હૃદયમાં જેારથી ધબકારા થવા લાગે તો સમજી જાઓ તમારા હૃદયમાં કરંટનો ઓવરફ્લો થઈ રહ્યો છે એટલે શોર્ટ સર્કિટ. હા, આપણા હૃદયમાં પણ શોર્ટ સર્કિટ થાય છે. અમે હૃદય સંબંધિત એવી બીમારી વિશે જણાવીશું, જેને મેડિકલ ટર્મમાં પીએસવીટી અથવા પેરોસાઈમલ સુપરવેંટ્રિક્યૂલર ટેકીકાર્ડિયો કહેવાય છે. સામાન્ય વ્યક્તિના હૃદયના ધબકારા ૭૨-૧૦૦ પ્રતિ મિનિટ હોય છે, પરંતુ જ્યારે હૃદયમાં શોર્ટ સર્કિટ થાય છે ત્યારે પીડિતના ધબકારા ૧૮૦-૨૫૦ પ્રતિ મિનિટ સુધી પહોંચી જાય છે. જ્યારે હૃદયમાં કરંટ ઓવરફ્લો થાય છે ત્યારે ધબકારા ૩ ગણા વધી જાય છે. તે હૃદયમાં ગરબડ થવાથી થાય છે. આપણા હૃદયમાં ૪ ચેમ્બર હોય છે અને હૃદયમાં કેટલીય નસ હોય છે. તેમાં કેટલીક નસ એવી પણ હોય છે, જેની ઉપર કવરિંગ નથી થતું. જ્યારે આવી ૨ નસ પરસ્પર મળે છે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે.

લક્ષણ
ધબકારા વધવા.
શરીર પીળું અને ઠંડું પડવું.
શ્વાસ વધવા અને બેભાન થવું.
અસામાન્ય બ્લડપ્રેશરની સમસ્યા થવી.

સારવાર
ઈલેક્ટ્રો ફિઝિયોલોજિકલ સ્ટડી દ્વારા શોર્ટ સર્કિટવાળા પોઈન્ટ પકડવામાં આવે છે. જેના માટે પગના રસ્તેથી ૩ તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી હૃદયની અંદર થયેલ શોર્ટ સર્કિટ શોધી શકાય છે. ખબર પડતા ચોથો તાર હૃદય સુધી પહોંચાડવામાં આવે છે અને હૃદયમાં શોટ સર્કિટવાળી આ નસ પર લગભગ ૩૫૦ કિલોહર્ટ્સના તરંગ છોડીને તેને ફ્યૂઝ કરી દેવામાં આવે છે.

પરંતુ કેટલીય વાર તે નસ જે પરસ્પર મળીને કરંટનો ઓવરફ્લો કરે છે જેા તે હૃદયની દીવાલને બિલકુલ સ્પર્શી રહી હોય છે તો તેને ફ્યૂઝ કરવાનું રિસ્ક હોય છે. આ સ્થિતિમાં દર્દીને પેસમેકર લગાવવાની જરૂર પડી શકે છે. આ સ્થિતિની જાણ ઈલેક્ટ્રો ફિઝિયોલોજી સ્ટડી કરતી વખતે થઈ જાય છે. હૃદયમાં કાણું, માનસિક તાણ, ચા, આલ્કોહોલ અને કોફીનું વધારે સેવન, જંક ફૂડનું વધારે સેવન, ખાંસીશરદી સહિત તમામ રોગની દવા ધબકારાને અનિયમિત કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....