પોતાના સમયના લોકપ્રિય અને વિવાદિત વાર્તાકાર સઆદત હસન મંટોની કહાણી ‘દો કૌમેં’ માં જણાવવામાં આવ્યું છે કે મુખ્તાર જે એક મુસ્લિમ પરિવારનો છોકરો છે, તે એક હિંદુ છોકરી શારદાના પ્રેમમાં પડી જાય છે. બંને લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ બંનેના ધર્મ અલગ હોવાથી તેઓ ડરી રહ્યા છે. પછી એક દિવસ મુખ્તાર આ પ્રોબ્લેમને સોલ્વ કરી દે છે અને શારદા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે કે હવે આપણા લગ્ન થઈ શકે છે. મેં મારા પરિવારજનોને રાજી કરી લીધા છે. બસ, તું માત્ર તારો ધર્મ બદલીને મુસલમાન અંગીકાર કરી લે.
આ વાત સાંભળીને શારદા પરેશાન થઈ જાય છે અને બદલામાં તેને પોતાનો ધર્મ બદલવાનું કહી દે છે. મુખ્તાર પોતાનો ધર્મ બદલવાનો ઈન્કાર કરેે છે. ઈન્કાર સાંભળતા જ શારદા ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે. આ રીતે ધર્મ એ ૨ પ્રેમીને હંમેશાં માટે વિખૂટા પાડી દીધા. ન માત્ર ધર્મ જાતિ પણ બે પ્રેમીઓને અલગ કરવાનું કામ કરે છે, પરંતુ ભૂલ તેમાં એ લોકોની પણ છે જે તેને લઈને મજાક ઉડાવતા હોય છે. સોશિયલ મીડિયા પર વાંચીને આવનારા આ સામાન્ય વાતને નજરઅંદાજ કરી દે છે. તેઓ એ નથી જેાતા કે ૫૦ ટકા અનામત ઉચ્ચ જાતિ પાસે છે. તેમને પછાત વર્ગના ૨૧ ટકા અથવા અનુસૂચિત જાતિના ૧૫ ટકા અનામતથી એટલી ચીડ ચઢે છે કે તે ચીડ વ્યક્તિગત સંબંધમાં બાધારૂપ બને છે.
બંધારણના અનુચ્છેદ ૧૬(૪) માં પછાત વર્ગના નાગરિકોને અનામત આપવાની જેાગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગોને અનામત આપવામાં આવી છે. દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જેા આપીને અનામત એટલા માટે આપવામાં આવી હતી, કારણ કે તેઓ હિંદુ સમાજમાં પ્રસરેલી જાતિ પ્રથાના લીધે દાયકાઓથી ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તેમને રિઝર્વેશન આપવા પાછળનો ઉદ્દેશ તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો હતો.પ્રેમ ધર્મ, જાતિથી ઉપર છે, પરંતુ પ્રેમ ન ધર્મ જુએ છે ન જાતિને. તે માત્ર એકબીજા સાથેના લગાવ અને લાગણી જુએ છે, જે ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેની સાથે થઈ શકે છે. આ વાત પર કોઈની જેારજબરદસ્તી ચાલતી નથી. તેના ઘણા ઉદાહરણ આપણને બોલીવુડમાં જેાવા મળે છે, જેમ કે શાહરુખ ખાન અને તેની વાઈફ ગૌરી, સૈફ અલી ખાન અને કરીના કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, અરશદ વારસી અને મારિયા ગોરેટ્ટી વગેરે.





