રક્ષિતા એક સંયુક્ત પરિવારની નાની વહુ હતી. તેમના પરિવારનો રેડીમેડ કપડાનો મોટો વેપાર હતો. તે ભણેલીગણેલી તો હતી, તેથી લગ્ન પછી તે પણ વેપારમાં મદદ કરવા લાગી. તેની ૨ જેઠાણી ઘરે રહેતી, જ્યારે તે દરરોજ તૈયાર થઈને દુકાને જતી અને બિઝનેસમાં મદદરૂપ બનતી, પરંતુ તેની આર્થિક સ્વતંત્રતા બિલકુલ તેની જેઠાણીના સ્તરની રહી હતી. તે એક કર્મચારીની જેમ કામ કરતી અને નાણાકીય બાબતમાં તેના વિચારોને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નહોતું. રક્ષિતાને પણ આ વેપારમાં કોઈ ખામી દેખાતી નહોતી અને ઘરની બહાર જવાના અધિકારની ખુશીમાં તે સંતુષ્ટ રહેતી હતી. તેના સસરા, જેઠ અથવા તેના પતિ વિચારી શકતા નહોતા કે ઘરની મહિલાઓને આવકખર્ચ, બચત કે હિસાબકિતાબ જાણવાની જરૂર છે. જ્યારે કેટલીક મહિલાઓ એમ માની લેતી હોય છે કે ઘરની નાણાકીય બાબત તેમના માટે નથી.

શર્મા કોવિડગ્રસ્ત થઈને ૭૫ વર્ષની ઉંમરે મરણ પામ્યા. બધું એટલું અચાનક બની ગયું કે તેમની પત્ની જિંદગીમાં આવેલા બદલાવથી ડઘાઈ ગઈ હતી. આર્થિક રીતે શર્મા દંપતી ખૂબ સંપન્ન હતા. શર્માના મરણ પછી પણ મજબૂત બેંક બેલેન્સ પેન્શન અને ઈંશ્યોરન્સની આર્થિક મજબૂત સુરક્ષા હતી, પરંતુ અફસોસ એ વાતનો હતો કે શર્માની પત્ની પોતાની આર્થિક સુદઢતાથી સંપૂર્ણ રીતે અજાણ હતી. લગ્નના શરૂઆતના દિવસથી તેમણે ક્યારેય શીખવાની અથવા જાણવાની કોશિશ કરી નહોતી કે ઘરમાં કેટલા પૈસા આવી રહ્યા છે, ક્યાં ખર્ચ થઈ રહ્યા છે કે પછી તેની ક્યાં બચત કરવામાં આવી રહી છે. શર્મા તો હંમેશાં તેમના માટે એટીએમ સમાન રહ્યા હતા.

બાળકો પર નિર્ભરતા
દીકરાના પુખ્ત થતા અને રિટાયરમેન્ટ પછી શર્માએ પોતાની પત્ની ઉર્મિલાને પોતાનું નાણાકીય સ્ટેટસ સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. આ જ રીતે બેંક અને ઓનલાઈન ટ્રાંજેક્શન સમજાવવાની પણ, પરંતુ ઉર્મિલાને એમ લાગતું કે કોણ આ બધી માથાકૂટમાં પડે, જ્યારે પતિ બધું કરી લે છે. હવે જ્યારે શર્મા નથી રહ્યા ત્યારે અચાનક તે સંપૂર્ણ રીતે પોતાના દીકરા પર નિર્ભર બની ગયા. તે એકલા રહેવા લાયક તો આ ઉંમરે હતા નહીં, તેથી હવે એકએક રૂપિયા માટે દીકરા પરની નિર્ભરતા તેમને ખૂબ ખૂંચતી, પરંતુ તેમની પાસે બીજેા કોઈ રસ્તો નહોતો. ઉર્મિલાથી વિપરીત કંચન વાજપેયીએ ભલે મોડું, પરંતુ બધું શીખી લીધું હતું અને પોતાના આત્મસન્માનની સાથે જીવન જીવી રહ્યા હતા. ક્યારેક જરૂર પડતા બાળકો અથવા બીજા કોઈની તે મદદ લેતા. જેાકે તેઓ પણ ઉર્મિલાની જેમ એક ગૃહિણી હતા અને પહેલા નાણાકીય જણકારી તેમની પણ શૂન્ય હતી.
અહીં વાજપેયીએ ક્યારેય જણાવવાની જરૂર સમજી નહોતી કે ‘હું છું જ ને’. પરંતુ તેમના મૃત્યુના ૧૦ વર્ષ પહેલાં જ્યારે તેમને પહેલી વાર હાર્ટએટેક આવ્યો તો ત્યારે તેમની પત્નીની અજ્ઞાનતાના લીધે તેમને સગાંસંબંધી અને મિત્રો પર નિર્ભર રહેવું પડ્યું હતું. હોસ્પિટલના બિલ ચૂકવવાથી લઈને બીજી ઘણી બધી બાબતો માટે. પછી સ્વસ્થ થતા તેમણે નક્કી કરી લીધું કે હવે પત્નીને બધું શીખવવું છે. ૬૦ વર્ષના કંચન વાજપેયી ન માત્ર એટીએમમાંથી પૈસા ઉપાડે છે, પરંતુ વિભિન્ન ઓનલાઈન પોર્ટલ પરથી ટ્રાંજેક્શન કરતા પણ તેમને આવડે છે. ક્યાં કઈ બેંકમાં કેટલા પૈસા છે, કોણ નોમિની છે, ખર્ચાના પૈસાને કયા એકાઉન્ટમાંથી ઉપાડવાના છે વગેરે તમામ જાણકારી તેમને છે. પોતાની આ નાણાકીય જાગૃતિના લીધે તે નિર્ણય લેવાની ક્ષમતા પણ રાખતા થઈ ગયા છે અને બાળકોના ઘરમાં એક ફર્નિચરની જેમ રહેવાના બદલે તે પોતાના ઘરમાં પોતાની ઈચ્છાનુસાર રહે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....