, ટ્રાન્સિએંટ ઈસ્કેમિક એટેક.

ઈસ્કેમિક સ્ટ્રોક : જ્યારે મસ્તિષ્કમાં ઓક્સિજનયુક્ત બ્લડ લઈ જતી ધમનીમાં અડચણનો અનુભવ થાય છે, ત્યારે તેનાથી મસ્તિષ્કની કોશિકા મરી જાય છે. તેથી ઈસ્કેમિક સ્ટ્રોક આવે છે. મસ્તિષ્કની નસોમાં આ પ્રકારની અડચણ ધમનીના સંકુચિત થવાથી થઈ શકે છે, પરંતુ તે નાના બ્લડ ક્લોટ્સના લીધે થઈ શકે છે.

ટ્રાન્સિએંટ ઈસ્કેમિક સ્ટ્રોક : આ એક ‘મીની સ્ટ્રોક’ છે અને તે ત્યારે થઈ શકે છે, જ્યારે મસ્તિષ્કમાં બ્લડ લઈ જનાર ધમની થોડા સમય માટે એવું કરવાનું બંધ કરી દે છે. બ્લડ ફ્લોમાં અડચણના આ સમયગાળા દરમિયાન સ્ટ્રોકના લક્ષણ જેાઈ શકાય છે.

હીમોરેગિક સ્ટ્રોક : જ્યારે મસ્તિષ્કની અંદર એક ધમની ફાટી જાય છે, ત્યારે ફાટેલી ધમનીમાં બ્લડ ફ્લોમાં અડચણના લીધે બ્રેન સેલ્સ ડેમેજ થઈ જાય છે અને મસ્તિષ્કમાં ચારેબાજુ બ્લડ ફેલાઈ જાય છે.

જીવનશૈલીમાં બદલાવથી હૃદયરોગના જેાખમને ઘટાડી શકાય છે. ધૂમ્રપાન જેવી આદતોને છોડવાની સાથેસાથે ફિઝિકલી એક્ટિવ રહેવું અને હેલ્ધિ બોડી વેટ જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ છે.
પોતાના બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરની દેખરેખ અને તેમને નિયંત્રણમાં રાખવા પણ જરૂરી છે, જે હાર્ટએટેક, કાર્ડિયાક અરેસ્ટ અથવા સ્ટ્રોકને અટકાવવાની સૌથી ઉત્તમ
રીત છે.
– ડો. વિવેકા કુમાર.

દબાતા પગલે આવતી સ્થૂળતા

મહિલાઓમાં ઓબેસિટી એટલે કે સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યામાંથી એક બની ગયું છે, જેનાથી દર ત્રીજી મહિલા પરેશાન છે. ડબ્લ્યૂએચઓએ સ્થૂળતાને સ્વાસ્થ્યના ૧૦ મુખ્ય જેાખમમાંથી એક જણાવી છે. વિશ્વમાં ૨૩ ટકાથી વધારે મહિલાઓ સ્થૂળતાનો શિકાર છે. ભારત તો ‘ગ્લોબલ ઓબેસિટી ઈન્ડેક્સ’ માં ત્રીજા સ્થાને છે.

સ્થૂળતા મહામારીનું રૂપ લઈ ચૂકી છે
દેશમાં ઓબેસિટી ૨૧ મી સદીની મૌન મહામારી (સાયલંટ એપિડેમિક) નું રૂપ લઈ રહી છે. ભારતમાં સ્થૂળતાની સમસ્યા આજે ચીન અને અમેરિકાના આંકડાને પણ વટાવી ચૂકી છે.

સ્થૂળતાના મુખ્ય કારણ
ખાણીપીણીની ખોટી ટેવ, એક્સર્સાઈઝમાં આળસ, અપૂરતી ઊંઘ, તાણ વગેરે સ્થૂળતાના મુખ્ય કારણોમાં સામેલ છે. કેટલીક મહિલાઓમાં સિંડ્રોમિક અને વારસાગત ઓબેસિટી પણ જેાવા મળે છે.

સ્થૂળતાના દુષ્પ્રભાવ
ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ડિસલિપિડીમિયા, ઓસ્ટિયો આર્થ્રાઈટિસ, પિત્તની થેલીમાં પથરી, શ્વસન સમસ્યા, પ્રજનન સંબંધિત સમસ્યા વગેરે, સ્થૂળતાથી હાર્ટએટેક, સ્ટ્રોક અને ઘણા બધા પ્રકારના કેન્સર (બ્રેસ્ટ, ઓવરી, યૂટરસ, પેન્ક્રિયાઝ) તથા કિડની સંબંધિત રોગની શક્યતા સુધ્ધાં વધી જાય છે. કિશોરાવસ્થામાં આવી ગયેલી વધારે પડતી સ્થૂળતા તાણ અને ડિપ્રેશનનું કારણ બની શકે છે.

સામાન્ય લક્ષણ
નાનાનાના કામ કરવામાં શ્વાસ ચઢવો તથા પરસેવો આવવો, શરીરના વિભિન્ન ભાગમાં ચરબી અથવા ફેટ જામવી વગેરે. તે ઉપરાંત ઘણી વાર માનસિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણ જેમ કે આત્મસન્માન અને આત્મવિશ્વાસ ઓછા થવા વગેરે જેાઈ શકાય છે.

સ્થૂળતાનું નિદાન
બીએમઆઈની ગણતરી.
કમરના પરિઘને માપવો.
લિપિડ પ્રોફાઈલ.
લિવર ફંક્શન ટેસ્ટ.
ફાસ્ટિંગ ગ્લુકોઝ
થાઈરોઈડ ટેસ્ટ.

બચાવના ૧૦ અસરકારક ઉપાય
સંતુલિત આહારનું સેવન કરો.
ઓછા ફેટવાળા ખાદ્યપદાર્થોનું સેવન કરો.
રોજ સવારે વહેલા ઊઠીને ચાલવા જાઓ.
નિયમિત રીતે દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી એરોબિક એક્સર્સાઈઝ કરો.
રાત્રે ઊંઘવાના ૨ કલાક પહેલાં ડિનર લો.
જંક કે ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી બચો.
મેંદો, ચોખા અને ખાંડનો ઉપયોગ ઓછો કરો.
ફેટના હાર્ટ ફ્રેન્ડલી સ્રોત જેમ કે ઓલિવ, કૈનોલા ઓઈલ અને અખરોટના તેલનો ઉપયોગ કરો.
બિંજ ઈટિંગ અથવા એકસાથે વધારે ખાવાનું ન ખાઓ, પણ થોડીથોડી વારમાં સુપાચ્ય અને હળવું ભોજન કરો.
ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ લો. પ્રેગ્નન્સી તથા ડિલિવરી પછી કેટલીક મહિલાઓઐ સ્થૂળતાનો સામનો કરવો પડે છે. નવજાતને પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવવાના માધ્યમથી આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવી શકાય છે.

નવીનતમ સારવાર
જેા કોઈ મહિલાનું વજન ખૂબ વધારે હોય તેમજ આહારમાં સુધારો કર્યા પછી, નિયમિત એક્સર્સાઈઝ અને સ્થૂળતા ઘટાડે તેવી દવાનું સેવન કર્યા પછી પણ તેનું વજન ઓછું ન થઈ રહ્યું હોય તો તે ડોક્ટરનો સંપર્ક કરીને વજન ઘટાડવા માટે સર્જરી એટલે કે બેરિયાટ્રિક સર્જરીનો સહારો લઈ શકે છે. આ પદ્ધતિ ખૂબ વધારે સ્થૂળ લોકો માટે વરદાનરૂપ સાબિત
થાય છે.
– ડો. શિરાલી અરવિંદ રૂનવાલા.

એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી મહિલાઓ માટે વરદાન

છેલ્લા થોડાક વર્ષોમાં સ્ત્રીરોગને લગતા કેસમાં લેપ્રોસ્કોપિક સર્જરી ખૂબ પ્રભાવશાળી સાબિત થઈ છે. આ મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયામાં સ્ત્રીરોગ સાથે જેાડાયેલા કેસમાં બીમારીને ઓળખવા અને તેની સારવાર કરવા માટે નાના કટ લગાવવામાં આવે છે અને સ્પેશિયાલાઈઝ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. લેપ્રોસ્કોપી સર્જરીએ ગાયનેકોલોજીના ક્ષેત્રમાં આજે ક્રાંતિ લાવી દીધી છે, જેનાથી દર્દીની રિકવરી થોડા સમયમાં આવી જાય છે, સર્જરીના નિશાન ઓછા પડે છે તેમજ ઉત્તમ પરિણામ પણ મળે છે.

