બદલાતી જીવનશૈલી, કામની તાણ, ડિપ્રેશન, ખરાબ લાઈફ સ્ટાઈલ અને એક્ઝાઈટીના લીધે આજકાલ માથાના દુખાવાની સમસ્યા લોકોમાં વધી ગઈ છે. ઘણી વાર માનસિક તાણના લીધે પણ માથામાં દુખાવો રહે છે, પરંતુ જે માથામાં દુખાવો સતત રહે તો બેદરકારી ન રાખવી જેાઈએ. આ પ્રકારનો માથાનો દુખાવો બ્રેઈન ટ્યૂમર જેવી ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તે ઉપરાંત જે લોકો માઈગ્રેન જેવી સમસ્યાથી પીડિત છે, તેમનામાં બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે. ઘણી વાર માઈગ્રેનનો દુખાવો સમજીને લોકો વધારે ધ્યાન નથી આપતા, પરંતુ વારંવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તેને નજરઅંદાજ ન કરો, તેથી સમયસર કોઈ સારા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
મુંબઈના ઝાયનોવ્હા શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી રુગ્ણાલયના ન્યૂરોલોજિસ્ટ ડો. આકાશ છેડા જણાવે છે કે દેશભરમાં બ્રેઈન ટ્યૂમરના કેસ સતત વધી રહ્યા છે. જેા આ બીમારીની સમયસર સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. બ્રેઈન ટ્યૂમરના દર્દીઓમાં માથાનો દુખાવો એક સામાન્ય લક્ષણ હોય છે. મોટાભાગે સામાન્ય માથાના દુખાવાવાળા દર્દીઓને બ્રેઈન ટ્યૂમર થવાનું જેાખમ રહે છે, પરંતુ લોકો માટે તેને ઓળખવું મુશ્કેલ હોય છે કે તેમને જેા માથાનો દુખાવો થઈ રહ્યો છે તે સામાન્ય દુખાવો છે, માઈગ્રેનનો દુખાવો છે કે પછી બ્રેઈન ટ્યૂમરના લીધે દુખાવો થઈ રહ્યો છે. આ વિષયે લોકોમાં જાગૃતિ પેદા કરવી ખૂબ જરૂરી બની જાય છે. બ્રેઈન ટ્યૂમર સામાન્ય રીતે એ લોકોને પ્રભાવિત કરે છે, જે ૪૦ થી ૬૦ વર્ષના આયુવર્ગમાં આવે છે.
ઓળખવાના લક્ષણ
માઈગ્રેનમાં માથામાં એક તરફ જ દુખાવો થાય છે અને તે ગમે તે સમયે થઈ શકે છે. માઈગ્રેન મોટાભાગે યુવાવસ્થામાં શરૂ થાય છે અને ૩૫ થી ૪૫ વર્ષની ઉંમરના લોકોને સૌથી વધારે પ્રભાવિત કરે છે, પરંતુ જે કોઈને વહેલી સવારે માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો હોય અને તેની સાથે ઊલટી પણ આવે તો તે બ્રેઈન ટ્યૂમરનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય બ્રેઈન ટ્યૂમરના લક્ષણોમાં ઊંઘ ન આવવી, સ્વભાવમાં પરિવર્તન, બોલવા-સાંભળવામાં અસમર્થતા અને ગંધમાં બદલાવની સમસ્યા થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિમાં આવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરની સલાહ અનિવાર્ય બની જાય છે.
કેટલાક લોકોને ઊંઘતી વખતે પણ અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે અને આ માથાનો દુખાવો પણ માઈગ્રેનના દુખાવા જેવો અનુભવાતો હોય છે. માથાના પાછળના ભાગ ગરદનમાં બ્રેઈન ટ્યૂમરના લીધે પણ દુખાવો થઈ શકે છે. બ્રેઈન ટ્યૂમર જે માથાના આગળના ભાગમાં હોય, તો દુખાવો આંખમાં પીડા અથવા સાઈનસની પીડા જેવો અનુભવાતો હોય છે.
ડો. આકાશ જણાવે છે, બ્રેઈન ટ્યૂમર ૨ પ્રકારનું હોય છે :
મેલિગ્નેન્ટ ટ્યૂમર : આ ટ્યૂમરમાં કેન્સરની કોશિકા હોય છે. કેન્સરના લીધે માથામાં અસહ્ય દુખાવો થાય છે. આ કેન્સર કોશિકા માથાના બીજા ભાગમાં પણ ફેલાતી હોય છે. ઘણી વાર કેન્સર જેનેટિક હોય છે. આ સ્થિતિમાં જે પરિવારમાં કોઈને બ્રેઈન ટ્યૂમર અથવા કેન્સર હોય, તો તેમના બાળકોને પણ તે ટ્રાન્સફર થઈ શકે છે.
બિનાઈન ટ્યૂમર : આ ટ્યૂમર કેન્સરની નથી હોતી તેથી તેના ફેલાવાનું જેાખમ પણ નથી રહેતું, પરંતુ સમય રહેતા તેની સારવાર જરૂરી છે નહીં તો બીમારીનું જેાખમ વધી શકે છે.
નજરઅંદાજ ન કરો.
વાસ્તવમાં બ્રેઈન ટ્યૂમરના કોઈ નિશ્ચિત કારણની હજી સુધી જાણ થઈ શકી નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી આ સમસ્યાથી કેટલાક અંશે દૂર રાખી શકે છે, સાથે તેના લક્ષણો પ્રતિ જાગૃતિ હોવી પણ જરૂરી છે. બ્રેઈન ટ્યૂમરની બીમારી મોટી ઉંમરના અથવા વધારે ચિંતા કરનારને થાય છે. તે વાત જરૂરી નથી. આ બીમારી કોઈને પણ થઈ શકે છે, તેથી જેા તમને સતત માથામાં દુખાવો અને ઊલટીની ફરિયાદ રહેતી હોય, તો તેને નજરઅંદાજ ન કરો અને તરત ડોક્ટરની સલાહ લઈને યોગ્ય જીવનશૈલી અપનાવો.
– સોમા ઘોષ.





