વાર્તા – મીરા સિંહા

પોતાના બાળપણના મિત્ર ગગનના ઘરેથી પાછા ફરતા મારા પતિ વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા, ‘‘અરે, જે ને સંકર્ષણનો દેખાવ, વ્યવહાર બધું જ ગગન સાથે કેટલું મળતું આવે છે. લાગે છે જાણે કે તેનો ડુપ્લિકેટ ન હોય. બસ નાક જ તારા જેવું છે. મારું તો કંઈ જ મળતું આવતું નથી.’’ ‘‘કેમ, તમારા જેવું કંઈ જ નથી? બુદ્ધિ તો તમારા જેવી જ છે ને. તમારા જેવો જ હોશિયાર છે.’’ ‘‘હા, એ તો છે, તેમ છતાં દેખાવ અને ટેવ તો થોડી મળતી આવવી જેાઈએ ને.’’ દેખાવ અને ટેવ તો મનુષ્યના પોતાના આભામંડળ અનુસાર જ બને છે અને બની શકે તેના ગર્ભમાં આવ્યા પછીથી જ મેં તેને ગગનભાઈ સાહેબને આપી દેવાનું મન બનાવી લીધું હતું. આ કારણસર પણ તેનો ચહેરોે તેમના જેવો થઈ ગયો હોય. ‘‘હા, તું બરાબર કહે છે, પણ યાર તું તો ખૂબ જ મહાન છે. ખુશીખુશી પોતાનું બાળક ગગનની ઝોળીમાં નાખી દીધું. ‘‘શું કરું? હું તેમની મુશ્કેલીને જેાઈ શકતી નહોતી. ગગનભાઈ સાહેબ અને શ્રુતિ ભાભીને આપણે ક્યારેય પારકા નથી સમજ્યા. તમારા લંડન રહેવા દરમિયાન આપણા પિતા અને આપણા બાળકોનું પણ તેમણે કેટલું ધ્યાન રાખ્યું હતું.’’ ‘‘હા, તે વાત તો સાચી છે.

ગગન અને ભાભી સાથે ક્યારેય પારકાપણું લાગ્યું નથી. તેમ છતાં પણ એક મા માટે પોતાનું સંતાન કોઈને આપવું, ખૂબ જ બહાદુરીભર્યું કામ છે. મારું તો આજે પણ મન થતું હતું કે તેને આપણી સાથે લઈ લઉં.’’ ‘‘કેવી વાત કરો છો તમે? તમે જેાયું નહીં કે ગગનભાઈ સાહેબ અને શ્રુતિ ભાભીની તો પૂરી દુનિયા જ તેની આજુબાજુ સમેટાઈને રહી ગઈ છે.’’ ‘‘તું સાચું કહે છે અને સંકર્ષણ પણ તેમને જ પોતાના માતાપિતા સમજી રહ્યો છે. તે પોતાના અસલી માતાપિતા વિશે તો કંઈ જાણતો પણ નથી.’’ આભાર કે મારા પતિને કોઈ પણ પ્રકારની શંકા ન થઈ, નહીં તો હું તો ડરી ગઈ હતી કે આ રહસ્ય તેમની સામે ન ખૂલી જાય કે સંકર્ષણના પિતા હકીકતમાં ગગન જ છે. આજે ૧૭ વર્ષના લગ્ન જીવનમાં આ જ એક એવું રહસ્ય છે જેને મેં મારા પતિથી છુપાવી રાખ્યું હતું અને તે કદાચ અંતિમ પણ હશે. ?આ રહસ્યને આપણે પરિસ્થિતિવશ થયેલી ભૂલની સંજ્ઞા તો આપી શકીએ છીએ, પણ એક અપરાધ ક્યારેય ન કહી શકીએ. તેમ છતાં હું જાણું છું કે આ રહસ્ય પરથી પડદો ઊઠતા ૨ પરિવાર બરબાદ થઈ જશે, તેથી આ રહસ્યને દિલમાં દબાવીને રાખ્યું છે.

