ધોમધખતી ગરમીમાં ૨૮ વર્ષની શિક્ષિકા મલ્લિકા અદાલતની બહાર બેસીને પોતાના કેસની સુનાવણીની રાહ જોઈ રહી હતી. છેલ્લા થોડાક મહિનામાં તેની આ ૧૩મી સુનાવણી હતી. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ, માસિક ખર્ચ અને ૩ વર્ષના દીકરાની કસ્ટડી ઈચ્છતી હતી. મલ્લિકાને ખબર હતી કે અંતિમ નિર્ણય આવવામાં હજી ઘણા મહિના અથવા તો એકાદ વર્ષ લાગી શકે છે. આ લાંબી પ્રક્રિયામાં સ્કૂલમાંથી રજા લેવી સમય અને નાણાં એમ બંનેનો વ્યય હતો. આમ તો આ કેસ લાંબો ખેંચાયો ન હોત, પરંતુ ક્યારેક જજ આવતા નહોતા, તો ક્યારેક તેનો પતિ. મલ્લિકાનું કહેવું હતું, ‘‘લગ્નજીવનમાં એક દિવસ આવ્યો જ્યારે મારી ધીરજે જવાબ આપી દીધો અને અમે અદાલતમાં પહોંચી ગયા. અદાલતે મને સૌમ્ય વ્યવહાર રાખવા કહ્યું અને અમને કાઉન્સેલિંગ માટે મોકલી દીધા. કારણ કે ફેમિલી કોર્ટની આ એક જરૂરી પ્રક્રિયા છે. કાઉન્સેલરે મંગળસૂત્ર ન પહેરવા પર મને કહ્યું કે હું હજી પણ પરિણીત છું અને મંગળસૂત્ર ન પહેરીને ભારતીય સંસ્કૃતિનો અનાદર કરી રહી છું. કાઉન્સેલરે મારા પતિને પૂછ્યું કે શું તેઓ મને પ્રેમ કરે છે. ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો. ત્યાર પછી કાઉન્સેલરે મને પૂછ્યું કે હવે તમને બીજું શું જોઈએ? ત્યારે મેં કહ્યું કે મારે સન્માન જોઈએ છે. જ્યારે પણ હું સન્માનની વાત કરું છું ત્યારે કોઈ કંઈ બોલતું નથી, બધું એકતરફી છે.’’ ૨૦૧૧માં વેલેન્ટાઈન ડે પર મુંબઈ નિવાસી ૪૦ વર્ષની સિમરને પણ મુંબઈ ફેમિલી કોર્ટમાં પોતાનો કેસ દાખલ કરી દીધો હતો. તે પોતાના પતિ પાસેથી ડિવોર્સ અને પોતાની દીકરીની કસ્ટડી ઈચ્છતી હતી, પરંતુ અદાલતના ન્યાયાધીશ પણ પિતૃસત્તાત્મક સલાહ આપતા તેને કહ્યું હતું કે તારે કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને તારા પતિ સાથે ભોજન કરવું જોઈએ અને એકબીજા સાથે વાતચીત કરીને સમાધાન શોધી લેવું જોઈએ. આમ કરવું બાળકોના ભવિષ્ય માટે પણ જરૂરી છે. આ કેસમાં સિમરને ઘરેલુ અને યૌન હિંસાનો આરોપ મૂક્યો હતો. તેનું કહેવું છે કે કાઉન્સેલિંગ માટે પણ અમે ઘણા ચક્કર લગાવી ચૂક્યા હતા, પરંતુ આ માત્ર સમયની બરબાદી છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે એક વાર જ્યારે કોઈ યુગલ વચ્ચે ડિવોર્સ અનિવાર્ય બની જાય અને પતિપત્ની બંને તેના માટે તૈયાર હોય તો તેમના માટે ૬ મહિના રાહ જોવાનો સમયગાળો જરૂરી નથી. આપણા દેશમાં