હું ૨૫ વર્ષની નોકરિયાત યુવતી છું. ૨ મહિના પછી મારા લગ્ન થનાર છે. મને ખાવાનું બનાવતા નથી આવડતું, જ્યારે ટીવી સીરિયલમાં મેં જેાયું છે કે વહુને ખાવાનું બનાવતા ન આવડતું હોય ત્યારે સાસરીના લોકો ન માત્ર તેની મજાક ઉડાવે છે, પરંતુ તેને પરેશાન પણ કરતા હોય છે. આ સ્થિતિમાં જણાવો હું શું કરું?
નાના પડદા પર પ્રસારિત થતી મોટાભાગની સીરિયલનો વાસ્તવિક જીવન સાથે દૂરદૂર સુધી કોઈ સંબંધ નથી હોતો. સાસુવહુ ટાઈપની કેટલીક સીરિયલ તો એટલી અવાસ્તવિક હોય છે કે તે જાગૃતિ ફેલાવવાના બદલે તે સમાજમાં ભ્રમ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. કદાચ જ કોઈ એવી સીરિયલ હશે જેમાં સાસુવહુના સંબંધને ઉત્તમ રીતે પ્રસ્તુત કરવામાં આવી હોય. વાસ્તવિક દુનિયા આમ પણ સીરિયલની દુનિયાથી બિલકુલ અલગ હોય છે. આધુનિક સાસુઓ વધારે સમજદાર અને આધુનિક વિચારોની હોય છે. તેઓ જાણતી હોય છે કે એક નોકરિયાત વહુને કેવી રીતે ગૃહસ્થજીવનમાં ઢાળવાની છે. તેમ છતાં તમે તમારા મંગેતર સાથે વાત કરીને આ વિશે જાણકારી આપી દો. હજી તમારા લગ્નમાં ૨ મહિના બાકી છે, તેથી રસોઈ બનાવવાનું અત્યારથી શરૂ કરી દો. ખાવાનું બનાવવું પણ એક કલા છે, જેમાં નિપુણ મહિલાને બીજા પર આરશ્રત નથી રહેવું પડતું, સાથે તેને પોતાના પતિ તથા બાળકો સહિત ઘરના બધા સભ્યોનો ભરપૂર પ્રેમ પણ મળે છે.

હું ૨૯ વર્ષની મેરિડ વુમન છું અને અમારો સંયુક્ત પરિવાર છે. લગ્ન પહેલાં અમને જણાવી દેવામાં આવ્યું હતું કે મારે સંયુક્ત પરિવારમાં રહેવાનું છે. આમ તો સાસરીમાં કોઈ પણ વસ્તુની અછત નથી, પરંતુ સાસરીના મોટાભાગના લોકો સંકુચિત માનસિકતાના છે, જ્યારે હું ખૂબ ખુલ્લા વિચારો ધરાવું છું. આ કારણસર મારે ક્યારેક-ક્યારેક તેમની નારાજગીને પણ સહન કરવી પડે છે અને મારી આ આધુનિકતાના લીધે મારી નણંદ અને જેઠાણી પણ મને વિચિત્ર નજરથી જેાતી રહે છે. પતિને પણ હું બીજે ક્યાંક ફ્લેટ લેવા માટે કહી શકતી નથી. જણાવો કે હું શું કરું?
ઘરપરિવારમાં ક્યારેક-ક્યારેક બોલચાલ, ઝઘડા અને વાદવિવાદ સામાન્ય વાત હોય છે, પરંતુ પરિવાર ફેસબુક કે વોટ્સએપ જેવો હોતો નથી, જેમાં તમે સેંકડો લોકોને જેાડીને રાખ્યા હોય છે, પરંતુ જેા કોઈ તમને પસંદ ન હોય તો એક જ ક્લિક કરીને એક ઝાટકે તેને બહાર કરી દો. એ વાતની જરા પણ ચિંતા ન કરો કે પરિવારના કેટલાક સભ્યો તમને કઈ નજરથી જુએ છે અને કેવો વ્યવહાર કરે છે. તેથી સારું એ જ રહેશે કે સ્વયંને એવી રીતે વ્યવસ્થિત કરો કે તમે હંમેશાં એક સુંદર વ્યક્તિ બનીને રહી શકો. કોઈ કેવી રીતે જુએ છે, તે તેની પર છોડી દો.
આજકાલ મોટાભાગના લોકો વિભક્ત પરિવારમાં રહીને ઘણી બધી મુશ્કેલીમાંથી પસાર થતા હોય છે, જ્યારે તમને આધુનિક સમયમાં પણ સંયુક્ત પરિવારમાં રહેવાની તક મળી છે. તેથી જેા થોડીક સમજદારી બતાવશો તો આગળ જતા બધા સાથે રહેવાનો નિર્ણય તમને ખૂબ લાભદાયી રહેશે. આ સ્થિતિમાં ઉત્તમ એ જ રહેશે કે નાનીનાની વાતને નજરઅંદાજ કરો અને ઘરના બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરો. પછી ભલે ને સમય લાગે, પરંતુ ઘરના બધા લોકો તમને દરેક સ્થિતિમાં સ્વીકારી લેશે અને તમે પણ બધાના મનગમતા બની જશો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....