યોગ્ય ઉત્પાદન પસંદ કરવાની સાથેસાથે સ્કિનને નિખારવા માટે યોગ્ય પોષણ મળવું પણ ખૂબ જરૂરી છે. તેથી નેચરલ નિખાર મેળવવા માટે કેટલીક સાવચેતી રાખવા સિવાય પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે :

સ્કિનનો પ્રકાર જાણો : સ્કિનનો પ્રકાર જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે કેટલાય પ્રકારના લોશન છે, જેા વિભિન્ન પ્રકારની સ્કિન માટે બનાવવામાં આવ્યા છે. તેથી સૌપ્રથમ સ્કિન નિષ્ણાત પાસે જાઓ અને તમારી સ્કિનની માહિતી મેળવો.

પાણીની કમી ન થાય : ફેસને નિખારવા અને નિખાર જાળવી રાખવામાં પાણીની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી સ્કિન ચમકતી દેખાય છે. તેથી દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.

ક્લીંઝર : આ સ્કિનની કાળજીના રૂટિનનું સૌથી મહત્ત્વનું સ્ટેપ છે. આ સ્કિન પરથી ગંદકીને દૂર કરીને તેને સાફ રાખે છે, જેથી ફેસ પર ફ્રેશનેસ આવે છે અને સ્કિન સુંદર અને ડાઘરહિત દેખાય છે. તેથી આ ખૂબ જરૂરી છે કે તમારી સ્કિનના પ્રકાર અનુસાર ક્લીંઝર પસંદ કરો. ગુલાબજળ સૌથી શ્રેષ્ઠ ક્લીંઝર છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બધા જ પ્રકારની સ્કિન માટે કામ કરે છે અને તેેની કોઈ આડઅસર પણ નથી થતી. નિયમિત ક્લીંઝરનો ઉપયોગ કરવાથી સ્કિન પર ફ્રેશનેસ જળવાઈ રહે છે.

ફેસવોશ : ઘરે બનાવેલા નેચરલ ઉત્પાદન સૌથી વધારે અસરકારક હોય છે, કારણ કે તેમાં કેટલીક જરૂરી સામગ્રી હોય છે, જે સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઘરે ફેસ પેક બનાવવા માટે ૨ મોટી ચમચી ચણાનો લોટ, ૧ ચપટી ચંદનનો પાઉડર, ૧/૨ ચમચી હળદર પાઉડર, ૧ ચપટી કપૂર અને થોડું ગુલાબજળ લઈને પેસ્ટ બનાવો. પછી તેને ફેસ પર સમાન રૂપે લગાવો અને ૨૦ મિનિટ સુધી લગાવીને રાખ્યા પછી પાણીથી ધોઈ લો. સ્કિનને નિખારવા માટે આ પેકને અઠવાડિયામાં ૧ વાર જરૂર લગાવો. સ્કિન નિખરશે. આ રીતે એક અન્ય ઘરેલુ ફેસ પેક બનાવવા માટે ૧ ચમચી એલોવેરા જેલ, ૧ ચપટી હળદર, ૧ ચમચી દૂધ અને ૧ ચમચી મધ લઈને વ્યવસ્થિત મિક્સ કરો. આ મિશ્રણને ફેસ અને ગરદન પર લગાવો. ૨૦ મિનિટ પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. આ મિશ્રણનો અઠવાડિયામાં ૨ વાર ઉપયોગ કરો. એલોેવેરા જેલ સ્કિનની સમસ્યાને દૂર કરવા માટે શ્રેભ ઉપાય છે. તે સ્કિનની બધા પ્રકારની સમસ્યાને દૂર કરે છે. આ ફેસ પરના સોજા ઘટાડે છે.

ટોનર : ટોનર તમારી સ્કિનમાં ભેજના પ્રમાણને સંતુલિત કરે છે, જેથી એ નિશ્ચિત થઈ જાય છે કે સ્કિન શુષ્ક નહીં થાય. ફેસ માસ્કનો ઉપયોગ કરીને ટોનરનો ઉપયોગ કરવાથી ફેસની ફ્રેશનેસ જળવાઈ રહે છે.

નાળિયેરનું તેલ : નાળિયેળના તેલને મોઈશ્ચરાઈઝિંગ ક્ષમતા સૌથી શ્રેભ હોય છે. દરરોજ ફેસ અને ગરદન પર હળવા ગરમ નાળિયેરના તેલનો ઉપયોગ કરો. આખી રાત લગાવી રાખો. આ શુષ્ક સ્કિન માટે શ્રેભ છે. સ્કિનના સંપર્કમાં આવીને આ કલાકો સુધી ભેજ જાળવી રાખે છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે જે સ્કિન માટે ખૂબ સારું રહે છે. તેમાં મળતા ફેનોલિક કંપાઉન્ડ સ્કિન માટે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે, જેથી સ્કિનમાં નેચરલ નિખાર આવે છે. નાળિયેરની ૧ મોટી ચમચી તેલમાં ખાંડ નાખીને ઉપયોગ કરો. આ ખૂબ ઉત્તમ એક્સફોલિએટર છે. તેનો ઉપયોગ સ્ક્રબની જેમ કરવામાં આવે છે. તેનો અઠવાડિયામાં ૧-૨ વાર ઉપયોગ કરો.

સ્વસ્થ ખોરાક : સ્વસ્થ સ્કિન માટે સૌથી જરૂરી છે સ્વસ્થ ખોરાક. વધારેમાં વધારે ફળોનું સેવન કરો. તે નેચરલ સ્વીટનરની જેમ કામ કરે છે. તમારા ડાયટમાં વધારેમાં વધારે શાકભાજી સામેલ કરો. તેમાં રહેલા વિટામિન અને મિનરલ સ્કિન અને શરીરને સ્વસ્થ રાખશે.

– નિર્મલ રંધાવા.

વધુ વાંચવા કિલક કરો....