સાસુવહુનો સંબંધ ખૂબ નજીકનો હોવા છતાં પણ દાયકાઓથી ઘણો વિવાદિત રહ્યો છે. તે સમયે પણ જ્યારે મહિલાઓ અશિક્ષિત રહેતી હતી, તેમાં પણ સાસુઓની પેઢી વધારે શિક્ષિત નહોતી. આજે જ્યારે બંને પેઢી શિક્ષિત છે અને ક્યાંક ને ક્યાંક બંને ઉચ્ચ શિક્ષિત છે તો પછી એવું તે કયું કારણ બની જાય છે આ પ્રેમાળ સંબંધના સમીકરણને બગાડવાનું. સંયુક્ત પરિવારમાં એક તરફ સાસુ અને વહુ બંને સાથે રહેતા હોય છે ત્યાં જેા સાસુવહુ વચ્ચે અણબનાવ રહે તો પૂરા ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જય છે. સાસુવહુના સંબંધની આ તાણ દીકરાવહુની જિંદગીની ખુશીઓને પણ બગાડે છે. ક્યારેક-ક્યારેક દીકરાવહુનો સંબંધ આ તાણના લીધે ડિવોર્સ સુધી પણ પહોંચી જાય છે.
જેાકે ભારતની મહિલાઓનો એક નાનો વર્ગ હવે ઝડપથી બદલાયો છે, સાથે તેમની માનસિકતામાં પણ બદલાવ આવ્યો છે. જુનવાણી માનસિકતા ધરાવતી સાસુઓ પણ હવે નવી પેઢીની વહુ સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરવા લાગી છે. સાસુને હવે વહુ આરામ આપનાર નહીં, પરંતુ તેમને મદદરૂપ સાબિત થવા લાગી છે. જેાકે આ બદલાવ આમ તો સુખદ છે. નવી પેઢીની વહુઓ માટે સાસુની આ બદલાયેલી માનસિકતા સુખદ ભવિષ્યની શરૂઆત સમાન છે. તેમ છતાં દરેક વર્ગની સંપૂર્ણ સામાજિક માનસિકતા બદલવામાં ચોક્કસપણે સમય લાગશે.

ઘણું બધું બદલવાની જરૂર
ભલે ને આજની સાસુ વહુ પાસેથી ભોજન બનાવવા તથા ઘરના બીજા કામની જવાબદારી નિભાવવાની આશા રાખતી નથી, વહુ પર કોઈ પ્રતિબંધ મૂકતી નથી કે ન તેની વ્યક્તિગત બાબતમાં કોઈ ચંચુપાત કરે છે. તેમ છતાં કેટલાક કારણ એવા બની જાય છે જેા ઘરમાં આ પ્રેમાળ સંબંધને સહજ નથી થવા દેતા. જેાકે હજી પણ અનેક બદલાવની જરૂર છે, કારણ કે આજે પણ ક્યાંક સાસુ વહુ પર હાવી છે જ.

કેટલાક એવા કારણ જે શિક્ષિત હોવા છતાં પણ આ બે સંબંધના સમીકરણને ખોટા ઠેરવે છે :
આજની વહુઓ ઉચ્ચ શિક્ષિત હોવાની સાથેસાથે આત્મનિર્ભર પણ હોય છે, વળી પિયરથી પણ મજબૂત હોય છે, કારણ કે પરિવારમાં મહદ્અંશે ૧ કે ૨ બાળક હોય છે. તેમાં પણ મહદ્અંશે છોકરી એક જ હોય છે, જેથી તે એક સાસુથી જ નહીં કોઈનાથી પણ દબાતી નથી.
આજના સમયમાં છોકરીના માતાપિતા સાસુ કે સાસરીના અન્ય લોકો ઉપરાંત પતિ સાથે પણ કારણ વિના સમજૂતી કરવાનું પરંપરાગત શિક્ષણ નથી આપતા, જે એક રીતે યોગ્ય છે.
વહુઓને આજના સમયમાં જમવાનું બનાવતા ન આવડવું એક સામાન્ય વાત બની ગયું છે અને બનાવતા આવડવું આશ્ચર્યની વાત હોય છે.
બોલ હવે સાસુના હાથમાંથી નીકળીને વહુના હાથમાં ચાલ્યો ગયો છે.
વહુ નવી ટેક્નોલોજીની જાણકાર હોય છે, તેથી દીકરો પણ તેને વધારે મહત્ત્વ આપે છે, જે સાસુને થોડી ઉપેક્ષિત કરે છે.
સાસુ શિક્ષિત તથા નવા જમાના અનુસાર સ્વયંને બદલવાનો દાવો કરતી હોવા છતાં વહુના આ બદલાયેલા આધુનિક, બિનધાસ્ત તથા આત્મવિશ્વાસુ રૂપનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતી.
પતિપત્નીના પરંપરાગત સંબંધમાંથી વહુ-દીકરાના બંધાયેલો મૈત્રીભર્યો સંબંધ કેટલીક સાસુ દ્વારા સ્વીકાર થવો મુશ્કેલ લાગે છે.
તેમાં પણ વહુના બદલે દીકરાને ઘર સંભાળવું પડતું હોય તો સાસુની પરંપરાગત માનસિકતા તેને દુખી કરતી હોય છે.

