• મારી ઉંમર ૨૬ વર્ષ અને પતિની ૨૯ વર્ષ છે. અમારા લગ્નને ૩ વર્ષ થયા છે. જેાકે અમારું લગ્નજીવન પણ અત્યાર સુધી ખૂબ સારું રહ્યું છે. અમે રોજ રાત્રે ઊંઘતાં પહેલાં શારીરિક સંબંધ બાંધીએ છીએ, પરંતુ શું કહું છેલ્લા દિવસો દરમિયાન અમારી સાથે એક દુર્ઘટના બની ગઈ. સેક્સ કરતી વખતે કોણ જાણે શું થયું કે અચાનક પતિની જનનેંદ્રિય ઈજાગ્રસ્ત થઈ ગઈ. કહેવામાં આવ્યું કે જનનેંદ્રિય પર ફેક્ચર થઈ ગયું છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે છે? અમારે હવે તેની સારવાર માટે શું કરવું પડશે? ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અમારે કઈ કઈ સાવચેતી રાખવી જેાઈએ?

જેા સમસ્યા ખરેખર જનનેંદ્રિયના ફ્રેક્ચરની હોય તો તેને ગંભીરતાથી લો. કોઈ સારા યૂરોલોજિસ્ટ પાસે તમારા પતિને લઈ જઈને બતાવી લો. જેા ગંભીર સમસ્યા આમ તો અને કારણસર પેદા થઈ શકે છે, પરંતુ મોટાભાગના કેસમાં આ સમસ્યા સેક્સ દરમિયાન બિનજરૂરી ઊછળકૂદ અને જબરદસ્તી કરવાથી પેદા થતી હોય છે, જે સમયે જનનેંદ્રિય ઉત્તેજિત અવસ્થામાં હોય છે, તે સમયે અચાનક તેની પર દબાણ આવવાથી તેમજ તેના જેારથી વળવાથી આંતરિક ભાગ ઈજાગ્રસ્ત થઈ જાય છે. આ ઈજા કૌરપેરા કાવેર્નોસા નામના એ સિલિન્ડર જેવી રક્તવાહિનીને પહોંચે છે, જેમાં ઉત્તેજના દરમિયાન લોહીનો ભરાવો થવાથી શિશ્ન તાણની સ્થિતિમાં આવી જાય છે. ક્યારેક ક્યારેક આ ઈજા કૌરપેરા કાવેર્નોસાને સુરક્ષિત રાખનાર વાહિની ટૂનિકા ધવલના ધક્કાથી તૂટવાથી પણ અચાનક ઉત્તેજિત થાય છે. આ સમસ્યાના મૂળમાં જવાથી જાણવા મળ્યું કે મોટાભાગના કિસ્સામાં એ જ સત્ય સામે આવે છે કે જનનેંદ્રિયના પ્રવેશ સમયે જેા વધારે ઉત્તેજનામાં પુરુષ જનનેંદ્રિય મહિલાની સિંફિસિસ પ્યૂબિસ અસ્થિ અથવા મૂલાધારા કઠણ રક્તવાહિની સાથે જેારથી અથડાવાથી આ ગંભીર સ્થિતિ પેદા થાય છે. પછી પુરુષ અચાનક જનનેંદ્રિયની ઈજાના લીધે પીડાના માર્યા ધ્રૂજી ઊઠતા હોય છે અને જનનેંદ્રિય પણ ઢીલી પડીને લટકવા લાગે છે. આ ઈજા વધારે હોવા પર પુરુષ જનનેંદ્રિયમાંથી પસાર થતી મૂત્રનળીમાં ઈજા થવાનું જેાખમ પણ રહે છે અને પુરુષ જનનેંદ્રિયમાં સોજેા આવી જાય છે. પુરુષ જનનેંદ્રિયના ફ્રેક્ચરની સારવાર માટે શક્ય એટલા વહેલા કોઈ યોગ્ય અને અનુભવી યૂરોલોજિસ્ટ પાસે જવાની જરૂર પડે છે. શરમમાં રહીને અથવા બેદરકારી દાખવવાથી ઘણી વાર કેસ કોમ્પ્લિકેટેડ બની જાય છે અને આગળ જતા યૌન સુખ પ્રાપ્ત કરવું અશક્ય બની જાય છે. આવા પુરુષ જે સમયસર યૂરોલોજિસ્ટ પાસે પહોંચી જાય તો જનનેંદ્રિયની રક્તવાહિનીનું ઓપરેશન કરીને રિપેરિંગ શક્ય બને છે. જ્યાં સુધી આ દુર્ઘટનાથી સુરક્ષિત રહેવાનો પ્રશ્ન છે તો સહવાસ સમયે કોઈ પણ પુરુષનું ન તો અસંયમી થવું યોગ્ય છે કે ન કોઈ પણ પ્રકારની ઊછળકૂદ કરવી કે પછી ન તો બળજબરી કરવી યોગ્ય રહે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....