ગગન મારા પતિના બાળપણના મિત્ર છે. ગગન દૂબળાપાતળા, શાંત અને થોડાઘણા ભણવામાં કમજેાર હતા, જ્યારે મારા પતિ ગુસ્સાવાળા, ઊંચા કદકાઠીના અને હિંમતવાળા હતા. ઘરનું વાતાવરણ પણ બંનેનું અલગ હતું. ગગન ગરીબ પરિવારના હતા જ્યારે મારા પતિ ઉચ્ચ મધ્યમવર્ગ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. આટલી ભિન્નતા હોવા છતાં બંનેની મિત્રતા ઉદાહરણ આપવા યોગ્ય હતી. ગગનને જે ભૂલથી પણ કોઈ કંઈ કહી દેતું તો તેનું આવી જ બનતું. આ જ રીતે મારા પતિ આશિષે કહેલી દરેક વાત ગગન માટે બ્રહ્મવાક્ય જ રહેતી હતી. ધીરેધીરે સમય પસાર થતો ગયો અને મારા પતિની આઈએએસમાં પસંદગી થઈ ગઈ અને ગગને પોતાનો નાનોમોટો બિઝનેસ શરૂ કરી દીધો, જેમાં મારા સસરાએ પણ આર્થિક મદદ કરી હતી. મારા પતિના અભ્યાસ દરમિયાન મારા સાસુનું મૃત્યુ થયું હતું. તે સમયે ગગનની માએ જ મારા પતિને માનો પ્રેમ આપ્યો હતો અને મારા સસરાએ પણ ગગનને પોતાના પરિવારના સભ્યની જેમ જ સમજ્યો હતો અને તેઓ કહેતા હતા કે કુદરતે તેમને ૨ દીકરા આપ્યા છે.

એક આશિષ અને બીજેા ગગન. સંજેાગ જુઓ કે બંનેના લગ્ન પછી જ્યારે હું અને શ્રુતિ આવ્યા ત્યારે પણ આ બંનેના પરિવારમાં કોઈ પણ પ્રકારનો અલગાવ ન આવ્યો. મારે અને શ્રુતિને પણ સારું બનતું હતું. જેાકે જ્યારે પણ લોકો અમારા ચારેયની મિત્રતાને જેાતા ત્યારે કહેતા કે આ મૈત્રી પણ કદાચ કુદરતનો ચમત્કાર જ છે, જ્યાં ૨ અલગ પરિવેશ અને ભિન્ન માનસિકતા ધરાવતી વ્યક્તિ અભિન્ન બની ગઈ છે. મારે પતિની બદલીના કારણે અલગઅલગ શહેરમાં રહેવું પડતું હતું. આ સ્થિતિમાં સસરા એકલા પડી ગયા હતા. તેમને પોતાનું શહેર છોડીને આમ એક શહેરથી બીજા શહેર ભટકવું મંજૂર નહોતું. તેથી ગગન અને તેમની પત્ની જ તેમની પૂરી કાળજી લેતા હતા. તેમને દીકરાવહુની ક્યારેય ખોટ પડવા દીધી નહોતી. સમય પસાર થતો ગયો. એક તરફ હું ૨ બાળકોની મા બની ગઈ હતી, જ્યારે બીજી તરફ ગગનની પત્નીને ઘણી વાર ગર્ભ રહેતો, પરંતુ ગર્ભપાત થઈ જતો હતો. ડોક્ટરનું કહેવું હતું કે તેમની પત્નીના ગર્ભાશયમાં કોઈ એવી ખામી છે જે ગર્ભને ઉછેરવા નથી દેતી. દરેક સમયે ગર્ભપાત પછી બંને પતિપત્ની ખૂબ જ દુખી થઈ જતા હતા. તેમાં પણ ગગનની પત્ની શ્રુતિની તો હાલત ખરાબ થઈ જતી હતી. એક તો ગર્ભપાતના કારણે કમજેારી અને બીજું માનસિક આઘાત. દિવસેદિવસે તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ડોક્ટરે સલાહ આપી કે હવે પોતાની જ કૂખે જન્મનાર બાળક વિશે ભૂલી જાઓ અથવા તો કોઈ બાળકને દત્તક લઈ લો કે પછી ભાડાની કૂખનો સહારો લઈ લો નહીં તો પત્નીની જિંદગી જેાખમમાં મુકાઈ શકે છે. પરંતુ ગગન અને શ્રુતિને ડોક્ટરની વાત પર વિશ્વાસ ન થયો. ગગને મને કહ્યું, ‘‘ભાભી હવે તો મેડિકલ સાયન્સે ખૂબ પ્રગતિ કરી છે. જેા કોઈ ખામી હશે તો તે દવાથી દૂર થઈ શકે છે. આ શહેરના તો બધા ડોક્ટર પાગલ છે.

