મોનસૂન એટલે કે બળબળતી ગરમી અને પરસેવાથી રાહત અપાવતા સુંદર મોસમ, જેમાં આપણને ખાવાની?અને ફરવાની ખૂબ મજા આવે છે. પરંતુ આ મોસમ પોતાની સાથે કેટલાય પ્રકારની બીમારીઓ પણ લાવે છે, જેનાથી બધી મજા બગડી જાય છે. મોનસૂન દરમિયાન વધારે બીમારીઓ દૂષિત પાણીના સંપર્કમાં આવવા અને મચ્છરના ડંખવાથી થાય છે. મુંબઈના જનરલ ફિજિશિયન ડો. ગોપાલ નેને જણાવે છે કે એવી કેટલીય બીમારીઓ છે, જે મુખ્યત્વે મોનસૂનમાં બેદરકારી રાખવાથી થાય છે અને શરૂઆતના લક્ષણોને ન ઓળખાતા ગંભીર રૂપ લે છે. તે નિમ્નલિખિત છે :

તાવ : મોનસૂન દરમિયાન તાવ એટલે કે શરદીતાવ થવા સામાન્ય વાત છે. આ એક ચેપી બીમારી છે જે હવામાં ફેલાયેલા વાઈરસના શ્વાસ દ્વારા અંદર જવાથી ઝડપથી ફેલાય છે. તે વાઈરસ આપણા શ્વસનતંત્રને ચેપ કરે છે, જેનાથી ખાસ તો નાક અને ગળું પ્રભાવિત થાય છે. નાક વહેવું, ગળામાં બળતરા, શરીરમાં દુખાવો, તાવ વગેરે તેના લક્ષણ હોય છે. તે થતા જલદીમાં જલદી ડોક્ટરની સલાહ લેવી જેઈએ.

સાવચેતી : શરદીતાવથી બચવા માટે સૌથી સારી રીત છે નિયમિત રીતે સ્વચ્છ, સંતુલિત અને પૌજિક આહાર લો, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમને વિકસિત કરીને પ્રતિરોધક ક્ષમતા વધારે.

વાઈરલ ફીવર : અચાનક મોસમ પરિવર્તનના કારણે થાક, ઠંડી, શરીરમાં દુખાવો અને તાવને વાઈરલ તાવ કહે છે. આ તાવ એક ચેપી બીમારી છે, જે સંક્રમિત હવા કે સંક્રમિત શારીરિક સ્રાવના સંપર્કમાં આવવાથી ફેલાય છે. વાઈરલ તાવ સામાન્ય રીતે ૩થી ૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે ૩-૭ દિવસ સુધી રહે છે. આ સામાન્ય રીતે આપમેળે ઠીક થઈ જાય છે, પરંતુ ફરી સંક્રમણમાં એન્ટિબાયોટિક લેવાની જરૂર હોય છે.

સાવચેતી : વાઈરલ ફીવરથી બચવા માટે વરસાદમાં પલળવાથી બચો?અને લાંબા સમય સુધી ભીના કપડાંમાં ન રહો. હાથની સાફસફાઈ પર ખાસ ધ્યાન આપો. તે સિવાય વિટામિન સી યુક્ત ભોજન, લીલાં શાકભાજી?અને ફળ ખાઓ જેથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બની રહે. સંક્રમિત વ્યક્તિથી દૂર રહો.

મચ્છરથી થતી બીમારી :
મેલેરિયા : ડો. નેનેના જણાવ્યાનુસાર મોનસૂનમાં થતી બીમારીઓમાંથી એક મેલેરિયા ગંદા પાણીમાં પેદા થતા માદા મચ્છર એનાફિલિઝના ડંખવાથી થાય છે, કારણ કે વરસાદની મોસમમાં પાણી જમા થવું એક ગંભીર સમસ્યા છે, જેનાથી મચ્છર પેદા થવાની શક્યતા વધારે રહે છે. તેના લક્ષણ તાવ, શરીરમાં દુખાવો, ઠંડી, ઊલટી, પરસેવો આવવો વગેરે લક્ષણ છે. જે તેનો યોગ્ય ઈલાજ ન કરાવવામાં આવે તો જોંડિસ, એનીમિયા, લિવર અને કિડનની નિષ્ફળતા જેવી જટિલતા વધવાની શંકા રહે છે. મેલેરિયાની તપાસ સામાન્ય રીતે રક્ત સ્લાઈડનો ઉપયોગ કરીને લોહીની માઈક્રોસ્કોપિક તપાસ કે એન્ટિજન આધારિત રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પરથી થાય છે. મેલેરિયાનો એન્ટિમેલેરિયલ દવાથી સફળતાપૂર્વક ઈલાજ કરવામાં આવે છે. તમારી ઈચ્છાથી ભૂલથી પણ કોઈ દવા ન લો.

