જેા લગ્નબંધન પ્રેમનું બંધન બની રહે તો આ સંબંધથી ઉત્તમ બીજેા કોઈ સંબંધ નથી, પણ ગમે તે કારણસર જે દિલમાં તિરાડ પડે તો ક્યારેય પૂરાતી નથી. ગઈ કાલ સુધી જે લવબર્ડ હતા, તે આજે એકબીજાને નફરત કરેે અને હિંસા કરવા તૈયાર થાય છે. તેથી પતિપત્નીએ પરિવાર બનાવતા પહેલાં પરસ્પરના મતભેદ ઉકેલવા અને વૈચારિક મતભેદને બાળકોની ગેરહાજરીમાં દૂર કરવા ઉચિત છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય. નાનીનાની વાતથી ઝઘડા થાય છે. મોટાભાગના ઝઘડા ખાનદાનને લઈને, ઓછા પૈસાપાત્ર હોવાના મહેણાંના કારણે, સંબંધી, સ્વજનો વિરુદ્ધ અપશબ્દ, ઓછું શિક્ષણ તથા સ્તર, ઓછી સુંદરતા, બાળકોના અભ્યાસ અને ઉછેર, જાસૂસી, અંગત સામાનનો ઉપયોગ, સ્વજનોની મહેમાનગતિને લઈને થાય છે. એટલે કે દંપતીમાંથી કોઈના પણ આત્મસન્માનને ઠેસ પહોંચે ત્યારે ઝઘડા થાય છે, કારણ ગમે તે હોય.

નીચા બતાવવા : ભલે ને પત્ની હોય કે પતિ કોઈ પણ બીજા સાથીદારને દુખી કરી શકે છે. નીતા જણાવે છે કે તેનો પતિ હિમાંશુ તેના મિડલ ક્લાસને લઈને મહેણાં મારે છે. તેને એ ગમતું નથી, પછી તો તે પણ ઉચ્ચ ખાનદાનની શરમજનક વાતનું એક લાંબુ લિસ્ટ સંભળાવી દે છે. તે સમયે હિમાંશુથી સહન નથી થતું અનેે કહે છે કે ખબરદાર, જેા મારા ખાનદાન વિશે એક પણ શબ્દ બોલી છે તો. આ વાત પર નીતા કહે છે કે હું તો બોલીશ, હજાર વાર બોલીશ. મને કંઈ કહેતા પહેલાં પોતાની જાત વિશે વિચારી લેવું જેાઈએ. બસ પછી તો આ જ વાતે હિમાંશુ તેને લાફો મારી દે છે. નીતાના માતાપિતાને અપશબ્દો બોલે છે. ત્યાર પછી તો નીતા પણ વિફરેલી સિંહણ બની જાય છે અને તેની પર નિશાન સાધીને કિચનમાંથી વાસણો ફેંકે છે. જેાકે ૫ વર્ષનો તેનો દીકરો મોનુ પડદા પાછળ છુપાઈને આ બધું જુએ છે. આ ઝઘડા જેાઈને તેનામાં રોજ ખરાબ સંસ્કારનું અજાણતા સિંચન થતું હતું. જેમ કે કોઈને કેવી રીતે નીચા બતાવીને દુખી કરાય, કેવી રીતે મારપીટ કરાય, કેવી રીતે છૂટો સામાન ફેંકીને ઈજા પહોંચાડાય, કેવી રીતે અપશબ્દો બોલીને, બૂમો પાડીને કોઈને ગુસ્સે કરી શકાય વગેરે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....