હું દેશના સૌથી મોટા ગાયનેકોલોજિસ્ટને બતાવીશ, પછી જેાજેા, અમારા ઘરે પણ અમારા બાળકની કિલકારીઓ ગુંજવા લાગશે.’’ અને ત્યાર પછી તો ખરેખર તેમણે દેશના સૌથી પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટને બતાવ્યું. તેમને હવે આશા બંધાઈ કે સમય જરૂર લાગશે, પણ બધું સારું થશે. બીજી તરફ મારા પતિને ડેપ્યુટેશન પર ૩ વર્ષ માટે લંડન જવું પડ્યું. હું સાથે જઈ શકી નહોતી. બાળકો ભણવા લાયક થઈ ગયા હતા અને સસરા પણ અસ્વસ્થ રહેતા હતા. હવે તેમને પણ માત્ર ગગનના ભરોસે છોડી શકાય તેમ નહોતા. આખરે અમારી પતિપત્નીની પણ કોઈ જવાબદારી બનતી હતી ને. આશિષના લંડન પ્રવાસ દરમિયાન સસરાનું મૃત્યુ થઈ ગયું. ગમે તે રીતે થોડા દિવસની રજા લઈને આશિષ આવ્યો અને પાછો ચાલ્યો ગયો. બીજી તરફ ગગનની પત્નીને ફરી એક વાર ગર્ભ રહ્યો. જેાકે આ વખતે દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવી હતી. ગગન તો પોતાની પત્નીને જમીન પર પગ જ મૂકવા દેતો નહોતો. આમ પણ ડોક્ટરે કંપ્લીટ બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું. ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ વગેરે કરાવવાની પણ મનાઈ ફરમાવી હતી, જેથી તેના રેઝથી ગર્ભને નુકસાન ન થાય. ધીરેધીરે ગર્ભ પૂરા સમયનો થઈ ગયો.

