આ વાત તો સૌ કોઈ જાણે છે. માતાપિતા, સગાંસંબંધી, સમાજ, જાતિ, ધર્મ આ બધાની દીવાલને તોડીને એકબીજામાં ઓતપ્રોત થઈ જવું સરળ તો નથી હોતું, પરંતુ આ બધી સીમાઓને પાર કરીને જેઓ એક થઈ જાય છે તેઓ પોતાનો મુકામ પ્રાપ્ત કરી શકે છે. પછી તેઓ અનુભવવા લાગે છે કે પોતે તે બધું પ્રાપ્ત કરી લીધું છે, જે ઈચ્છ્યું હતું. પરંતુ જેમજેમ ગૃહસ્થીની જવાબદારી તેમના ખભા પર આવવા લાગે છે, ત્યારે તેમને પોતાના લગ્ન એક બંધન જેવા લાગે છે તેમને લાગે છે કે આના કરતા તો લગ્ન ના કર્યા હોત તો સારું હતું. બિનજરૂરી લગ્નની ઝંઝટમાં ફસાઈ ગયા. રિસામણાંમનામણાં, એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો આ ફાલતુની વાત લાગવા લાગે છે. લગ્નના ૨-૩ વર્ષ પછી તેમનું લગ્નજીવન ઠંડું પડવા લાગે છે અને ત્યાર પછી પ્રેમીપ્રેમિકા ન રહેતા સામાન્ય પતિપત્ની બની જાય છે અને નાનીનાની વાત પર ઝઘડવા લાગે છે, જેમ કે આ ઝઘડા પણ પ્રેમનું એક સ્વરૂપ હોય છે અને થોડી ઘણી બોલચાલ તો દરેક સંબંધમાં થતી હોય છે, પરંતુ વાત જ્યારે વધારે વણસી જાય, ત્યારે ડિવોર્સ સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી બધું સમાપ્ત થઈ જાય છે. પ્રિયા અને સમીર સાથે પણ આવું થયું હતું. પરિવાર અને સમાજ સામે બળવો પોકારીને બંને એક થયા હતા. જિંદગીમાં નવા રંગ પણ ભર્યા, પરંતુ ધીરેધીરે તેમના પરથી પ્રેમના રંગ ઊતરવા લાગ્યા. પોતાના સંબંધથી કંટાળવા લાગ્યા. પછી તો પ્રેમબેમ બધું બકવાસ લાગવા લાગ્યું. તેમને લાગતું હતું કે પ્રેમ સુધી તો બધું બરાબર હતું, પરંતુ લગ્નના બંધનમાં બંધાઈને તેમણે મોટી ભૂલ કરી દીધી છે.

સંબંધમાં રોમાન્સ જાગૃત કરો : લગ્ન પહેલાં તો ૨ પ્રેમી એકબીજા પર પોતાના પ્રાણ ન્યોછાવર કરતા હોય છે, તેમને એકબીજાની વાતો ગમતી હોય છે, પરંતુ લગ્ન પછી આ વાત તેમને બોર કરવા લાગે છે, પરંતુ આ સ્થિતિ તો દરેક પતિપત્નીના સંબંધમાં હોય છે. તેનો અર્થ એ નથી કે તમે લડીઝઘડીનેે એકબીજાથી અલગ થઈ જાઓ અને સમય જતા પસ્તાવો થાય, પરંતુ અહીં જણાવેલ કેટલીક વાત પર અમલ કરીને સંબંધને પહેલાં જેવો રોમેન્ટિક બનાવી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....