સાવચેતી : મચ્છરજન્ય ક્ષેત્રમાં રહેનારે પહેલાંથી જ ડોક્ટરની સલાહ પર એન્ટિમેલેરિયલ દવાઓ લેવી જેાઈએ. મચ્છરોથી બચવા માટે પ્રતિરોધક ક્રીમ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરો, સાથે મચ્છરના પ્રજનનને રોકવા માટે ઘરની આસપાસ ગંદું પાણી ભેગું ન થવા દો. તે સિવાય એ કપડાં પહેરવા, જેનાતી શરીર ઢંકાઈ રહે.

ડેંગ્યૂ : ડેંગ્યૂ તાવ મચ્છરોથી થતો એક વાઈરલ ચેપ છે. આ બીમારી ખાસ તો કાળા અને સફેદ ધારીવાળા મચ્છરના કરડવાથી થાય છે, જે સામાન્ય રીતે સવારે કરડે છે. ડેંગ્યૂને ‘બ્રેક બોન ફીવર’ કહેવાય છે. માંસપેશીઓ અને સાંધામાં દુખાવો, સોજેા, માથાનો દુખાવો, તાવ, થાક વગેરે ડેંગ્યૂના લક્ષણ છે. જે ડેંગ્યૂ તાવ ગંભીર થઈ જાય તો પેટનો દુખાવો, રક્તસ્રાવ થવાની સાથે સર્કુલેટરી સિસ્ટમ પણ ખરાબ થઈ શકે છે. સ્વાભાવિક છે કે ડેંગ્યૂના ઈલાજ માટે કોઈ ખાસ એન્ટિબાયોટિક કે એન્ટિવાઈરલ દવા નથી. આ સ્થિતિમાં શરૂઆતી લક્ષણની ઓળખ કરીને ઉપચાર કરાવવો યોગ્ય રહે છે. તેમાં વધારેમાં વધારે આરામ કરવો યોગ્ય રહે છે. તેમાં વધારેમાં વધારે આરામ અને પ્રવાહી પદાર્થનું સેવન કરવું મહત્વનું છે. આ દરમિયાન માથાનો દુસ્રવો, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી બચવા માટે ડોક્ટરની સલાહથી દવા લેવી જેઈએ.

સાવચેતી : ડેંગ્યૂ મચ્છર ચેપવાળી બીમારી છે. આ સ્થિતિમાં મચ્છરથી બચવા માટે પ્રતિરોધક ક્રીમનો ઉપયોગ કરો. બહાર નીકળતા કપડાંથી સરીરને ઢાંકો. ડેંગ્યૂના મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે.