આ બધા કેટલાક એવા કારણ છે જે વર્તમાન સમયમાં સાસુવહુની બંને શિક્ષિત પેઢી વચ્ચે વૈમનસ્ય તથા તાણનું કારણ બને છે. પછી પરિણામ સ્વરૂપ વિચારો તથા લાગણીનો સંઘર્ષ બંને તરફથી થાય છે. કેટલીક નાનીનાની વાત આગ ભડકાવવાનું કામ કરતી હોય છે, જેનું પરિણામ ક્યારેક ક્યારેક દીકરાવહુને કોર્ટના દરવાજા સુધી પણ પહોંચાડે છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સીનિયર પ્રોફેસર, રાઈટર અને મનોચિકિત્સક ડો. ટેરી ઓપ્ટરે પુસ્તક ‘વ્હોટ ડૂ યૂ વોંટ ફ્રોમ મી’ માટે હાથ ધરવામાં?આવેલા કેટલાક રિસર્ચમાં જેાયું કે ૫૦ ટકા કિસ્સામાં સાસુવહુનો સંબંધ ખરાબ હોય છે. ૫૫ ટકા વૃદ્ધ મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તે સ્વયંને વહુ સાથે અસહજ અને તાણગ્રસ્ત અનુભવે છે, જ્યારે લગભગ બે તૃતીયાંશ મહિલાઓએ અનુભવ કર્યો છે કે તેમની વહુએ તેમને પોતાના જ ઘરમાં અલગઅલગ કરી દીધા છે. દુનિયાના બધા સંબંધ કરતા વધારે જટિલ સંબંધ છે સાસુવહુનો. માત્ર ભારતમાં જ નહીં, પૂરી દુનિયામાં તેને મુશ્કેલ સંબંધ માનવામાં આવ્યો છે. જેાકે ભારતમાં આ સમસ્યા વધારે એટલે છે, કારણ કે અહીં પરિવાર તથા વડીલવૃદ્ધોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. નવી પેઢીની વહુની માનસિકતા : નવી પેઢીની છોકરીઓની માનસિકતા ઘણી બદલાઈ છે. તે પરંપરાગત વહુના પરિઘમાં સ્વયંને કોઈ પણ રીતે ફિટ કરવા નથી ઈચ્છતી. તેમની માનસિકતા થોડીઘણી પાશ્ચાત્ય બની છે. તેમને ઢોંગ તથા દેખાવ કરવો પસંદ નથી. તે લગ્ન પછી ઘરને પોતાની ઈચ્છાનુસાર સજાવવા ઈચ્છે છે. ત પોતાની જિંદગીમાં કોઈનો પણ ચંચુપાત પસંદ નથી કરતી. તેમના માટે તેમનો પરિવાર તેમના બાળકો તથા પતિ હોય છે. તે ભૂલી જાય છે કે દીકરી જ ભવિષ્યમાં વહુ બનતી હોય છે.

જેાકે આજે દીકરીઓને ઉછેરવાની રીત બદલાઈ છે. છોકરીઓ પણ આજે લગ્ન, સાસરી કે સાસુસસરા વિશે વધારે વિચારતી નથી. તેમના માટે તેમની કરિયર, પોતાના વિચાર તેમજ વ્યક્તિત્વ પ્રાથમિકતામાં રહે છે.
સાસુની માનસિકતા : આમ પણ સાસુની પરંપરાગત સામાજિક તસવીર ખૂબ નેગેટિવ રહી છે. સમાજશાસ્ત્રી રિતુ સારસ્વતના જણાવ્યા અનુસાર, સાસુની ઈમેજ પ્રત્યે આવા ઘર કરી ગયેલા વિચાર, જેને એટલી સરળતાથી દૂર કરી શકાય તેમ નથી. આજની શિક્ષિત સાસુએ પણ વહુ રૂપે ક્યારેક એક પરંપરાગત સાસુને નિભાવી હોય છે. ઘણું બધું ન ગમતું સહન કર્યું હોય છે. તે સમયે પરિવાર પણ મોટા રહેતા હતા, જેને સાચવ્યા છે. નોકરી કરતાંકરતાં અથવા ઘરે રહીને પણ ખૂબ સારા કામ કર્યા છે.
બીજી તરફ વહુનું રૂપ પણ એટલું બદલાયું છે કે સ્વયંને બદલવા છતાં સાસુ માટે વહુનું આ નવું રૂપ આત્મસાત કરવું સરળ નથી રહ્યું, જેથી અનિચ્છાએ પણ બંનેના સંબંધ તાણપૂર્ણ બની જાય છે.

