અહીં અમે તમને તમારા મોંના સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જરૂરી વાત જણાવી રહ્યા છીએ. દાંતના પેઢા અને દાંતને લગતી બીમારી તથા દમ વચ્ચેના સંબંધની તપાસ કરનાર અભ્યાસમાં જેાવા મળ્યું છે કે દમના દર્દીઓના દાંતના પેઢા અને દાંતનું સ્વાસ્થ્ય બીજા લોકોની સરખામણીમાં ખરાબ હોય છે. તમારા દાંતનું સ્વાસ્થ્ય ખરાબ થાય તે પહેલાં તેની કાળજી લેવા માટે અહીં કેટલીક ઉપયોગી વાત જણાવી રહ્યા છીએ, જેા મુખના રોગનો શિકાર બનવાની સંભાવનાને ઘટાડી શકે છે.

ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી મુખની કાળજી લો : ઈન્હેલરનો ઉપયોગ દમની સારવાર માટે કરવામાં આવે છે અને બની શકે કે તે તાળવામાં પરેશાની પેદા કરે જેથી લાલ રંગના ઘા પડી જાય અને મોંમાં અલ્સર તથા છાલા પણ પડી જાય. ઈન્હેલરનો ઉપયોગ કર્યા પછી તમારા મોંને સ્વચ્છ પાણીથી અવશ્ય ધુઓ. જેા દાંતને બ્રશ કરી શકો તો વધારે ઉત્તમ રહેશે અને નિયમિત રીતે ઈન્હેલરને બદલવાનું પણ ભૂલશો નહીં.

વધારે ફ્લોરાઈડનું સેવન ન કરો : એ વાત સાબિત થઈ ગઈ છે કે ફ્લોરાઈડ સપ્લિમેન્ટનો ઉપયોગ કરવાથી દમના દર્દીઓમાં દાંતના સડાને આગળ વધતો અટકાવી શકાય છે. ફ્લોરાઈડ દાંતને મજબૂતી પ્રદાન કરીને દાંતની તંદુરસ્તીને સુંદર બનાવે છે, જેથી દાંત દમની દવાઓની અસરથી દાંતના સડા અને દાંત પડી જવાની સમસ્યાનો મુકાબલો કરવા માટે વધારે સક્ષમ બની જાય છે.

દાંત જળવાઈ રહે તે માટેના ઉપાય : દમની દવાઓ દર્દીના દાંતની મજબૂતાઈને ઘટાડે છે. આ દવાઓના લીધે ખટાશ વિરુદ્ધ લાળ જે સુરક્ષા આપે છે તેમાં ઘટાડો થાય છે. દમના રોગીએ લોકોમાં સામેલ હોય છે જેમને દાંત પડી જવાનું વધારે જેાખમ રહે છે. દાંતની મજબૂતાઈ માટે દર્દીએ ઈન્હેલરનો ઉપયોગ કર્યાના તરત પછી પોતાનું મોં બરાબર ધોઈ લેવું જેાઈએ. એક્યૂટ અસ્થમા એટેક દરમિયાન મોંથી શ્વાસ લેવાની ક્રિયા વધી જાય છે, જેથી મોં સુકાઈ જતું હોય છે. મોંથી શ્વાસ લેવો વાંકાચૂકા દાંતના લીધો હોઈ શકે છે. જેા મોંથી શ્વાસ લેવા પડતા હોય તો કોઈ સારા દંત ચિકિત્સકને મળો અને સમસ્યા જેાવા મળે તો તેને દૂર કરવા માટે ઓર્થોડોન્ટિક સારવાર કરાવી શકાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....