સારા સ્વાસ્થ્ય માટે તડકામાં બેસવું જરૂરી છે. આપણે ઘણી વાર સવારે તડકો માણવા માટે કલાકો તડકામાં બેસીએ છીએ. સમરમાં પણ સવારે તડકામાં બેસવાની કોશિશ કરો છો એટલે આ સાચું છે કે સૂર્યપ્રકાશ સ્વાસ્થ્ય માટે સારો છો. તેમાંથી વિટામિન-ડી મળે છે, સાથે સૂર્યપ્રકાશ શરીરમાં ઊર્જનો સંચાર કરે છે, પરંતુ યાદ રાખો કે તડકામાં વધારે સમય સુધી બેસી રહેવાથી સ્કિનને અનેક પ્રકારના નુકસાન થાય છે.
હકીકતમાં, સૂર્ય દ્વારા યૂવી કિરણોનું ઉત્સર્જન થાય છે. આ કિરણો શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. તેનાથી શરીરમાં વિટામિન ડીનું નિર્માણ થાય છે, હાડકાં મજબૂત બને છે, પરંતુ આ કિરણો સ્કિન સંબંધિત કેટલીક સમસ્યા પેદા કરે છે.
યૂવી કિરણોના ૨ મુખ્ય રૂપ યૂવીએ અને યૂવીબી છે. યૂવીએ અને યૂવીબી બંને પ્રકારના કિરણોથી સ્કિનને નુકસાન થાય છે.
યૂવીએ કિરણો સ્કિનના ઊંડા પડને પ્રભાવિત કરે છે અને યૂવીબી કિરણો સ્કિનના ઉપરના પડને પ્રભાવિત કરે છે. સ્કિન પર યૂવી કિરણોની કેટલીય નકારાત્મક અસર થાય છે, જેમ કે :
ટેનિંગ : સૂર્યના સંપર્કમાં આવવાથી સ્કિનનો રંગ બદલાવા લાગે છે. સ્કિન નિસ્તેજ દેખાય છે. રંગ શ્યામ પડી જાય છે. સ્કિન પર ડાર્ક પેચિસ પડી શકે છે, જે ટ્રીટમેન્ટ વિના દૂર નથી થતા. ફેસ ડલ દેખાવા લાગે છે.
સનબર્ન : સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી સ્કિન પર છાલા પડી જાય છે, સાથે લાલલાલ ધબ્બા પડવા લાગે છે, જેમાં ખંજવાળ આવી શકે છે. તેને સનબર્ન કહેવાય છે.
એજિંગ : સ્કિન નીચે કોલોજન અને ઈલાસ્ટિકમાં ડેમેજ અથવા કમીના લીધે સ્કિન એજિંગ થવા લાગે છે. તેનાથી ફાઈન લાઈન્સ અને કરચલી પડી જાય છે. યૂવી કિરણો સીધા કોલોજન અને ઈલાસ્ટિકના સ્તરને પ્રભાવિત કરે છે.
સ્કિન કેન્સર : સ્કિન કેન્સર જેનેટિક હોય છે, પરંતુ તે સન ડેમેજના લીધે પણ થાય છે.
સૂર્યના આ કિરણોની અસર દરેક વ્યક્તિ પર સરખી નથી થતી. તડકામાં નીકળ્યા પછી સૌથી વધારે જેાખમ ગોરી સ્કિનવાળાને થાય છે અથવા જેના શરીરમાં મોટી સંખ્યામાં તલ હોય છે તેને વધારે નુકસાન થાય છે. તે ઉપરાંત જેની સ્કિનમાં દાઝવાના નિશાન હોય જે કેટલાય કલાક બહાર તડકામાં સમય વિતાવે તેમને વધારે સમસ્યા થાય છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....