વૈશ્વિક સ્તર પર જન્મ લેનાર ૧૫ મિલિયન બાળકોમાંથી ૧/૫ બાળકો ભારતમાં જન્મ લે છે અને પૂરી દુનિયામાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુનું મુખ્ય કારણ સમય પહેલાં જન્મ લેવું રહ્યું છે. વાતમાં કોઈ શંકા નથી કે ભારતમાં આવા નવજાતની સઘન ચિકિત્સા અને દેખરેખની ખૂબ જરૂર છે, જે આપણા દેશમાં સમય પર શક્ય નથી હોતી. ‘પ્રીમેચ્યોર ચાઈલ્ડ બર્થ એન્ડ કેર વીક’ પર સમય પહેલાં શિશુના જન્મ વિશે નવી મુંબઈ, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના કંસલ્ટન્ટ, ઓબ્સટેરિક્સ અને ગાયનેકોલોજી ડોક્ટર વંદિતા સિંહા જણાવે છે કે સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો પૂરો સમય ૪૦ અઠવાડિયાનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં અચાનક એવી મુશ્કેલી પેદા થાય છે કે ૩૭ અઠવાડિયાની ગર્ભાવસ્થા પૂરી થયા પહેલાં શિશુનો જન્મ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્થિતિને પ્રીટર્મ અથવા સમય પહેલાંનો જન્મ કહ્યું છે અને તેની ૩ શ્રેણી જણાવી છે :
અત્યાધિક અપરિપક્વ (૨૮ અઠવાડિયાથી ઓછું),
વધારે અપરિપક્વ (૨૮ થી ૩૨ અઠવાડિયાની વચ્ચે જન્મનાર શિશુ),
મધ્યમથી વધારે અપરિપક્વતા (૩૨ થી ૩૭ અઠવાડિયાની વચ્ચે પેદા થનાર શિશુ).

જેા શિશુ ગંભીર રીતે અસ્વસ્થ હોય, તો પૂરા પરિવાર માટે તાણપૂર્ણ સ્થિતિ બની જાય છે. આ સમસ્યા વિશેની જાણકારી અથવા પૂર્વ અનુભવ ન હોવાથી નિઓનેટલ યુનિટમાં શિશુના માતાપિતા મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા હોવાની ભાવનાનો અનુભવ થતો હોય છે. સી સેક્શન અથવા સિઝેરિયન સેક્શનથી કરાવવામાં આવેલા બાળકના જન્મમાં માતાનો શિશુના જન્મ પછી શરૂઆતના થોડા દિવસો સુધી પોતાના નવજાત શિશુ સાથે ખૂબ ઓછો અથવા કોઈ સંઘર્ષ નથી હોતો. આ સ્થિતિમાં માતાપિતા પર તાણ વધી જાય છે અને ત્યાર પછી ચિંતા, ડિપ્રેશન, પોસ્ટ ટ્રામેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને કુલ સ્વાસ્થ્ય પર અસર થવાનું જેાખમ રહે છે. સિંગલ સાઈટ્સ અથવા હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જેાવા મળ્યું છે કે ગર્ભાવસ્થા પૂરી થવાના ખૂબ પહેલા થયેલા જન્મના લીધે પેદા થનાર તાણ લાંબા સમય સુધી જળવાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....