દુનિયાભરમાં ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ભારતમાં ૧૦ થી ૧૫ ટકાની વચ્ચે પરિણીત કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ભારતમાં ૩૦ મિલિયન ઈંફર્ટાઈલ કપલમાંથી લગભગ ૩ મિલિયન કપલ દર વર્ષે ઈનફર્ટિલિટીનો ઈલાજ કરાવી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં આ આંકડા વધારે છે. ત્યાં દર ૬ માંથી ૧ કપલ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને તેના ઈલાજને લઈને જાગૃત છે, પરંતુ દર સમસ્યાનો ઈલાજ શક્ય છે. તેથી નિરાશ થયેલા કપલ પણ પેરન્ટ બની શકે છે.

ઈનફર્ટિલિટી શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, ઈનફર્ટિલિટી રીપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જેાડાયેલી બીમારી છે. ઈનફર્ટિલિટી શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે કપલ કોઈ પ્રોટેક્શન વિના ઉપયોગ માટે એક વર્ષથી વધારે સમય પ્લાન કરી રહ્યા હોય, તેમ છતાં કંસીવ કરવામાં સમસ્યા આવી રહી હોય. ઈનફર્ટિલિટીનું કારણ માત્ર મહિલાઓ જ નથી, પરંતુ પુરુષ પણ હોય છે. ઘણી વાર મહિલાઓમાં તેનું કારણ ફેલોપિયન ટ્યૂબનું બ્લોક થવું, ઈંડા ન બનવા, ઈંડાની ક્વોલિટી ખરાબ હોવી, પ્રેગ્નન્સી હોર્મોન્સનું સંતુલન બગડવું, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ વગેરેના લીધે થાય છે, જેથી મા બનવામાં સમસ્યા આવે છે. બીજી તરફ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા, તેની ક્વોલિટી સારી ન હોવી અને તેમની મોટેલિટી એટલે કે તે એક્ટિવલી કેટલું કામ કરે છે. સારી ન હોય ત્યારે પણ પાર્ટનરને કંસીવ કરવામાં સમસ્યા થાય છે, પરંતુ સમસ્યા થવાની નહીં, પરંતુ ઈનફર્ટિલિટીની ટ્રીટમેન્ટથી તમારી સમસ્યાનું સમાધાન થશે.

તેનો ઈલાજ શું છે
પીરિયડને નિયમિત કરવું : ભલે વાત સામાન્ય રીતની કે પછી કોઈ ટ્રીટમેન્ટની, ડોક્ટર સૌપ્રથમ તમારા પીરિયડને નિયમિત કરવાની કોશિશ કરે છે, જેથી તમારા હોર્મોન્સ સામાન્ય થઈ શકે અને તમને કંસીવ કરવામાં કોઈ સમસ્યા ન આવે. સાથે તમારા ઓવ્યુલેશન પીરિયડને ટ્રેક કરવામાં સરળતા હોય. એવામાં હેલ્ધિ ઈટિંગ હેબિટ્સ અને દવાઓ દ્વારા તેને સામાન્ય કરવાની કોશિશ કરવામાં આવે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....