નીલમના પતિના અચાનક થયેલા મૃત્યુથી તે બંને નાના બાળકો સાથે એકલી પડી ગઈ. ઘરના દીકરાના મૃત્યુ પછી સાસરીના લોકો થોડા દિવસ સારી રીતે રહ્યા, પરંતુ ત્યાર પછી સાસુ અને નીલમ વચ્ચે રોજ કોઈ ને કોઈ વાતને લઈને બોલચાલી થવા લાગી. તે સમયે તેની નણંદ પણ મા સાથે મળીને નીલમને ખરુંખોટું સંષ્ઠળાવી દેતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને નીલમે પતિની કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો અને તેને નોકરી મળી પણ ગઈ, પરંતુ તેના સાસુના મહેણાટોણા બંધ ન થયા. તેમનું કહેવું હતું કે ભલે ને તું નોકરી કરતી હોય, ઘરના કામકાજ નથી કરતી. મારા માટે તારા બાળકોની દેખરેખ રાખવી અને રસોઈ બનાવવી શક્ય નથી.
ત્યારે નીલમે રસોઈ બનાવવા અને ઘરના બધા કામ માટે એક કામવાળી રાખી લીધી, પરંતુ આમ કરવા છતાં તેના સાસુને સંતોષ ન થયો, કારણ કે તેમના કહેવા મુજબ કામવાળી સારું ખાવાનું બનાવતી નહોતી. સમસ્યા એ દિવસે શરૂ થઈ જ્યારે સાસુ અને નણંદે નીલમને તેના પિયર જવાનું કહી દીધું. નીલમનું કહેવું હતું કે તેની માના ઘરથી તેની ઓફિસ ખૂબ દૂર છે. તે જેાતા ત્યાં જઈને રહેવું શક્ય નથી અને આ ઘર તેનું જ છે ને.
નીલમનો જવાબ સાંભળીને તેના સાસુએ તરત કહ્યું કે ‘‘ના, આ ઘરની માલિકીમાં તારું નામ નથી અને ઘર ખરીદવા તો તારા સસરાએ પૈસા આપ્યા હતા. આ ઘર મારા દીકરા અને તેના પિતાએ ખરીદ્યું હતું. તેથી તારું નામ નથી.’’ આ સમયે નીલમે પણ તરત કહ્યું, ‘‘હું તમારા દીકરાની પત્ની છું અને આ ઘર પર મારો કાયદેસર હક છે.’’
સાસુ બોલ્યા, ‘‘ઠીક છે, કાયદાથી લડી લે, કારણ કે પહેલા તેં સસરાના મૃત્યુ પછી મને અને મારી દીકરીને તારી પાસે નથી રાખ્યા. હું વિવશતાવશ અલગ રહી. હવે તું પણ તે જ જગ્યાએ છે, જ્યાં હું થોડા વર્ષ પહેલાંથી છું.’’ સાંભળીને નીલમને લાગ્યું કે તે હવે આ ઘરમાં નહીં રહી શકે અને શાંતિ માટે આ ઘર છોડવું જ પડશે.
નીલમે પિતાને ફોન કરીને પૂરી હકીકત જણાવી અને પિયરમાં બાળકોને લઈને રહેવા માટે જતી રહી. ત્યાં પણ થોડાક દિવસ ઠીક રહ્યું, પરંતુ ભાઈભાભીના આવતા જ ક્યારેક ખાવા બાબતે તો ક્યારેક બાળકો બાબતે બોલચાલ થવા લાગી. એક દિવસે નીલમે તેની સાહેલીને પોતાની સ્થિતિ જણાવી, ત્યારે સાહેલીએ તેને ભાડાનું મકાન લઈને અલગ રહેવાની સલાહ આપી. આ સમયે નીલમને વિચાર આવ્યો કે બાળકોને એકલા મૂકીને તે નોકરી પર કેવી રીતે જશે? આ પ્રશ્ન પર તેની સાહેલીએ તેને બાળકોને ડે-કેરમાં મૂકવાની સલાહ આપી.
નીલમે પણ આ સલાહ પ્રમાણે જ કર્યું અને થોડા સમય માટે એક નોકરાણી રાખી લીધી. આ સ્થિતિમાં નીલમ જેટલું કમાતી હતી, તેટલું તેના માટે પૂરતું નહોતું, તેથી તેણે રાત્રિના સમયમાં થોડું ડેટા જનરેટિંગનું કામ શરૂ કરી દીધું, કારણ કે તે હવે કાયદાની ઝંઝટમાં પડવા માગતી નહોતી ને પોતાના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવા લાગી.