ગુરુગ્રામની સીકે બિરલા હોસ્પિટલમાં ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર અંજલિ કુમારે આ વિષય પર વિસ્તૃત જાણકારી આપી છે, જે અહીં રજૂ કરીએ છીએ :
લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી : પરંપરાગત રીતે હિસ્ટરેક્ટોમી (સર્જરી દ્વારા યૂટરસ કાઢવું) પેટ પર ચીરાના માધ્યમથી કરવામાં આવતી હતી, જેમાં દર્દીની રિકવરીમાં લાંબો સમય લાગતો હતો. જેાકે લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી એક મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયા છે, જેથી દર્દીને તરત રિકવરી આવી જાય છે, ઓપરેશન પછી પીડા ઓછી થાય છે અને નિશાન પણ ખૂબ ઓછા રહી જાય છે. રોબોટિક અસિસ્ટેડ લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી જેવી એડવાન્સ ટેક્નિકથી સારવારને વધારે મજબૂતાઈ મળે છે. આ ટેક્નિકથી જટિલ શારીરિક સંરચનાને પણ ડોક્ટર વધારે સરળતાથી નેવિગેટ કરી લે છે અને ઓપરેશનમાં તેનાથી ખૂબ મદદ મળી રહે છે. જે મહિલાઓને યૂટરિન ફાઈબ્રોઈડ, એન્ડોમિટ્રિઓસિસ અથવા પીરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય તેમના માટે આ પ્રક્રિયા ખૂબ અસરકારક છે.

એન્ડોમિટ્રિઓસિસ : એન્ડોમિટ્રિઓસિસમાં યૂટરસની બહાર એન્ડોમિટ્રિયલ ટિશ્યૂ વધી જાય છે. આવું ગંભીર પેલ્વિક પેન અને વંધ્યત્વને લીધે બની શકે છે. એન્ડોમિટ્રિઓસિસના ઘા માટે લેપ્રોસ્કોપિક પ્રક્રિયા એક ખૂબ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ મેથડ બની ગઈ છે. તેમાં ડોક્ટર એન્ડોમિટ્રિઓસિસ ઈમ્પ્લાન્ટને વિઝ્્યુલાઈઝ કરવા, તેનો મેપ બનાવવા અને યોગ્ય રીતે દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે, જેનાથી દર્દીને લાંબા સમય સુધી રાહત મળે છે. આ મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયાથી ન માત્ર લક્ષણ ઓછા થાય છે, પરંતુ પ્રજનનક્ષમતા પણ પ્રિઝર્વ થાય છે. મહિલાઓને તેનો ખૂબ લાભ મળે છે.

ઓવેરિયન સિસ્ટેક્ટોમી : ઓવરિયન અલ્સર, તરલ પદાર્થની ભરેલી થેલી જે અંડાશય પર બને છે, તેમાં પીડા, હોર્મોનલ અસંતુલન તેમજ ફર્ટિલિટી સંબંધિત પરેશાની થવાનો ડર રહે છે. લેપ્રોસ્કોપિક સિસ્ટેક્ટોમીની મદદથી ડોક્ટર અલ્સરને દૂર કરે છે અને સ્વસ્થ ઓવરિયન ટિશ્યૂને સંરક્ષિત કરે છે. તેનાથી ઓવેરિયન ફંકશનમાં સુધારો થાય છે અને ફર્ટિલિટી પણ સુધરે છે.
ઈન્ટ્રાઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડ અને ફ્લોરેસેન્સ ઈમેજિંગ જેવી એડવાન્સ ટેક્નિકથી અલ્સરની સચોટ ઓળખ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેાખમ પણ ઓછું રહે છે. ઓપન સર્જરીની સરખામણીમાં લેપ્રોસ્કોપિક સિસ્ટેક્ટોમી પછી પીડા ઓછી થાય છે, દર્દીને હોસ્પિટલમાં ઓછો સમય રહેવું પડે છે તેમજ તે પોતાના રોજબરોજના કામ પણ જલદી કરવા લાગી જાય છે.

માયોમેક્ટોમી : યૂરેટિન ફાઈબ્રોઈડના લીધે પીરિયડમાં ખૂબ વધારે બ્લીડિંગ થાય છે, પેલ્વિક પેન પણ થતું હોય છે અને પ્રજનન સંબંધિત પરેશાની પણ થાય છે. માયોમેક્ટોમીમાં ગર્ભાશયને સંરક્ષિત કરતા ફાઈબ્રોઈડને સર્જરીથી દૂર કરવામાં આવે છે. જે મહિલાઓ ગર્ભધારણ કરવા ઈચ્છતી હોય તેમના માટે આ ઉત્તમ ઉપાય છે. લેપ્રોસ્કોપિક માયોમેક્ટોમી પરંપરાગત ઓપન સર્જરી કરતા વધારે પ્રચલિત છે, કારણ કે તેમાં નાનકડો ચીરો મૂકવામાં આવે છે, બ્લડ લોસ ઓછું થાય છે અને દર્દીની રિકવરી પણ ઝડપથી થાય છે.

રોબોટિક : અસિસ્ટેડ લેપ્રોસ્કોપિક માયોમેક્ટોમીથી સર્જરી ખૂબ સચોટ થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઉત્તમ પ્રજનન રિઝલ્ટ મળે છે.

ટ્યૂબલ રિવર્સલ : જે મહિલાઓની ટ્યૂબલ લિગેશન (સર્જિકલ નસબંધી) થઈ હોય છે તેમના માટે ટ્યૂબલ રિવર્સલ સર્જરી પ્રજનનક્ષમતાને પહેલાંના જેવી કરવાની તક પ્રદાન કરે છે. લેપ્રોસ્કોપિક ટ્યૂબલ રીનાસ્ટોમોસિસમાં ફેલોપિયન ટ્યૂબને ફરીથી જેાડવામાં આવે છે, જેનાથી કુદરતી ગર્ભધારણની શકયતા વધે છે. મિનિમલી ઈન્વેસિવ સર્જરીમાં નિશાન ઓછા રહે છે અને ઓપરેશન પછી દર્દીને ઓછી તકલીફ પડે છે, જેનાથી મહિલાઓને પોતાના રૂટિન કામકાજમાં જલદી પરત ફરવામાં મદદ મળે છે. લેપ્રોસ્કોપિક ટેક્નિક માઈક્રોસર્જિકલ સ્કિલ્સ સાથે જેાડાયેલી હોય છે જેનાથી ટ્યૂબલ રિવર્સલ સર્જરીની સફળતાનો દર અને પરિણામોમાં સારો એવો સુધારો થાય છે.

એડવાન્સ ગાયનેકોલોજી લેપ્રોસ્કોપિક સર્જરી આવવાથી પ્રજનન આયુ દરમિયાન સ્ત્રીરોગ સંબંધિત તમામ સમસ્યા ઠીક કરવાના કેસમાં ક્રાંતિ આવી છે. મિનિમલી ઈન્વેસિવ પ્રક્રિયા જેમ કે લેપ્રોસ્કોપિક હિસ્ટરેક્ટોમી, એન્ડોમિટ્રિઓસિસ એક્સાઈશન, ઓવરિયન સિસ્ટેક્ટોમી અને ટ્યૂબલ રિવર્સલથી દર્દીઓને ઓપન સર્જરીની સરખામણીમાં ખૂબ લાભ મળ્યો છે. ઝડપથી રિકવરી, ઓછા નિશાન અને ઉત્તમ પ્રજનન રિઝલ્ટના લીધે લેપ્રોસ્કોપિક સર્જરીથી સ્ત્રીરોગથી પીડિત મહિલાઓ માટે આશાનું કિરણ મળ્યું છે. ટેક્નિક પણ સતત વધી રહી છે, જેના પરથી આશા રાખવામાં આવે છે કે લેપ્રોસ્કોપિક ટેક્નિક ભવિષ્યમાં વધારે વિકસિત થશે, જેનાથી ઉત્તમ રિઝલ્ટ મળશે અને મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થમાં પણ સુધારો થશે.
– ગૃહશોભા.

