મર્દાનગી શબ્દ ભારતીય પુરુષ માટે ગૌરવની વાત રહી છે. તેઓ બધું જ ગુમાવી શકે છે, પરંતુ પોતાનું પૌરુષત્વ નહીં. પોતાની પત્નીને સહયોગ કરવાની તેમની આ તથાકથિત મર્દાનગીને કલંક લાગી જાય છે તથા પત્ની પર આધિપત્ય જમાવવાથી તેમની મર્દાનગીમાં વધારો થાય છે. તેઓ પ્રેમમાં પોતાનો જીવ આપી દેવા સુધીની વાત તો કરી શકે છે, પરંતુ પત્નીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા સ્વયંની નસબંધી કરાવવા વિશે તે વિચાર સુધ્ધાં નથી કરી શકતા જ્યારે મેડિકલ સાયન્સ તો આજે એટલી પ્રગતિ કરી રહ્યું છે કે પીડારહિત આ પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જાય છે. તેમ છતાં હજારમાંથી કોઈ એક પુરુષ હોય છે જે નસબંધી માટે સહમત હોય છે અને તે પણ જાહેર કર્યા સિવાય, સગાંસંબંધી અને સમાજથી છુપાઈને. જ્યારે મહિલા નસબંધી તો ખુલ્લામાં શિબિર લગાવીને કરવામાં આવે છે. સરકાર પણ મહિલા નસબંધીનો જનપ્રચાર વધારે કરાવે છે. નસબંધી કરાવવા માટે મહિલાઓને રૂપિયા પણ મળે છે. ગ્રામીણ સંસ્થા ‘આશા’ પણ મહિલાઓને નસબંધીના લાભ અને ગેરલાભની માહિતી આપે છે. કેટલાક ગામમાં તો ટાર્ગેટને પૂરા કરવા માટે ટ્રકમાં મહિલાઓને ભરીભરીને શિબિરમાં લાવવામાં આવે છે અને મહિલાઓ પણ પૈસાની લાલચમાં અહીં આવી તો જાય છે, પણ યોગ્ય સારસંભાળ ન થવાથી ઘણી વાર દુર્ઘટનાનો ભોગ બનતી હોય છે. જેાકે આપણા દેશની આ વિડંબણા છે કે પરિવાર નિયોજનની સંપૂર્ણ જવાબદારી માત્ર મહિલાઓ પર જ છોડી દેવામાં આવી છે. મહિલાઓ પણ પુરુષને કોન્ડોમનો ઉપયોગ કરવા માટે નથી કહેતી, પરંતુ સ્વયં સમજ્યાવિચાર્યા વિના ઉપયોગ કરવામાં ખચકાટ નથી અનુભવતી. બાળપણથી જ ત્યાગ અને કર્તવ્યપાલનની જે જડીબુટ્ટી તેમને ઘસીઘસીને પિવડાવવામાં આવી હોય છે .

સરળ છે પુરુષ નસબંધી :
ડેનમાર્કમાં થયેલા એક સંશોધન પરથી માહિતી મળે છે કે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી મહિલાઓ ઘણી વાર વિષાદમાં જતી રહે છે. આધુનિક મેડિકલ સાયન્સનું માનીએ તો બધા ડોક્ટર એમ જ કહેતા હોય છે કે મહિલા નસબંધીની સરખામણીમાં પુરુષ નસબંધી વધારે સરળ, સુરક્ષિત તથા ઓછી ખર્ચાળ હોય છે. પુરુષ નસબંધીમાં સ્પર્મને લઈ જતી ‘વાસડિફરન્સ’ નળી ને કાપી નાખવામાં આવે છે. તે માટે સર્જન સૌપ્રથમ અંડકોષની ઉપરની ચામડી પર સોય લગાવીને તેને બેભાન કરે છે, ત્યાર પછી એક ખાસ પ્રકારના ચીપિયાથી બારીક છેદ કરીને તે નળીને બહાર કાઢીને અંડકોષમાંથી વીર્યને પેશાબની નળી સુધી પહોંચાડવામાં આવે છે. પુન: આ થેલીને વચ્ચેથી કાપીને બંને કપાયેલા માથાને બાંધીને તેના મોં બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ૨૦-૨૫ મિનિટનો સમય થાય છે. વ્યક્તિને ન તો એનેસ્થેસિયાની જરૂર પડે છે કે ન તેણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આ પ્રક્રિયા કોઈપણ ચીરફાડ કર્યા વિના સંપન્ન થઈ જાય છે. આ પ્રક્રિયામાં થોડા કલાક પછી વ્યક્તિ ચાલીને પોતાના ઘરે જઈ શકે છે. આ પ્રક્રિયા ગર્ભનિરોધ માટે મહિલા નસબંધી જેટલી જ પ્રભાવશાળી હોય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....