દૂષિત પાણીથી થતી બીમારીઓ :
ટાઈફોઈડ : ડો. નેનેના અનુસાર, ટાઈફોઈડ, સાલ્મોનેલા નામક બેક્ટેરિયાના લીધે થાય છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના મળની સાથે દૂષિત પાણી એટલે કે દૂષિત પાણી કે દૂષિત ભોજન?અને પીવાના પાણીના કારણે થાય છે. તેનો ઈલાજ રક્ત અને હાડકાંના વ્યાપક પરીક્ષણ સાથે કરવામાં આવે છે. લાંબા સમય સુધી ખબ તાવ, માથાનો દુખાવો, ઊલટી, પેટનો દુખાવો વગેરે ટાઈફોઈડના સામાન્ય લક્ષણ છે. આ બીમારીની સૌથી ખરાબ વાત એ છે કે દર્દી ઠીક થયા પછી પણ તેનો ચેપ મૂત્રાશયમાં રહી જાય છે.
ટાઈફોઈડ : સ્વચ્છ ભોજન, પાણી, ઘરની સાફસફાઈની સાથે હાથપગની સ્વચ્છતા તમને આ બીમારીથી બચાવી શકે છે. ટાઈફોઈડના ઈલાજ માટે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. હેપેટાઈટિસ એ : આ મોનસૂનમાં થનારી એક ગંભીર લિવરની બીમારી છે. હેપેટાઈટિસ એ સામાન્ય રીતે વાઈરલ ચેપ છે, જે દૂષિત પાણીઅને માણસના સંક્રમિત સ્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. આ મોટાભાગે માખીના માધ્યમથી ફેલાય છે. તે સિવાય સંગ્રહ દરમિયાન સંક્રમિત ફળ, શાકભાજી કે અન્ય ખાદ્યપદાર્થને ખાવાથી પણ થાય છે. તેની સીધી અસર કિડની પર થાય છે. તેના અનેક લક્ષણ છે જેમ કે જેંડિસ, પેટનો દુખાવો, ભૂખની કમી, મનની બેચેની, તાવ, ઝાઢા, થાક વગેરે. તેની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે.

સાવચેતી : આ બીમારીથી બચવા માટે બેચેનીનો ઈલાજ અને લિવરને આરામ આપવો જરૂરી હોય છે. તે સિવાય સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવું સૌથી શ્રેષ્ઠ રીત છે. વધારે જેાખમી લોકો માટે વેક્સિન ઉપલબ્ધ છે. આ બીમારીથી બચવા માટે બેચેનીનો ઉપચાર અને લિવરને આરામ આપવો આવશ્યક છે. તે સિવાય સાફસફાઈ પર ખાસ ધ્યાન આપવું સૌથી ખાસ રીત છે. વધારે જેાખમી લોકો માટે વેક્સીન ઉપલબ્ધ છે.

એક્યૂટ ગેસ્ટ્રોએન્ટેરાઈડિસ : આ વરસાદની મોસમમાં ગેસ્ટ્રોટરોરાઈટિસ કે ફૂડ પોઈઝનિંગ એક સામાન્ય બીમારી છે. વાતાવરણમાં ભીનાશના લીધે આ બીમારીના જવાબદાર બેક્ટેરિયા ઝડપથી વધે છે. ગેસ્ટ્રોટરોરાઈટિસના લક્ષણ છે પેટમાં આંટી, ઊલટી અને ઝાડા વગેરે. સતત તાવ અને ઝાડાથી બેચેની અને કમજેારી અનુભવાય છે. તેનાથી બચવા માટે વધારેમાં વધારે હાઈડ્રેટ રહો. ચોખા, દહીં, ફળ જેવા કેળા, સફરજન?અને બ્લેંડ આહાર લો. ચોખા અને નાળિયેરનું પાણી પણ હાઈડ્રેશન માટે યોગ્ય ઉપચાર છે. તાવ અને ડિહાઈડ્રેશનના ઈલાજ માટે ઓઆરએસ જરૂરી છે.

સાવચેતી : મોનસૂનમાં કાચું કે અધપાકેલું જેમ કે સેલડ ખાવાથી બચો. મોનસૂનમાં બહાર કંઈપણ ખાવાથી બચો.

– રીના જૈસવાર.

કેટલીક ખાસ ટિપ્સ :

  • ટાઈફોઈડ, જેંડિસ અને ડાયેરિયા જેવા પાણીથી ઉત્પન્ન બીમારીઓથી બચવા માટે પાણી ઉકાળીને કે શુદ્ધ જ પીઓ. શ્ર બેક્ટેરિયાના લીધે થનારી બીમારીથી બચવા માટે અલગ ટુવાલનો ઉપયોગ કરો. શ્ર ખાંસી કે છીંકતી વખતે મોં અને નાકને રૂમાલથી ઢાંકો. શ્ર ડેંગ્યૂ અને મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે હંમેશાં કપડાંને સૂકવીને જ પહેરો.
  • ઘરનું બનેલું તાજું ભોજન કરો.
  • હાથને સ્વચ્છ રાખવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
વધુ વાંચવા કિલક કરો....