૧૧ રીત બ્રેસ્ટને હેલ્ધિ રાખવાની

દરેક યુવતી માટે બ્રેસ્ટ તેની પર્સનાલિટીનો ખાસ ભાગ હોય છે. તેથી ફેસની જેમ બ્રેસ્ટની કેર કરવી ખૂબ જરૂરી છે. આવો જાણીએ કે બ્રેસ્ટની કેર કેવી રીતે કરશો :

બ્રેસ્ટ સાફ રાખો
બ્રેસ્ટને હંમેશાં સાફ રાખો. તે સોપ અથવા બોડીવોશનો ઉપયોગ કરો, જેમાં સેલિસિલિક એસિડ હોય. તેનાથી ફાયદો એ થાય છે કે તેના ઉપયોગ કરવાથી બ્રેસ્ટ પર રિંકલ્સ નહીં થાય.

બ્રેસ્ટની માલિશ કરો
નહાયા પછી બ્રેસ્ટની માલિશ કરો. તેના માટે બાયો ઓઈલ, ઓલિવ ઓઈલ અને કોકોનટ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બ્રેસ્ટને પોષણ મળશે, બ્લડ ફ્લો અને બ્રેસ્ટ સાઈઝ વધશે. તેનાથી બ્રેસ્ટ સોફ્ટ અને અટ્રેક્ટિવ પણ થશે. એક ફાયદો એ પણ થશે કે તેના ઉપયોગથી બ્રેસ્ટ ઓલ્ડ એજમાં સગી નહીં થાય.

પરફેક્ટ બ્રા પસંદ કરો
પોતાના માટે પરફેક્ટ બ્રા પસંદ કરો. તે ન માત્ર વધારે ટાઈટ હોય ન વધારે ઢીલી. તમે ટીનેજર છો તો પ્રયત્ન કરો કે ટીશર્ટ બ્રા લો. તમે ૨૦ થી ૩૫ વર્ષના છો તો નોર્મલ બ્રા પહેરો. તમે બ્રેસ્ટ ફીડિંગ મધર છો તો હાઈ કવરેજ બ્રાનો ઉપયોગ કરો. હંમેશાં બ્રાન્ડેડ બ્રા પહેરો.

તમારી પોતાની જ બ્રા પહેરો
ક્યારેય બીજી મહિલાની બ્રા ન પહેરો. તેનાથી તમને ઈંફેક્શન થઈ શકે છે. ક્રાયોજેનિક બ્રેસ્ટ કેન્સર પણ થઈ શકે છે. બ્રેસ્ટનો સીઈએ માર્કર પોઝિટિવ હોઈ શકે છે. તેથી હંમેશાં પોતાની બ્રા જ પહેરો.

દોડતી વખતે સ્પોર્ટ બ્રા
તમે દોડો છો ત્યારે બ્રેસ્ટના બાઉન્સ થવાથી તકલીફ થઈ શકે છે. તમે રોજ સ્પોર્ટ બ્રા વિના દોડો છો તો તેની બ્રેસ્ટના ટિશ્યૂ પર ખરાબ અસર થાય છે. તેથી તેનાથી બચવા માટે સારી ક્વોલિટીની સ્પોર્ટ બ્રા પહેરવી જેાઈએ.

નિપલ કવરનો ઓછો ઉપયોગ કરો
વધારે નિપલ કવર અને બ્રા ટેપનો ઉપયોગ કરવાથી દૂર રહો. તેનો તમે ૧ અઠવાડિયામાં ૧ વાર ઉપયોગ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેનો ૮ કલાકથી વધારે ઉપયોગ ન કરો.

મોઈશ્ચરાઈઝર લગાવો
બ્રેસ્ટ બોડીનો સેન્સિટિવ પાર્ટ છે. તેથી બોડીના અન્ય પાર્ટની જેમ બ્રેસ્ટ પર પણ મોઈશ્ચરાઈઝર લગાવો. જ્યારે પણ ઘરની બહાર જાઓ ફેસની સાથેસાથે બ્રેસ્ટ પર પણ સનસ્ક્રીન લગાવો.

ખાણીપીણીનું ધ્યાન રાખો
જે યુવતીઓ પ્રેગ્નન્ટ હોય છે તેણે ખાણીપીણીનું પૂરું ધ્યાન રાખવું જેાઈએ. પોતાના ખોરાકમાં મલ્ટિવિટામિન અને આયર્ન પ્રોડક્ટ સામેલ કરો. તેના માટે તમે લીલા શાક અને ટેબ્લેટ લઈ શકો છો. તેને ઈગ્નોર કરવાથી બ્રેસ્ટમાં મિલ્ક બનવામાં પ્રોબ્લેમ આવે છે. આ પ્રોલેક્ટિન હોર્મોન્સની ઊણપના લીધે થાય છે.

મેગ્નેશિયમયુક્ત ભોજન
ભોજનમાં મેગ્નેશિયમ સામેલ કરો. મેગ્નેશિયમયુક્ત ભોજન બ્રેસ્ટને ફૂલવા અને ઢીલા થતા બચાવે છે. કેળાં, બદામ, પાલક, ફણગાવેલા કઠોળ, કાજુ, સોયાબીન, ડાર્ક ચોકલેટ, કોળાના બીજ, દહીં, માછલીમાં મેગ્નેશિયમ મળી રહે છે. તેને ઈગ્નોર કરવાથી પ્યૂબિક પીરિયડમાં બ્રેસ્ટ ઈનક્રીઝ નથી થતા.

એક્સર્સાઈઝ કરો
બ્રેસ્ટને હેલ્ધિ રાખવા માટે એક્સર્સાઈઝ કરો. પુશઅપ્સ, ડંબલ પ્રેસ, કેમલ પોઝ, આર્મ પ્રેસ જેવી એક્સર્સાઈઝ બ્રેસ્ટ માટે ફાયદાકારક છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારે છે.

બ્રેસ્ટની તપાસ કરો
સમયસર બ્રેસ્ટની તપાસ કરતા રહો. બ્રેસ્ટમાં કોઈ પણ બદલાવ, સોજેા દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

નો સ્મોકિંગ નો ડ્રિંકિંગ
સ્મોકિંગ અને ડ્રિંક કરવું હેલ્થ માટે સારું નથી તેથી તેની ટેવ ન પાડો. સ્મોકિંગ બોડીમાં ઈલાસ્ટિનને તોડે છે. જેથી બ્રેસ્ટની આસપાસની સ્કિન લૂઝ થઈ જાય છે. તે બ્રેસ્ટના શેપને પણ બગાડે છે.
– પ્રિયંકા યાદવ.

તો હંમેશાં રહેશો ફિટ એન્ડ ફાઈન

યુવાન દેખાવા માટે સૌથી વધારે જરૂરી છે તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી, ઊંઘવા-ઊઠવાના સમયમાં બદલાવ તથા કેટલીક કસરત જેમ કે ચાલવા જવું, દોડવું વગેરે. આપણે આપણી દિનચર્યામાં બદલાવ લાવીને આ બધી ટેવ પાડીશું તો વિશ્વાસ રાખો, તમે પણ સ્વસ્થ અને સ્ફૂર્તિથી ભરેલા રહેશો અને સ્વયંને યુવા અનુભવશો. આવો જાણીએ આ ટેવ અપનાવીને કેવી રીતે તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને યંગ રહી શકો છો :

રૂટિન લાઈફ જરૂરી : બદલાતી લાઈફસ્ટાઈલ અને ટેક્નોલોજીના યુગમાં પૂરતી ઊંઘ ન મળવી એક સમસ્યા બની ગઈ છે. આજકાલ આપણને બધાને દિવસભરની દોડધામ પછી રાત્રે ફ્રી સમય મળે છે અને આ સમયમાં આપણે પણ બસ પોતાનો મોબાઈલ લઈને બેસી જઈએ છીએ અથવા તો પોતાની ખાણીપીણી, લગભગ બધા કામ ટીવી જેાતાંજેાતાં કરીએ છીએ તેમજ ઘણી વાર બિનજરૂરી એવા જંક ફૂડ વગેરે વધારે ખાઈ લઈએ છીએ. આ સ્થિતિમાં સમય ક્યાં પસાર થાય છે તેની આપણને ખબર જ નથી રહેતી અને આપણને ઊંઘવામાં મોડું થાય છે અને ત્યાર પછી સવારે ઊઠવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. પછી આ જ અનિયમિતતાની નકારાત્મક અસર આપણા સ્વાસ્થ્ય પર થવા લાગે છે. તેથી હંમેશાં ફિટ એન્ડ ફાઈન રહેવા માટે સૌપ્રથમ સમયસર ઊંઘવા અને ઊઠવાની ટેવ પાડો.

