પતિ પત્ની વચ્ચે જ્યારે ‘ત્રીજી વ્યક્તિ’ એટલે કે ‘વો’ આવી જાય ત્યારે એકબીજા પરનો વિશ્વાસ જતો રહે છે અને આ સંબંધને તૂટતા વાર નથી લાગતી. જેા આ ‘વો’ એટલે કે ત્રીજી વ્યક્તિ સાસુ હોય કે પછી પોતાની મા જે નાનીનાની વાતને પણ મોટું સ્વરૂપ આપતી હોય તો પણ સુંદર રીતે ચાલતી ગૃહસ્થીમાં આગ લાગવામાં વાર નથી લાગતી. એવા ઘણા અનેક પરિવાર છે જ્યાં પતિપત્ની વચ્ચેના સંબંધ ઝઘડાના લીધે નહીં, પરંતુ સાસુ અથવા માની કારણ વિનાની રોકટોક, બિનજરૂરી હુકમ ચલાવવા તેમજ પરિવાર વચ્ચે ફૂટ પડવાથી તૂટતા હોય છે. પરિવારમાં આમ પણ સાસુ અને માનો ત્રાસ બાહ્ય મહિલાઓ કરતા વધારે રહે છે. જરૂરી નથી હંમેશાં સાસુ જ ખોટી હોય અને એ વાત પણ જરૂરી નથી કે હંમેશાં વહુની જ ભૂલ હોય. આખરે મોટાભાગના કિસ્સામાં સાસુ કે મા અને તેમની વચ્ચેના સંબંધ સમજદારીપૂર્વકના કેમ નથી હોતા? કેમ વહુ પોતાની સાસુને માનો દરજ્જેા નથી આપી શકતી, બીજી તરફ સાસુ પણ વહુને દીકરીનો દરજ્જેા આપવાથી દૂર રહે છે?
કારણ કે સાસુ સાસુ નથી હોતી
છોકરીઓના મનમાં પહેલાંથી સાસરીની નકારાત્મક છબિ બનાવવામાં આવે છે. જેાકે હવે માતા પણ સમજદાર બની ગઈ છે, તેમ છતાં એક માને પોતાના દીકરાની ચિંતા રહે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ખબર નહીં મારી વહુ કેવી હશે, ક્યાંક થોડા સમય પછી અમને અમારા દીકરાથી અલગ ન કરી દે, ક્યાંક દીકરો બદલાઈ ન જાય. લગ્ન પછી તે પોતાના દીકરાને નાનીનાની વાતમાં વહુ સામે ઉશ્કેરવા લાગે છે અને તે તેને વહુની નાનીનાની ફરિયાદ કરવા લાગે છે.
દીકરીની ગૃહસ્થીમાં મા બની વિલન
સાસુ અને વહુ ઉપરાંત છોકરીની માની પણ મહત્ત્વની ભૂમિકા રહે છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી રાજકુમારી બનીને રહે. જ્યારે મા પોતાની દીકરીને તેની સાસરીમાં થોડું ઘણું કામ કરતા જુએ અથવા સાંભળે છે, ત્યારે તેને લાગે છે કે તેના પૈસા બરબાદ થઈ ગયા. દીકરીના લગ્નમાં જેટલા પૈસાનો ખર્ચ કર્યો હતો તે પોતાની દીકરી માટે કર્યો હતો કે તે સાસરીમાં પણ એક રાજકુમારી બનીને રહે, પરંતુ ત્યાં તેને નોકરાણી બનાવીને રાખી છે.





