સંજનાએ ઓછી ફિલ્મ કરી છે અને આવનાર સમયમાં ‘ધકધક’ ફિલ્મ ઉપરાંત કોઈ ખાસ પ્રોજેક્ટ તેની પાસે દેખાતો નથી. તાજેતરમાં તે ‘કડક સિંહ’ ને લઈને ચર્ચામાં છે. ઓટીટી પર આવેલી આ ફિલ્મમાં આમ તો પંકજ ત્રિપાઠી દેખાતા રહે છે, પણ સંજનાએ ઠીકઠાક કામ કરી લીધું છે. સંજના સિનેમાઘરથી વધારે ઓટીટી પર ફિલ્મની રિલીઝને યોગ્ય માને છે. તે કહે છે કે સિનેમાઘરમાં ફિલ્મ બોક્સ ઓફિસના દબાણ હેઠળ સાચો મેસેજ આપી નથી શકતી. બીજી બાજુ ફિલ્મે ૨ દિવસમાં પોતાને પ્રૂવ કરવી પડે છે, જ્યારે ઓટીટી ફિલ્મને પૂરું સન્માન આપે છે. વાત તો સાચી છે સંજના, પણ પ્રૂવ કરવા માટે તારી પાસે ફિલ્મ પણ હોવી જેાઈએ ને.

વધુ વાંચવા કિલક કરો....