તમે આ દિનચર્યા અપનાવશો તો શરીર પર તેના હકારાત્મક અનેક લાભ દેખાવા લાગશે :
સારી અને પૂરતી ઊંઘના લીધે ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે, જેનાથી આપણું શરીર બીમારી સામે લડવામાં સક્ષમ બને છે અને આપણે જલદી બીમાર નથી પડતા.
અભ્યાસમાં એ વાત પણ જેાવા મળી છે કે સારી ઊંઘ શરીરને રિપેર, રિજનરેટ અને રિકવર કરવામાં મદદ કરે છે.
૭ થી ૮ કલાકની ઊંઘ આપણા મગજને એક્ટિવ રાખે છે, જેનાથી સ્મરણ અને સમજવા વિચારવાની શક્તિ વધે છે અને આપણે કામકાજ ઝડપથી કરી શકીએ.
તેમાં આપણી કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે, તેથી આપણે કામ ઝડપથી કરી શકીએ.
આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
ઓછામાં ઓછી ૭-૮ કલાકની સારી ઊંઘ આપણને ઘણી બધી ગંભીર બીમારી જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરથી દૂર રાખે છે.

નિયમિત શારીરિક એક્સર્સાઈઝ : નિયમિત એક્સર્સાઈઝ આપણી વધતી ઉંમરની ગતિને ધીમી કરીને વધારે સમય સુધી યુવાન રહેવામાં મદદ કરે છે. સારા સ્વાસ્થ્ય અને યંગ રહેવા માટે આપણને દરરોજ સવારે અડધો અથવા લગભગ ૧ કલાક શારીરિક એક્સર્સાઈઝની જરૂર પડે છે. તેના માટે તમે પોતાના માટે એવી એક્સર્સાઈઝ પસંદ કરો, જેને કરવામાં તમને મજા આવે. નિયમિત એક્સર્સાઈઝ જેમ કે ઝડપથી ચાલવું, દોડવું વગેરે કરી શકો છો. તમને આ બધું કરવું બોરિંગ લાગતું હોય તો તમે ઝુંબા, એરોબિક્સ અથવા ડાન્સને પણ સામેલ કરી શકો છો. તે ઉપરાંત તમે જિમ અથવા બીજા કોઈ ફિટનેસ ક્લાસનો ભાગ બની શકો છો.

નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાના લાભ
નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાથી મેટાબોલિઝમ વધે છે તેમજ આપણા શરીરની કેલરી પણ ઝડપથી બર્ન થાય છે, જેનાથી આપણું વજન નિયંત્રણમાં રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ આપણી માંસપેશીઓને સ્વસ્થ રાખે છે અને શરીરમાં લોહીના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે. જેનાથી તમે સ્વસ્થ રહો છો સાથે મગજને સુચારુ યોગ્ય સપ્લાય મળવાથી તે પણ સક્રિય રીતે કાર્ય કરે છે તથા નવા બ્રેન સેલ્સ બનવામાં મદદ મળી રહે છે.
નિયમિત એક્સર્સાઈઝ તાણ ઘટાડે છે તથા બ્લડપ્રેશરને નિયમિત કરવામાં મદદ કરે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરવાથી શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલની માત્રા ઘટી જાય છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને આપણે વધારે પ્રમાણમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. તેથી વ્યક્તિને હાર્ટએટેક અને હૃદય સંબંધિત બીજી બીમારી થવાનું જેાખમ પણ ખૂબ ઓછું થઈ જાય છે.

સંતુલિત ભોજન કેમ
એ જણવું જરૂરી છે કે ન માત્ર જીવિત રહેવા માટે પણ સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી રહે છે, કારણ કે સંતુલિત ભોજનમાં સામેલ પૌષ્ટિક તત્ત્વો આપણા શરીરમાં પોષણનું સ્તર જાળવી રાખે છે, જેથી તમે સ્વસ્થ રહી શકો.

સંતુલિત આહારમાં ધ્યાન રાખો
સવારનો નાસ્તો ક્યારેય ન ચૂકો.
ઊંઘવાના લગભગ ૧ કલાક પહેલાં ભોજન કરવાની ટેવ પાડો.
રાત્રે ઓછું અને હળવું ભોજન લો.

સંતુલિત આહારના લાભ
રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે તેમજ સ્વસ્થ રાખે છે.
આપણી માંસપેશીઓ, દાંત, હાડકાં વગેરેને મજબૂત બનાવે છે.
વ્યક્તિની કાર્યક્ષમતા જાળવી રાખે છે અને તેના મૂડને પણ ખુશીઆનંદમાં રાખે છે.
મગજને પણ સ્વસ્થ રાખે છે.
વજન વધતું અટકાવે છે.

ખાઓ સીઝનલ અને લોકલ ફૂડ, પરંતુ કેમ
લોકલ અને સીઝનલ ફળ તથા શાકભાજી ત્યાંના ઉષ્ણતામાન, જળ અને વાયુ અનુસાર તથા તેમાં ઓછામાં ઓછા જંતુનાશક તેમજ રાસાયણિક પદાર્થોના ઉપયોગથી ઉગાડવામાં આવે છે અને તે અનુસાર આપણું શરીર ઢળી જાય છે, તેથી તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. સાથેસાથે તે સસ્તા પણ હોય છે, તેથી કોશિશ કરો કે હંમેશાં સીઝનના ફળ તથા શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરો. ઉપરાંત ઈમ્યૂનિટી વધારવા માટે પોતાના આહારમાં હળદર, લસણ, લીંબુ, ગળો, તુલસી, આમળા તેમજ વિટામિન સી યુક્ત વસ્તુ સામેલ કરો.

ચહેરાની યોગ્ય દેખરેખ
પુષ્કળ પાણી પીવું શરીરને ડિટોક્સ કરવા અને ટોક્સિનને બહાર કાઢવા માટેની સૌથી ઉત્તમ રીત છે. તેના માટે તમે ઈચ્છો તો તમારી પાણીની બોટલમાં ખાટા ફળ અથવા કાકડીની થોડી સ્લાઈસ કાપીને નાખી શકો છો, જેથી પૂરો દિવસ પાણી પીને હાઈડ્રેટ રહી શકો.
સમયાંતરે ફેસિયલ, હળદર, દૂધ અને એલોવેરાના ઉપયોગથી પણ સ્કિન પર ચમક લાવી શકો છો. તેનાથી સ્કિન ખેંચાયેલી રહે છે અને કરચલીઓ ઓછી પડે છે.
રાત્રે ઊંઘતાં પહેલાં નાઈટ ક્રીમનો ઉપયોગ કરો અને ચહેરા પરની ધૂળ વગેરેને સાફ કરતા રહો. રાત્રે ઊંઘતા પહેલાં અને સવારે ઊઠ્યા પછી ચહેરાને ધોઈ લો, જેથી સ્કિન પર ચોંટેલી ગંદકી દૂર કરી શકાય.
મીઠું ખાવાની ટેવ ઓછી કરવા માટે ફળનું વધારે સેવન કરો. શુગરના સેવનને ઘટાડવાથી તમારી સ્કિનને પણ ડિટોક્સિફાઈ કરવામાં મદદ મળી શકે છે.
નિયમિત એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝના લીધે થતો પરસેવો પણ શરીરમાંથી ટોક્સિન અને ઈમ્પ્યૂરિટીને બહાર કાઢે છે, સાથે પરસેવો સ્કિનને ડિટોક્સિફાઈ કરવાનો એક સારો વિકલ્પ છે.

