માયા જ્યારે ૫ વર્ષ પછી તેની મોટી બહેન સિયાને મળી ત્યારે તેને થોડી ઉદાસ દેખાઈ. તેણે તેને પૂછી જ લીધું, ‘‘દીદી, શું વાત છે, તમારા ચહેરાની રોનક તો જાણે ગાયબ થઈ ગઈ છે, કોઈ તકલીફ છે?’’ ‘‘તકલીફ તો નથી માયા, માત્ર ઢળતી ઉંમર છે. સાંધા દુખવા લાગ્યા છે અને ઉપરથી વાળ ખરવા અને ચહેરા પર કરચલીઓ. ઉંમર પોતાની અસર બતાવી રહી છે. આ બધાના લીધે ચહેરો તો ઉદાસ દેખાશે જ ને.’’ સિયાએ કહ્યું. ‘‘તમે આવું કેમ વિચારો છો, દીદી. ઉંમરથી શું ફરક પડે છે. થોડા સજીધજીને અને સ્ફૂર્તિલા રહો.’’ ‘‘કોના માટે માયા. હવે આ ઉંમરમાં કોણ જેાવાનું છે? બાળકો પણ હોસ્ટેલમાં છે. વળી હું તો એક વિધવા છું. સજીધજીને રહીશ તો લોકો શું કહેશે? લોકો તો મને શંકાની નજરથી જેાવા લાગશે.’’ સિયાએ કહ્યું. અરે, તેમાં ખરાબી શું છે? કેમ શંકા કરશે લોકો? કોઈ જેાનાર નથી અને વિધવા હોવું તેમાં તમારો તો કોઈ વાંક નથી. જીવન અને શરીર પ્રત્યે આમ ઉદાસ થવું યોગ્ય નથી. જ્યારે બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત થશે ત્યારે કોણ સંભાળશે તમને. જેા આજે જીજૂ હોત તો તેઓ તમારું ધ્યાન રાખતા, પરંતુ હવે તેમની ગેરહાજરીમાં તો તમારે જ તમારું ધ્યાન રાખવું જેાઈએ, નહીં તો ૪૦ પછી વધતી ઉંમરની સાથેેસાથે શરીરમાં બીમારી પણ ઘર કરવા લાગે છે.’’ ‘‘તારી વાત તો બરાબર છે માયા, પણ એકલતા સહન નથી થતી. પહેલાં તો બાળકોમાં વ્યસ્ત રહેતી હતી, પણ હવે પૂરો દિવસ એકલી જ ઘરમાં બેસી રહું છું. સમય પસાર થતો નથી.’’ સિયાએ કહ્યું. આવા કોણ જાણે કેટલાંય ઉદાહરણ આપણી આસપાસ હશે, જેમાં મહિલાઓ ગમે તે કારણસર સિંગલ રહી જતી હોય છે અને ૪૦ પછી પોતાના જીવન પ્રત્યે નીરસ બની જતી હોય છે. મારી જ પાડોશમાં રહેતી સ્મિતા એક ફાર્મા કંપનીમાં કાર્યરત છે. પિતાના આકસ્મિક નિધન પછી ૨ નાની બહેનની જવાબદારી તેની પર આવી ગઈ હતી. મા વધારે ભણેલીગણેલી નહોતી. તેથી સ્મિતાએ જ નોકરી કરીને ન માત્ર બંને બહેનને પોતાના પગ પર ઊભી કરી, પણ તેમના માટે યોગ્ય વર શોધીને તેમનાં લગ્ન પણ કરાવી દીધા હતા. પછી બહેનના તો ઘર વસી ગયા, પણ તે જીવનભર માટે એકલી રહી ગઈ. પહેલાં તો તે મા સાથે રહેતી હતી, પણ ૨ વર્ષ પહેલાં તેમનું અવસાન થયું અને સાંધાનો દુખાવો તેને પરેશાન કરી રહ્યો છે. ગઈ કાલ સુધી પોતાના ખભા પર પૂરા પરિવારની જવાબદારી ઉઠાવનારી સ્મિતા ચહેરા અને મનથી દુખી દેખાવા લાગી છે. એક દિવસ મેં તેને સોસાયટીમાં યોજાતા કાર્નિવલનો આમંત્રણ પત્ર પકડાવતા કહ્યું, ‘‘જરૂર આવજે, ખૂબ મજા આવશે.’’ ‘‘તારે તો બાળકો છે, હું ત્યાં આવીને શું કરું?’’ સ્મિતાએ કહ્યું. ‘‘અરે, તું આવ તો ખરી, તને પણ થોડો ચેન્જ મળી જશે.’’ મારા વધારે આગ્રહ પર તે કાર્નિવલમાં આવી. હવે તો તે સોસાયટીના દરેક પ્રોગ્રામમાં ખુશીખુશી આવે છે અને મહત્ત્વની ભૂમિકા પણ નિભાવે છે. આમ કરવાથી ન માત્ર સ્મિતાના ચહેરા પર રોનક વધી ગઈ, પણ એક્ટિવ રહેવાથી તેનામાં ફરીથી આત્મવિશ્વાસ પણ આવી ગયો. સોસાયટીના બાળકો પણ તેને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા, કારણ કે તે તેમના માટે વર્ષ દરમિયાન કોઈ ને કોઈ આયોજન કરતી રહેતી હતી. સિંગલને પણ પૂરો હક છે કે તે પોતાના જીવનને સંપૂર્ણ રીતે જીવે અને પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લે, કારણ કે ૪૦ પછી મહિલા સિંગલ હોય કે પછી પરિવારવાળી. બધાની મેનોપોઝની ઉંમર આવે છે. ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં મહિલાઓનું માસિક ચક્ર બંધ થવાના આરે હોય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. ઘણી વાર આ સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. તેથી શારીરિક તેમજ માનસિક એમ બંને પરિવર્તન આવવા લાગે છે. આળસ આવવી, ઊંઘ ન આવવી, શરીરમાં નબળાઈ આવવી, શરીર વધવું, શરીરના વિભિન્ન અંગમાં દુખાવો થવો વગેરે સમસ્યા હંમેશાં ૪૦ પછી થવા લાગે છે. આ સ્થિતિમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું મહિલા માટે ખૂબ જરૂરી બની જાય છે :

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....