શું તમે તમારા રિલેશનને લઈને ચિંતિત રહો છો? જેા જવાબ હા હોય તો આ વાત પર ગંભીરતાપૂર્વક તમારે વિચારવાની જરૂર છે. તમારી ચિંતાનું કારણ તમારો પોતાનો એટિટ્યૂડ અથવા તમારા બંનેની કેમેસ્ટ્રી હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને તમે તમારા લગ્નજીવનને સુચારુ રૂપે ચલાવી શકો છો :

કમ્યૂનિકેશન : તમારી લાગણી, વિચારો, સમસ્યા એકબીજાને જણાવો. વર્તમાન અને ભવિષ્ય વિશે ખૂલીને એકબીજા સાથે વાત કરો. પાર્ટનરને જણાવો કે તમે બંને વિશે કેવા પ્લાન કરી રહ્યા છે. જેાકે બોલવાની સાથેસાથે સાંભળવું પણ જરૂરી છે. મૌન પણ પોતાનામાં એક સંવાદ હોય છે. હાવભાવ, સ્પર્શમાં પણ સાથી પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરતા રહો.

બધી આશાઓ એક પાસેથી ન રાખો : જેા તમે તમારા સાથી પાસેથી ગેરવાજબી આશા રાખશો તો તમારું નિરાશ થવું ઉચિત કહેવાશે. તેથી પાર્ટનર પાસેથી એટલી જ આશા રાખો જેટલી તે પૂરી કરી શકે. પાર્ટનરને પૂરતી સ્પેસ આપો. તેના સારા-ખરાબ પાસાનેે પણ સ્વીકારો.

ચર્ચાથી ભાગો નહીં : સ્વસ્થ સંબંધ માટે ચર્ચા સારી રહે છે. વાતને ટાળતા રહેવાથી વિવાદ વધારે ઉગ્ર બને છે. મનમાં દબાયેલી ચિંતાને વધારશો નહીં, ખુલ્લા દિલે કહી દો. તમારો સાથી જ્યારે તમારી સાથે ઝઘડી રહ્યો હોય ત્યારે મૌન ધારણ ન કરો કે ન તો ખૂબ જ ઉગ્રતાથી પ્રતિભાવ આપો. ધ્યાનથી સાંભળો અને વિશ્વાસપૂર્વક સમજેા. ઝપાઝપી અથવા અપશબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરો.

ખરાબ વ્યવહારને આપો પડકાર : ક્યારેય પણ સાથીના ખરાબ વ્યવહારથી દુખી થઈને પોતાનું સ્વાભિમાન ગુમાવશો નહીં. ઘણી વાર આપણે સાથીના વ્યવહારથી એટલા પરેશાન થઈ જતા હોઈએ છીએ કે પોતાનું દુખ વ્યક્ત કરવાના બદલે સ્વયંને જ અપરાધી અનુભવવા લાગીએ છીએ અથવા તો પોતાની ભૂલ માની લેતા હોઈએ છીએ. સાથી તમને શારીરિક કે માનસિક રીતે ઈજા પહોંચાડે તો પણ તમે તેને ના નથી કહી શકતા. જેાકે આ ખોટું છે. ખરાબ વ્યવહારનો વિરોધ કરો. આમ કરવાથી સંબંધમાં એવી તિરાડ પડે છે જે ક્યારેય પુરાતી નથી.

એકબીજાને સમય આપો : એકબીજા સાથે સમય વિતાવવાથી અને ક્વોલિટી ટાઈમ શેર કરવાથી પ્રેમમાં વધારો થાય છે. સાથી સાથે ટ્રિપનું પ્લાનિંગ કરો. ઘરે પણ નવરાશની પળ વિતાવો. આ સમયને માત્ર સારી વાતો યાદ કરવા માટે રાખો, આ સમયે લડાઈઝઘડાની વાત ન કરો. પછી જુઓ આ સમયને જ્યારે પણ તમે યાદ કરશો ત્યારે મને ખૂબ સારું લાગશે.

વિશ્વાસ કરો અને માન પણ આપો : શું તમે તમારા સાથીને મહેણાં મારીને તેની મજાક ઉડાવો છો? શું તમે તેની પર હંમેશાં શંકા રાખો છો? જેા આવું હોય તો સંબંધ ક્યારેય બરાબર નહીં ચાલે. એકબીજા પર વિશ્વાસ કરવો સંબંધમાં સૌથી વધારે મહત્ત્વનું છે. એકબીજાને માન આપવું પણ ખૂબ જરૂરી છે. વિશ્વાસ અને માન-સન્માન કોઈ પણ સંબંધનો પાયો હોય છે, તેથી તેને મજબૂત રાખો.

ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો : લગ્ન થઈ ગયા પછી પણ ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો. સાથીની પસંદનાપસંદ પર ખરા ઊતરવાનો પ્રયાસ કરતા રહો. તેની ઈચ્છા અનુસાર પોતાને ઢાળવાનો પ્રયત્ન કરો. જે રીતે એક છોડ સારી રીતે સિંચાઈ થયા પછી જ મજબૂત વૃક્ષ બને છે. યોગ્ય સારસંભાળથી જ તે વિકાસ પામે છે. બરાબર તે જ રીતે લગ્નજીવનને પણ બે લોકો સાથે મળીને સફળ બનાવી શકે છે.

આ એક ટીમવર્ક છે : પતિપત્ની ત્યારે જ આનંદમય જીવન જીવી શકે છે જ્યારે બંને એક ટીમની જેમ કામ કરે. બંને સમજે કે એકબીજા સાથે જીવવા માટે સાથે મળીને મુશ્કેલીઓ સામે જીતવું જરૂરી છે. લગ્નજીવન બંને પક્ષની મહેનતનું પરિણામ હોય છે.

એકબીજાની કાળજી લો : જીવનની પ્રત્યેક બાબત ઉપર જેા તમે એકબીજાને રાખશો તો સુરક્ષાની ભાવના વિકસિત થશે અને આ ભાવના સંબંધને મજબૂત બનાવે છે. તેથી પ્રત્યેક પતિપત્નીએ એકબીજાને દિલ ખોલીને પ્રેમ કરવો જેાઈએ અને માનસન્માન પણ આપવા જેાઈએ.

કાળજીપૂર્વક પસંદ કરો મિત્ર : તમારા મિત્ર તમારા જીવનને સારું અથવા ખરાબ બનાવી શકે છે. મિત્રોનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર પર પણ ખૂબ વધારે પડે છે. તેથી એવા મિત્ર પસંદ કરો, જે સારા હોય.

વાણી પર સંયમ : લગ્નજીવનમાં ઘણી વાર તમારા શબ્દો જ તમારા લગ્નજીવનને છિન્નભિન્ન કરી દે છે. તેથી તમારા શબ્દોનો પ્રયોગ કટાક્ષ, અપશબ્દો અથવા મહેણાંટોણાં મારવા માટે ન કરો, પરંતુ આ બધાથી દૂર રહી સાથીના વખાણ કરો અને વાણીમાં મીઠાશ રાખો. આમ કરવાથી તમારું લગ્નજીવન સારું રહેશે.

– પૂનમ મહેતા.

વધુ વાંચવા કિલક કરો....