મહિલાઓ પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતા કરતી હોય છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સાથે જેાડાયેલી દરેક નાનામાં નાની વાતની પણ કાળજી લેતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય પરિવારને ખવડાવવામાં આવતા લોટના પૌષ્ટિક ગુણો વિશે વિચાર્યું છે ખરું? જે તમારો જવાબ ‘ના’ માં હોય તો આજે અમે તમને પૌષ્ટિક અનાજ રાગીનો પરિચય કરાવી રહ્યા છીએ, જે પરિવારના દરેક સભ્યને સંપૂર્ણ પોષણ આપે છે, કારણ કે તેના અનોખા ગુણ તેને બીજા અનાજથી ઉત્તમ બનાવે છે. પોષક તત્ત્વોથી ભરપૂર રાગી એક ભારે અનાજ છે, જે બીજ અનાજ જેમ કે ઘઉં, મકાઈ, બાજરી તથા ચોખા કરતા ઉત્તમ છે, કારણ કે તેમાં પ્રોટીન વધારે અને ફેટ ઓછી હોય છે. તેમાં એટલા બધા પૌષ્ટિક ગુણો હોય છે કે તે બાળકોને ખવડાવવા માટે સૌથી ઉત્તમ આહાર છે. રાગી કેલ્શિયમ, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ તેમજ મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. રાગી ડાયાબિટીસ એનીમિયા અને હૃદય રોગી માટે ખૂબ સારું છે. તે હાડકાને મજબૂત બનાવે છે. તેમાં રહેલા જરૂરી પોષક તત્ત્વો તમને તાણથી મુક્તિ અપાવે છે, સાથે તેમાં અનેક પ્રકારના વિટામિન પણ જેાવા મળે છે. રાગી સીલિએક બીમારીથી પીડિત લોકો માટે પણ સારું છે, કારણ કે આ અનાજ ગ્લૂટેન ફ્રી હોય છે જે વિભિન્ન ઓક્સિડેન્ટથી પણ ભરપૂર હોય છે. અસંખ્ય લાભ તમે અત્યાર સુધીમાં રાગીના અનેક ગુણો વિશે તો જાણ્યું છે તો આવો હવે તેના અગણિત લાભ વિશે પણ તમને જણાવીએ :

શુગરને નિયંત્રિત કરે :
આજકાલ લોકો શુગર જેવી બીમારીનો વધારે શિકાર બની રહ્યા છે. આ બીમારીને કંટ્રોલ કરવા પોતાની જીવનશૈલીની સાથેસાથે આહારમાં પણ સુધારો કરવો જરૂરી છે. રાગી ડાયાબિટીસને ઘટાડવામાં તમને મદદ કરે છે, કારણ કે તે શુગરમાં ગ્લુકોઝના સ્તરને ઓછું કરે છે અને તેમાં પોલિફેનોલ તથા ફાઈબર પણ ઉચ્ચ પ્રમાણમાં જેાવા મળે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....