હું ૩૪ વર્ષની ઘરેલુ મહિલા છું. મને છેલ્લા ઘણા મહિનાથી ખૂબ પરસેવો થઈ રહ્યો છે. વાળ પણ સતત ખરી રહ્યા છે અને વજન પણ ૯-૧૦ કિલોગ્રામ ઓછું થઈ ગયું છે. મારી સમજમાં નથી આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે?
તમારી સમસ્યા જેાઈને લાગી રહ્યું છે કે તમને થાઈરોઈડ સંબંધિત સમસ્યા છે. થાઈરોઈડ એક પતંગિયા આકારની નાનકડી ગ્લેન્ડ (ગ્રંથિ) છે, જે ગરદનના નીચેના ભાગમાં હોય છે. તેમાંથી નીકળતા હોર્મોન શરીરની મેટાબોલિક ક્રિયાઓને નિયંત્રિત કરે છે. વાળ ખરવા, કારણ વિના વજન ઘટવું, વધારે પરસેવો થવો, આ બધા હાઈપોથાઈરોડિઝમના મુખ્ય લક્ષણો છે. હાઈપોથાઈરોડિઝમમાં થાઈરોઈડ ગ્રંથિ જેટલો શરીરની સામાન્ય ગતિવિધિ માટે હોર્મોન્સનો સ્રાવ જરૂરી છે. તેના કરતા વધારે પ્રમાણમાં સ્રાવ કરવા લાગે છે, તેથી આ બધા લક્ષણો દેખાવા લાગે છે. તેથી તમે થાઈરોઈડ ફંક્શનિંગ ટેસ્ટ કરાવો.

મારા લગ્નને ૬ વર્ષ થયા છે, પરંતુ મને કોઈ સંતાન નથી. મને હાઈપોથાઈરોડિઝમ છે. ક્યાંક વંધ્યત્વનું કારણ મારી બીમારી તો નથી ને?
મહિલાઓમાં અને પુરુષોમાં વંધ્યત્વનું એક મુખ્ય કારણ થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય છે. મહિલાઓમાં થાઈરોઈડના લીધે અંડાશયની કાર્યપ્રણાલી પ્રભાવિત થતી હોય છે અથવા ઈંડાં રિલીઝ નથી થતા કે પછી તેમનું માસિક ચક્ર અનિયમિત થઈ જાય છે. કેટલીક મહિલાઓ સમય પહેલાં મેનોપોઝની શિકાર બની જાય છે. જેાકે સારવાર પછી પ્રજનનતંત્ર સંબંધિત સમસ્યાને નિયમિત જરૂર કરી શકાય છે. તમે કોઈ સારા સ્ત્રીરોગ નિષ્ણાતને બતાવો. તપાસ કરાવ્યા પછી જાણ થશે કે તમે ગર્ભધારણ કેમ નથી કરી શકતા. જેા હાઈપોથાઈરોડિઝમ આ સમસ્યાનું કારણ છે તો દવાઓ અને વિભિન્ન ઉપચાર દ્વારા તેને નિયંત્રણમાં લઈને પ્રજનનતંત્રની કાર્યપ્રણાલીમાં સુધારો કરીને સામાન્ય રીતે ગર્ભધારણને શક્ય બનાવી શકાય છે.

થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય રીતે કામ કરે તે માટે કઈ વાતનું ધ્યાન રાખવું જેાઈએ, જેથી થાઈરોઈડ સંબંધિત મુશ્કેલીના જેાખમને ઓછું કરી શકાય?
જીવનશૈલી અને આહારમાં પરિવર્તનને લઈને થાઈરોઈડ સંબંધિત સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય છે. શારીરિક રીતે સક્રિય રહો અને સંતુલિત ભોજન લો, જે વિટામિન એ, સી, ડી, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય. આ બધા થાઈરોઈડ ગ્રંથિ સારી રીતેે કાર્ય કરે તે માટે જરૂરી છે. હાઈપોથાઈરોઈડથી પીડિત લોકોએ સી-ફૂડ, બ્રેડ અને આયોડિનયુક્ત મીઠાનું વધારે પ્રમાણમાં સેવન કરવું જેાઈએ, જ્યારે હાઈપરથાઈરોઈડથી પીડિત લોકોએ એવા ખાદ્ય પદાર્થો ઓછા ખાવા જેાઈએ, જેમાં આયોડિન વધારે પ્રમાણમાં હોય. જેાકે એન્ટિથાઈરોઈડ દવાઓથી થાઈરોઈડ ગ્રંથિમાંથી થતો વધારે સ્રાવ ઓછો થઈ જાય છે, પરંતુ માત્ર દવાઓથી કામ નહીં ચાલે, કારણ કે એક વાર દવાઓ બંધ કર્યા પછી સમસ્યા ફરીથી શરૂ થાય છે. તેથી તમારે આહારમાં વધારે સાવચેતી રાખવી પડશે. નિયમિત એક્સર્સાઈઝ પણ થાઈરોઈડના દર્દીઓને સામાન્ય જીવન જીવવામાં સહાયતા કરી શકે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....