આ વાત પરથી જણાય છે કે જે છોકરીના લગ્ન થઈ ગયા પછી કોઈ એકને કોઈ કારણસર સૂટકેસ લઈને બહાર નીકળવું પડે તો તે વ્યક્તિ ખાલી વ્યક્તિ બહાર નીકળતી હોય છે. છોકરી માટે રહેવાની જગ્યા ન તો પિયરમાં હોય છે કે ન સાસરીમાં. આ સ્થિતિ મોટાભાગની મહિલાઓ સાથે થાય છે, પરંતુ ઘણા પુરુષોએ પણ આ સ્થિતિનો સામનો કરવો પડે છે. જે ઘર પત્નીના નામે હોય, કારણ કે આજકાલ મોટાભાગના યુવાનો પોતાના નામે ઘર ખરીદવાના બદલે પત્નીના નામે ખરીદે છે. આમ કરવાથી સરકારી સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી લાગે છે, ટેક્સ ઓછો ભરવો પડે છે અને લોનનો વ્યાજદર પણ ઓછો ચૂકવવો પડે છે. આમ ઘણા બધા લાભ થાય છે.
જેા પતિપત્ની બંને કામ કરતા હોય તો બંનેને ટેક્સમાં અલગઅલગ લાભ મળે છે. ઉપરાંત ઘણા બધા શહેરમાં સ્ટેમ્પ ડ્યૂટિ ઓછી ભરવી પડે છે, ઉદાહરણ તરીકે દિલ્લી, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે શહેરમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવા પર ૧ થી ૨ ટકાની છૂટ મળે છે, પરંતુ બંને વચ્ચે વધારે ઝઘડા થતા મકાનને પોતાના નામે કરાવવામાં પતિને સમસ્યા થાય છે.

પાર્ટનરની ઈચ્છા સમજેા
નીલમ ઉપરાંત આશા પણ આવી જ સમસ્યાનો શિકાર બની હતી. ૧૦ વર્ષના પરિચય પછી તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. આશા બીજા શહેરમાંથી મુંબઈમાં આવીને પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી, કારણ કે તેનું પોસ્ટિંગ મુંબઈમાં થયું હતું.
એક દિવસ આશાને પોતાનો જૂનો સાથી વિમલ મોલમાં મળી ગયો, તે મુંબઈનો રહેવાસી હતો. પહેલા તેને આશ્ચર્ય થયું, પરંતુ વારંવારની મુલાકાત પછી મિત્રતા પ્રેમમાં પરિણમી ત્યારે બંનેએ લગ્ન કરી લીધા અને મુંબઈમાં એક નાનો ફ્લેટ ખરીદીને રહેવા લાગ્યા.
થોડા દિવસ સુધી બધું ઠીક ચાલ્યું, પરંતુ આશાની દીકરી ૬ મહિનાની થઈ, ત્યારે બંને વચ્ચે કામ અને દીકરીની દેખરેખને લઈને ઝઘડા થવા લાગ્યા. રોજબરોજની કચકચથી પરેશાન થઈને આશા પોતાની ૬ મહિનાની દીકરીને લઈને વિમલથી અલગ થઈ ગઈ. જેાકે પોતાના પિયર ન જતા આસપાસમાં એક રૂમ ભાડે લઈને રહેવા લાગી.
સવારે દોડધામ કરીને દીકરીનું ટિફિન બનાવીને તેને મા પાસે મૂકી દેતી અને સાંજે ઓફિસથી છૂટીને ઘરે આવતા પોતાની સાથે લઈ આવતી. પછી આશાએ સૌપ્રથમ લોન લઈને એક નાનકડો ફ્લેટ ખરીદી લીધો અને ત્યાં રહેવા લાગી. ત્યારપછી તેણે ક્યારેય પાછું વળીને જેાયું નહીં. આજે તેની દીકરી ૨૦ વર્ષની થઈ છે.

મહિલાઓની આત્મનિર્ભરતા વધી છે
એક સર્વેમાં સામે આવ્યું છે કે મહિલાઓ આજે પોતાના નામે પ્રોપર્ટી ખરીદવા ખૂબ ઉત્સુક હોય છે, કારણ કે તે આર્થિક રીતે આત્મનિર્ભર હોય છે. આ વાતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની ઘરની ખરીદીમાં વનફિફ્થ વધારો થયો છે. રિયલ એસ્ટેટ હવે માત્ર પુરુષપ્રધાન નથી રહ્યું, પરંતુ આજે લગભગ ૩૦ ટકા મહિલાઓ શહેરમાં ઘર ખરીદી રહી છે.