સાસુનો ડર : સાસુવહુના તાણપૂર્ણ સંબંધનું સૌથી મોટું કારણ છે સાસુમા ‘પાવર ઈનસિક્યોરિટી’ નું હોવું. દીકરાના લગ્ન થયા પછી સાસુ એ ચિંતામાં પડી જાય છે કે તેમણે મહેનત અને લાગણીથી વસાવેલું સામ્રાજ્ય ક્યાંક છીનવાઈ ન જાય. જેા સાસુ આ ઈનસિક્યોરિટીના ભાવથી ગ્રસિત રહે છે, તેમના પોતાની વહુ સાથેના સંબંધમાં મહદ્અંશે કડવાશ રહે છે.

દીકરાવહુનો સંબંધ મજબૂત બનાવવામાં માની મહત્ત્વની ભૂમિકા : લગ્ન પહેલાં દીકરો માની સૌથી વધારે નજીક હોય છે. જેાકે લગ્ન પછી દીકરાની પ્રાથમિકતામાં બદલાવ આવવા લાગે છે. સાસુ ઈચ્છતી હોય છે કે દીકરો લગ્ન પછી પણ તેનો જ રહે સાથે વહુ પણ પોતાની થઈ જાય. આ એક સુંદર ભાવના અને અભિલાષા છે અને દરેક મા આ જ ઈચ્છે છે, પરંતુ તેના માટે કેટલીક વાતનું પહેલા દિવસથી ધ્યાન રાખવાની જરૂર છે. સૌપ્રથમ સાસુએ પોતાની વહુને અલ્હડ દીકરી રૂપે સ્વીકારવાની જરૂર છે, જેની દરેક ઉપલબ્ધિ પર ખુશી તથા વખાણના પુલ બાંધવામાં આવે તેમજ તેની દરેક ભૂલને હસીને પ્રેમથી નજરઅંદાજ કરવામાં આવે, કારણ કે એક સુકુમાર લાડકી દીકરીના લગ્ન થતા વહુની જવાબદારીના બોજ હેઠળ દબાઈને ન રહે ને.
વહુને પોતાના દીકરાની પત્ની અને વહુ માનતા પહેલાં તેનો એક સ્વતંત્ર વ્યક્તિત્વ રૂપે સ્વીકાર કરો. તેના વિચારો, ફ્રેન્ડ સર્કલ અને તેના કામને પણ એટલું જ મહત્ત્વ આપો જેટલું મહત્ત્વ તમે તમારા દીકરાને આપો છો. હવે યુવાન છોકરાઓમાં પણ પોતાની કામકાજી પત્નીને લઈને ખૂબ બદલાવ આવ્યો છે, પરંતુ મોટાભાગે જેાવા મળે છે કે મા દીકરાની આ લાગણીને પ્રોત્સાહન નથી આપી શકતી.

વહુ દીકરાની પેઢીની અને તેની સમકક્ષ શિક્ષિત છે, નવી ટેક્નોલોજીની જાણકાર છે. દીકરાવહુની ઘણી પરસ્પરની વાતો અને વિચારો તેમની પેઢી મુજબના છે જે સાસુની સમજમાં નથી આવતા અને તે પોતાને ઉપેક્ષિત અનુભવવા લાગે છે. આ સ્થિતિમાં દીકરાવહુના એકબીજા સાથેના સંબંધને સહજતાથી લેવાની જરૂર છે, જે રીતે દીકરીજમાઈ માટે વિચારો છો, શું દીકરીજમાઈ માને બધું જણાવે છે?

અંગત જિંદગીમાં હસ્તક્ષેપ નહીં : દીકરાવહુ વચ્ચે નાનામોટા ઝઘડા થવા તો સામાન્ય વાત છે. તે બંને જાતે જ તેનું સમાધાન પણ શોધી લે છે, પરંતુ તેમના ઝઘડામાં વચ્ચે પડીને એમ વિચારવું કે વહુ પોતાની ભૂલનો સ્વીકાર કરીને સમાધાન કરી લે. આ માનસિકતા જેાકે નાના ઝઘડાને મોટો કરી દે છે.