લક્ષ પર અડગ રહો
મોટાભાગના લોકો શરીરને સુડોળ બનાવવા અને પોતા
ના વજનને ઓછું કરવા માટે શરૂઆતમાં ખૂબ ઉત્સાહિત હોય છે, પરંતુ માત્ર થોડા દિવસ પછી તેમને મુશ્કેલી પડવા લાગે છે અથવા કંટાળો આવવા લાગે છે અને ધીરેધીરે ઉત્સાહ ઠંડો પડતો જાય છે. તેઓ પોતાના લક્ષથી ભટકી જાય છે. તેનાથી બચવા માટે જરૂરી બની જાય છે કે તમે થોડી ધીરજ રાખો. જ્યારે આપણે વારંવાર નિષ્ફળ રહીએ છીએ અને વધારે સમય લાગે છે ત્યારે આપણે તે કામને અધવચ્ચે જ છોડી દઈએ છીએ, પરંતુ તેના માટે થોડી ધીરજની જરૂર છે.
આપણી ધીરજ આપણી એકાગ્રતા વધારે છે અને આપણને આપણા લક્ષથી ભટકવા નથી દેતી.
ધીરજ આપણી પર નિરાશાને હાવી થવા નથી દેતી.
આપણા શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.
આપણી ધીરજ આપણને કામ યોગ્ય રીતે અને યોગ્ય સમય પર કરવા માટે પ્રેરિત કરે છે.
ધીરજ આપણને સફળ થવાનો પાઠ શીખવે છે, કારણ કે તેનાથી દરેક કામમાં સફળતા શક્ય બને છે. આમ પણ યંગ બનવું અને યુવાનીને જાળવી રાખવી એક દિવસનું કામ નથી, તેના માટે પોતાની જાતને કેટલાક નિયમોમાં બાંધવી પડે છે. તેથી જેા તમારે હંમેશાં યુવાન રહેવું હોય તો તમારી દિનચર્યામાં પરિવર્તન લાવો અને નિયમોનું નિયમિત રીતે પાલન કરો. તેનાથી તમને તેનું પરિણામ માત્ર થોડા જ મહિનામાં જેાવા મળશે, કારણ કે ધીરજ વિના સફળતા મળવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે.

ડિટોક્સિફિકેશન
આપણી સ્કિન ખૂબ નાજુક અને સંવેદનશીલ હોય છે તથા પર્યાવરણની તેની પર સીધી અસર થાય છે, તેથી તેને સ્વસ્થ, સ્વચ્છ, ચમકદાર અને યુવા રાખવા માટે વધારાની સારસંભાળની જરૂર પડે છે. તેના માટે આપણે કોણ જાણે કયા કયા ઉપચાર, લોશન, ક્રીમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીની ટેવમાં બદલાવ નથી લાવતા, જેથી સ્કિનને સ્વસ્થ અને યુવાન રાખવામાં આપણે ઘણી વાર પાછળ રહી જઈએ છીએ અને સમય પહેલાં આપણી સ્કિન પર કરચલી પડવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે સ્કિનને ડિટોક્સિફાઈ કરવી જરૂરી છે. સ્વસ્થ રહેવા અને દેખાવા માટે શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરવી જરૂરી બની જાય છે. શરીરને ઝેરી પદાર્થથી મુક્ત કરવું, પોષણ આપવું અને આરામ પહોંચાડવાને ડિટોક્સિફિકેશન કહેવામાં આવે છે. તમે હંમેશાં સુસ્તીનો અનુભવ કરો છો અથવા અચાનક તમારા ચહેરા પર ખીલ અને સ્કિન પર ફોલ્લી નીકળી આવતી હોય કે પછી તમે પાચનતંત્રમાં કોઈ ગરબડ અનુભવી રહ્યા છો, તો માની લો કે તમારું શરીર ઝેરી થઈ ગયું છે. હવે તમારા શરીરને જરૂર છે ડિટોક્સિફિકેશનની, જેથી તમે તમારા શરીરને સ્વસ્થ અને યુવાન રાખી શકો તેમજ શરીરને માત્ર બહારથી નહીં, અંદરની ગંદકીને પણ દૂર કરી શકો છો. યંગ રહેવા અને દેખાવા માટે તમારા ચહેરા પર ચમકની આવશ્યકતા રહે છે. બસ તેના માટે તમારે તેની સારસંભાળ લેવાની જરૂર પડે છે.
– શોભા કટારે.

મેનોપોઝ કોઈ બીમારી નથી

જયશ્રી નાનીનાની વાતમાં ગુસ્સે થઈ જતી હતી. ઓફિસમાં ગમે તેની સાથે ઝઘડતી રહેતી હતી. આ સ્થિતિના લીધે તે પોતે પણ ખૂબ પરેશાન રહેવા લાગી હતી. વિચારતી કે શું તે કોઈ બીમારીનો શિકાર તો નથી બની ગઈ? તેને સમજાતું નહોતું કે તેનામાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે. તેને એવું લાગતું હતું કે ઘરના બધા લોકો તેનું મગજ બગાડી રહ્યા છે અન બાળકો તેનું કંઈ સાંભળતા નથી. એક દિવસે જયશ્રીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ ત્યારે તેના પતિ તેને એક ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને થોડીક પૂછપરછ કરી અને કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી, જયશ્રીને મેનોપોઝની સમસ્યા છે.

મેનોપોઝ મહિલાના જીવનની એક અવસ્થા છે, જેમાં મહિલાને શારીરિક અને માનસિક તકલીફ રહેતી હોય છે. ઘણી વાર તેઓ એટલી બધી તકલીફમાંથી પસાર થાય છે કે તેમના માટે મેનોપોઝ એક સમસ્યા બની જાય છે. હકીકતમાં, મહિલાના શરીરમાં ગર્ભાશયની સાથે ૨ અંડાશય હોય છે. આ અંડાશયમાંથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામક ૨ આંતર્સ્રાવ નીકળે છે. આ હોર્મોન્સથી મહિલાઓનું શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે, પરંતુ મહિલાઓમાં લગભગ ૪૦ ની વયે આ હોર્મોન્સ ધીરેધીરે ઓછા થવા લાગે છે, જેથી તેમનામાં માનસિક તકલીફ શરૂ થઈ જાય છે, તેને મેનોપોઝ કહે છે. ૪૫ થી ૫૦ વચ્ચેની વયમાં જ્યારે આ હોર્મોન્સ ઘટવા લાગે છે ત્યારે મહિલા મેનોપોઝમાં આવી જાય છે. મહિલામાં મેનોપોઝ પૂરી જિંદગી જેાવા મળે છે, જેને પોસ્ટ મેનોપોઝ કહેવામાં આવે છે. પોસ્ટ મેનોપોઝમાં નીચેના લક્ષણો જેાવા મળે છે :
માસિક અનિયમિત આવવું.
શરીરમાં અચાનક ગરમી લાગવી, ખૂબ પરસેવો થવો.
હૃદયના ધબકારા વધી જવા.
મૂત્રાશયની બીમારી.
યુરિનમાં વારંવાર ઈંફેક્શન થવું.
વારંવાર પેશાબ લાગવો.
પેશાબના સમયે દુખાવો અને બળતરા થવી.
પેશાબ પર કંટ્રોલ ન રહેવો, પેટમાં દુખાવો થવો.
યોનિમાર્ગની પણ ઘણી બધી તકલીફો જેાવા મળે છે.
યોનિમાં ખંજવાળ આવવી.
ઘણી વાર છાલા પણ પડી જાય છે.
સ્નાયુઓ અને જેઈન્ટ્સમાં પીડા થવી.
સ્કિન ડ્રાય અને પાતળી થવી.

