અમેરિકાની ‘ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન’ (એફબીઆઈ) દ્વારા ૨૦ વર્ષ પછી શોધી કાઢેલા એક બળાત્કારીને કેસ્ટ્રેશનની સજા આપવાનો ઈન્કાર કરતા અમેરિકાની ફેડરલ કોર્ટના જજે લખ્યું હતું કે કેસ્ટ્રેશન બળાત્કારની સમસ્યાથી મુક્તિનો વૈજ્ઞાનિક માર્ગ નથી, કારણ કે કેસ્ટ્રેશનથી બળાત્કારની ઈચ્છા નાબૂદ નથી થતી અને બળાત્કાર એક્ટથી વધારે ઈંસ્ટિક્ટ છે, એટલે કે કરતૂતથી વધારે પ્રવૃત્તિ છે.

આપણા દેશમાં બીભત્સ બળાત્કાર કાંડ પછી એક મોટા વર્ગ દ્વારા બળાત્કારીઓને કેસ્ટ્રેશનની સજા આપવાની માગણી ઉઠાવવામાં આવે છે અને છાપામાં નવા અને જૂના હવાલાની સાથે આ સંબંધમાં એક મત બનાવવાની કોશિશ જેાવા મળે છે, ત્યારે પણ જસ્ટિસ વર્મા સમિતિએ પોતાના આ સલાહ રિપોર્ટમાં આ જેાગવાઈને સામેલ નથી કરી, જેના આધારે બળાત્કારને અટકાવવા માટે કડક કાયદો બનાવવામાં આવે છે.
જેાકે મનોવૈજ્ઞાનિકો આ વાતને દલીલો દ્વારા સાબિત કરી ચૂક્યા છે કે બળાત્કાર એક માનસિક ઉન્માદ છે. તે શક્તિશાળી ગતિવિધિના રૂપે ભલે ને દેખાતો હોય અને ઓળખાતો હોય, પરંતુ વાસ્તવમાં તે એક માનસિક ગુસ્સો અને માનસિક ભૂખ છે. આ જ કારણસર બળાત્કાર કરનારા વિશે જે ખુલાસા થાય છે, તેમાં બધા ખુલાસા એવા હોય છે જે પહેલી નજરે આશ્ચર્ય પમાડનાર હોય છે.

સીરિયલ બળાત્કારીનો ડર
વર્ષ ૧૯૯૭-૯૮ માં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં એક સીરિયલ બળાત્કારીનો ખૂબ ડર હતો જેા નાનીનાની બાળકી સાથે બળાત્કાર કરીને તેમને બીભત્સ રીતે મોતને ઘાટ ઉતારી દેતો હતો. જ્યારે આ માનસિક રીતે વિકૃત બળાત્કારી હરિયાણાના બહાદુરગઢમાં પકડાઈ ગયો ત્યારે જાણ થઈ કે તેની અંદરની ગૂંગળામણ હતાશા અને હીનભાવનાને વ્યક્ત કરતી હતી. હકીકતમાં તે દરેક સમયે એ વાતને ચકાસવાની કોશિશ કરતો હતો કે તેના માટે સંબંધ બનાવવો શકય છે કે નહીં અને જ્યારે તે નિષ્ફળ રહેતો ત્યારે નાની બાળકીઓની પણ હત્યા કરતો હતો.

નોઈડાના ખૂબ ચર્ચિત નિઠારી હત્યાકાંડમાં કોલી વિશે આ હકીકત સામે આવી હતી. કહેવાય છે કે આ જ ગૂંગળામણમાં પોતાના માલિક સાથે મળીને નાના બાળકોનું યૌન શોષણ કરતો હતો અને ત્યાર પછી તેમની ખૂબ નિર્દયતાથી હત્યા કરી નાખતો હતો.
કેસ્ટ્રેશન કયા પ્રકારના બળાત્કારને અટકાવવામાં અસમર્થ સાબિત થઈ શકે છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટા પાયે હિજડા, જે કેસ્ટ્રેશનનો શિકાર હોય છે, સેક્સ પ્રવૃત્તિમાં લિપ્ત હોય છે, પછી ભલે ને સક્રિય હોય કે નિષ્ક્રિય.
આ વાત પરથી એ પણ સાબિત થાય છે કે કેસ્ટ્રેશનનું બળાત્કારમાં અસરકારક હોવું મુશ્કેલ છે. બળાત્કાર જેવા સામાજિક દૂષણથી મુક્તિ ત્યારે પ્રાપ્ત કરી શકાય, જ્યારે સેક્સ એક સામાજિક બહિષ્કાર ન હોય. હકીકતમાં, બળાત્કારની સમસ્યાથી બચવા માટે કેસ્ટ્રેશનનો વિચાર નિર્ભયા કાંડ અથવા હાથરસની ઘટના પરથી આવ્યો નહોતો, પરંતુ તે પહેલા આ વિશે ચર્ચા અને દલીલો તે સમયે જેારદાર રીતે શરૂ થઈ ગઈ હતી, જ્યારે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ ના રોજ દિલ્લીની એક તે સમયની અતિરિક્ત જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું, ‘‘મારા હાથ બંધાયેલા છે, તેથી હું એ જ સજા સંભળાવી શકું છું, જેની જેાગવાઈ છે, પરંતુ મારી સંવેદના મને એમ કહેવા મંજૂરી આપે છે કે હવે સમય આવી ગયો છે કે દેશના કાયદા બનાવનાર વિદ્વાનો બળાત્કારની વૈકલ્પિક સજા રૂપે રાસાયણિક અથવા સર્જિકલ ખસ્સીકરણ વિશે વિચારે જે રીતે બીજા દેશમાં જેાગવાઈ છે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....