કેટલાક મહિના પહેલાં મારા મિત્રે કહ્યું કે તેનો દીકરો હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવા માંગે છે, પણ તેને મંજૂર નથી, કારણ કે તે તેના દીકરાને મીટ અને ઈંડાં સાથે કામ કરવા દેવા નહોતો માંગતો. મને તે સમયે ચંદ્રશેખર ભૂનિયાનો કિસ્સો યાદ આવ્યો. તે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમને લાગ્યું કે શાકાહારી માટે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરવો અશક્ય છે, કારણ કે તેમણે પશુને કાપતા અને પકાવતા શીખવું પડે છે. તેમણે મંત્રીઓ, ઓફિસર અને પોતાના સમાજના લોકોને પત્ર લખવાના શરૂ કર્યા કે આ જરૂરિયાત ખોટી છે. તેમણે દિલ્લી આવીને તેની દલીલ કરી. તેમનું કહેવું હતું કે કેટલાક વર્ગ માત્ર શાકાહારી ભોજન જ ખાય છે અને તે વર્ગના વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટના કોર્સમાં મીટ પકાવતા શીખીને શું કરશે, જ્યારે તે આજીવન શાકાહારી ભોજન જ બનાવશે. આ તેમની માર્કેટ ડિમાન્ડ, પરિવારની ઈચ્છા, કૌટુંબિક મૂલ્યની વિરુદ્ધ છે. મેં જાતે સ્કૂલમાં બાયોલોજી સબ્જેક્ટ નહોતો લીધો, કારણ કે તેમાં પશુઓની ચીરફાડ કરવી પડતી હતી.

એક તબક્કામાં ચાલવું : હોટલ મેનેજમેન્ટ કોર્સમાં ૪૦ થી વધારે વિષય હોય છે, જેમાં કાયદો, ફ્રંટ ઓફિસની દેખરેખ, ટિકટિંગ, રહેવાની સુવિધા, રૂમનું બુકિંગ, માંસાહારી ભોજન બનાવવું વગેરે શીખવું અનિવાર્ય બનાવીને અન્ય ક્ષેત્રની માહિતીથી અજાણ રાખવા યોગ્ય નથી. તેને પ્રાથમિકતા આપવાના ચક્કરમાં શાકાહારી પાકકલાને વિશ્વમાં ફેલાતા અટકાવે છે. જેાકે હોટલ મેનેજમેન્ટ કોર્સમાં જાણીતી તમામ સંસ્થા માંસાહારી જ છે, તેથી તેમને શાકાહારીના નિયમ અને સંવેદનશીલતાનું ધ્યાન નથી રહેતું. તે શાકાહારી ભોજનમાં માંસાહારી વસ્તુ ખાસ તો ઈંડાંનો ઉપયોગ કરતા નથી ખચકાતા. શાકાહારી આંદોલન હવે દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને હવે હજારો હોટલ માત્ર શાકાહારીની ખૂલી છે. કેટલીક રેસ્ટોરન્ટ, એરલાઈન્સ અને પર્યટન શિપ માત્ર શાકાહારી ભોજન પીરસે છે. શાકાહારી કુકિંગ શીખીને લોકો સરળતાથી આ ક્ષેત્રમાં નોકરી મેળવી શકે છે. આપણા દેશના અનેક ઉત્સવ, લગ્ન પ્રસંગમાં માત્ર શાકાહારી ભોજન હોય છે. અહીં સારા ટ્રેન્ડ થયેલા શેફની ખૂબ જરૂરિયાત છે.

કોર્સમાં શરત ન હોય : જેા માત્ર શાકાહારીઓને શરત વિના હોટલ મેનેજમેન્ટ કોર્સમાં લેવામાં આવે તો તેમને સારું ટેલેન્ટ પણ મળશે, કારણ કે ૧૨ મા ધોરણમાં સારા માર્ક્સ મેળવનાર અનેક વિદ્યાર્થીઓ આ ક્ષેત્ર વિશે વિચારતા પણ નથી. આ કોર્સ માત્ર શાકાહારીઓ માટે સ્થાન લાવે તો ગૃહિણીઓ પણ આ કોર્સ કરવાનું પસંદ કરશે. ઢાબા અને નાની રેસ્ટોરન્ટમાં જે માત્ર શાકાહારી ભોજન પીરસે છે, ઘણી વાર ક્વોલિટી સારી નથી હોતી, કારણ કે અહીં શિક્ષણની કમી રહે છે. મને સારા, સસ્તા, સ્વચ્છ, રસ્તા કિનારે બનતા શાકાહારી ભોજનની જગ્યાનો અભાવ સ્પષ્ટ દેખાય છે, કારણ કે મારે ટ્રાવેલિંગ ઘણું રહે છે. ચંદ્રશેખરના પ્રયાસનું પરિણામ એ આવ્યું કે અમદાવાદ, ભોપાલ અને જયપુરની કેટલીક હોટલ મેનેજમેન્ટ સંસ્થાએ અલગ શાકાહારી કિચન બનાવવાનો નિર્ણય લીધો છે. જે શાકાહારીઓ માટે સારા સમાચાર છે.

– મેનકા સંજય ગાંધી

વધુ વાંચવા કિલક કરો....