જેા લોકોમાં ડર અને નફરતનું ઝેર ભરી દેવામાં આવે તો તેમને ખૂબ સરળતાથી સંગઠિત કરી શકાય છે. તેનો નમૂનો આપણે છેલ્લા ૩૦ વર્ષથી જેાઈ રહ્યા છીએ. નફરત ફેલાવવા જેવા કાર્યો માટે ધર્મ સૌથી વધારે સુલભ અને સસ્તું ઝેર છે, જેનો ઉપયોગ દાયકાથી શાસક વર્ગ તથા ધર્મગુરુ કરતા આવ્યા છે. મતોની રાજનીતિ માટે ધર્મરૂપી ઝેરનો ઉપયોગ લગભગ તમામ રાજકીય પાર્ટી કોઈ ને કોઈ રીતે કરી રહી છે. ભાજપાનું જેાઈને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ વગેરે ભયભીત લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેમના મતો પોતાની પાર્ટી માટે પાકા કરી લેવાના પ્રયાસમાં જેાડાયેલી છે.
હવે મુસલમાનોને દેશદ્રોહી સાબિત કરીને હિંદુઓના મતો પોતાની તરફેણમાં કરી લેવા ઈચ્છે છે. લોકોના વિકાસ અને તેમની સમસ્યાના ઉકેલની કોઈને પણ ચિંતા નથી. તમામ પાર્ટીઓ ‘ભાગલા પાડો અને રાજ કરો’ ના સિદ્ધાંતનો પૂરેપૂરો લાભ ઉઠાવવામાં જેાડાયેલી છે.
લોકસભા તથા રાજ્યસભામાં ચાલતી ચર્ચા પણ સામાન્ય પ્રજાને એ જ સંકેત આપી રહી છે કે ધર્મની આડમાં સત્તાને કેવી રીતે જાળવી રાખવામાં આવે અથવા સત્તાને કેવી રીતે મેળવી લેવામાં આવે. હવે કોઈ પણ પાર્ટી નથી ઈચ્છતી કે હિંદુમુસ્લિમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે.

ધર્મના નામે વહેંચાયેલા રહો
નેતાઓ તથા ધર્મગુરુની રોજીરોટી એ વાત પર નિર્ભર કરે છે કે લોકો ધર્મના નામે વહેંચાયેલા રહે. વાસ્તવમાં આ પુરાતનકાળથી ચાલતું આવ્યું છે ભાગલા પાડો અને રાજ કરો. ધર્મના નામે અને જાતિના નામે લોકોને ખૂબ સરળતાથી વહેંચી શકાય છે. પૂરી કોમ કે જાતિને સંગઠિત રાખવા માટે આ ધર્મરૂપી ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાને આ ધાર્મિક ઝેરના સહારે પોતાના અસ્તિત્વને જાળવી રાખ્યું છે. પશ્ચિમી એશિયાના તમામ સરમુખત્યાર આવી યુક્તિનો ઉપયોગ કરીને પોતાની સત્તાને જાળવી રાખવામાં સફળ થયા છે. ધર્મની આડમાં લાખો નિર્દોષ લોકોને જેલમાં બંધ કરી લેવા અને શસ્ત્રહીન, ગરીબ પર બોમ્બ વર્ષા કરવાને પણ પુણ્યનું કામ ઠેરવી દેવામાં આવે છે. સામાજિક દૂષણોને પણ યોગ્ય માનીને તેને સન્માન આપવામાં આવે છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધમાં મોસ્કોના ઓર્થોડોક્સ ચર્ચની ખૂબ મોટી ભૂમિકા રહી છે, જે રશિયન આક્રમણને હોલી કહે છે. પોતાના પૂર્વગ્રહોને બાજુમાં મૂકીને એક વાર ખુલ્લા અને તાર્કિક મગજથી વિચાર કરીએ તો એ વાત પૂરી રીતે સ્પષ્ટ થશે કે ધર્મ જ સંસારમાં સૌથી મોટો રોગ છે. હજારો વર્ષોથી લોકો ધર્મના નામે મારકાપ કરતા આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ૩ હજાર વર્ષમાં જે પણ ૧૫ હજારથી વધારે મોટા યુદ્ધ લડવામાં આવ્યા હતા તે મુખ્યત્વે ધર્મના નામે હતા. ધર્મની રક્ષાના નામે, ધર્મને બચાવવાના નામે અથવા ધર્મને ફેલાવવાના નામે પણ હતા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....