મારી ઉંમર ૩૪ વર્ષ છે. કોવિડ-૧૯ થયા પછી મારા ધ્યાનમાં આવ્યું છે કે વાળની સારી રીતે કાળજી લેવા છતાં અને તેમાં તેલ નાખ્યા પછી પણ તે ખૂબ ખરી રહ્યા છે. પ્લીઝ સલાહ આપો કે હું મારા આહારમાં શું શું લઈ શકું છું, જેથી મારા વાળ ખરતા બંધ થઈ જાય?
આ સ્થિતિને ટેલોજેન એફિયૂવિયમ કહેવામાં આવે છે. કોરોના પછી આ સમસ્યા થઈ શકે છે. વાળને ખરતા અટકાવવા માટે તમે પ્રોટીન અને ઝિંકયુક્ત આહાર લો. તેમ છતાં કોઈ ફરક પડતો ન હોય તો ફેરિટિન અને વિટામિન ડીનો ટેસ્ટ કરાવો, કારણ કે તેની ઊણપથી વાળ ખરી શકે છે.

મારી ઉંમર ૩૦ વર્ષ છે અને હું પીસીઓડીની પેશન્ટ છું. મારે આહારમાં શું લેવું જેાઈએ?
આજકાલ દર ૫ માંથી ૧ મહિલાને પીસીઓડી હોય છે. તેનું કારણ છે આપણી ખરાબ જીવનશૈલી. તેથી જીવનશૈલીમાં ડેલી રૂટિનને વ્યવસ્થિત કરો. રોજિંદા આહારમાંથી ખાંડ, મેંદો, તળેલી વસ્તુ, પેકિંગ મિલ્ક, રિફાઈન્ડ તેલ વગેરેને દૂર કરો. શક્ય તેટલા વધારે તાજા (ફાઈબરયુક્ત), શાકભાજી, ફળ અને આખા અનાજને ખાઓ.

મારા દીકરાને પૌષ્ટિક ભોજન ખાવામાં બિલકુલ રસ નથી. તે માત્ર પિઝા અને પાસ્તાને પસંદ કરે છે. પ્લીઝ?એવો આહાર જણાવો, જે પૌષ્ટિક પણ હોય અને મારા બાળકને ગમે પણ ખરો?
બાળકોને પૌષ્ટિક આહાર ખવડાવવો ખૂબ જરૂરી છે. જેાકે તે આહાર દેખાવમાં સુંદર અને સ્વાદિષ્ટ પણ હોવો જેાઈએ તો જ તે ખાશે. તેના માટે શાકભાજીને બનાવીને રોટલી અથવા પાસ્તામાં નાખો. ઉપરાંત નોર્મલ બ્રેડના બદલે મલ્ટિગ્રેન બ્રેડ, સેન્ડવિચ અથવા મલ્ટિગ્રેન પાસ્તાનો ઉપયોગ કરો. તેમને નટ્સ તથા સીડ્સ શેક બનાવીને પણ પિવડાવો.

મારી ઉંમર ૪૨ વર્ષ છે અને હું શુગર પેશન્ટ છું. શું તમે ગળ્યાનો કોઈ વિકલ્પ જણાવી શકો છો, જેથી મને જ્યારે ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તેને હું લઈ શકું?
શુગર આપણી ખરાબ જીવનશૈલીના લીધે થતી હોય છે, તેથી સૌપ્રથમ પોતાની દિનચર્યાને વ્યવસ્થિત કરો અને દરરોજ થોડી કસરત પણ કરો. ઉપરાંત જ્યારે તમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે ૧ ખજૂર, ૧૦૦ ગ્રામ ફળ, ફ્રૂટ સ્મૂધિ, ડાર્ક ચોકલેટ વગેરે ખાઈ શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....