ગગન, તેની પત્ની અને તેની માનો ચહેરો બાળકના આગમનની ખુશીમાં ખૂબ જ ઉત્સાહિત રહેવા લાગ્યો હતો. જેાકે પ્રસન્નતા મને પણ ઓછી નહોતી. નિશ્ચિત સમય પર શ્રુતિને પ્રસવ પીડા શરૂ થઈ. લાગતું હતું કે બધું સામાન્ય થઈ જશે. હું પણ પોતાના બાળકોને મા પાસે મૂકીને ગગનના પરિવાર સાથે હતી. આખરે આ મુશ્કેલ સમયમાં હું તેમનો સાથ ન આપતી તો બીજું કોણ આપતું, પરંતુ ૧ અઠવાડિયા સુધી પ્રસવ પીડા વેઠ્યા પછી પણ કોઈ પરિણામ ન આવ્યું. ડોક્ટર પણ સામાન્ય ડિલિવરીની રાહ જેાતાંજેાતાં થાકી ગયા હતા. અંતે તેમણે ઓપરેશનનો નિર્ણય કરી લીધો, પરંતુ ઓપરેશનથી જે બાળકનો જન્મ થયો, તે તો ભયાનક ચહેરાવાળું, ૨ માથા અને ૩ હાથ ધરાવતું બાળક હતું. જન્મતાની સાથે જ તેણે એટલા જેારથી રડવાનું શરૂ કર્યું કે બધી નર્સ તેને ત્યાં જ મૂકીને ડરીને ભાગી ગઈ. ડોક્ટરે આ સમાચાર ગગનને આપ્યા. ગગન પણ બાળકને જેાઈને આશ્ચર્યમાં પડી ગયો. એ તો સારું થયું કે આ બાળક માત્ર અડધા કલાકમાં જ આ દુનિયામાંથી વિદાય થઈ ગયું. જેાકે ગગનની પત્ની તો હજી બેભાન હતી. ગગન જ્યારે બાળકને દફનાવીને પાછો ફર્યો ત્યારે એટલો થાકેલો, હારેલો, લાચાર દેખાતો હતો કે વાત જ ન પૂછો. ગગનની માએ મને કહ્યું, ‘‘સીમા, તું ગગનને લઈને ઘરે જ. તે ખૂબ જ પરેશાન છે. થોડો આરામ કરશે તો આ પરેશાનીમાંથી બહાર આવી શકશે. હું અહીં હોસ્પિટલમાં રોકાઉં છું.’’ મેં વિરોધ કર્યો, ‘‘આંટી, તમે અને ગગનભાઈ ચાલ્યા જાઓ. હું અહીં રોકાઉં છું.’’ પરંતુ ગગન તરત ઊભો થઈ ગયો અને કહ્યું, ‘‘ચાલો ભાભી, આપણે જઈએ.’’ હું અને ગગન રૂમમાં આવી ગયા. રૂમમાં આવીને મેં ગગન ઉપર સાંત્વનાભર્યો હાથ હજી તો મૂક્યો જ હતો કે તેનો આટલા સમયથી રોકી રાખેલો ધીરજનો બંધ તૂટી ગયો. તે મારા ખોળામાં માથું મૂકીને ડૂસકાં ભરીભરીને રડવા લાગ્યો, ‘‘હું શું કરું ભાભી? મારી સમજમાં કંઈ જ નથી આવી રહ્યું. શ્રુતિ જ્યારે ભાનમાં આવશે ત્યારે તેને હું શું જવાબ આપીશ? આના કરતા તો ગર્ભ રહ્યો જ ન હોત તો સારું થાત… શ્રુતિ શું આઘાત સહન કરી શકશે? મને તેની ખૂબ જ ચિંતા થઈ રહી છે. તેનો સામનો કરવાની મારી હિંમત નથી. હું ક્યાંક ચાલ્યો જઈશ. ભાભી તમે જ તેને સંભાળી લેજે.’’ મારી સમજમાં નહોતું આવી રહ્યું કે કયા શબ્દોમાં તેને સાંત્વના આપું. માત્ર તેના વાળમાં હાથ ફેરવતી રહી. ત્યાર પછી તો અમને બંનેને આ જ મુદ્રામાં ઝોકું આવી ગયું અને આ સમયગાળા દરમિયાન ક્યારે પ્રકૃતિ અને પુરુષનું મિલન થઈ ગયું તેની અમને બંનેને ખબર જ ન રહી. જેાકે ગગન અપરાધબોજથી ભરાઈ ગયો હતો. અપરાધબોજ મને પણ ઓછો નહોતો, કારણ કે જે કંઈ પણ અમારી બંને વચ્ચે થયું હતું તેને ન તો બળાત્કારની સંજ્ઞા આપી શકાય તેમ છે કે ન તો બેવફાઈની. અમે બંને સમાન રૂપે અપરાધી હતા…

