શું તમારે ઘરમાં આળસ અને થાકની જગ્યાએ ખુશી તેમજ સકારાત્મકતાનો અહેસાસ કરવો છે? શું આપણી રોજબરોજની જિંદગીમાં લાઈટ વધારે મહત્ત્વની છે? શું આપણે આપણા ઘરમાં યોગ્ય લાઈટ એરેન્જમેન્ટ કરાવવી જેાઈએ? જવાબ જેા હા હોય તો પછી કેમ? આવો, જાણીએ આ બાબતમાં સીઈઓ એન્ડ ફાઉંડિંગ પાર્ટનર, લાઈટ ડોક્ટર પ્રાચી લાડ જેાડે :
ઘરના કોઈ પણ ખૂણામાં જ્યારે તમે ભરપૂર સકારાત્મકતા અને ઊર્જનો અનુભવ કરો છો ત્યારે તમારો મૂડ સારો રહે છે અને તમે સ્વયંને રિફ્રેશ પણ અનુભવો છો. તે સમયે મનમાં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આવું કેમ થાય છે? પરંતુ જ્યારે તમે સમજી નથી શકતા ત્યારે તમારા આ અનુભવને સકારાત્મક ઊર્જા સાથે જેાડી દો છો, પરંતુ હવે જ્યારે બીજી વાર તમે આવો અનુભવ કરો તો રૂમના પ્રકાશનું નિરીક્ષણ અચૂક કરો.

સારા અને ખરાબ પ્રકાશની અસર
આપણે બધા જાણીએ છીએ કે અપૂરતી લાઈટમાં જેાવાનો પ્રયત્ન કરવાનો અર્થ છે આંખો પર દબાણ થવું, જ્યારે બીજી તરફ વધારે પડતો પ્રકાશ આંખોેને નુકસાન પહોંચાડીને તમને અંધ બનાવી શકે છે. બંને પરિસ્થિતિ આપણી નજરને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે અને જેા આ પ્રકારની ખામીયુક્ત લાઈટ એરેન્જમેન્ટ ડિઝાઈન ઘરમાં લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે આપણી હેલ્થ માટે ક્યારેય ભરપાઈ ન થનારી ખોટનું કારણ બની શકે છે. આ જ કારણસર આપણા ઘર તથા વર્ક એરિયામાં પ્રોપર લાઈટની જરૂર રહે છે.

એક ઘરમાં લાઈટની કેટલી આવશ્યકતા
લાઈટની માત્રાને લેક્સમાં માપવામાં આવે છે અને એક ઘરમાં દરેક રૂમમાં ખાસ લેક્સ સ્તરની જરૂર પડે છે. પછી દિવસ હોય કે રાત બંને સમયે વિભિન્ન સમય સીમામાં આપણે આપણા ઘરે જેા કામકાજ કરીએ છીએ, તેના આધારે ખાસ ખૂણા અથવા ક્ષેત્રમાં યોગ્ય પ્રમાણમાં લાઈટ અરેન્જમેન્ટ કરવાની જરૂર પડે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....