એકબીજાની ઈર્ષા કેમ : સાસુ અને વહુની વચ્ચે ઈર્ષાની વાત થોડી વિચિત્ર જરૂર લાગે છે, કારણ કે બંને વચ્ચેનો સંબંધ સારો હોય કે ખરાબ, હોય છે તો માદીકરીનો જ, પરંતુ આ બંને વચ્ચે ઈર્ષા ક્યાં, કયા સ્વરૂપે પેદા થાય છે તે વિશે કહી શકાતું નથી. છોકરાએ પોતાની મા માટે કંઈ ખરીદીને લાવે, કોઈ વાતે માની સલાહને મહત્ત્વ આપે, માએ બનાવેલા ભોજનના વધારે વખાણ કરે, પત્નીને મા પાસેથી ખાવાનું બનાવતા અને ગૃહસ્થી ચલાવતા સમ ખાવાની સલાહ આપી દે તો વહુના દિલમાં સાસુ પ્રત્યે ઘૃણા તથા ઈર્ષાના ભાવ આવે છે. બીજી તરફ આ બધા કારણે સાસુ પણ વહુ પ્રત્યે ઈર્ષાળુ બની શકે છે.

સાસુના જમાનામાં વહુ માટે માનમર્યાદા અને કાયદા તથા જવાબદારી ખૂબ વધારે હતા, પરંતુ આજે છોકરી માટે આ બધી વાતો અને જવાબદારીના માપદંડ બદલાઈ ગયા છે. તેથી વહુની બદલાયેલી રીતનો સ્વીકાર કરી લો. મનથી સ્વીકાર કરતા સાસુવહુ વચ્ચેની અસહજતા દૂર થશે તો તેની સારી અસર દીકરાવહુના સંબંધ પર પણ થશે. દીકરો તો તમારો જ છે, પરંતુ જેા ક્યારેક પક્ષ લેવાની જરૂર પડે તો વહુનો લો, નહીં તો તટસ્થ રહો.

બાળકોના સંબંધને બચાવી રાખવાની જવાબદારી બંને પરિવારની છે : એ વાત સાચી છે કે વહુનું ખરું ઘર તો તેના પતિનું ઘર કહેવાય છે, તેથી તેની સાસરીના લોકો પર બાળકોના લગ્નને મજબૂત બનાવવાની અને વિખૂટા પડવાની સ્થિતિમાંથી બચાવવાની જવાબદારી રહે છે. દીકરો જેટલો તેની માની નજીક હશે તેટલી જ તેની મા પણ તેના માટે પ્રયાસરત રહેશે, કારણ કે દીકરો તેની માની સલાહને વધારે અનુસરતો હોય છે. પરંતુ આજના સમયમાં છોકરીના માતાપિતા પણ તેના માટે ઓછા ગુનેગાર નથી. તેઓ પણ નાનીનાની વાતમાં પોતાની દીકરીને ઉશ્કેરીને નાની વાતને મોટી બનાવી દેતા હોય છે. જેા પોતાની દીકરી પર કોઈ અત્યાચાર થતો હોય તો તેને જરૂર સાથ આપો, પરંતુ નાનીનાની વાત અને પરિસ્થિતિમાં દીકરીને સમજદારીભર્યો દષ્ટિકોણ રાખવાનું કહો, કારણ કે એક લગ્ન તૂટી ગયા પછી બીજું લગ્ન એટલું સરળ નથી હોતું.

ડિવોર્સ માત્ર એક રસ્તો છે, મુકામ નથી, તેમાં પણ ખાસ કરીને જ્યારે બાળકો હોય, કારણ કે ડિવોર્સ પતિપત્નીના થતા હોય છે, માતાપિતાના નહીં. બાળકોને બંનેની જરૂર હોય છે. દરેક નાનીનાની વાતને પણ માનસન્માનનો પ્રશ્ન બનાવી લેવો કોઈ સમજદારી નથી. તેથી સાસરીના લોકોએ પણ પોતાનો દષ્ટિકોણ બદલવાની જરૂર છે. વહુના આવેલી છોકરીના સ્વતંત્ર વ્યક્તિત્વને સ્વીકારતા શીખો. વખાણ કરવાની ટેવ તેમજ ‘સ્વીકાર કરવાનો’ સ્વભાવ કોઈ પણ સંબંધને માત્ર તૂટવાથી નથી બચાવતો, પરંતુ મજબૂત પણ બનાવે છે.
– સુધા જુગરાન.

વધુ વાંચવા કિલક કરો....