શું તમે તમારા રિલેશનને લઈને ચિંતિત રહો છો? જેા જવાબ હા હોય તો આ વાત પર ગંભીરતાપૂર્વક તમારે વિચારવાની જરૂર છે. તમારી ચિંતાનું કારણ તમારો પોતાનો એટિટ્યૂડ અથવા તમારા બંનેની કેમેસ્ટ્રી હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને તમે તમારા લગ્નજીવનને સુચારુ રૂપે ચલાવી શકો છો :

કમ્યૂનિકેશન : તમારી લાગણી, વિચારો, સમસ્યા એકબીજાને જણાવો. વર્તમાન અને ભવિષ્ય વિશે ખૂલીને એકબીજા સાથે વાત કરો. પાર્ટનરને જણાવો કે તમે બંને વિશે કેવા પ્લાન કરી રહ્યા છે. જેાકે બોલવાની સાથેસાથે સાંભળવું પણ જરૂરી છે. મૌન પણ પોતાનામાં એક સંવાદ હોય છે. હાવભાવ, સ્પર્શમાં પણ સાથી પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા રહો.

બધી આશાઓ એક પાસેથી ન રાખો : જેા તમે તમારા સાથી પાસેથી ગેરવાજબી આશા રાખશો તો તમારું નિરાશ થવું ઉચિત કહેવાશે. તેથી પાર્ટનર પાસેથી એટલી જ આશા રાખો જેટલી તે પૂરી કરી શકે. પાર્ટનરને પૂરતી સ્પેસ આપો. તેના સારા-ખરાબ પાસાનેે પણ સ્વીકારો.

ચર્ચાથી ભાગો નહીં : સ્વસ્થ સંબંધ માટે ચર્ચા સારી રહે છે. વાતને ટાળતા રહેવાથી વિવાદ વધારે ઉગ્ર બને છે. મનમાં દબાયેલી ચિંતાને વધારશો નહીં, ખુલ્લા દિલે કહી દો. તમારો સાથી જ્યારે તમારી સાથે ઝઘડી રહ્યો હોય ત્યારે મૌન ધારણ ન કરો કે ન તો ખૂબ જ ઉગ્રતાથી પ્રતિભાવ આપો. ધ્યાનથી સાંભળો અને વિશ્વાસપૂર્વક સમજેા. ઝપાઝપી અથવા અપશબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરો.

ખરાબ વ્યવહારને આપો પડકાર : ક્યારેય પણ સાથીના ખરાબ વ્યવહારથી દુખી થઈને પોતાનું સ્વાભિમાન ગુમાવશો નહીં. ઘણી વાર આપણે સાથીના વ્યવહારથી એટલા પરેશાન થઈ જતા હોઈએ છીએ કે પોતાનું દુખ વ્યક્ત કરવાના બદલે સ્વયંને જ અપરાધી અનુભવવા લાગીએ છીએ અથવા તો પોતાની ભૂલ માની લેતા હોઈએ છીએ. સાથી તમને શારીરિક કે માનસિક રીતે ઈજા પહોંચાડે તો પણ તમે તેને ના નથી કહી શકતા. જેાકે આ ખોટું છે. ખરાબ વ્યવહારનો વિરોધ કરો. આમ કરવાથી સંબંધમાં એવી તિરાડ પડે છે જે ક્યારેય પુરાતી નથી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....