પરિસ્થિતિના ષડ્યંત્રના શિકાર. પછી તો ગગન તેની પત્નીને લઈને દૂર કોઈ પવર્તીય સ્થળ પર ચાલ્યો ગયો હતો. આશિષ થોડા દિવસ પછી પાછો આવવાનો હતો અને અમને લઈને પાછો જવાનો હતો, કારણ કે આશિષને પણ ત્યાં સારી જેાબ મળી ગઈ હતી. તેણે પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેાકે મને દેશ અને આટલી સારી નોકરી છોડીને વિદેશ જવું સ્વીકાર્ય નહોતું, પરંતુ આશિષ પર તો પૈસા અને વિદેશનું ભૂત જ સવાર થઈ ગયું હતું. આશિષ જ્યારે આવ્યો ત્યારે મને જાણ થઈ કે હું તો ફરીથી મા બનવાની છું. મને સારી રીતે ખબર હતી કે આ બાળક તો ગગનનું જ છે. આશિષ ને જ્યારે જાણ થઈ ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો અને કહ્યું, ‘‘આટલી સાવચેતી રાખ્યા પછી પણ આવું કેવી રીતે થયું?’’ મેં કહ્યું, ‘‘હવે થઈ ગયું છે તો શું કરીશું?’’ પછી આશિષે કહ્યું, ‘‘એબોર્શન કરાવી લે. હાલમાં નવા દેશમાં આપણને અને બાળકોને એડજસ્ટ કરવામાં સમય લાગશે. આ બધો ઝમેલો કેવી રીતે સંભાળીશું?’’ મેં કહ્યું, ‘‘મારા મનમાં એક વાત ચાલી રહી છે. શ્રુતિ ભાભી ખૂબ જ દુખી છે, ડિપ્રેશનમાં આવી ગયા છે, કદાચ હવે તેમને બીજું બાળક પણ ન થાય? તો પછી આપણે આ આવનાર બાળક તેમને આપી દઈએ તો કેવું રહે.’’ ‘‘તારું મગજ તો ઠેકાણે છે ને? પોતાનું બાળક કોઈ બીજાને કેવી રીતે આપી શકે છે?’’ આશિષે કહ્યું. ‘‘કેમ? તે કોઈ પારકા તો નથી ને… પછી તમે તે એબોર્શન કરાવવાની વાત કરતા હતા… કમ સે કમ બાળક જીવિત તો રહેશે ને અને તે લોકોના જીવનમાં પણ ખુશી આવી જશે.’’ ‘‘તે વાત તો બરાબર છે.’’ આશિષે હથિયાર હેઠા મૂકતા કહ્યું, ‘‘પરંતુ શું ગગન અને ભાભી આ વાત સ્વીકારશે ખરા?’’ ‘‘ચાલો, તેમને વાત કરી જેાઈએ.’’ જ્યારે અમે ગગનભાઈ અને શ્રુતિભાભીને આ વાત કરી ત્યારે તેમને તો વિશ્વાસ જ ન થયો. ગગન બોલ્યો, ‘‘એ કેવી રીતે બને ભાભી? તમે તમારું બાળક આપી દો.’’ મેેં કહ્યું, ‘‘અમારા અને તમારા બાળકો અલગ થોડા છે.’’ મારી આ વાત પર ગગને ચોંકીને મારી આંખમાં જેાયું. મેં પણ તેમની આંખમાં પોતાની વાત ચાલુ રાખી, ‘‘કૃષ્ણના ભાઈ બલરામની કહાણી તો જાણો છો ને? તેમને સંકર્ષણ વિધિ દ્વારા દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તો પછી એમ જ સમજી લો કે આ બાળક તમારા બંનેનું જ છે, માત્ર ગર્ભમાં મારું છે.

