નના વુહાન શહેરમાં ફેલાયેલી કોરોના નામની બીમારી હવે ભારત સાથે અન્ય દેશોમાં પણ પોતાના પગ પ્રસરાવી ચૂકી છે. આ એટલું ખતરનાક સંક્રમણ છે, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી પહોંચી જાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે હાથ સ્વચ્છ રાખો. જોકે લોકો હાથ ધોવામાં બેદરકારી રાખે છે. કેટલાય લોકો માટે હાથ ધોવાનો મતલબ પાણી અને સાબુને વહાવી દેવા. એટલે કે મોટાભાગના લોકોને હાથ ધોવાની યોગ્ય રીત ખબર જ નથી. જે રીતે લોકોમાં સંક્રમણ અને વિવિધ પ્રકારની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.

મેડિકલ સાયન્સ વર્ષોથી માની રહ્યું છે કે બીમારીથી બચવા માટે હાથ ધોવાની પ્રક્રિયા સૌથી જરૂરી છે. એક સર્વે મુજબ આપણા દેશમાં ૪૦ ટકા લોકો ભોજન કરતાં પહેલાં હાથ નથી ધોતા. જો આપણે હાથ ધોવાની પ્રક્રિયા પૂરી પ્રામાણિકતાથી નિભાવીએ તો આપણે કેટલીય બીમારીથી બચી શકીએ છીએ. કોઈ પણ બીમારીનો સામનો કરવા માટે હાથ ધોવા એ સૌપ્રથમ હથિયાર છે. હાથ ધોવા કેમ જરૂરી છે આપણે આખો દિવસ જે કામ કરીએ છીએ તેમાં આપણા હાથનો મહત્ત્વનો રોલ હોય છે. એવામાં હાથમાં જીવાણુ હોવા સામાન્ય વાત છે. આપણે જ્યારે પણ જાહેર જગ્યાએ જઈએ છીએ લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, બટનને સ્પર્શ કરીએ છીએ, મેટ્રોમાં હેન્ડલ, ઓફિસના દરવાજાને સ્પર્શ કરવો, નળ, રેલિંગ વગેરેને સ્પર્શ કરતા પસાર થઈએ છીએ, જેથી આપણા હાથ સંક્રમિત થાય છે. જો આપણે સંક્રમિત હાથ ધોયા વિના જમી લઈએ, બીજી વ્યક્તિને સ્પર્શ કરીએ, ઘરમાં બાળકો સાથે રમીએ કે પછી આપણા સંક્રમિત હાથથી તેમને ખવડાવીએ ત્યારે હાથના જીવાણુ રોગના વાહક બનીને તમારા પરિવારજનો સુધી સરળતાથી પહોંચી જાય છે.

કોરોના જેવી ખતરનાક બીમારીથી બચવા માટે અમેરિકામાં ડોક્ટરોએ ‘ડોંટ ટચ યોર ફેસ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા ડોક્ટરોનું કહેવું હતું કે કોવિડ-૧૯ ના સંક્રમણથી બચવા માટે સૌથી સરળ રીત છે ફેસને ઓછામાં ઓછો સ્પર્શ કરો. જો આપણે ફેસને વારંવાર સ્પર્શ ન કરીએ તો કોરોના વાયરસના સંક્રમણના ફેલાવાની શક્યતા ઘટી શકે છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે આપણે મનુષ્યો એક કલાકમાં લગભગ ૨૩ વાર ફેસને સ્પર્શ કરીએ છીએ. તે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને રોગ નિયંત્રણ અને નિવારક કેન્દ્ર સીડીસીએ કેટલીક એડવાઈઝરી બહાર પાડીને લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમાં હાથ ધોવા, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મુખ્ય છે. તેની સાથે ફેસ, આંખ, નાક અને મોઢાને સ્પર્શ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તેની પર આયુસ્પાઈન હોસ્પિટલ દિલ્લીના સીનિયર ફિઝિયોથેરપિસ્ટ ડોક્ટર ‘સત્યમ ભાસ્કર’ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હાથ કેવી રીતે ધોવા અને કેટલી વાર સુધી ધોવા જોઈએ. સેનેટાઈઝરથી વધારે ઉત્તમ છે કે પછી સાબુથી હાથ ધોવા એ, કારણ કે બજારમાં જરૂરી નથી કે તમામ સેનેટાઈઝર આલ્કોહોલ બેઝ જ હોય. બાળકો હોય કે વડીલો બધાએ ઓછામાં ઓછી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ. જોકે તમે હાથ ધોવાની યોગ્ય પ્રક્રિયા અપનાવશો તો તમારા હાથ વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે અને તમારે ૨૦ સેકન્ડ ગણવાની જરૂર પણ નહીં રહે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....