દુનિયાનો સૌથી સુંદર અને મજબૂત સંબંધ મા અને બાળકનો હોય છે. મા પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. આમ પણ બાળક પોતાની મા સાથે સૌથી વધારે નજીક હોય છે અને ઈમોશનલી પણ કનેક્ટેડ હોય છે. એક મા જ બાળકને સારી રીતે સમજી શકે છે. કોઈ પણ બાળક પોતાની દરેક સમસ્યા સૌપ્રથમ પોતાની મા સાથે શેર કરવા ઈચ્છે છે. મા અને બાળકનો આ સંબંધ ખૂબ સુંદર અને અનોખો હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક કેટલીક માતા અજાણતા પોતાના સંતાન પ્રત્યે એવો વ્યવહાર કરવા લાગે છે, જેથી બાળક ન માત્ર માનસિક રીતે માથી ન માત્ર દૂર થાય છે, પણ બંને વચ્ચે ભાવનાત્મક લગાવ પણ ઓછો થઈ જાય છે. આ સ્થિતિમાં માએ નીચેની વાત પર ધ્યાન આપવું જેાઈએ :
પોતાના કોઈ એક બાળકને વધારે પ્રેમ આપવો
જેા કોઈ મહિલાને ૨ અથવા ૨ કરતા વધારે બાળકો હોય અને માનું વધારે ધ્યાન માત્ર એક પર રહેતું હોય અથવા એકને વધારે મહત્ત્વ આપતી હોય અને બીજાને સમાનરૂપે પ્રેમ આપી શકતી ન હોય તો આ તેની ખૂબ મોટી ભૂલ છે. આવું કરીને તે ન માત્ર પોતાના એ સંતાનને સ્વયંથી, પણ પોતાના ભાઈબહેનથી પણ દૂર કરે છે. બાળકો આમ પણ ખૂબ લાગણીશીલ હોય છે. જ્યારે તેમને મા દ્વારા ઈગ્નોર કરવામાં આવે છે અથવા ઠપકો કે ગુસ્સો મળે છે, ત્યારે તેમનામાં હીનભાવનાનો વિકાસ થાય છે જે તેમના ભવિષ્ય માટે નુકસાનકારક બને છે. તેથી ઈચ્છનીય છે કે માએ પોતાના બધા બાળકોને હંમેશાં એકસમાન પ્રેમ કરવો જેાઈએ.
દર વખતે બાળકને જ દોષ આપવો
માતાપિતા પણ માણસ જ છે અને તે પણ ભૂલો કરી શકે છે, પરંતુ કેટલાક ઘરમાં માબાપ હંમેશાં પોતાને સાચા માનતા હોય છે અને બાળકને દોષી માનીને ઠપકો આપતા રહેતા હોય છે. જેા તમે પણ દરેક વાતમાં સ્વયંને સાચા અને પોતાના સંતાનને ખોટા ઠેરવવાની કોશિશ કરો છો તો આવો વ્યવહાર તમારા બંનેના સંબંધ માટે યોગ્ય નથી. તેનાથી બાળકના મનમાં તમારા પ્રત્યે બળવાની ભાવના ઘર કરી જાય છે, જે આગળ જતા તેને વિકૃત માનસિકતાની વ્યક્તિ બનાવી શકે છે. મા ખાસ તો મમતા અને પ્રેમની પ્રતિમૂર્તિ હોય છે અને કોઈ પણ વાત પોતાના બાળકને પ્રેમથી સમજાવી શકે છે, તેથી પોતાના બાળક પ્રત્યે ક્યારેય કઠોર વલણ ન અપનાવો, પણ તેની સાથે પ્રેમપૂર્વક ડીલ કરો.





