નાળિયેર તેલ પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન કરવાથી તમને ઊર્જા પ્રદાન કરે છે, જેથી તમે સ્વયંને તંદુરસ્ત અનુભવશો. આવો જાણો, નાળિયેર તેલના ફાયદા :
- નાળિયેર તેલમાં લગભગ ૪૦ ટકા લોરિક એસિડ હોય છે, જે એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોવાથી શરીરની ઈમ્યૂનિટી વધારવાનું કામ કરે છે. તે ઉપરાંત માતાના દૂધમાં પણ લોરિક એસિડ રહેલ છે.
- અનેક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે નાળિયેર તેલ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.
- અનેક ગંભીર બીમારી જેમ કે અલ્જાઈમર, વાઈ, હાર્ટ એટેક કે પછી ઈજા થવાથી મૃત કોશિકાને નાળિયેર તેલ પુન: જીવિત કરવાનું કામ કરે છે.
- નાળિયેર તેલમાં લોરિક એસિડ હોવાથી તે હૃદયને સ્વાસ્થ્યપ્રદ રાખવાની સાથેસાથે ઈન્ફેક્શનથી પણ શરીરને બચાવે છે.
- નાળિયેર તેલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
- આ તેલથી બનેલા ભોજનનું સેવન કરવાથી તરત ઊર્જા મળે છે અને તે અન્ય ચરબીની સરખામણીમાં જલદી અને સરળતાથી પચે છે.
- નાળિયેરનું તેલ સ્કિન પર ભેજ જાળવી રાખવાનું કામ કરે છે.
- નાળિયેર શુષ્ક, નિસ્તેજ અને ઉંમરથી પ્રભાવિત થતી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે.
- નાળિયેર તેલથી નિયમિત વાળમાં માલિશ કરવાથી મગજને ઠંડક મળવાની સાથેસાથે તાણ પણ દૂર થાય છે.
- આ તેલમાં જખમ ભરવાની ક્ષમતા રહેલી છે, કારણ કે આ અસરગ્રસ્ત રેશાની મરામત કરવામાં મદદરૂપ હોય છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