માનસિક તકલીફો
ટેન્શન થવું.
જિંદગી નીરસ બની જવી.
યાદશક્તિ ઓછી થવી.
આત્મહત્યા કરવાની ઈચ્છા થવી વગેરે.
કોઈ પણ કારણસર જ્યારે મહિલા ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવે છે તમારે તે મેનોપોઝમાં નથી થતી, પરંતુ ગર્ભાશયની સાથે બંને અંડાશય કાઢી લીધા હોય ત્યારે તેમાંથી આંતર્સ્ત્રાવ બંધ થઈ જાય છે અને મહિલામાં મેનોપોઝની તકલીફો જેાવા મળે છે. મહિલા મેનોપોઝમાં આવે ત્યારે ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી તેણે કરાવી લેવી જેાઈએ. મહિલાના સફેદ પાણીની પણ તપાસ કરાવવી પડે છે.

મેનોપોઝમાં થતી તકલીફો
હાડકાંમાં દુખાવો થવો.
સૌથી જેાખમી વાત એ થાય છે હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે.
લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડે છે.

મેનોપોઝમાં કરવામાં આવતી તપાસ
મહિલાઓએ ૩૫ વર્ષની ઉંમર પછી નિયમિત પોતાની સંપૂર્ણ શારીરિક તપાસ કરાવતા રહેવું જેાઈએ.
હાડકાની તપાસ સોનોગ્રાફી, મેમોગ્રાફી અથવા બેક્સાથી કરાવવી જેાઈએ.
રૂટિન બ્લડ તપાસ કરાવતા રહો.
થાઈરોઈડ, શુગર, કોલેસ્ટ્રોલ, લાઈથીલ પ્રોફાઈલની તપાસ પણ નિયમિત કરાવવી જેાઈએ.
એક્સ-રે કરાવવા જેાઈએ.

મેનોપોઝમાં શું કરવું
ટેન્શન ન લેવું જેાઈએ.
નિયમિત કામ કરવું જેાઈએ.
એક્સર્સાઈઝ કરવી જેાઈએ.
ડોક્ટરની સલાહ અનુસાર હર્બલ અને કેલ્શિયમની ગોળી લેવી જેાઈએ.
– ઋતા પટેલ.

સ્વિમિંગના હેલ્થ બેનિફિટ

હેલ્થ ઈઝ વેલ્ધ એટલે કે સારું સ્વાસ્થ્ય સાચી મૂડી કે ધન છે. તેથી શરીરને સ્ફૂર્તિલું અને તંદુરસ્ત રાખવા માટે આપણને બાળપણથી ૩ વાત પર ધ્યાન આપવાનું શીખવવામાં આવે છે – યોગ્ય આહાર, જરૂરી આરામ અને નિયમિત એક્સર્સાઈઝ. આજે અહીં વાત કરીશું એક્સર્સાઈઝની. એક્સર્સાઈઝને ડોક્ટરો પોલિપિલની સંજ્ઞા પણ આપે છે, કારણ કે નિયમિત કરનાર વ્યક્તિ ઘણી બધી બીમારીથી મુક્ત રહે છે અને સાથેસાથે તેની કાર્યક્ષમતા પણ વધે છે. એક્સપર્ટનું માનવું છે કે એક વયસ્કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૨-૩ કલાક એક્સર્સાઈઝ જરૂર કરવી જેાઈએ. સ્વયંને ફિટ અને સ્વસ્થ રાખવાની અનેક રીત છે. જેમ કે, જિમ જવું, રનિંગ, યોગાસન, એરોબિક્સ અથવા કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરે. જેા તમે આ બધાથી કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો તો સ્વિમિંગ પણ એક સારો વિકલ્પ છે, ખાસ તો ઉનાળાની ઋતુમાં તે લોકોને પણ ખૂબ પસંદ આવે છે. ‘સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન’ અનુસાર સ્વિમિંગ એક ઉત્તમ ફુલ બોડી વર્કઆઉટ છે.
એક સ્ટડી અનુસાર સતત ૩ મહિના સુધી દર અઠવાડિયે લગભગ ૪૦-૫૦ મિનિટ સ્વિમિંગ કરવાથી વ્યક્તિની એરોબિક ફિટનેસમાં સુધારો થાય છે, જે મનુષ્યના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય બંને માટે લાભદાયી છે. આ સ્ટડી અનુસાર સ્વિમિંગ ઘણી બધી બીમારી જેમ કે કેન્સર, ડાયાબિટીસ, ડિપ્રેશન, હૃદયરોગ અને ઓસ્ટિયોપોરોસિસના જેાખમને પણ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કમાલના લાભ છે
આમ તો તરવાથી શરીરના કેટલાય ભાગની માંસપેશીઓ સક્રિય રહે છે અને વિકસિત થાય છે, પરંતુ હા અલગઅલગ સ્ટ્રોક અથવા સ્વિમિંગ ટેક્નિક અલગઅલગ માંસપેશીઓને પ્રભાવિત કરે છે, કારણ કે આ બધામાં તરવાની રીત અને ટેક્નિકમાં થોડું ઘણું અંતર હોય છે. જેાકે મોટાભાગના સ્ટ્રોકમાં શરીરના તમામ મુખ્ય અંગ જેમ કે ધડ, ખભા, હાથ, પગ અને માથાની તાલબદ્ધ અને સમન્વિત મૂવમેન્ટ સામેલ હોય છે, પરંતુ આ સ્વિમિંગની રીતમાં શરીરનો ઉપયોગ અલગઅલગ રીતથી થવાના લીધે તેના લાભ પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ફ્રી સ્ટાઈલમાં તમે કોઈ પણ રીતે તરી શકો છો. બેસ્ટસ્ટ્રોકમાં તમે છાતીના ભાગ પર વધારે જેાર લગાવો છો અને બટરફ્લાયમાં પૂરા શરીરનો ઉપયોગ થતો હોય છે. આ જ રીતે સાઈડ સ્ટ્રોકમાં એક હાથ હંમેશાં પાણીમાં હોય છે અને સ્વિમર બીજા હાથનો ઉપયોગ કરતા તરે છે. ફ્રીસ્ટાઈલ સ્વિમિંગમાં લાંબા સમય સુધી સ્ટ્રોક માટે ધડને ફેરવવામાં એબ્ડોમિનલ અને ઓબ્લિક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જ્યારે હિપ ફ્લેક્સર્સનો ઉપયોગ કોંપેક્ટ અને સ્થિર નિયમિત કિક જાળવી રાખવા માટે થતો હોય છે. ફ્રી સ્ટાઈલ બેકસ્ટ્રોક સ્વિમિંગ દરમિયાન સ્વિમરે પીઠના બળ પર ઊંઘીને પાણી પર તરવાનું હોય છે. પીઠના બળ પર ઊંઘી ગયા પછી સ્વિમર પોતાના હાથ અને પગને ચલાવતા એ રીતે તરે છે જાણે હોડીમાં હલેસા મારવામાં ન આવતા હોય. હાથ અને પગની મૂવમેન્ટ તેમાં પણ ફ્રીસ્ટાઈલ જેવી હોય છે, તેમાં ફરક માત્ર એટલો હોય છે કે તમે પીઠના બળ પર ઊંઘીને તરતા હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે પીઠની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે આ રીતે તરવું ખૂબ લાભદાયી રહે છે.

વજન ઘટાડવામાં અસરકારક
બટરફ્લાય સ્ટ્રોકને વજન ઘટાડવા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે. આ સ્ટ્રોકને યોગ્ય રીતે ૧૦ મિનિટ કરવાથી લગભગ ૧૫૦ કેલરી બર્ન થાય છે. કોર એબ્ડોમિનલ અને પીઠના નીચેના ભાગની માંસપેશીઓ શ્વાસ લેતી વખતે શરીરને પાણીમાંથી બહાર કાઢે છે. ગ્લૂટ્સ એ સુનિશ્ચિત કરે છે કે પગ ડોલ્ફિનના જેવા હોવા જેાઈએ. પેક્સ, લાસ્ટ્સ, ક્વાડ્સ, કાલ્વ્સ, શોલ્ડર્સ, બાઈસેપ્સ, ટ્રાઈસેપ્સ બધા આ સ્ટ્રોક દરમિયાન ખૂબ કામ કરે છે. બ્રેસ્ટ સ્ટ્રોકની વાત કરીએ તો તેમાં સ્વિમર પોતાની છાતીના બળ પર તરે છે અન બાકીનું ધડ ખૂબ ઓછી ગતિવિધિ કરે છે. તેમાં માથું લગભગ પાણીની બહાર હોય છે, શરીર સીધું રહે છે અને હાથપગનો એ રીતે ઉપયોગ કરવામાં આવે છે જે રીતે દેડકા પાણીમાં તરતા હોય છે. પેક્ટોરલ અને લેટીસિમસ ડાર્સી માંસપેશીઓનો ઉપયોગ હાથને પાણીની વિરુદ્ધ અંદરની તરફ ફેરવવા માટે કરવામાં આવે છે. ગ્લૂટ્સ અને ક્વાડ્રિસેપ્સ મસલ્સ બ્રેસ્ટ સ્ટ્રોક કિક આપવામાં કામ આવે છે.