રિયલ એસ્ટેટની સીનિયર કર્મચારી શ્વેતા જણાવે છે કે આજકાલ મહિલાઓ પણ સારી નોકરી અથવા બિઝનેસમાં હોય છે અને તેઓ કાર પહેલાં પોતાની માલિકીનું ઘર ખરીદવા ઈચ્છે છે. જેાકે આ એજ ગ્રૂપ ૨૫ થી ૩૪ નું હોય છે. ઘરની ખરીદી પાછળ મહિલાઓનો હેતુ પોતાના જીવનને સુરક્ષિત બનાવવાનો હોય છે.
મુંબઈમાં બિલ્ડર્સ પણ એકલી રહેતી મહિલાઓ માટે નવીનવી સ્કીમ લોંચ કરતા રહે છે, જ્યાં સુરક્ષા અને શાંતિને પ્રાથમિકતા આપવામાં આવે છે.

પરિવારનું શિક્ષિત હોવું જરૂરી
આ વિષયે મુંબઈના મહિલા એડવોકેટ બિંદુ દૂબે જણાવે છે કે લગ્ન પહેલાં બંને પક્ષે પરિવાર કેટલો શિક્ષિત છે તે જેાવું પણ જરૂરી છે, કારણ કે શિક્ષિત પરિવાર હોય તો તેમની માનસિકતા બદલાવાની શક્યતા રહે છે. ઉપરાંત બંને પરિવાર વચ્ચે એવી સમજૂતી થવી જેાઈએ કે તે દહેજ લેવા કે આપવા પર વિશ્વાસ ધરાવતા નથી, કારણ કે ઘણી વાર છોકરા પણ પોતાના માતાપિતા સામે બોલી નથી શકતા. જ્યારે વાસ્તવમાં છોકરાઓએ કંઈ ખોટું થવા પર મજબૂતાઈથી પેરન્ટ્સનો વિરોધ કરવો જેાઈએ અને તે જરૂરી પણ છે.
દહેજ મુદ્દે છોકરીની લગ્ન સમયે એવી સ્થિતિ સર્જાય છે, જેમાં તે પોતાના પિતાને અસન્માનિત અને વિવશ સ્થિતિમાં જુએ છે. તે સમયે જેાકે તે ચુપચાપ આ બધું સહન કરે છે, પરંતુ તેના મનમાં આ અપમાન ઘર કરી જાય છે અને આ કડવાશને તે લગ્ન પછી કેવી રીતે બહાર કાઢશે તે વિચારવાલાયક છે. આમ થવાથી પરિવારમાં બોલચાલ થાય છે.
તેથી દહેજ લેવા કે આપવાની વાતને લગ્ન પહેલાં સુનિશ્ચિત કરવી જેાઈએ. જેકે ઘણી વાર બધું બરાબર જેાયું હોવા છતાં ખોટું થઈ શકે છે, પરંતુ શકય હોય ત્યાં સુધી બંને પરિવારમાં પારદર્શિતા હોવી જેાઈએ. છોકરા ઉપરાંત પરિવારના શિક્ષિત હોવા પર પરિવારની માનસિકતા અને આદતો સારી હોવાનું આશ્વાસન મળી જાય છે.

એકબીજા સાથે જૂઠું ન બોલો
એડવોકેટ બિંદુ આગળ જણાવે છે કે મારી પાસે એવા ઘણા બધા કેસિસ કોમેસ્ટિક વાયોલંસના આવે છે, જેનું સમાધાન હજી સુધી નથી થઈ શક્યું. પહેલાંથી એકબીજા વિશે જાણકારી ન હોવા પર પણ પાછળથી ખટપટ ચાલતી રહે છે. બંને પરિવાર વચ્ચે આરોપ પ્રત્યારોપ ચાલતા રહે છે. જેાકે પરિવારની એકબીજા સાથે મિલનમુલાકાતથી દીકરી અને દીકરાના પેર્ટ્સને એકબીજાની રહેણીકરણીની જાણકારી મળે છે. આમ પણ લગ્ન પહેલાં છોકરાએ પોતાના ઘરની સ્થિતિને કંઈ છુપાવ્યા વિના છોકરીને જણાવી દેવી યોગ્ય રહે છે. જેાકે બંને વચ્ચે એકબીજા સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગે છે. તેમાં સૌથી વધારે જરૂરી છે શિક્ષણ, જેથી એકબીજા સાથે તાલમેલ બેસાડવો શક્ય બને છે.