આ નિર્ણયને ન્યાય પ્રણાલીમાં મોટી પ્રગતિ રૂપે જોવામાં આવ્યો છે. કારણ કે અહીં ડિવોર્સ લેવામાં ૨ થી ૧૨ વર્ષ સુધીનો સમય લાગી શકે છે જે ડિવોર્સ ઈચ્છનાર વ્યક્તિ માટે એક દુ:સ્વપ્ન બની જાય છે. ૩ દાયકા પહેલાં લગ્ન સંબંધિત કેસને સિવિલ કોર્ટથી અલગ કરીને ફેમિલી કોર્ટમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા. જેમા મધ્યસ્થતા અને સલાહસૂચન દ્વારા કેસનો ઉકેલ લાવવામાં આવતો હતો, પરંતુ ફેમિલી કોર્ટની પ્રણાલીમાં પણ વિલંબ થવા લાગ્યો. જેનું મુખ્ય કારણ ન્યાયાધીશથી લઈને ટાઈપિસ્ટ તથા બીજા કર્મચારી સુધ્ધાંની અછત હતું, જેથી બંને પક્ષકારોને બીજી તારીખ આપી દેવામાં આવે છે. ચેન્નઈની પ્રત્યેક અદાલતમાં સરેરાશ ૭૦-૮૦ કેસ સુનાવણી માટે લિસ્ટમાં હોય છે, જેમાંથી થોડા જ કેસની સુનાવણી થઈ શકે છે. જ્યારે બાકીનાને સ્થગિત કરી દેવામાં આવે છે. બેંગલુરુ નિવાસી એડવોકેટ રમેશ કોઠારીનું કહેવું છે કે ફેમિલી કોર્ટમાં સુધારાની આવશ્યકતા છે, જેથી કેસ વધારે લાંબા ન ખેંચાય. આપણે જરૂર છે કેસની સમયસીમા નિર્ધારિત કરવાની જે ફરિયાદીના પક્ષમાં હોય. યોગ્ય સમયમાં કેસનો નિકાલ આવવો જોઈએ. તેમાં પણ ખાસ ઘરખર્ચ અને બાળકના અધિકારોની વાત હોય. આ કેસમાં યુગલનો ખૂબ વધારે સમય બરબાદ થતો હોય છે. રમેશ કોઠારીની વાતને સમર્થન આપતા ચેન્નઈના એક વરિષ્ઠ આઈટી અધિકારી રવિ પ્રસાદનું કહેવું છે, ‘‘છેલ્લા ૫ વર્ષથી હું મારા કિશોર બાળકના અધિકાર માટે લડી રહ્યો છું, જે પોતાની મરજીથી મારી સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ તારીખ અને કોર્ટ મુલતવીના ચક્કરમાં ૨૦૧૨થી અત્યાર સુધી અંતિમ ચુકાદો આવ્યો નથી. આ કેસમાં અપહરણ અને ઘરેલુ હિંસા સામેલ નથી. જોકે મેં અદાલતની બહાર પણ કેસના સમાધાન માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ મને લાગે છે કે મારી પત્નીનો વકીલ સમાધાન થાય તેવું ઈચ્છતો નથી. વાસ્તવિકતા એ છે કે નવી તારીખ મળવી, કોર્ટનું મુલતવી થવું તથા સુનાવણીમાં વિલંબ, આ બધું વકીલની તરફેણમાં જતું હોય છે. બીજી સુનાવણીનો અર્થ છે વધારાની ફી, આ કારણસર વકીલ કેસને લાંબો ખેંચતા હોય છે, જે ફરિયાદી માટે દુષ્ચક્ર બની જાય છે. જેમજેમ કેસ લાંબો ખેંચાય છે તેમતેમ ન્યાયાધીશ પણ બદલાતા રહે છે. આમ થવાથી દરેક સમયે પૂરા કેસને ફરીથી વાંચવામાં આવે છે, જેમાં સમય લાગે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....