કેટલાય સમયથી સેલિબ્રિટી બ્રેકઅપ સમાચારોમાં છવાયેલા છે. પહેલાં સલમાનકેટરિના, ફરહાનઅધુના, બિપાશાજ્હોન અચાનક અલગ થઈ ગયા હવે મલાઈકાઅરબાઝે અલગ થઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. નાના પડદાના જાણીતા અભિનેતા કરણ સિંહ ગ્રોવરના તેની પ્રથમ પત્ની શ્રદ્ધા નિગમ સાથે છૂટાછેડા, પછી જેનિફર સાથે લગ્ન અને પછી છૂટાછેડા, પછી બિપાશા બસુ સાથે લગ્ન. આ સંબંધ કેટલા દિવસ કે હંમેશાં ચાલશે, એ જેાવાનું બાકી છે. આપણને કોઈ સેલિબ્રિટીને જેાઈને વિચાર આવે છે કે વાહ, શું કપલ છે. ખબર પડે છે કે તે કપલનું પણ બ્રેકઅપ થઈ ગયું અને આપણો આધુનિક સંબંધ પર વિશ્વાસ ડગમગવા લાગે છે. રણબીર અને દીપિકાની જેાડી જેાવાલાયક હતી. આજે પણ બંનેના ફેન્સ બંનેને સાથે જેાવા ઈચ્છે છે. રિતિક રોશને જ્યારે સુઝૈન સાથે લગ્ન કર્યા ત્યારે કેટલાય દિલ તૂટી ગયા, પણ હવે તો તે પણ અલગ થઈ ગયા. હોલીવુડના જેાન બ્રેડપિટ અને જેનિફરનો પ્રેમ એક ઉદાહરણરૂપ હતો, પણ એંજેલિના સાથે બ્રેડપિટનો સંબંધ થતા તેમનું બ્રેકઅપ થઈ ગયું. બેન હિંજિસ અને લોરેન બુશનેલ, કેટીપેરી અને ઓલેન્ડો બ્લૂમ, રિચર્ડ પેરી અને જેાન ફોંડા, નિકી મિનાજ અને મીક મિલના બ્રેકઅપે પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ટેલિવિઝનના જાણીતા અદાકારા દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા બંને ‘બનૂં મૈં તેરી દુલહન’ ના સેટ પર મળ્યા હતા. આ સંબંધ ૭ વર્ષ ચાલ્યો, પણ પછી તૂટી ગયો. કરણ પટેલ અને કામ્યા પંજાબીનો સંબંધ પણ ખૂબ સમાચારમાં રહ્યો, પણ સંબંધમાં અચાનક આવેલી તિરાડથી બ્રેકઅપ પણ થઈ ગયું. કરણે ધામધૂમથી અંકિતા ભાર્ગવ સાથે ફરી લગ્ન પણ કરી લીધા.

સામાન્ય લોકોમાં પણ વધતું બ્રેકઅપ : એક તરફ જાણીતા સ્ટાર્સના બ્રેકઅપના સમાચાર રોજ સાંભળવા મળે છે, બીજી તરફ સામાન્ય લોકોના જીવનમાં પણ આ સંબંધ કમજેાર પડતા દેખાય છે. ઝટ પ્રેમ થાય, પણ બ્રેકઅપના સમાચાર આવતા વાર નથી લાગતી. પવઈ નિવાસી જૂહી અને પ્રશાંતનું ૪ વર્ષથી અફેર હતું, બંનેના ફ્રેન્ડ ગ્રૂપમાં આ વાત નક્કી હતી કે બંને જલદી લગ્ન કરશે. જુદીજુદી જ્ઞાતિ હતી, પણ બંનેનો પરિવાર આધુનિક હતો. બંનેનો પરિવાર આ સંબંધ વિશે જાણતો હતો, પણ જ્યારે જૂહીના પરિવારે આ લગ્ન માટે ના પાડી ત્યારે જૂહી પ્રશાંતથી દૂર થઈ ગઈ. આધુનિક, શિક્ષિત જૂહીના નિર્ણયથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જૂહીએ ખૂબ જ સહજતાથી કહ્યું કે ફેમિલીને કોણ ટેન્શન આપે. સાથે રહેવાનું જેટલું લખ્યું હતું રહી લીધું. હવે આગળ જેાઈએ. વાત સાંભળવામાં સામાન્ય છે, પણ હવે સંબંધ ખરેખર કમજેાર પડવા લાગ્યા છે. જૂહીના આ વ્યાવહારિક દષ્ટિકોણથી પ્રશાંત તૂટી ગયો. તે કેટલાય દિવસ સુધી દુખી રહ્યો. જૂહીએ ૬ મહિનામાં માતાપિતાની મરજીથી એક છોકરા સાથે લગ્ન પણ કરી લીધા. જીવનમાં આગળ વધવામાં કોઈ બૂરાઈ નથી, પણ પ્રશ્ન એ છે કે આધુનિક સંબંધ આટલા કમજેાર કેમ છે? સંબંધ નિભાવવો આજકાલ મુશ્કેલ કેમ થઈ રહ્યો છે? શું આપણે પ્રેમ કરવાનું ભૂલી ગયા? કે તેનાથી પણ મોટી બૂરાઈ એ છે કે આપણે એ ભૂલી ગયા કે પ્રેમ છે શું? આજકાલના સંબંધ આટલી જલદી કેમ તૂટી રહ્યા છે, કારણો પર એક નજર :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....