દીકરીના લગ્ન કરાવતા પહેલાં બીજી કેટલીક વાત પર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે :
ઓછું ભણેલીગણેલી, લગ્ન ન કરનાર અને અભણ દીકરીના પેરન્ટ્સે પોતાની દીકરીના નામે થોડીક પ્રોપર્ટીનો ભાગ તેના માટે લખી આપવો જેાઈએ, કારણ કે આજકાલ ઘણી બધી ભણેલીગણેલી છોકરી લગ્ન નથી કરતી. આમ તો કાયદેસર દીકરીને પણ પેરન્ટ્સની પ્રોપર્ટીનો ભાગ મળતો હોય છે, પરંતુ આજના મોટાભાગના પેરન્ટ્સ દીકરાને પોતાની પૂરી પ્રોપર્ટી આપતા હોય છે. તેમનું માનવું હોય છે કે દીકરીના લગ્ન કરાવવામાં ખર્ચ કરવો પડે છે અને તે બીજા ઘરે કાયમ માટે જતી રહે છે. તેથી તેમના શિક્ષણ પાછળ તે વધારે ખર્ચ નથી કરતા, તેમની ઈચ્છા મુજબનું તેમને કામ નથી કરવા દેતા, જ્યારે દીકરાને હાયર એજ્યુકેશન અપાવવા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. આ માનસિકતાના લીધે દીકરીના સાસરિયાને લાગતું હોય છે કે તેમના ઘરમાંથી નીકળી ગયા પછી છોકરી આમતેમ ભટકશે. તેથી પેરન્ટ્સ માટે ઈચ્છનીય છે કે છોકરીઓને પણ પોતાની પ્રોપર્ટીમાંથી થોડો ભાગ કાયદેસર આપવો જેાઈએ.
પહેલું મનદુખ દહેજથી શરૂ થાય છે અને જેનો અંત હજી સુધી નથી થયો. દહેજ એક દૂષણ છે. આજે અભણ છોકરીના લગ્નમાં મુશ્કેલી પડે છે. ભલે ને છોકરીને લગ્ન પછી ઘરે રહેવાનું હોય, તેમ છતાં સાસરી પક્ષને છોકરી ભણેલીગણેલી જેાઈએ છે.
છોકરી વધારે લાલચુ ન હોવી જેાઈએ. પેરન્ટ્સ દ્વારા આપવામાં આવેલી સંપત્તિને ઘણી વાર પતિના કહેવા પર વેચવા રાજી થાય છે. આશ્ચર્યની એક વાત એ છે કે આજે પણ મોટાભાગની છોકરીઓને પોતાના કાનૂની હકની જાણકારી નથી હોતી. બીજી તરફ પરિવાર અને સમાજની માનસિકતામાં બદલાવ હજી ટ્રાન્ઝિશન પીરિયડમાં છે.

ગેરલાભ ઉઠાવે છે
એડવોકેટ બિંદુનું કહેવું છે કે તેમાં નુકસાન પણ છે. કેટલીક છોકરીઓ જેમને કાયદાની જાણકારી છે, તે ચુપચાપ નીકળી શકે છે, તો કેટલીક જાણવા છતાં ઘર છોડીને નથી જતી, કારણ કે તે સંબંધ બગડવા અને બદનામ થવાથી ડરે છે. જ્યારે કેટલીક છોકરીઓ આ કાયદાનો ખોટો લાભ ઉઠાવે છે. મારી પાસે એવા ઘણા બધા પતિ આવે છે, જેમની પત્નીએ કાયદાનો ખોટો ઉપયોગ કરીને પતિના ઘર પર કબજેા કરી લીધો હોય અને પતિ બહાર રહેવા મજબૂર થઈ ગયો છે. છોકરીના સાસુસસરા પણ ત્યાં નથી રહી શકતા.
વાસ્તવમાં અહીં યોગ્ય બેલેન્સ હોવું જરૂરી છે, જેમાં બાળકોના યોગ્ય ઉછેર, તેમની સાથે ખૂલીને વાતચીત કરવી વગેરે દીકરીઓને જાણ હોવી જેાઈએ કે પતિ તેમનું બેંક બેલેન્સ નથી, તેમણે પણ કમાવાનું છે. માત્ર કિચન અને ઘરના કામ કરવા તેમની જિંદગી નથી. શિક્ષિત હોવાથી કામ કરવું અને આત્મનિર્ભર બનવું તેના જીવનની મૂડી છે. માત્ર પારિવારિક ઝઘડા નહીં, પરંતુ પતિના અચાનક મૃત્યુ પછી તેમને કોણ જેાશે? કુલ મળીને શિક્ષણ અને રોજગારની સમાન તક બંનેને મળવી જેાઈએ.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....