સ્વિમિંગના બીજા લાભ
લંગ્સ માટે લાભદાયી છે : ‘ઈન્ડિયન જર્નલ ઓફ ફિઝિયોલોજી’ માં પ્રકાશિત એક સ્ટડી ‘કંપેરેટિવ સ્ટડી ઓફ લંગ ફંક્શન ઈન સ્વિમર્સ એન્ડ રનર્સ’ માં જેાવા મળ્યું છે કે સ્વિમિંગ ફેફસાને મજબૂત કરે છે અને તેમાં રહેલા ઓક્સિજનની માત્રાને વધારવામાં અસરકારક છે. સ્વિમિંગ કરતી વખતે ફેફસા ખૂબ સક્રિય રહે છે અને ઊંડો શ્વાસ લેવા અને લાંબા સમય સુધી તેને જાળવી રાખવાની પ્રેક્ટિસ કરે છે. તેનાથી ફેફસાની ક્ષમતા વધે છે અને લંગ્સ મસલ્સ પર સકારાત્મક દબાણ આવેે છે. તેનદ્બ સાથે સ્વિમરે પોતાના શ્વાસને પોતાના સ્ટ્રોક સાથે લયબદ્ધ કરવા પડે છે. તેનો અર્થ એ છે કે શરીરને થોડો સમય રાહ જેવાની ટ્રેનિંગ મળે છે જેનાથી શ્વાસની સહનશક્તિ વિકસિત થાય છે. આ અભ્યાસનો સકારાત્મક પ્રભાવ અસ્થમાના દર્દીઓ પર પણ જેાવા મળે છે.

સ્ટ્રેંથ વધારવામાં મદદરૂપ : તરતી વખતે પગને સતત ચલાવવા પડે છે. સાથેસાથે હાથ અને ખભાને પણ મૂવ કરવા પડે છે, કારણ કે પાણી હવાની સરખામણીમાં વધારે ગાઢ હોય છે. તેથી પાણીનું શરીર પર દબાણ પણ વધારે અનુભવાતુ હોય છે. પાણી મૂવમેન્ટમાં સતત પ્રતિરોધ પેદા કરે છે. આ પ્રતિરોધથી આગળ વધવા માટે તમારા શરીરને વધારે મહેનત કરવી પડે છે. તેનાથી માંસપેશીઓ ટોન થાય છે અને સ્ટેમિના તેમજ સ્ટ્રેંથ પણ વધે છે. વયસ્કોના કૂલા અથવા હિપની માંસપેશીઓને મજબૂત બનાવવા, ઓસ્ટિયોઆર્થ્રાઈટિસના રોગીમાં ગ્રિપ સ્ટ્રેંથમાં પણ સુધાર માટે સ્વિમિંગને ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે.

મેન્ટલ વેલ બીઈંગ : એક્સર્સાઈઝથી ‘ફીલ ગુડ હોર્મોન’ અને એન્ડોર્ફિંસ વધે છે અને સ્ટ્રેસ હોર્મોન એડ્રેનાલાઈન તેમજ કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. લો મૂડ, એંક્ઝાઈટી, સ્ટ્રેસ અથવા ડિપ્રેશનથી બચવા અથવા તેનાથી પીડિત લોકોની સારવાર દરમિયાન પણ સ્વિમિંગની સલાહ આપવામાં આવે છે. અન્ય એક્સર્સાઈઝની સરખામણીમાં કેટલાક લોકો સ્વિમિંગ કરીને વધારે રિલેક્સ્ડ ફીલ કરે છે.

સાંધા માટે ઉત્તમ સ્વિમિંગ : આર્થ્રાઈટિસ હોય કે પછી હાડકાની બીજી કોઈ ઈંજરી, સ્વિમિંગને બીજી એક્સર્સાઈઝની સરખામણીમાં વધારે સુરક્ષિત માનવામાં આવે છે. રનિંગ, સાઈકલિંગ અથવા જિમની અન્ય વર્કઆઉટમાં સૌથી મોટું જે જેાખમ હોય છે તે છે હાડકાં અથવા સાંધામાં ઈંજરીનું. આર્થ્રાઈટિસના દર્દીઓને પણ ડોક્ટર સ્વિમિંગની સલાહ આપે છે. જ્યારે તમારું શરીર પાણીમાં હોય છે, ત્યારે તમે એવી મૂવમેન્ટ પણ કરી શકો છો, જે સામાન્ય રીતે કરવી મુશ્કેલ થઈ જાય છે, તેથી સાંધામાં પીડા છતાં આરામથી તરી શકાય છે.

ઊંઘ સારી આવે છે : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર વૃદ્ધો માટે અનિદ્રાનો સૌથી સારો ઉપાય છે સ્વિમિંગ.

હૃદયનું ધ્યાન રાખો : સ્વિમિંગ એક પ્રકારની એરોબિક એક્સર્સાઈઝ છે, જે હાર્ટને મજબૂતાઈ આપે છે અને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ બને છે. જેા મહિલાઓ દરરોજ ૩૦ મિનિટ સ્વિમિંગ કરે, તો કોરોનરી હાર્ટ ડિસીઝનું જેાખમ ૩૦ થી ૪૦ ટકા સુધી ઓછું થઈ જાય છે. સ્વિમિંગ ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવામાં મદદ કરે છે.
– ચેતના વર્ધન.

હેલ્થ સ્ટ્રેસ તમે પણ નથી લેતા ને

ગુડ હેલ્થ મેળવવાની ઈચ્છા દરેકની હોય છે. આ ઈચ્છા કેટલીક વાર એ રીતે વધી જાય છે કે લોકો ટેન્શન લે છે, જેથી ગુડ હેલ્થ માટે ટેન્શન થવા લાગે છે, જેથી હેલ્થ વધારે બગડે છે. દરેકનું વજન, સુંદરતા, વાળનો રંગ, વાળ હોવા કે ન હોવા, લંબાઈ બધું અલગઅલગ હોય છે. બધાની અંદર બસ એક વાત કોમન હોય છે કે બધાને સુંદર અને સ્માર્ટ દેખાવું છે. પરંતુ બધા એકસમાન નથી દેખાતા, કારણ કે બધાની હેલ્થ અને શરીર અલગઅલગ હોય છે. જેમજેમ ઉંમર વીતે છે તેમતેમ લોકોમાં ગુડ હેલ્થની ઈચ્છા વધે છે. તેના માટે તે તમામ જતન કરે છે જેમ કે તે એક્સર્સાઈઝ કરવા લાગે છે. ખાણીપીણીમાં તમામ પ્રકારના પરેજ કરવા લાગે છે. ડાયેટિશિયન મુજબ ખોરાક લેવા લાગે છે.
મનોવૈજ્ઞાનિક નેહા તિવારી જણાવે છે, ‘‘ગુડ હેલ્થની માનસિકતા ધરાવતા તમામ લોકો એવા હોય છે, જે પોતાની સામે કોઈ ફિલ્મી હીરો, હીરોઈન, મોડલ કે ખેલાડી રાખે છે. જાહેરાતમાં જલદી પરિણામ મેળવવાની તમામ પ્રકારની રીત બતાવે છે. એક નિશ્ચિત સમયમાં પોતાની માનસિકતા મુજબ પરિણામ મળતા જેાવા મળે છે જેમ કે કોઈએ ૩૦ દિવસમાં ૨૦ કિલો વજન ઓછું કર્યું, પોતાની કમરની સાઈઝ અથવા સ્થૂળતા ઓછી કરી. શક્ય છે કે રિયલ લાઈફમાં આ પરિણામ મોડા મળે અને તેના માટે વધારે સમય આપવો પડે. કેટલીય વાર ઘણું બધું કરવા છતાં પરફેક્ટ પરિણામ નથી મળતું. એવામાં ટેન્શન થવા લાગે છે. આ ટેન્શન ગુડ હેલ્થ માટે થાય છે, પણ તે હેલ્થને વધારે બગાડે છે.
‘‘શરીરનું વજન, સ્થૂળતા અને રંગરૂપ દરેકના શરીરની સંરચના પ્રમાણે હોય છે. શરીરના હાડકાં અને ફેટ શરીરની બનાવટ નક્કી કરે છે. તેને અનુરૂપ જ બાકી શરીરની બનાવટ હોય છે. જેા ફેસ ગોળ અને ભરાવદાર હોય તો કેટલીય વાર ડબલ ચિનની સમસ્યા દેખાય છે. જેનો ફેસ લાંબો અને ગાલ ચોંટેલા હોય છે તેમને ડબલ ચિન નથી હોતા. એવામાં ડબલ ચિનવાળો ગમે તેટલો પ્રયાસ કરે ક્યાંક ને ક્યાંક ડબલ ચિન દેખાય જ છે. હવે આ ડબલ ચિન રિમૂવ કરવાની ઈચ્છા ટેન્શન વધારે છે. આ રીતે ગાલ પર પડતા ડિંપલ્સને લઈને પણ અલગઅલગ ઈચ્છા હોય છે.’’