જેા દીકરો થશે તો તેનું નામ સંકર્ષણ રાખજે.’’ પરંતુ ન તો શ્રુતિને કે ન આશિષને આટલી પૌરાણિક કથાનું જ્ઞાન હતું, માત્ર હું અને ગગન જ આ અંતનિહિત ભાવને સમજી શક્યા હતા. પછી મેં કહ્યું, ‘‘મને પૂરો વિશ્વાસ છે કે તમે તેને ખૂબ જ પ્રેમ કરશો.’’ બાળકની કલ્પના માત્રથી ગગનની પત્નીની આંખમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘‘ખરેખર ભાભી, શું તમે આવું કરી શકશો?’’ ‘‘કેમ નહીં? તમે કોઈ પારકા થોડા છો.’’ પરસ્પરની સહમતી બની ગઈ કે હું હમણાં આશિષ સાથે લંડન નહીં જાઉં. બાળકને જન્મ આપ્યા પછી તેને શ્રુતિને સોંપીને જ લંડન જઈશ અને મેં એવું કર્યું પણ ખરું. બાળકને હોસ્પિટલમાંથી લઈને નીકળતા જ શ્રુતિના ખોળામાં મૂકી દીધું અને ત્યાર પછી આશિષની પાસે બાળકોને લઈને લંડન ચાલી ગઈ. તે સમય પછી તો ઘણી વાર ભારત આવવું થયું, પરંતુ પિયરથી જ પાછી જતી હતી. હું ડરતી હતી કે ક્યાંક મારું માતૃત્વ જાગૃત ન થઈ જાય. ક્યારેક-ક્યારેક આ વાત પર સંકોચ પણ થાય છે કે મેં બેકારમાં પોતાના બાળકને પારકા ખોળામાં મૂકી દીધું. પછી એમ પણ લાગતું કે કદાચ મેં યોગ્ય જ કર્યું છે, નહીં તો તેને જેાઈને મનમાં એક અપરાધભાવ ચોક્કસ રહેતો. જેાકે આશિષ પૂરી હકીકતથી અજાણ હતા. તેથી જ તો તેમનું પિતૃત્વ પોતાના બાળકને મળવા બેચેન થઈ જતું હતું. તેમની જ જિદ્દ હતી કે હવે જઈએ ત્યારે ગગનના ઘરે જવાનો કાર્યક્રમ બનાવજે. સંકર્ષણને મળ્યા પછી આશિષની આવનાર પ્રતિક્રિયાથી મને તો ડર જ લાગી રહ્યો હતો કે ક્યાંક આ રહસ્ય પરથી પડદો ન ઊઠી જાય અને ૨ પરિવારની સુખશાંતિ ખંડિત થઈ ન જાય. પરંતુ આશિષના મારા અને ગગન પરના અતૂટ વિશ્વાસે તેમની માનસિકતાની દિશા આ રહસ્ય તરફ ન વાળી, નહીં તો હું ફસાઈ જ ગઈ હોત, કારણ કે આજદિન સુધી હું ક્યારેય તેમની સમક્ષ ન તો જૂઠું બોલી છું કે ન તો કોઈ વાત તેમનાથી છુપાવી છે, વિશ્વાસઘાત તો દૂરની વાત છે અને એટલું તો હું આજે પણ પૂરા મનથી કહી શકું છું કે મેં અને ગગને ન તો કોઈ વિશ્વાસઘાત કર્યો છે કે ન કોઈ બેવફાઈ કરી છે, પરંતુ હા, ભૂલ ચોક્કસ કરી હતી. જેાકે આ વાતને છુપાવવા માટે વિવશ જરૂર છું, કારણ કે આ ભૂલની જાણ થતા ૨ પરિવાર નાહકના તૂટવાની અણી પર પહોંચી જશે. તેથી હું આ વિષય પર બિલકુલ મૌન જ રહી.

વધુ વાંચવા કિલક કરો....