૨૦૧૭માં પતિ અરબાઝ ખાનથી ડિવોર્સ લઈ ચૂકેલી ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાએ તાજેતરમાં પોતાના ૧૭ વર્ષના દીકરા અરહાનનો જન્મ દિવસ ઉજવ્યો. ૪૬ વર્ષની મલાઈકા હાલમાં તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બંને જલદી લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું હતું કે ડિવોર્સ પછી ફરીથી પ્રેમ મેળવવો તેના માટે ખાસ છે. તેના માનવા અનુસાર આ એક કમાલનું ફીલિંગ છે, કારણ કે જ્યારે લગ્નજીવન તૂટી રહ્યું હતું, ત્યારે તે જાણતી નહોતી કે બીજી વાર તેણે આ સંબંધમાં જવું કે નહીં. જેાકે અત્યારે તો તેને ખુશી છે કે તેણે સ્વયંને ફરીથી આ તક આપી છે અને યોગ્ય નિર્ણય લીધો છે. તેના જણાવ્યા અનુસાર ડિવોર્સ પછી બીજા લગ્ન એક મહિલાનો અંગત નિર્ણય હોય છે, જેની પર કોઈને આપત્તિ ન હોવી જેાઈએ.

જેાકે એ વાત સાચી છે કે ડિવોર્સ પછી કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં પરિવર્તન આવે છે, તેમાં પણ ખાસ તો મહિલાઓની જિંદગી લગભગ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, કારણ કે સંબંધ વિચ્છેદમાં પતિ તરફથી મળતી તકલીફોથી તે આઝાદ થઈ જાય છે, પરંતુ બીજી સમસ્યા એ હદે વધી જાય છે કે જાણે તેની જિંદગીમાં કોઈ ભૂકંપ આવી ગયો ન હોય. આ સ્થિતિમાં ડિવોર્સી મહિલા જેા બીજા લગ્ન વિશે વિચારે તો ખરેખર તેની મુશ્કેલીઓ વધી જાય છે. આજના સમયગાળામાં ઝડપથી વધી રહેલા ડિવોર્સ એટલો ગંભીર વિષય નથી જેટલું કે તે પછી ડિવોર્સી મહિલાની જિંદગીમાં આવનારી સમસ્યા છે. નીચે જણાવેલા ઉદાહરણ પર મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાડી શકે છે :

નીરાના ડિવોર્સને ૨ વર્ષ થઈ ગયા છે. પતિના દગાએ તેને જિંદગીના દરિયામાં અધવચ્ચે લાવીને ઊભી કરી દીધી છે. ૧૫ વર્ષની દીકરી શૈલીની મા નીરાને હવે દીકરી સાથે પોતાના ભવિષ્યની પણ ચિંતા સતાવી રહી છે. ડિવોર્સની કાનૂની પ્રક્રિયામાં અટવાઈને તેણે એક તરફ સમયની બરબાદી વેઠી છે, જ્યારે બીજી તરફ પોતાની શાંતિ પણ ગુમાવી દીધી છે. અત્યારે તે એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરી રહી છે, પરંતુ ભવિષ્યની અસલામતી ઘણી વાર તેના મનને બેચેન કરી દે છે. તે બીજા લગ્ન કરવા માટે ઈચ્છુક છે, પરંતુ જાણે છે કે બીજા લગ્નની આ યાત્રા એટલી સરળ પણ નથી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....