ગુડ હેલ્થ માટે ટેન્શન ન લો
ગુડ હેલ્થ માટે જરૂરી છે કે પોતાનું શરીર અને તેની જરૂરિયાતને સારી રીતે સમજે. તે મુજબ તમારી હેલ્થ બનાવો. કોઈ બીજાને જેાઈને તે પ્રમાણે હેલ્થ બનાવવાનું ટેન્શન ન લો, નહીં તો ગુડ હેલ્થની ખબર નહીં, પણ ટેન્શન જરૂર લેશો. પછી જેા ટેન્શન લાંબા સમય સુધી રહેશે તો ન માત્ર માનસિક સ્વાસ્થ્ય, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. ટેન્શન વધવાથી સ્ટ્રોક, હૃદય હુમલો જેવી બીમારીનું જેાખમ વધે છે. ટેન્શનના લીધે ભૂલવાની બીમારી, ચિંતા, ચીડિયાપણું, કબજિયાત, વજન ઘટવું, અનિદ્રા અને સમાજથી દૂર રહેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનાથી ગુડ હેલ્થ મેળવવાના બદલે જેાખમ વધી જાય છે. એવામાં જરૂરી છે કે ગુડ હેલ્થ માટે કોઈ બીજાને જેાવાના બદલે સ્વયંને જુઓ. તેમાં તમારો ડોક્ટર તમારી પૂરી મદદ કરશે. તે તમને જણાવશે કે તમારા શરીરના ફિટ અને હેલ્ધિ હોવાનો શું અને કેટલો અર્થ છે. તે મુજબ હેલ્થ સુધારો. તેમાં ઉંમરની પણ અસર થાય છે. ૨૨ વર્ષની ઉંમરમાં ૬ ફૂટના છોકરાનું વજન અને ૪૨ વર્ષમાં ૬ ફૂટની વ્યક્તિનું વજન સમાન થઈ જાય તો પણ બંનેની સ્માર્ટનેસ અલગઅલગ હશે.

ગુડ હેલ્થ માટે જરૂરી વાત
ગુડ હેલ્થ માટે જરૂરી છે કે યથાર્થવાદી બનો, યોગ્ય લક્ષ્ય નિર્ધારિત કરો અને ધ્યાન રાખો કે તમે હંમેશાં બધું મેળવવા માંગો છો, તો તમે ક્યારેય સંતુષ્ટ નહીં થાઓ, જે તમારી અંદર ટેન્શન વધારશે. સમાજમાં બીજા સાથે સંબંધ જાળવી રાખો. એકબીજાની મદદ લેવા અને કરવામાં કોઈ સમસ્યા નથી. તેનાથી સામાજિક જીવનનો નિર્વાહ થાય છે. હંમેશાં લોકોને ખુશ રાખવાની નીતિ છોડો. જે કામ ન થવાનું હોય તેના માટે ના કહેતા શીખો. તેની સાથે સમય મેનેજ કરતા શીખો, તમારા જરૂરી કામને પ્રાથમિકતા આપો અને જે બિનજરૂરી છે તેને દૂર કરો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી સંબંધ મજબૂત થાય છે. સુરક્ષા અને પોતાનાપણાની ભાવના પેદા થાય છે. આ તમને ટેન્શન સામે લડવામાં મદદ કરી શકે છે. એક્સર્સાઈઝથી એંડોર્ફિન વધે છે. તે મગજમાં રિસેપ્ટર્સને વધારે છે, જેથી ટેન્શન ઓછું થાય છે. પૂરતી ઊંઘ લો. ઊંઘનું પ્રમાણ પણ દરેક વ્યક્તિમાં અલગઅલગ હોય છે. પૂરતી ઊંઘ લેવી દરેક માટે મહત્ત્વપૂર્ણ છે. સારી ઊંઘ તમારા મગજને કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે. તેની સાથે તમારા અહમ્નો નાશ કરો. અહમ્ના બદલે જીવનને આરામદાયક બનાવો. તમે જેટલા ઓછા ઘમંડી હશો એટલા જ સરળતાથી નિષ્ફળતાને સહન કરી શકશો. સોશિયલ મીડિયાથી દૂર રહો. પુસ્તકો અને મેગેઝિન વાંચવાની ટેવ પાડો. સંગીત સાંભળો. સંગીતની મન અને શરીર પર સારી અસર થાય છે. થોડો સમય પોતાના માટે કાઢો. દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક પોતાના માટે કાઢો. મેડિટેશન એટલે ધ્યાન કરવાથી મગજ શાંત થાય છે.

ગુડ હેલ્થ માટે સારું ડાયટ
ડાયેટિશિયન રાનુ સિંહ જણાવે છે, ‘‘યોગ્ય ડાયટ લો અને રોજ એક્સર્સાઈઝ કરશો તો ગુડ હેલ્થ માટે ડોક્ટરની મદદની જરૂર ઓછી પડે છે. તે ઉપરાંત ઉંમર મુજબ બોડી ચેકઅપ કરાવતા રહો. તેનાથી શરીરમાં થતા પરિવર્તનની અસર સમયસર ખબર પડશે. તે મુજબ સારવાર થશે. બીમાર રહેતા અને બીમાર ન રહેતા બંનેના અર્થમાં ગુડ હેલ્થનો માપદંડ બદલાય છે. એવામાં જરૂરી છે કે બંને આ અંતર સમજે. આ અંતરને સમજી લેશો તો ગુડ હેલ્થને લઈને ટેન્શન નહીં રહે. ‘‘સારા સ્વાસ્થ્ય માટે ખાણીપીણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. યોગ્ય અને સંતુલિત આહાર સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. ભલે ને તમે કોઈ ડાયટ ચાર્ટ ફોલો કરો છો, પણ તેમાં આ વાતનું હંમેશાં ધ્યાન રાખો કે તમે જે પણ ખાઈ રહ્યા છો તે ફ્રેશ હોય. ખાણીપીણીની બાબતમાં ખૂબ જરૂરી છે કે શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની પૂર્તિ થાય. તે ઉપરાંત હેવી ભોજન લેવાના બદલે હળવું અને ઊર્જથી ભરપૂર ભોજન લો.’’
સારા સ્વાસ્થ્યને લઈને ટેન્શન ન લો. ટેન્શન લેવાથી સ્વાસ્થ્ય ઠીક થવાના બદલે વધારે બગડે છે. સારા સ્વાસ્થ્ય માટે બીજાના ઉદાહરણ ન લો. તમારા ડોક્ટર જે વાત જણાવે તેની પર ખાસ ધ્યાન આપો.
– શૈલેન્દ્ર સિંહ.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો