ભારતીય મધ્યમ વર્ગને સારા બચતકર્તાના રૂપે ઓળખવામાં આવે છે. વિભિન્ન રિપોર્ટ અનુસાર તેઓ પોતાની આવકનો લગભગ ૨૫ ટકા ભાગ બચાવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વર્ગ પોતાની બચતનું સ્માર્ટ રીતે રોકાણ કરી રહ્યો છે? મોટાભાગના ભારતીય લોકર અથવા બેંકમાં રોકડ રાખવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આ રોકડને પોતાના લોકરમાં મૂકી રાખવાથી વધારે સારો વિકલ્પ બીજેા કયો છે?
સમયની સાથે એમ પણ રોકડ રકમ ઓછી મૂલ્યવાન બની જાય છે. ઉદાહરણ તરીકે જેાઈએ તો ૧૦ વર્ષ પહેલાંના ૧૦૦ રૂપિયાનું મૂલ્ય આજના રૂપિયા ૧૦૦ કરતા ગણું વધારે હતું. તેથી રોકડને પોતાની પાસે રાખવાના બદલે આપણે રોકડનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જેાઈએ, જેથી આપણે ફુગાવાને હરાવી શકીએ. તેમ છતાં મોટાભાગના રોકાણકારો ફુગાવાને ધ્યાનમાં નથી લેતા. મનોવૈજ્ઞાનિકો તેને ધનનો લાભ જણાવે છે.
જેા ફુગાવામાં ૭ ટકાનો વધારો થયો હોય તો વેતનમાં ૫ ટકાનો વધારો પ્રભાવી રૂપે આપણી પાસેના નાણાંમાં એક કાપ હોય છે. તેમ છતાં સામાન્ય રીતે લોકો આ પરિદશ્યમાં ૧ વર્ષ દરમિયાન ૧ ટકા વેતનમાં કાપ પસંદ કરે છે જ્યારે ફુગાવો શૂન્ય હોય છે. તેથી પોતાના રોકાણની સફળતાને એ વાતથી માપો કે ફુગાવા પછી તમે કેટલું પોતાની પાસે રાખી રહ્યા છો એ વાત વિચાર્યા વિના કે તમે પોતાના રોકાણમાંથી કેટલું કમાઈ રહ્યા છો.

રોકાણ કરવાનું કેવી રીતે શરૂ કરશો
શેરબજારમાં પગ મૂકતા પહેલાં કેટલીક પાયાની વાત જાણી લેવી જરૂરી રહે છે. તેથી યૂટ્યૂબ પરના વીડિયો જેાઈને અથવા પુસ્તકો વાંચીને સ્વયંને સૌપ્રથમ શિક્ષિત કરો. શેરબજારને સારી રીતે સમજી લેવાથી તમને ઉત્તમ નાણાકીય નિર્ણય લેવામાં મદદ મળશે. નવી ફાઈનાંસ પ્રોડક્ટની જાણકારી રાખો અને ઉદ્યોગોના જાણકાર દ્વારા રોકાણ પર લખેલા પુસ્તકો વાંચો. નાણાકીય સમાચાર વિશેની સામાન્ય જાગૃતિ પણ સ્માર્ટ રીતે રોકાણ કરવાની એક સારી રીત છે.
બીજું પગલું એ છે કે જલદી રોકાણ શરૂ કરવું, જે નિશ્ચિત રીતે બચત કરાવે છે અને ભલે ને તમે તમારા જીવનના આ બિંદુને પસાર કરી લીધું હોય, પરંતુ ક્યારેય ન કરવા કરતા ભલે ને થોડું મોડું, પણ રોકાણ કરવાનું છે. શરૂઆતનું રોકાણ એ વાતને સુનિશ્ચિત કરી શકે છે કે તમારા પૈસાને પર્યાપ્ત કોર્પસ ફંડમાં વિકસિત થવા માટે પૂરતો સમય મળી જાય છે, જે તમને જરૂરિયાતના સમયે અથવા જ્યારે તમે રિટાયર થવાનો નિર્ણય કરો છો ત્યારે તમને હેલ્પ કરશે.
જીવનમાં બીજી કોઈ પણ વસ્તુની જેમ નિરંતરતા મહત્ત્વ ધરાવતી હોય છે અને તેથી સ્માર્ટ રોકાણ કરવા માટે નિરંતરતા જાળવી રાખો. વર્ષમાં માત્ર એક વાર અથવા મન થાય ત્યારે રોકાણ ન કરો, કારણ કે આમ કરવું પૂરતું નથી. પૈસામાં સારી રીતે વૃદ્ધિ કરવા અને અનુશાસિત રોકાણ કરવા માટે દર મહિને એક નક્કી રકમને અલગ કરીને રાખો. આ અનુશાસનનું પાલન કરવા માટે વ્યવસ્થિત રોકાણ યોજના (એસઆઈપી) અને ઓટો ચુકવણીનો વિકલ્પ ઉત્તમ છે, જે સુનિશ્ચિત કરે છે કે યાદ રાખીને દર મહિને એક નિશ્ચિત રકમ રોકાણ માટે રાખવામાં આવે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....