આપણા દેશમાં ૫૦ ટકા વ્યવસાચી માઓને માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં બાળકોની સંભાળ લેવા માટે નોકરી છોડવી પડે છે. અશોકા યુનિવર્સિટીના ‘જેનપેક્ટ સેન્ટર ફોર વુમન્સ લીડરશિપ’ એ ‘પ્રિડિકેમેંટ ઓફ રિટર્નિંગ મધર્સ’ નામથી એક રિપોર્ટ બહાર પાડ્યો કે જે વ્યવસાયી મધર્સના પડકારો પર અભ્યાસના આધારે તૈયાર કરવામાં?આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મમ્મી બન્યા પછી માત્ર ૨૭ ટકા મહિલાઓ જ પોતાની કારકિર્દીને આગળ ધપાવે છે. મા બનતા જ ૭૩ ટકા મહિલાઓ જેાબ કરવાનું છોડે છે. પ્રોફેશનલ સોશિયલ સાઈટ લિંક્ડઈને તાજેતરમાં એક રિપોર્ટ પબ્લિશ કર્યો જે પ્રમાણે ભારતમાં ૧૦માંથી ૭ મહિલાઓ નોકરી છોડવાનું વિચારે છે. લિંક્ડઈનના રિપોર્ટ મુજબ નોકરી છોડવાનું કારણ પક્ષપાત, પગારમાં કપાત અને કામમાં ફ્લેક્સિબિલિટીની કમી છે. આ રિપોર્ટ માટે લગભગ ૨,૨૬૬ મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી. તેમાં મહિલાઓના કામકાજ અને તેને સંબંધિત પડકારો પર ફોકસ કરવામાં?આવ્યું. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું કે કોરોના મહામારીએ મહિલાઓના કામ ગંભીર અસર કરી છે. આ મહામારી પછી હવે દેશમાં લગભગ ૧૦ થી ૭ મહિલાઓ એટલે કે લગભગ ૮૩્રુ મહિલાઓ ઓફિસમાં વધારે ફ્લેક્સિબલી કામ કરવાનું પસંદ કરે છે.

મહિલાઓ નોકરી કેમ નથી કરી શકતી
ફ્લેક્સિબિલિટીની કમીના કારણે મહિલાઓ નોકરી છોડે છે. સર્વે પ્રમાણે ૭૦ ટકા મહિલાઓ પહેલાં જ નોકરી છોડી ચૂકી છે કે છોડવા વિશે વિચારે છે. તેની સાથે એ પ્રકારની નોકરીની ઓફર્સ પણ રિજેક્ટ કરે છે જ્યાં તેમને કામ કરવાના ફ્લેક્સિબલ અવર્સ નથી મળતા. સર્વેમાં ૫ માંથી ૩ મહિલાઓએ એ માન્યું છે કે વર્કપ્લેસ પર ફ્લેક્સિબિલિટીથી પર્સનલ લાઈફ અને કામ વચ્ચે બેલેન્સ બનાવવામાં સરળતા રહે છે. તેનાથી મહિલાઓને કરિયરમાં આગળ વધવામાં મદદ મળે છે. તેની સાથે તેમની મેન્ટલ હેલ્થ માટે પણ જરૂરી છે. જેટકા આ સુવિધા નથી મળતી તો પરિવારની જવાબદારીના લીધે તેમના માટે જેાબ કંટિન્યૂ કરવી મુશ્કેલ થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....