મધ્ય પ્રદેશના છિંદવાડામાં રહેતા ૪૦ વર્ષના આનંદ પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં જેાબ કરતા હતા. એક દિવસ તે ઓફિસથી ઘરે આવ્યા ત્યારે થોડો થાક અનુભવવા લાગ્યા. ફ્રેશ થઈને આરામ કરવા માટે પથારી પર જઈને ઊંઘી ગયા. થોડા સમય પછી તેમને છાતીમાં બળતરા થવા લાગી અને શરીર પર ખૂબ પરસેવો થવા લાગ્યો. થોડા સમયમાં આનંદ બેભાન થઈ જતા ઘરના લોકો તરત તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે હાર્ટએટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે. નાની ઉંમરમાં હાર્ટએટેકનો આ કિસ્સો એકલા આનંદ સાથે નથી બન્યો. આપણા દેશમાં આ પ્રકારના કિસ્સા અવારનવાર જેાવા મળી રહ્યા છે. ડોક્ટર્સ તે માટે જવાબદાર પરિબળ તરીકે લોકોની બદલાયેલી જીવનશૈલીને માને છે. કેન્દ્ર સરકારે બિનચેપી રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પ્રદેશના ૨.૯૮ કરોડ લોકોમાંથી ૬૫ ટકા લોકોના સ્ક્રીનિંગનું લક્ષ્ય નક્કી કર્યું હતું. મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગે ૧.૬૮ કરોડ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરીને લક્ષ્ય પૂરું કર્યું ત્યારે કેન્દ્ર સરકારે તેને વધારીને ૩.૧૫ કરી દીધું હતું. જેાકે અત્યાર સુધીમાં ૨ કરોડ લોકોનું સ્ક્રીનિંગ થઈ ગયું છે. તે પરથી સામે આવ્યું છે કે રાજ્યમાં લગભગ ૮ લાખ, ૫૦ હજાર લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં છે. ૪ લાખ ૬૧ હજાર લોકોને ડાયાબિટીસે જકડી લીધા છે. આ રિપોર્ટ અનુસાર, છિંદવાડા જિલ્લામાં સૌથી વધારે ૬૪,૨૪૬ લોકો હાઈપરટેન્શનની ઝપેટમાં જેાવા મળ્યા છે. ઈન્દોરમાં સૌથી વધારે ૨૪,૭૫૦ વ્યક્તિમાં ડાયાબિટીસની બીમારી જેાવા મળી છે.

એનએચએમના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. નમિતા નીલકાંતના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટિવ-૨૦૧૮ માં શરૂ થયું હતું. સૌપ્રથમ મધ્ય પ્રદેશના ૬ જિલ્લા પસંદ કરવામાં આવ્યા હતા, પાછળથી ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, બેતૂલ, નીમચ, બડવાની, રતલામ, સાગર, ગુના, પન્ના, છિંદવાડા, નરસિંહપુર અને સિહોર સહિત ૧૭ જિલ્લા પણ સામેલ કરવામાં?આવ્યા હતા. આ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ વર્ષથી વધારે ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. નાની ઉંમરમાં હાર્ટએટેક જેવા ગંભીર કિસ્સાને જેાતા મધ્યપ્રદેશ સરકારે તેમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને સામેલ કર્યા હતા. તે અંતર્ગત હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર માટે આવતા દર્દીઓ ઉપરાંત ઘરેઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં દર્દીઓના બ્લડપ્રેશરનું સ્તર ૧૪૦/૯૦ થી ઉપર જેાવા મળ્યું હતું. શહેરોમાં રહેતા વયસ્કોની લગભગ ૫૦ ટકાથી વધારે વસ્તી ડાયાબિટીસની ઝપટમાં જેાવા મળી હતી. જેાકે તેનું કારણ આનુવંશિક છે, તે સિવાય જીવનશૈલી પણ એક મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું છે. જેમ કે કંફર્ટેબલ લાઈફ, અધિક ફાસ્ટફૂડનું સેવન, શરીરમાં કેલરીનું અસંતુલન તેમજ સ્થૂળતાના લીધે ડાયાબિટીસની બીમારી થાય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દર્દીએ નિયમિત રીતે સ્ક્રીનિંગ કરાવવું જેાઈએ અને ડાયટનું સંતુલન જાળવી રાખવું જેાઈએ. તે ફળ અને શાકભાજીથી દૂર રહો, જેને ખાવાથી ડાયાબિટીસ લેવલ વધે. નિયમિત એક્સર્સાઈઝની સાથેસાથે ડોક્ટરની સલાહ લો અને તેનું પાલન કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....